Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
71
-: જ રા
સં ધ : -
શુકદેવજી કહે છે
: હે રાજા
પરિક્ષીત : આપ
તો જાણો જ
છો કે ભગવાન વિષ્ણુના
અવતારો ધરા ઉપરથી
પાપાત્માઓનો નાશ કરવા
માટે જ થાય
છે. આ યુગમાં પણ :
દ્વાપર યુગમાં : પૃથ્વી ઉપર પાપાત્માઓનો
ભાર વધી ગયો હતો. તે સૌમાં
જરાસંધ પ્રથમ હરોળના પાપાત્માઓમાં આવે
તેમ હતો : જો વાસુદેવે ઇચ્છ્યુ હોત તો
કંસની હત્યા પછી જ્યારે જરાસંધે મથુરા
પર હુમલો કર્યો તે જ
સમયે તેને પુરો કરી
શક્યા હોત - પણ તેમ
નહી કરવા માટેનુ કારણ
તેમણે બલરામજીને દર્શાવેલુ કે
આને હાલ જીવીત
રાખો : તે જીવતો
રહેશે ત્યાં સુધી અનેક નાના
પાપાત્માઓને ભેગા કરતો રહેશે
અને આ[પણા પર
હુમલા કરતો રહેશે અને કૃષ્ણની
આ વાત
સાચી સાબિત થયી -
તેણે એક બે નહી
પુરા સત્તર હુમલા
મથુરા પર કર્યા અને દરેક
વખતે તેના સિવાય દરેક રણમાં હણાયા
હતા. સમયનાં વહેણ યમુનાના
નીરની માફક અવિરત વહેવા લાગ્યાં - હવે
સમય ધીમે ધીમે નજીક
આવતો ગયો કે જ્યારે
નિશાન પર જરાસંધ
હોય.
કૃષ્ણને ખબર હતી
કે આ માણસ
સીધી રીતે કે સહેલાઇથી મરાવાનો નથી – જરા નામની
રાક્ષસીએ તેના શરીરના બે
ભાગ જોડીને તેમાંથી
એક જરાસંધ બનાવ્યો છે
અને તેનુ મ્રુત્યુ સીધે સીધુ
થવાનુ નથી. રાજસુય યજ્ઞની તૈયારીઓ
ચાલતી હતી ત્યારે જ
વાસુદેવે આયોજન કરી
લીધુ કે આ વખતે જરાસંધને નિશાને
લેવાનો છે અને કોઇ પણ લશ્કર
કે સેના લીધા વગર જ તેને જ સીધો
ખતમ કરવાનો છે. તે
માટે તેમણે અર્જુન અને
ભીમને બ્રાહ્મણના વેષ લેવા
કહ્યુ અને પોતે પણ
બ્રાહ્મણ વેષ ધારણ કર્યો. અને
ત્રણેય વ્યક્તિઓ જરાસંધના દ્વારે જયીને
ઉભા રહ્યા અને ટહેલ
નાખી : ભિક્ષાંમ
દેહિ :દ્વારપાલે જણાવ્યુ કે
મહારાજ ભિક્ષામાં શુ લેશો ? ત્યારે તેમણે
કહ્યુ કે આપ
આપના મહારાજને બોલાવો: અમે તેમની સમક્ષ
જ અમારી માગણી રજુ
કરીશુ : દ્વારપાલે જરાસંસધને ખબર પહોચાડી
એટલે તે દ્વાર પર
આવ્યો અને જોયુ કે કોઇ
ત્રણ દેદીપ્યમાન બ્રાહ્મણો સામે
ઉભા છે –અને મુખ
પર ક્ષાત્રતેજ જણાઇ આવે છે. બ્રાહ્મણ
આવા તેજસ્વી અને કસાયેલ
શરીર વાળા હોઇ ના શકે
–પણ તે જે
હોય તે - મારે આંગણે
ભિક્ષુક બનીને આવ્યા છે
- મારી ફરજ
એ છે કે
મારે તે માગે તે
આપવુ જોઇએ.તેણે નમ્રતાપુર્વક
પુછ્યુ કે હે વિપ્રદેવો
આપ કોણ છો
અને આપની શુ
ઇચ્છા છે તે
જણાવો હુ તે અવશ્ય પુરી
કરીશ.. રાજન , જરાસંધ ગમે
તેવો હતો પણ
વચનનો પાક્કો હતો-તે કૃષ્ણ
જાણતા હતા. તેમણે કહ્યુ
કે મહારાજ જરાસંધ મારી
સાથેના આ બે –પાંડવ છે - એક
અર્જુન અને બીજો
ભીમ અને હુ
દેવકીપુત્ર કૃષ્ણ છુ. અમે
આપની પાસે દ્વંદ્વ યુધ્ધની
માગણી કરીએ છિયે : આપ
અમારામાંથી કોઇની પણ સાથે દ્વંદ્વ કરો
: જો આપ
જીતો તો અમે
આપના ગૂલામ બનીશુ
અને જો આપ
હારો તો આપના
કેદખાનામાં રાખેલ તમામ ને
મુક્તકરવાના રહેશે. જરાસંધ
બહાદુર અને વચનનો પાક્કો યોધ્ધો
હતો : તેણે પડકાર સ્વીકારી લીધ્રો અને કહ્યુ કે જો કૃષ્ણ તને
તો મે મથુરાના યુધ્ધમાં
સત્ત્રર સત્તર વાર ભગાડ્યો છે – તુ
મારી સામે ઉભો
રહેવા સક્ષમ નથી -આ
અર્જુન મારા કરતા
ઘણો નાનો છે
તે પણ મારી
સામે દ્વદ્વ માટે લાયક
નથી - હા આ
ભીમ બરાબર છે
-અમે બન્ને સમોવડીયા
લાગીશુ- આવતીકાલે મગધના
મેદાનમાં અમારી વચ્ચે દ્વંદ્વ
યુધ્ધ શરુ થશે
અને ચપટીવારમાં તો
હુ તમો ત્રણેયને
મારા કેદખાનામાં નાખીશ.
