bhakti sandesh 30 janmotsav







ભક્તિ   સંદેશ.
30
ગુણવંત   પરીખ
જન્મોત્સવ

                  આર્યાવર્તના  મિથિલા  પ્રદેશ ના  રાજવી  મહારાજા જનક એક  અલિપ્ત   અને  નિ:સ્પૃહી   વ્યક્તિ  તરીકે ખુબ  જાણીતા  હતા  મહારાજ જનક   તે  જનક  વિદેહી  તરીકે પ્રખ્યાત હતા - – તેમની  પત્ની   મહારાણી સુનયનાદેવી   પણ  એક   શ્રેષ્ટ ગૃહિણી  અને જાજરમાન   મહારાણી હતા  અને  તેટલાં    પતિપરાયણ અને   ધર્મપરાયણ  પણ  હતાં. પણ  નસીબ બે  ડગ  આગળ હતુ:  તેઓ મહાન રાજ્યના  રાજવી હતા : પણ  નિ:સંતાન હતા.  મિથિલા  રાજ્યની એક   વણતુટી  પરંપરા   હતી કે  દર વર્ષે  અખાત્રિજના દિવસે  ખેડુતો ખેતર  ખેડવાની  શરુઆત કરે  પણ   તે દિવસે સૌથી  પહેલુ   હળ   ચલાવે રાજવી – અને  આમ દર વર્ષે  મહારાજા જનક    પરંપરાનુ  પાલન કરતા  હતા  અને  દરેક  અખાત્રીજે હળ  જોતરવાની  પરંપરા જાળવતા હતા.  આ વર્ષે પણ અખાત્રીજે તેઓ  પરંપરા  મુજબ ખેતરે પહોચી ગયા  અને   તેમના  માટે  તૈયાર  જોતરેલા હળથી ખેતર ખેડવાની  કામગીરીનો   શુભારંભ  કર્યો પણ     વખતે અજાયબ ઘટના  ઘટી  -પહેલા  જ ફેરામા  હળની  સાથે  કોઇ  નક્કરવસ્તુ અથડાઇ અને  કુતુહલવશ રાજા  જનકે તપાસ  કરવા  કહ્યુ કે હળની સાથે શુ  અથડાયુ ? તપાસ કરતાં જમીનમાંથી એક લાકડાની  પેટી મળી  -અને આ આશ્ચર્ય શમે તે   પહેલાં જ બીજુ આશ્ચર્ય સર્જાયુ – જનક   મહારાજે  પેટી  ખોલવાનો આદેશ આપ્યો  -અને  સૌના     આશ્ચર્ય    વચ્ચે પેટીમાં એક  રૂપ  રૂપના અંબારસમી  નાની  બાળિકા  હસતી હતી  અને  પગ  હલાવતી  હલાવતી અંગુઠો ચુસતી  હતી . મહાદેવી સુનયના  પણ  હાજર હતાં અને  તેઓ  પણ  સ્તબ્ધ બની  ગયા   -ભગવાનનો  પાડ  માનો  મહારાજ -    આજે  આપણુ વાંઝિયા મહેણુ  ટળે  છે – આજથી આ    મારી  પુત્રી  - આપણી પુત્રી –એક   રાજકુમારી તરીકે  તેનો  ઉછેર થશે .અને  કુદરત  પણ  રાજા પર  મહેરબાન થયી – ભૂમીમાતાએ   આપેલી આ પુત્રિ  :જેનુ નામ  તેમણે  ભુમિજા રાખેલ : બીજુ નામ  સીતા  રાખેલ: તેના  આગમન  પાછળ ને  પાછળ જ  બીજીત્રણ પુત્રિઓ  જન્મી અને  તેનો  યશ  સીતાને  મળ્યો  સુનયનાજી કહે  મારી   સીતા  ભાગ્યશાળી છે –શુકનીયાળ પગલાંની  છે –તેના આવ્યા  પછી  જ મને  બીજી  ત્રણ  ત્રણ   દીકરીઓ મળી  છે  આથી  સીતાના લાડકોડ અનેક ગણાંવધી ગયાં – ખુબ  તોફાની છોકરી પણ  સૌ તેને આદર   આપે  -તે  ભલે  તોફાની હતી  પણ  એટલી  જ વિવેકી અને  માતૃભક્ત અને  પિતૃભક્ત  પણ  હતી  - ધર્મપરાયણ પણ  તેટલી જ હતી  - માતા   પાર્વતીજી   તેનાં ઇષ્ટ  દેવી હતાં  – વડીલોની સેવા    આમન્યા   રાખતી  -  સેવા  પણ કરતી-દયાભાવ   તેના  સંસ્કારમાં  હતો
