aachaar sanhitaa 45 - Anaamatno aachako 4 - Aadolan 2

From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609


  - ;આચાર  -    સંહીતા :-          45  ----

  - : અનામતનો   આચકો   :-        4  -----   આંદોલન  2.


     વ્યક્તિ   સ્વાતંત્ર્ય ,  વાણી  સ્વાતંત્ર્ય   અને   અભિ-વ્યક્તિનુ  સ્વાતંત્ર્ય આ  ત્રણેય   બંધારણની  લાડકી  દીકરીઓ  છે-   આ  દિકરીઓને    બંધારણે    ખુબ  ખુબ ખોબલે   ખોબલે  અધીકારો   આપ્યા   છે  -  ત્રણેય  દીકરિઓ   વચ્ચે નો સંપ   અને   એકજુટતા  પણ   ગજબની   છે  -  વ્યક્તિ   કહે  હુ અધુરી   જો  વાણી   મારી  સાથે  ના  હોય  અને   બન્ને    ભેગી  મળે   એટલે  કહે અમે  બન્ને પણ  અધુરા   જો   અભિવ્યક્તિ  અમોને  ના  મળે -  અને  આ  ત્રીપુટીએ  જે   બાળકોને   જન્મ   આપીને   ઉછેર્યા  - મોટા કર્યા , પાળ્યા, પોષ્યા અને   પંપાળ્યા   ;   આજે   તે   બાળકો   : તેમના   નામે  :જે  રીતે  ચરી ખાય  છે   તેને   રોકનાર  ટોકનાર  કોઇ  નથી : સૌ  તેમની સામે લાચાર  અને  બેબસ   કેમ   બની   ગયા  છે  ?  ઓળખી લિધા આ   લાડકવાયા   બાળકોને  ?   તેઓ   છે  :  હડતાલ  : બંધ  :, આદોલન :  ,રેલી :ઉપવાસ  : જુના   જમાનાનો સત્યાગ્રહ :   માથે    ચઢી   વાગેલા  આ   બાળકો   સામે  દાદાજીઓ  , પાપાજીઓ,  અને  નાનાજીઓ  :  સૌની  બોલતી   બંધ  થયી  ગયિ  છે  -:  કેમ    ?  એવુ નથી  લાગતુ  કે  આ  નબીરાઓ ને   માથે   ચઢાવનાર  પણ   તેમના  જ   વાલી   વારસો  છે   ? બંધારનની   લાડકી   દીકરીઓના   આ  બાળકોએ  જે  આતંક મચવ્યો  છે ,  જે  નુકશાન  કરેલ છે ,જે   હાહાકાર   અને  ઉત્પાત  મચાવ્યા  છે  -  તેની સામે   તો   કુરુક્ષેત્રના  કે  કલીંગના   યુધ્ધની   ખુવારી   વિસાતમા   નથી .

      હવે  સમય   આવી   ગયો છે   કે   આ   બાળનકોને  કાબુમા  લેવા  માટે  તેમના   જન્મદાતાઓએ  જ  આગળ   આવવુ  પડે.:
   બંધારણની  સૌ  પ્રથમ    ત્રણ  લાડકી   દીકરીઓ   એટલે  :  ધારાગ્રુહ  ;   કારોબારી   અને   ન્યાયતંત્ર  : ત્રણેયને   એકરાગ  અને  સમંન્વયતાથી   રહેવા અને   કામ  કરવા    આદેશ   હતો  :  કોઇ એ કોઇના   કામમા   દખલ   કરવી  નહીં  :   છતા   સઊ   સ્વાયાત્ત    હતા પરંતુ  સ્વાયત્તતાએ   સ્વતંત્રતા  બની    ગયી  - અને    કદાચ  સ્વતંત્રતા   સ્વચ્છંદતા     ક્યારે  બની  ગયી   તેનો  કોઇને  ખ્યાલ  જ   આવ્યો   નહીં  અને   તેનુ પરીણામ
આજે   દેખાઇ રહ્યુ છે