બીજે
દિવસે સવારે તો મગધનુ મેદાન ભરચક થયી ગયુ .આજે ભીમ અને
જરાસંધ વચ્ચે દ્વંદ્વ યોજાવાનુ છે-
જોઇએ કોણ જીતે
છે. પહેલો દિવસ પુરો
થવા આવ્યો પણ કોઇ
પરીણામ આવ્યુ નહી. બન્ને
બળવાન હતા ,
સ્ફુર્તીવાળા હતા ,
પેતરાબાજ પણ હતા
પણ કોઇની કારી
ફાવીનહી. આમ કરતા
કરતા દિવસો વિતવા લાગ્યા હવે
એમ લાગવા
માંડ્યુ કે ભીમ થાકવા લાગ્યો
છે. કૃષ્ણએ તેને
હિંમત આપી અને આગલા
દિવસની રાત્રે જરાસંધનો પુર્વ
ઇતિહાસ કહ્યો અને તેને
મારવાની યુક્તિ બતાવી.:
તેને પકડી ,
પછાડી અને તેની એક જાંઘ
પર પગ રાખીને
તેના બે ફાડીયા
કરી નાખજે – ભીમ આજે ખુશ હતો
- તેણે વાસુદેવના
કહ્યા મુજબ જરાસંધના
બે ફાડીયા કરી
નાખ્યા અને ફેકી
દીધા પણ આ શુ ? બન્ને ફાડીયા
તો જોડાઇ ગયા ?
હવે ? ભીમે બે પાંચ
વાર આ પ્રયોગ કર્યો
પણ દરેક વખતે
બન્ને ફાડીયા જોડાઇ
જતા હતા અને
નવા જોમથી પ્રતિકાર
થતો હતો . હવે તો
ભીમ ગભરાયો અને
તેણે કૃષ્ણની સામે
જોયુ - કૃષ્ણએ
ઇશારાથી સમજાવ્યુ: એક દાતણ લીધુ
- તેની બે
ચીર કરી અને બન્નેને એકબીજાથી
વિરુધ્ધ દિશામાં ફેકી દિધી. હવે
ભીમ જોરમાં દેખાતો
હતો તેણે નવા જોમ અને
જુસ્સાથી જરાસંધ ઉપર પ્રહાર કરવા
માંડ્યા અને એક તબક્કે તો
ફસડાઇ પડવાની તૈયારીમાં જ હતો પણ
તેણે બાજી સંભાળી લીધી અને જેવો
હુમલો જરાસંધે કર્યો કે
તરતજ સ્ફુર્તિથી ખસી
ગયો અને જરાસંધ અડબડીયુ ખાઇને પડી
ગયો. અને ભીમે પળનો
પણ વિલંબ કર્યા
વગર તેના શરીરપર ઉભો
રહી ગયો અને
તેનો એક હાથ
પકડી અને તેના
શરીરના બે ફાડચા કરી
નાખ્યા પણ આ વખતે
વાસુદેવની સલાહ કામે
લીધી અને એક ફાડચુ ઉત્તરમાં નાખ્યુ
અને બીજુ ફાદચુ તેનાથી
વિરુધ્ધ દિશામાં નાખ્યુ અને
પ્રચંડ જયઘોષ કર્યો. આ વખતે
જરાસંધના શરીરના બે ફાડચા જોડાયા
નહી.અને આમ ભીમને
વિજેતા ઘોષિત કરવામાં આવ્યો. જરાસંધ મરાતાં રાજ્યમાં એક ઉત્સાહનુ વાતાવરણ
ઉભુ થયુ અને
ઠેર ઠેર કૃષ્ણ્ ના
નામનો જયઘોષ ચારે દિશામાં થવા લાગ્યો. વાસુદેવે કહ્યુ
કે અમારે મગધનુ
સામ્રાજ્ય નથી જોઇતુ- અમે
તો એક પાપાત્માના
અંત માટે આવેલા
છિયે –મગધની ગાદી પર જરાસંધના
પુત્રનો અધીકાર છે
અને તે ગાદી સંભાળે અને શરત
મુજબ જરાસંધે કેદ
કરેલા તમામ રાજાઓને
મુક્ત કરવામાં આવે.
દરેક કેદી રાજાને
માનભેર મુક્ત કરવામાં
આવ્યા અને દરેકને તેમનુ રાજ્ય
પણ પાછુ આપવામાં આવ્યુ
અને સૌએ મહારાજ યુધિષ્ઠીરની આણ સ્વીકારી.
- સૌ સ્વાયત્ત
રાજા : પણ યુધિષ્ઠીર
મહારાજ ચક્રવર્તી સમ્રાટ
બની ગયા. આમ
એક પછી એક પાપાત્માઓની વિદાય
થતી ગયી. હવે
કોનો વારો ?
પાપાજી
ક્રમશ:
Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
72
-: પાં ણ્ડૃ ક : -
શુકદેવજી કહે છે
હે રજન હુ હવે
એક બનાવટી, વેષધારી , મિથ્યાભિમાની અને પોતાની જાતને જ સર્વેશ્વર અને
ભગવાન માનનાર એવા પાંણ્ડૃક
રાજાનુ વૃત્તાત કહીશ. તે
કરુપ દેશનો રાજા હતો.
કાશી નરેશ તેના
મિત્ર હતા અને
બન્ને એકસરખા મિથ્યાભાષી અને મિથ્યાભિમાની
હતા. તેમાંય પાંણ્ડૃક
તો પોતાને જ ભગવાન
વિષ્ણુનો અવતાર સમજતો હતો. હુ
જ પૃથ્વી પર
માનવ દેહે ભગવાન
વિષ્ણુના અવતાર તરીકે
આવ્યો છુ અને
મારે જ આ જગતનુ રક્ષણ કરવાનુ છે.