     આર્યાવર્તનો બીજો જાણીતો પ્રદેશ એટલે  અયોધ્યા- સરયુ  નદીના  કાંઠે આવેલો આ વિસ્તાર  -તેના રાજવી તે  રઘુવંશના  વંશજ  રાજા  દશરથ હતા . ખુબ  ઉંચુ  અને  મોટુ નામ   પણ  ખાટલે એક   ખોડ – તે  પણ  નિ:સંતાન  હતા .તેમને  ત્રણ    ત્રણ રાણીઓ હતી  પણ  કોઇને   સંતાન  નહી  -સૌથી  નાની  રાણી   કૈકઈ- તે  માનીતી  રાણી ગણાતી પણ  પટરાણી    તો  કૌશલ્યા હતી  અને ત્રીજી રાણી ખુબ  જ શાંત અને સહિષ્ણુ હતી તે   સુમિત્રા –પણ   ત્રણેય નિ:સંતાન –દશરથ  રાજાએ  જ્યારે  મોહવશ  કૈકઈ સાથે લગ્ન કરેલુ  ત્યારે તેમણે  કૈકઈના પિતાને વચન  આપેલુ કે  કૈકઈના  પુત્રને    યુવરાજ  પદ  આપશે –પણ   ત્યાં સુધી તો  કોઇને સંતાન    જ નહોતુ.
        સમય  વહેતો ગયો  -રાજા મનથી દુ:ખી  તો  હતા  પણ  મહારાણી  કૌશલ્યા  તેમને સાંત્વન આપતી હતી – સુમિત્રા  શાંત હતી અને  કૈકઇ   કામણગારી હતી  દશરથની   સૌથી  માનીતી રાણી   – પણ   સંતાન ઓછુ   રસ્તામાં પડ્યુ છે ? અને તે    સમયે  રાજગૂરૂ  વશિષ્ટની  સુચના મુજબ પુત્ર   કામેષ્ઠી યજ્ઞ   કરાવાયો અને  યજ્ઞદેવતાએ  પ્રસાદ  પણ આપ્યો   અને      પ્રસાદ ત્રણેય  રાણીઓ વચ્ચે વહેચવામાં પણ  આવ્યો અને   પ્રસાદે પોતાનુ  ફળ  આપવાની શરૂઆત પણ   કરી  દીધી.  મહારાજ  દશરથ દરબારમાં બેઠા  છે  અને  તે  સમયે એક   દાસી દોડતી આવી  અને ખુશ ખુશાલ બનીને  ઝુમી ઉઠી  - માહારાજ મહારાજ   મ્હાદેવી   કૌશલ્યાએ  પુત્રને જન્મ આપ્યો છે  - મેઘશ્યામ    રંગી   બાળક એકદમ  તેજસ્વી છે  -ચકોર અને  ચબરાક  -અને મહારાજ  ઉછળી પડ્યા  - રાજમહેલમા   આનંદનુ   મોજુ ફરી  વળ્યુ – સૌ  પ્રથમ   વધાઇ  કૈકઈએ      કૌશલ્યાને આપી  અને ખુશ  થતી  થતી દશરથ પાસે દોડી ગઈ – વધાઇ  હો   મહારાજ   યુવરાજ પધાર્યા   છે  -તે  સમયે તે ભુલી ગઈ  કે મહારાજ દશરથે  તેના  પિતાને  વચન  આપ્યુ  છે  કે  યુવરાજ  તો  કૈકૈઇનો પુત્ર જ બનશે અને  થોડા  જ સમયમા   સમાચાર આવ્યાકે  મહારાણી    કૈકઈએ પણ  બે પુત્રોને જન્મ આપ્યો  છે –મહારા  દશરથ માટે સારા સમાચારનો જાણે કે   મારો જ  ચાલ્યો  અને સમાચાર આવ્યા કે   સુમિત્રાએપણ  એક   રૂપ રૂપના  અંબાર  સમા  તેજસ્વી બાલકને  જન્મ આપ્યો છે : એક  સમયના  નિ:સંતાન  મહારાજા દશરથ આજે ચાર  ચાર  પુત્રોના  પિતા  છે   અને  રાજમહેલમાં જ નહી  સમગ્ર   અયોધ્યા  નગરી    બાળકોના જન્મોત્સવ ઉજવવામાં ગાંડી -ઘેલી  બની  ગઈ ..
ગુણવંત  પરીખ
1-7-20
ક્રમશ:
વાનર સેંના



No comments:

Post a Comment