   લોકશાહીની  સૌથી  મોટી   દીકરી :   ધારાગ્રુહ  : કામગરી  દીકરી  કારોબારી   અને   સૌથી સમજદાર  દીકરી    ન્યાયતંત્ર  :    :
 
      સાચુ  વિષ્લેષણ   કરવા   બેસીયે તો  મહાભારતના   અનેક  :    ગ્રંથો  પણ   નાના  પડે  - એ   શક્ય નથી -  એ ભલે   ન્યાયતંત્રની   લાયબ્રેરીમા    બંધ   રહે  -  પણ   જાણવાજોગ  - નજરે  ચઢેલ  -  નરી  આખે  દેખાતા   ઉદાહરણ   જ  જોઇયે  :  બંધારણીય   વારસાગત   વહેચણી  મુજબ   ધારાગ્રુહ   કાયદા   ઘડે  : તે   માટે   નિયમો  પણ   ઘડાયેલા   છે જ   છતા  -  અહો  આશ્ચર્યમ  :  ધારાગ્રુહોને   ચાલવા  જ  દેવાતા  નથી  :  વ્યક્તિ    સ્વાતંત્ર્ય , વાણી  સ્વાતંત્ર્ય અને  અભિવ્યક્તિના   સ્વાતંત્ર્ય ના   નામે   જે    ઉહાપોહ  કરવામા  આવી   રહ્યો  છે  : કોઇને  ખ્ગબર  જ  નથી  પડતી કે  કોણ  કોને   છવરે  છે  ?   નિયમ મુજબ   ગ્રુહના  અધ્યક્ષ  એટલે     આ  શાળાના   આચાર્ય   તેમની   પાસે એ સત્તા છે જ  કે  વર્ગને  કોઇ પણ  રીતે  કાબુમા  રાખે : તે  કેમ   એ સત્તાનો  ઉપયોગ  કરતા નથી  અને કહી   દે  છે  કે   
આજે    રજા     : તેમનીફરજ  છે કે તે   જો વર્ગમાઅ એક  જ  વિદ્યાર્થી   પણ  બેઠો  હોય  તો તે  તે એક  વિદ્યાર્થીને પાઠ   આપિ   શકે છે  - એક   આખો   પક્સ    ગ્રુહમા   હોય  - જે   કામ   માટે  રાજીહોય તો  કામ કેમ બણ્ધ  રાખે    છે  ?    તોફાનીઓ  તોફાન  કરતાહોય  તો  તેમને   રોકવાની  ,ટોકવાની , સમજાવવાની  , સજા  કરવાની  અરે   વર્ગની  બહાર  કાઢી  મુકવાની  પણ   સત્તા  આચાર્યને   છે  જ  -  અને  તે  જ  સત્તા   ગ્રુહના   અધ્યક્ષને   પણ   છે જ  - શા  માટે  અધ્યક્ષ   મહોદયશ્રી   આ સત્તાનો  ઉપયોગ  નથી  કરતા ?   કોઇ  રાજ  કારણ   નડે   છે  ?  ગ્રુહના અધ્યક્ષ   પક્ષાપક્ષીથી   પર  છે  -   ભલે  તે  શાસક   પક્ષના સભ્ય   છે પણ  અધ્યક્ષ બન્યા   પછી તે   બિનવિવાદાસ્પદ   વ્યક્તિ  બની  જાય  છે  અને   જો   બિનવિવાદાસ્પદ  વ્યક્તિ    બની   રહેવુ  હોય   તો   તેમને  ગ્રુહનુ   કામકાજ  તો  રોકવુ   ના  જ  જોઇયે-   તોફાની  તત્વૂને  તે  બહાર  કાઢી  શકે   છે  અને  ગ્રુહ   ચાલુરાખી  શકે   છે -  એક   વાર   ગુજરાત વિધાનસભાના  અધ્યક્ષે   વિરોધપક્ષના   લગભગ  તમામ  સભ્યોને સસ્પેંડ    કરેલા  અને   ગ્રુહ   ચાલુ   રાખેલ  -  આવી   જ  કાર્યવાહી   લોકસભા  કે  રાજ્યસભામા   પણ   કેમ  ના  થયી  શકે  ?   