સૌએ મારી જ પુજા
અર્ચના કરવી. દ્વારકામાં
રહેતો અને દ્વારકાધીશ
બની બેઠેલો કૃષ્ણ તો
ગોકુલનો ગોવાળિયો છે – પ્રજાએ
નાહક તેને ભગવાન , ભગવાન કહીને કઢાવી માર્યો
છે. તે મારી નકલ
કરે છે. મારી જેમ
તે પણ ખોટે
ખોટ&આ ચક્ર , ગદા , પદ્મ વિ.. ધારણ કરે
છે . અરે આ મારી પાસે
જે ધનુષ્ય છે
તે જ સાચુ
સારંગ ધનુષ્ય છે
પણ એ નકલી કૃષ્ણએ તે
બધો દેખાવ કરવા
માટે ધારણ કરી
લીધા છે. કરુપ દેશની
પ્રજા પણ અબુધ હતી
અને તે પણ આ
પાણ્ડૃકને જ ભગવાન માનતી
હતી આથી તે
પોરષાતો હતો. અને
તેનાઅ રાજ્યમાં તેના
ખુશામતખોરીઆઓ પણ ઘણા
હતા જે તેને જ ભગવાન
છે તેમ માનવા પ્રેરતા હતા
અને દ્વારકાવાળો તો
બનાવટી છે. એક દિવસ
મિથ્યાભિમાનના અતિરેકમાં તેણે
એક દુત દ્વારકા મોકલી આપ્યો
અને કૃષ્ણને સમાચાર આઠવ્યા
કે તુ મારી સમક્ષ
હાજર થયી જા અને
મારુ શરણ સ્વીકારી લે.
તારે જો જીવવુ
હૌય તો મારી શરણાગતી સ્વીકારી
લે હુ તારા બધા
ગુના માફ કરીશ પણ જો તે
માનવા ઐયાર ના
હોય તો મારી સાથે યુધ્ધ કર.
અને મારો
તાબેદાર બન અથવા
મ્રુત્યુ પસંદ કર
અને યમલોકમાં ચાલ્યો જા
દ્વારકાધીશની રાજ્યસભા દૂતનો બકવાસ
સાંભળીને ખડખડાટ હસવા
લાગી. સમગ્ર રાજ્યસભામાં
એક હાસ્યનુ મોજુ ફરી
વળ્યુ. વાસુદેવ વતી
માત્ર એક મંત્રીએ
જ જવાબ પાઠવી
દીધો : હે
દૂત , અમારી રાજ્યસભામાં
દુતને સન્માન જ
આપવામાં આવે છે પણ
આવા અઘટિત ઉચ્ચારણો
કરનારને અમે માફ નથી
કરતા - પણ
સામાન્ય સૌજન્યતા એવુ
કહે છે કે
દૂત અવધ્ય છે
માટેતને અમે જીવતો
જવા દઇશુ . પણ
તારા મુર્ખ અને
ઘમંડી રાજાને કહેજે
કે અમે બહુ
ઝદપથી કરુપ દેશ પર ચઢાઇ કરીશુ
અને તારા રાજાના
બધા અલંકારો છિનવી લેવાના છિયે. તેના
દંભનો પણ પર્દાફાશ
થશે. બલરામજીએ કહ્યુ કે કાના
આને તો જેતલો
બને તેટલો વહેલો
મોક્ષ અપાવ.આથી કૃષ્ણએ દુતની પાછળ
ને પાછળ જ પોતાના લશ્કર
સાથે કરૂપ દેશ
પર ચઢાઇ કરી. આ
વખતે કરૂપનરેશ કાશીનરેશ
સાથે કાશી હતા. કૃષ્ણની
ચઢાઇના સમાચાર મલતાં
જ તે પોતાના સૈન્ય સાથે
કૃષ્ણનો સામનો કરવા તૈયાર
થયી ગયો.તેણે પણ
કૃષ્ણના જેવો જ
આયુધો ધારણ કર્યા
હતા જે જોઇને
ભગવાન કૃષ્ણને હસહેજ
હસવુ આવ્યુ. અગ્નિની
સામે તણખલુ કેટલી
ટક્કર લે ? તે ખુદ જ ભસ્મ
થયી જાય. આટલુ અધુરૂ
હતુ તેમ પાછા
કાશીનરેશ પણ પોતાના
મિત્રની સહાય કરવા લાવ
લશ્કર સાથે કરૂપનરેશની
સાથે આવી ગયા.
પણ પળ બે
પળમાં તો કૃષ્ણએ
કરૂપ નર્શને પડકાર્યો-
અરે ઓ મુર્ખ
પાંણ્ડૃક, જો
સાચા દ્વારકાઅધીશ ;
દેવકીનંદન વાસુદેવ ભગવાન
કૃષ્ણ તારી સામે
છે –અને તે જે
આયુધો ધારણ કરેલ
છે તે જ આયુધ
પૈકિમારા સુદર્શન ચક્રથી
તારો અંત લાવુ
છુ. અને તેમણે ચક્રથી
કરૂપ નરેશનુ
શીશ ઉતારી લીધુ.
પાંણ્ડૃક ગમે તેવો
હતો ,પણ તેણે ઉઠ્તા , બેસતા,, બારે અને
બાવીસે કલાક વેરભાવે પણ
કૃષ્ણનુ જ રટણ
કરેલુ અને તે
ઓપુણ્ય તેની પાસે
આવ્યુ અને તેના જીવનની
જ્યોત પણ ભવાન
કૃષ્ણમાં સમાઇ ગયી.
હવે કાશી નરેશનો
વારો આવ્યો- અધરમી
અને મિથ્યાભિમાની અને
મિથ્યાભાષીને સાથ દેનાર કાશી નરેશનુ
શીશ પણ તેના ધડથી
અલગ કરીને કાશીનરેશના
મહેલના દરવાજે ફેકી
દીધુ. મહેલના દરવાજા
પાસે કોઇ પ્રભાવશાળી માનવનુ મુગુટ
સાથેનુશીશ જોઇને લોકોને
આશ્ચર્ય થયુ કે
આ કોણ છે પણ
ઝડપથી લોકોનેaઅને રાજમહેલમાં
પણ સૌને જાણ થયી ગયી
કે આતો આપણા
જ મહારાજનુ શિશ છે
ત્યારે રાજમહેલમાં રોકકળ
મચી ગયી.કાશીનરેશનો પુત્ર સુદક્ષિણ
પોતાના પિતાની હત્યાથી
ઉકળી ઉઠ્યો અને
તેણે નિશ્ચય કર્યો
કે મારા પિતાની
હત્યા કરનારને હુ ખતમ કરીશ
અને તે પ્રકારની
શક્તિmમેળવવા માટે તેણે
શિવજીનુ તપ કર્યુ.
શિવજી તો અત્યંત ભોળા દેવ
છે- જલદી રીઝે છે અને જેને
જે માગે તે
જલદિ જલદી આપી
પણ દે છે. શિવજીએ
તેને એક યજ્ઞ
કરવાનો ઉપાયબતાવ્યો પણ તેનીમર્યાદા
પણ જણાવી જદીધી -સામા
છેડે કોણ છે તેનો
તેમને ખ્યાલ હતો
જ. યજ્ઞનાપરીપાકરૂપે એક
ક્રુત્યા ઉત્પન્ન થયી
જે આગસ્વરૂપ હતી
અને સુદક્ષિણેક્રુત્યાને દ્વારકા પર છોડી અને
સમસ્ત દ્વારકા સહિત
દ્વારકાધીશનો પણ સર્વનાશ
કરે. ક્રૂત્યાના હુમલાથી દ્વારકાવાસીઓ
ગભરાઇ ગયા અને
દ્વારકાધીશનીમદદ માગી અને વાસુદેવે
તેની સામે પોતાનુ
સુદર્શન ચક્ર છોડ્યુ
જેણે ક્રૂત્યાનો નાશ કર્યો
અને તરત જ
તે કાશી પહોચી
ગયુ આને કાશીનરેશના પુત્ર સુદક્ષિણનુ
માથુ પણ ઉતારીઅને
ભગવાન પાસે પરત
આવી ગયુ.
હે રાજન ,
આપે જોયુને -કે
મિથ્યાભીમાની અને મિથ્યાભાષી
નકલખોરનો કેવોસર્વનાશ થયો
- અને છતાં પણ
તેનો ઉધ્ધાર જ
થયો અને આવા મિથ્યાભિમાનીને સહાય
કરનારની પણ દશા
તેમના જેવી જ
કરી અને તેમનો
પણ ઉધ્ધાર જ
કર્યો. બગવાનપ્રેમ ભાવે કે
વેરભાવે પણ પોતાનામાં
આસક્ત હોય તે
સર્વનો ઉધ્ધાર જ
કરે છે,
પાપાજી
ક્રમશ:
Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
73
-: શ ત ધ ન્વા : -
શુકદેવજી કહે
છે : હે
રાજન , કેટલાક ચરિત્રો
અને પ્રસંગો એવા પણ છે જે જલદી
ગળે ઉતરે નહી.
સત્રાજીત દ્વારકાનો સર્વાધુક
ધનકુબેર હતો અને
તેના પાયામાં સ્યમંતક
મણી પાસેથી રોજે રોજ મળતુ
સુવર્ણ હતુ. તેણે તેની
સ્વરૂપવાન કન્યા સત્યભામા
શતધન્વાને આપવાનુ નક્કી કરેલુ
પણ સ્યમંતક મણી ગુમ થયી
જતા જે ગરબડો
ઉભી થયી તેમાં
તેણે નાહક કૃષ્ણ
સાથે વેર બાંધી
લીધુ અને સ્યમંતક
મણીના ગુમ થવાનો
આરોપ પણ કૃષ્ણ ઉપર
મુકી દીધો - જો કે
કૃષ્ણે તે આરોપ ખોટો હતોતેમ સાબિત કરી
બતાવતા અને મણી પણ
પાછો મળી જતા સત્રાજીત છિઓભીલો પડી
ગયો અને સમાધાન
સ્વરૂપે તેણે મણી અને
તેની કન્યા સત્ર્યભામા
પણ કૃષ્ણની સાથે વળાવી. પણ આનાથી
તેનો મિત્ર શતધંન્વા નારાજ થયો પણ
સામે કૃષ્ણ હોવાથી સૌ
ચુપ હતા . પણ
કૃષ્ણ અને બલરામ
હસ્તિનાપુર જવા નીકળ્યા એટલે
શતધન્વાના મિત્રો અક્રુર
અને કૃતવર્માએ શતધન્વાને
ઉશ્કેર્યો કે હાલ
કૃષ્ણ અહી નથી
માટે જા અને સત્રાજીતને મારી નાખીને મણી
પડાવી લે- તેણે
આપની સાથે દગો કર્યો છે. કાચા
કાનનો સત્રાજીત તેના આબે
મિત્રોની વાતમાં આવીગયો અને
તરત જ સત્રાજીતના મહેલમાં
ગયો . તે સમયે સત્રાજીત નિદ્રક્ધીન હતો પણ કોઇ
વિચાર કે વિવેક દાખવ્યા કે વિચાર્યા
વગર જ તેણે સત્યાજીતની
હત્યા કરી નાખી અને
મણી પડાવી લીધિઓ અને
ભાગી છુટ્યો. તેણે મણી
લાઈને અક્રૂરને અપ્યો અને કહ્યુ કે
તુ સાચવજે . આ
સમયે કૃષ્ણ અને બલરામ તો
હસ્તિનાપુર હતા. પણ અહી
દ્વારકામાં તો સત્યભામાએ
રોકકળ કરી મુકી
: આ મારા
પિતાને કોઇ હત્યારાએ
મારીનાખ્યા છે તેને
પકડો અને સજા
કરો. વાત વહેતી
વહેતી કાનાને કાને ગયી અને
તે અને બલરામ
તબડતોડ દ્વારકા આવ્યા
અને તેમને ખબર
પડી કે આ
કુકર્મ કરનાર શતધંન્વા
છે માટે તેનો
વધ કરવા તૈયાર થયા
- શતધન્ન્વાને ખબર પડી
ગયી કે કૃષ્ણ અને બલરામ પાછા
આવી ગયા છે માટે
તે જીવ બચાવવા
ભાગી નીકળ્યો પણ આ બન્ને
ભાઇઓએ તેનો પીછો પકડ્યો
કર્મસંયોગે શતધંવાનો ઘોડો પડી ગયો
આથી વધારે ગભારાઇને
તેણે દોડવાનુ શરુ કર્યુ
અને જીવ બચાવવા
ભાગતો હતો પણ કૃષ્ણ
તેની પાછળ જ હતા અને તેમણે
પોતાના સુદર્શન ચક્રથી
શતધનવાનુ માથુ ઉતારી લીધુ. આમ
એક ખુની હણાયો પણ
બે સાગરીતો હજુ
હયાત હતા.