કાયદો  અને  વ્યવસ્થા  જાળવવા  માટેનુતંત્ર   ઉપયોગમા    લયીને   તોફાની તત્વોને  જેર  કરીને   ગ્રુહનીબહાર  કાઢી  મુકવાની  સત્તા   અધ્યક્ષને  છે  જ તો આ  સત્તાનો  ઉપયોગ કરીને  તેમને બહાર  કાઢી  મુકવાને બદલે અધ્યક્ષ પોત્વ જકેમ      વર્ગ   બંધ  કરીને   નીકળી   જાય  છે  તે સમજાતુ  નથી તેની પાછળ  શુ કારણ  છે ?  હુ   તો   માનુ  છુ   કે  શાસકપક્ષ એકલો જ ગ્રુહમા  હોય   તો   ઝડપથી   કાર્યવાહી   ચાલિ  પન  શકે  -શા  માટે    આમ  નથી થતુ  ?    લોકશાહી નો  ખોટો  આડમ્બર    રાખવાની  જરુર નથી  -  ગ્રુહમા  જે   સભ્યો  છે  તે  લોકશાહી   મુજબ  જ  ચુટાયેલ  સભ્યો  જ  છે   અને  જે નથી  તે  તેમના    કારનામાને  લીધે   હાજર   નથી   -અન્ય  કોઇ    જવાબદાર   નથી .-  પછી   શા  માટે  સમગ્ર   ગ્રુહ   બંધ   રહે  ?  સહેજ  વિચારો:    કેટલાક તોફાની   માણસોનુ ટોળુ  આવે   -શાળાના  વિદ્યાર્થીઓને    દબડાવે- શાળા  છોડીને   ઘેર  જતા  રહેવા    દબાણ   કરે -   આચાર્યશ્રી   દેખતા  રહે  -  ગભરાઇ  જાય અને  વિદ્યાર્થિઓને  છોડી    મુકે    છે  -  શાળા  બંધ  - કારણ   આચાર્ય   પાસે  બીજો  કોઇ   આરો નથી  - સલામતીની  બીજી    વ્યવસ્થા  નથી   -વિદ્યાર્થીઓની   સલામતીનો  પ્રશ્ન  છે  -  જ્યારે   અહિયા  -ગ્રુહમા  તો સલામતીની  જડબેસલાક   વ્યવસ્થા   છે પોલિસ  છે  -  સારજ્ન્ટ  છે - -સુરક્ષા  દળના  જવાનો    છે  -  અને  આઉપરાત  અધ્યક્ષશ્રી   પાસે  અપાર  સત્તા   છે   -સાધન  સામગ્રી  છે -  શા  માટે  ગ્રુહ   મુલત્વી   રાખવુ  પડે ?   એવી   તે   કૈ  લાચારી  છે   અધ્યક્ષશ્રીની કે  તે પગલા  નથી લયે  શકતા  ?

ગુજરાત  વિધાનસભાના  અધ્યક્ષશ્રી   ગણપત  વસાવાએ  હિમ્મતથી  અને   કાયદાની  મર્યાદામા  રહીને   લગભગ  તમામ  તોફાની   તત્વોંને  -સભ્યોને   ગ્રુહની  બહાર  કાઢ્યા સસ્પેંડ     કર્યા  -  કાબિલે  દાદ   વ્યવસ્થા    કરી  -ગ્રુહ  -ગ્રુહ્ચાલુ  જ  રાખ્યુ  -  જો   વસાવા  આ   કરી શકે   તો બીજા  અધ્યક્ષશ્રીઓ   કેમ  ના  કરી   શકે ?

વિચારણા   માગી લે  તેવો  પ્રશ્ન   નથી   આ  ?  


ક્રમશઃ

ગુણવંત  પરીખ
5-9-15


From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609


2 comments:

  1. I want to see that country may proceed without any contravorsy and conflictamongst internal each other

    ReplyDelete
  2. Now it is difficult to control the agitation as it is governed by mob and not by someone intellectual only

    ReplyDelete