અક્રુર અને કૃતવરમાને પણ
ખબર પડી કે
તેમનો મિત્ર હણાયો છે
માટે તેઓ પણ દ્વારકા
છોડીને ભાગી નીકળ્યા. અકૃરજી માટે
દ્વારકાને માન હતુ.
દ્વારકાવાસીઓ એમ માનતા
હતા કે જ્યા અકૃર
હોય ત્યાં વરસાદ પાણીની કમી ના
રહે હવે જ્યારે
અકૃરજી નથી તો દ્વારકા
ઉપર આફત આવશે.
આ એક લોકવાયકા હતી. જો કે કૃષ્ણને
અકૃરજી માટે ખાસ કોઇ
ફરીયાદ નહોતી. પણ લોકવાયકા માટે તેમણે
મૌન સેવ્યુ. બલરામ
અને બીજા જ્ઞાની અને
સમજદાર માણસો માનસો તો કહેતા જ હતા
કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં
આફત આવે જ નહી
અને આવે તો
પણ કૃષ્ણ બધુ
સંભાળી લે તેવો મજબુત છે -
તે તો આ લોકનો ભગવાન
છે. તેમ છતા
પણ તેમણે અકૃરજીને
પાછા બોલાવવાની વ્યવસ્થા કરી.
તેઓ પોતે અકૃરજીને મળવા ગયા
અને સન્માનભેર કહ્યુ કે
કાકા ,આપ
તો અમારા અને
દ્વારકાના લાડલા છો.
અમારે આપની સાથે કોઇ
વેર નથી. અમે
તો આપનો આદર જ કરીયે
છિયે. પણ આપ જાણો છો કે
મારા પર આ મણી માટે ખોટુ આળ
છે : દ્વારકાવાસીઓ અને ખુદ
દાઊ ભૈયા પણ મારા પર
વિશ્વાસકરતા નથી માટે આપ મને સ્યમંતકમણી
આપીદો. ઉ તે મણી
સૌને બતાવીને ખાત્રી કરાવીશ
કે મને
તે મણીનો કોઇ
મોહ નથી. મેં તો
માત્ર આ મણી દ્વારકાના અને દ્વારકાના
નગરજનોનાઅવિકાસ માટે જ મગ્યો હતો
તેનાથી મળતી સંપત્તિ થી આ વિકાસ
ઝડપી બનશે. હુ તે જાણુ જ
છુ કે આ મણી શતધંવાએ
આપને જ છુપાવવા આપ્યો
છે. હુ તે
મણી દ્વારકાવાસીઓ,મોટાભાઇ બલરામજી અને રાજદરબારના
સભ્યોને બતાવીને તેમનો સંદેહ
દુર કરવા માગુ છુ.
અકૃરજી માની ગયા અને
મણી કૃષ્ણને સુપ્રત કર્યો. પોતે
પણ દ્વારકા પાછા
આવ્યા અને દ્વારકાવાસીઓની માન્યતાને પણ
આદકતરી રીતે પુષ્ટી
આપી કએ હવે અકૃરજી દ્વારકા
માં જ આવી
ગયા છે માટે દ્વારકા ઉપર
કોઇ આફત ના
એધાણ હવે નહી રહે. કૃષ્ણએ
મણી પણ અકૃરજીને પરત
આપી દિધો અને કહ્યુ કે
કાકા આ મણી મારે નથી
જોઇતો – આપ જ આ મણી આપની પાસે રાખો પણ
આ મણીથીમલતુ સુવર્ણ આપ રાજ્યની
તિજોરીમાં જમા કરાવજો
જેથી રાજ્યની તિજોરી સધ્ધર
બને અને નગરનો વિકાસ
થાય. તેનો ઉપયોગ કોઇ વ્યક્તિના
હિતાર્થે નહી કરવામાં
આવે અને આપ પણ
તેના ઉપર દેખરેખ
રાખી શકો છો.
હે રાજન , આ કથાનક એમ
દર્શાવે છે કે
અજુગતો પરીગ્રહ અને સંગ્રહની વૃત્તી કેવો
સર્વનાશ નોતરે છે, સત્રાજીત જો
શરુઆતથી જ સમજી
ગયો હો’ત તો
આ કથા આતલી
વિસ્તાર પામત નહી.પણ
આપ તે પણ
સમજી લો કે જે પણ
કયી બને છે તે પુર્વ નિર્ધારિત જ હોય
છે,. વિધિના
નિર્માણને કોઇ ફેરવી શકે
જ્ નહી. આપ તો
અપરીગ્રહ વૃત્તિવાળા એક
સમર્થ સમદ્રષ્ટ્રા છો પણ
જે કોઇ આ
કથા સાંભળે તેના
માટે તે સારતત્વ આપે છે. અને
મારી અને આ પછી
પન આ કથાનુ
પઠણ કરનાર સૌ અને
તેના શ્રોતાઓ માટે
પણ માર્ગદર્શન આપે છે. આ
પણ ભગવાનની લીલા
જ છે -
તેઓ મનુષ્ય અવતારમા6
છે અને માનવ સહજ કાર્યો જ તેમણે
કરવાનાં છે, કરે છે
અને કરશે અને
માનવ સહજ અંત પન
આવશે. આપ ધીરજથી સાંભળતા જાવ.
પાપાજી
ક્રમશ :
Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
74
-: લી લા ઓ
જ લી લા ઓ : -
ભગવાન વિષ્ણુના આ
કૃષ્ણાવતાર અગાઉના અવતારોમાં
પણ હેતુ તો એક સરખો
જ હતો : પરિત્રાણાય સાધુનાં
...... સાધુ ,સંત . સજ્જનો
અને ભકત જનોનુ રક્ષણ
કરવુ અને તદુપરાંત
“ વિનાશાય ચ
દુષ્કૃતામ ... “ એટલેકે દુષ્ટોનો
વિનાશ કરવો. પણ અગાઉના
અવતારોમાં આ અવતાર
જેટલા અનિષ્ઠ તત્વોનો
વિનાશ થયો નથી..જેમકે
સૌ પ્રથમ અવતાર મત્સ્યાવતાર
: આ અવતારમાં
કોઇનો વિનાશ કરવામાં
નથી આવ્યો -
માત્ર પોતાના ભક્તોનો વિનાશ
થતો રોક્યો છે -
તેમને રક્ષણ આપ્યુ
છે. બીજો અવતાર
તે કુર્માવતાર : અહી પણ કોઇનો
વિનાશ નથી કર્યો :
સૌને અનેક ભેટ સોગાદો
મળે - સાથે અમૃત પણ
પ્રદાન કરવામાં મદદગાર બન્યા
: ત્રીજા અવતારમાં
વરાહ અવતાર રૂપે
પૃથ્વીને બચાવી અને
તે માટે હિરણ્યાક્ષ
રાક્ષસનો નાશ કર્યો
અને તે સાથે
જ તેમના એક
પાર્ષદને શાપના એક
ફેરામાંથી મુક્તિ અપાવી.
ચોથો અવતાર પણ
કોઇ ખાસ વધારાના પ્રયોજન
માટે નહોતો - માત્ર અને
માત્ર બાળક પ્રહલાદને
રક્ષણ પુરૂ પાડીને
સ્થાપિત કરવુ હતુ કે જે એકનિષ્ઠાથી
ભગવાનની ભક્તિ કરશે તેનુ
રક્ષણ ભગવાન પોતે
જ કરશે અને આમ
તેના રક્ષણ માટે અનિષ્ઠ
એવા રાક્ષસરાજ હિરણ્યકશ્યપને
મારવા ભગવાન નરસિહ
રૂપે અવતર્યા હતા બ્રહ્માજીના
વરદાનથી અજેય જેવો બની ગયેલા
હિરણ્યકશ્યપને હણવા આ
સિવાય બીજો કોઇ આરો નહોતો.અને
આ વખતે પણ
તેમના એક પાર્ષદ વિજયને પહેલા ફેરામાંથી
મુક્તિ અપાવવાની હતી.. પાચમો અવતાર
તે વામન અવતાર
: આ અવતાર કોઇ વિનાશ માટે
નહોતો- માત્ર અને માત્ર
સત્તા અને સંપત્તિ જે
એક રાક્ષસરાજા પાસે
આવી ગયી હતી અને
દેવો રખડી પડ્યા હતા
તે દેવોને તેમનો હક્ક
અપાવવા માટે જ આ
અવતાર લીધો હતો
અને આ અવતારમાં ભગવાને માત્ર
કુનેહ અને લીલા કરીને
દેવોને બચાવી લીધા . કોઇ
અનિષ્ઠનો સંહાર નથી થયો –
ઉપરથી એમ
કહી શકાય કે અનિષ્ઠ
ગણાતા - સંપત્તિ અને
સતા એકત્ર કરીને બેસી ગયેલ રાજા બલી -
જે એક અસુર હતો
= પણ ધર્મનિષ્ઠ હતો
- એક વચની
હતો –અને તેની સામે ભગવાને પણ
ઝુકવુ પડ્યુ હતુ અને તેના દ્વારપાળ પણ બન્યા હતા. છઠ્ઠો અવતાર તે
પરશુરામ નો અવતાર હતો.આ અવતારમાં
પણ અત્યાચાર ગુજારનારા ક્ષત્રિયોનો
જ તેમને નાશ કરેલો અને
પૃથ્વીને એકવીસ વાર
ક્ષત્રિયવિહોણી કરેલી. આ એક જ
અવતાર એવો છે કે
જ્યાં તેમની હાજરી હોવા
છતા પણ સાતમા
અવતાર તરીકે રામે પ્રવેશ કરેલો. સાતમા અવતારમાં
રામે નિતીમતાના પાઠ ભણાવ્યા – એક
પત્નીવૃત ,
એક વચન , આદર્શ
રાજા ,
આદર્શ ભ્રાતા, આદર્શ પુત્ર , અરે યુધ્ધમાં પણ
નિયમબધ્ધ : કહેવાય છે
કે રામબાણ કદી
ખાલી ના જાય
- રામે એકવાર
બાણ ચઢાવ્યુ હોય તો
તેનો ઉપયોગ થાય જ - તે
વ્યર્થ ના જાય - અનેક આદર્શો સ્થાપ્યા અને કેટલાક રાક્ષસોનો નાશ કર્યો.પણ ભલે
તે રાક્ષસો હતા પણ
ધર્મપરાયણ હતા, રાવણ રાક્ષસ હતો
પણ કુળ તો બ્રાહ્મણનુ
જ હતુ - અને તે પણ
પુર્વાવતારનો તો ભગવાનનો
પાર્ષદ જ હતો તેનો પણ
ઉધ્ધાર કરવાનો હતો.:: રાવણ પ્રખર
શિવભક્ત હતો તો તેનો
ભાઇ કુંભકર્ણ પણ
બ્રહ્માજીનો ભક્ત હતો . આ અવતારમા ભગવાને
સમાજના કેટલાક મુખ્ય આદર્શો
વર્ણવ્યા છે પણ મર્યાદાનુ ઉલ્લંઘન નથી
કર્યુ. અને માટે જ તે
મર્યાદા પુરૂષોત્તમ કહેવાયા . આ
અવતારમા પણ ભગવાને પોતાના
બે પાર્ષદો : જય અને
વિજય : રાવણ અને કુંભકર્ણને
તેમના અભિશાપના બીજા જન્મથી મુક્તિ
અપાવેલી. એક નોધપાત્ર બાબત એ છે કે આ
સાતેય અવતારોમાં અવતરણ
છે પણ અંત
નથી. પરશુરામજી જનકરાજાના દરબારમાં
રામ સાથે સામ સામે
આવી જાય છે
અને જ્યારે જાણી જાય
છે કે રામ એ તો
અવતારી પૂરૂષ છે
ત્યારે તે સભા
છોડીને જતા રહે
છે પણ ક્યા
તેની કોઇને ખબર નથી. કહેવાય
છે કે પરશુરામ અજરાઅમર છે. તેમની અગાઉના અવતારોમાં
અવતરણ છે
પણ અંત નથી . માત્ર અને
માત્ર આ જ એક
એવો અવતાર છે કે
જ્યાં તમામ માનવ સહજ
કાર્યવાહીઓ જ કરવામાં આવી
છે અને તે
પણ શરુઆતથી તે
અંત સુધી- અને
અંત પણ માનવ
સહજ રીતનો છે. આ
એક જ એવો અવતાર
છે કે જ્યારે
તેમણે અસંખ્ય પાપાત્માઓનો વિનાશ
કર્યો છે -
જન્મ વખતે દરેક બાળકના
રૂદનનો જ અવાજ જ પહેલો
આવે પણ
આ એક જ
વ્યક્તિ છે જે જન્મ સમયે પણ રડી
નથી - અરે
જીદગીભર તેઓ રડ્યા
નથી -અને છતાં ય અસંખ્ય એવા કાર્યો કર્યા
છે કે જે
ગળે ના ઉતરે અને આપણે તેને
લીલા કહીએ છિયે. –જો એક
માત્ર છ જ દિવસનુ બાળક એક
ભયાનક રાક્ષસીને મારી
નાખી શકતુ હોય તો તેને શુ કહેવાય ? પુતના
મરી તે તો હકીકત
છે - કોણે મારી ? કેવીરીતે મારી ? આ
બધી લીલાઓ જ કહેવાય.
અને આવા તો કેટકેટલા
પ્રસંગો છે – ગણ્યા ગણાય નહી –
સામા આવતા ગયા અને પડતા
ગયા. બસ લીલાઓ
જ લીલાઓ – લીલાઓ જ લીલાઓ
..............
પાપાજી
ક્રમશ :
Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
75
-: શા લ્વ
નો વ ધ : -
કંસ , કાળયવન ,
જરાસંધ , શિશુપાલ , દંતવક્ત્ર , વિદુરથ , પાંણ્ડૃક , ભૌમાસુર , બાણાસુર
નરકાસુર શાલ્વ : વિ.વિ.વિ. આ
કૃષ્ણાવતારની સૌથી મોટી
ચંડાળ ચોકડી -
તેમના યુગના સર્વ વિદિત
ઉચ્ચ કક્ષાના પાપાત્માઓ
- તેમની આસપાસ પણ નાના
મોટા પાપાત્માઓ તો
હતા જ અને એક
યા બીજા સ્વરૂપે તેમણે
દેખાઓ દીધી અને અને પાછા
જુવો તો શાલ્વ ,
બાણાસુર વિ.વિ. જેવાઓ તો શિવજીના
પરમ ભક્તો -
તેમની પાસેથી વરદાન પણ
મેળવી આવેલા અને પાછા
તેમની જ સામે થયેલા -
પણ તે દરેક એક યા
બીજી ર્રીતે ખતમ
પણ થયા - પણ
આ અવતારમા આ
સંખ્યાબળ બહુ મોટુ
રહ્યુ.
બાળપણમાં જ
પુતના અને શકટાસુર
જેવા રાક્ષસકુલના જીવોની
સમાપ્તી બોલાવી અને
કંસને ખતમ કરીને
દિશા બદલી. જરાસંધ અને
શિશુપાળ પણ હણાઇ
ગયા હતા અને તેમનાં નિમિત્ત જુદાજુદા
હતા પણ તેમનો
ભાર તો ઓછો થયો. પણ
તેમના સહયોગીઓ હજુ
હયાત હતા. તેઓ
માનતા હતા કે
જરાસંધને કૃષ્ણે કપટથી
માર્યો અને શિશુપાલની પણ
નિર્મમ હત્યા કરવામાં આવી છે
અને અમો તેમના
મિત્રો જોતા રહી
ગયા – પણ અમે કૃષ્ણની
સામે તેનો બદલો જરૂર લયીશુ.
કૃષ્ણને પણ ખબર
હતી જ કે
મારે કોને કોને મુક્તિ અપાવવાની છે.
તે પૈકી દંતવક્ત્ર
મુખ્ય હતો કારણકે તે
તો તેમનો એક
પાર્ષદ હતો અને
આ તેનો છેલ્લો
જન્મ હતો અને અહીથી
મુક્ત થયીને તેને જલદી
જલદી પાછો વૈકુંઠમા પહોચાડવાનો
છે. જય અને
વિજયના આ છેલ્લા અવતાર
છે – શિશુપાલની જ્યોત તો કૃષ્ણમાં સમાઇ ગઇ હવે
વારો છે શાલ્વ , દંતવક્ત્ર , વિદુરથ્ .વિ. નો – જે
ઘણા કુદી
રહ્યા હતા.
શાલ્વ શિશુપાલના
લગ્ન સમયે શિશુપાલનાઅંગતમિત્ર તરીકે
ઉપસ્તિત હતો.પણ જ્યારે કૃષ્ણ
રુકમીનીનુ હરણ કરીને ભાગી
રહ્યા હતા ત્યારે શિશુપાલની સાથે
તે પણ હતો
અને તે પણ લાવ લશ્કર સાથે -
અને તે પણ પાછો રુકમી અને
શિશુપાલની સાથે કૃષ્ણને
પડકારવા ગયેલો પણ
ભુંડા હાલે પાછો ફરેલો અને
તે ડંખ તે
ભુલ્યો નહોતો અને તક
જ શોધતો હતો કે
ક્યારે આ કૃષ્ણને સ્વાદ
ચખાડુ - પણ તેને ખબર
જ નહોતી કે તે
કોની સામે ભાખડી
ભીડી રહ્યો છે.
તેને જ્યારે લાગ્યુ કે કૃષ્ણને હરાવવો
મુશ્કેલ છે ત્યારે તેણે
શિવજીની આરાધના કરી
અને આપ જાણો છો ક
શિવજી જલદી રીઝી જાય છે -
અને માં
માગ્યુ વરદાન પણ આપી દે
છે.: શિવજી શાલ્વનો
ઇરાદો તો જાણી ગયા
પણ તે પોતાનો
ભક્ત છે માનીંને કહ્યુ કે
માગ શુ ઇચ્છ્રે
છે ? શાલ્વએ અહ્યુ કે મને
એક એવુ વિમાન
આપો જે અત્યંત
અલૌકીક હોય અને અનેકાનેક
ગુણો અને સક્ષમતાઓથી
ભરપુર હોય , કોઇ તેને તોડી
ના શકે કે તે
ક્યાય પાછુ ના પડે
: શિવજી સમજી ગયા અને “તથાસ્તુ
“ કહ્યુ અને
કહ્યુકે હુ દેવોના સ્થપતિને જણાવુ
છુ કે તે
તને તારી ઇચ્છા
મુજબનુ વિમાન બનાવી
આપશે અને તેમણે
મય દાનવ જે
માયાવી પણ હતો તેણે અનેક
માયા જાળોથી બરપુર
સાંભ નામનુ વિમાન બનાવીને શાલ્વને
આપ્યુ. સાંભ તો
આ વિમાન મેળવીને એકદમ ખુશ થયી ગયો અને
ગમે ત્યાં જયીને
હાહાકાર મચાવી આવે. શાલ્વે
જોયુ કે કોઇ તેનો પ્રતિકાર કરી શકતુ નથી
એટલે તેણે આ વિમાન દ્વારા દ્વારકામાં
જ ઉલ્કાપાત મચાવવા માંડ્યો. દ્વારકાવાસીઓ આ ઉલ્કાપાતથી ભયભીત બની ગયા
પણ કૃષ્ણએ બધાને
શાંત કર્યા અને તે
શાલ્વની પાછળ ગયા
અને શાલ્વને લલકાર્યો.
શાલ્વ પણ કૃષ્ણની
જ રાહ જોતો હતો.
કૃષ્ણને જોતાંજ તે
કૃષ્ણને બેફામ પણે
ભાંડવા લાગ્યો. કૃષ્ણ કોઇ
વાણિ વિલાસમાં ઉતર્યા નહી અને માત્ર એટલુ
જ કહ્યુ કે મુર્ખ : ખોટો
બકવાસ છોડીને મારી
સાથે યુધ્ધ કરવા આવ્યો છે તો
યુધ્ધ કર અને યુધ્ધમાં જ તારુ
કૌશલ્ય બતાવ આમ મુર્ખની જેમ બકવાસ કેમ
કરે છે ? આ સાંભળીને
શાલ્વ તેના વિમાન
મારફતે માયાવી લક્ષણો દર્શાવીને અદ્રશ્ય થયી
ગયો અને છુપી રીતે કૃષ્ણ ઉપર
બાણ વર્ષા કરવા લાગ્યો.
કૃષ્ણને પહેલા તો
ખબર ના પડી
કે આ બાણ
વર્ષા ક્યાંથી આવે
છે અને શાલ્વ અને
તેનુ વિમાનક્યા ગુમ થયી ગયુ – પણ
પછી જેવો અંદાજ
આવ્યોકે આ તો
માયાવી વિમાનની કરામત છે - તરત
જ તેમણે શાલ્વની માયા ભેદી
નાખી અને શાલ્વને મજબુરીથી તેમનીસામે
આવવુ પડ્યુ - અને
તે જેવો સામે આવ્યો કે
તરત જ તેમણે સૌ પ્રથ્મ
તો સાંભ વિમાનના પોતાની કૌમુદી ગદાથી ભુક્કા બોલાવી દીધા. વિમાનનો નાશ
થતાંજ શાલ્વની મોટાભાગની શક્તિ અને
ક્ષમતા ઓગળી ગયી
અંરે તે લગભગ નિરુપાય
થયી ગયો . હવે
કૃષ્ણએ શાલ્વને લલકાર્યો અને તેના ઉપર સૌ
પ્રથમ તેની માફક જ બાણ
વર્ષા કરી જેનો તે
સામનો કરી શક્યો નહી
અને ભાગવા માંડ્યો.કૃષ્ણએ પણ
બુમ પાડી : શાલ્વ
ભાગ નહી - મારા શરણે
આવી જા -જે
મારે શરણે આવે
છે તેનો હુ અવશ્ય ઉધ્ધાર કરુ છુ પણ અભિમાની શાલ્વ
ના માન્યો અને
અંતે કૃષ્ણએ પોતાનુ સુદર્શન ચક્ર તેના ઉપર છોડ્યુ
અને પળવારમાંતો શાલ્વનુ
માથુ તેના ધડથી અલગ થયી ગયુ અને
તેના શરીરમાંથી પણ એક તેજ લીસોટો
નીકળ્યો અને તે કૃષ્ણના
શરીરમાં સમાઇ ગયો - તેનો સાદો સીધો અર્થ એ થાય કે
ભગવાને શાલ્વનો પણ ઉધ્ધાર કર્યો છે.
તેની સેના તિતર બીતર થયી
ગયી અને કૃષ્ણનો જયજયકાર થયો.
શાલ્વને એમ હતુ કે મારી પાસે અલૌકીક શક્તિ ધરાવતુ વિમાન છે
મને કોઇ મારી
તો શુ
હરાવી કે ભગાડી પણ ના
શકે પણ તેને
ક્યાં ખ્યાલ હતો કે
ગમે તેવી અલૌકીક શક્તિ
ધરાવના આયુધની પણ કોઇ ને કોઇ મર્યાદા હોય
જ છે -
શેરને માથે સવાશેર -
કૃષ્ણનુ સુદર્શન ચક્ર તે
સર્વાધિક ક્ષમતા ધરાવતુ
અલૌકીક શસ્ત્ર છે જેને
પાછુ પાડવાની કોઇ શસ્ત્રમાં
ક્ષમતા કે શક્તિ નથી.
તે જ એક સર્વોચ્ચ
ક્ષમતા ધરાવતી શક્તિ ધરાવતુ
શસ્ત્ર છે. તેનો જોટો જડવો જ શક્ય
નથી. પણ શાલ્વના હણાવાથી કરુષ
નરેશ દંતવક્ત્ર ખુબ
રોષે ભરાયો અને તેણે નક્કી કર્યુ કે મારે જ આ
ગોવાળિયાને મારવો પડ્શે . દગા
ફટકાથી તે જરાસંધ અને શિશુપાલને તો
મારી શક્યો પણ મારી સામે તેનુ જોર ચાલશે નહી .જોઇયે દંતવ્ક્ત્રની ડંફાસ કેટલી
ચાલે છે.
પાપાજી
ક્રમશ :
No comments:
Post a Comment