પુષ્પ અને કળી ખંડેર અને મહેલ
એક બાગ હતો બગીચો. તેનો એક મળી હતો જે દર રોજ બાગ ની માવજત કરતો હતો છોડ ઉછેરવા તેને પાણી પાવું ખાતર નાખવું કચરો દુર કરવો સાફ સફાઈ કરાવી વિગેરે વિગેરે જેવા બાગ ની જાળવણી ની તમામ કામગીરી તે કરે. પણ બાગ નો માલિક એક શેઠ હતો. બગીચા ના પુષ્પો ઉપર તમામ હક્ક આ માલિક નો રહેતો હતો. માલિક પાસે માત્ર માલિકી હક્ક હતો પણ ફૂલ ની માવજતનો કક્કો પણ કદાચ તેને આવડતો ન્બહોતો પણ જે ફૂલ આવે તે મારું તેટલો એકાધિકાર તેને હતો. મળી તેનો આ અધિકાર માન્ય રક્ભાતો હતો અને રાખવો જ પડે. બગીચા માંથી નીકળેલું ફૂલ એક દિવસ કળી હતું તે મળી થી વધુ કોણ સમજી શકે ? મળી ને ખબર જ હતી કે આ કળી એક દિવસ ફૂલ બનશે અને તે ફૂલ ભગવાન ના ચરણમાં ચડશે અથવા કોઈના માથા ની વેણી બનશે માથા ની શોભા પણ બની શકાશે અને કદાચ કોઈ વારાંગના ના શણગાર માં પણ જશે અને બીજે દિવસે ચીમાંલાયીને રસ્દ્તૌપાર ફેકી દેવાશે કોઈના પગ નીચે કચડાઈ પણ જશે . ફૂલ નો કેવો ઉપયોગકરવો તે મળી સિવાય બીજું કોઈ જણાતું નથી પણ માલિકી હક્ક ધરાવનાર માલિક ને આબધી ખબર નથી તે તો એમ જ સમજે છે કે આ ફૂલ મારું હું ધરું તે તેનો ઉપયોગ કરું સૂંઘુ કે ફેકી દુ કચડી નાખું કે કોઈને આપી દુ તેમાં કોઈ શા માટે બોલે ?માલિકી હક્ક તરીકે તેની વાત સાચી પણ યોગ્ય ઉપયોગ અને ઉપભોગ માટેની તેની માન્યતા ને સ્વીકારી શકાય નહિ. મળી ને તો ખબર છે જ કે આ કળી છે અને કળી ને કલીની રીતે જાળવવી જોઈએ ગમે રેવા અને ગમે તેના હાથમાં તેને આપી દેવાય પણ નહિ અને ગમે તેવા હાથમાં પણ તેને છોડી દેવાય પણ નહિ . પણ જો માલિક કે માલકીન માત્ર હક્ક ની રૂ એ જ કળી ને ગમે તેવા હાથો સામે અથવા પાસે છોડે દે તો શક્ય છે કે લાલી આવતા પહેલા કળી ચીમાંલાયી પણ શકે છે મુરઝાયી પણ શકે છે અરે કદાચ કોઈના પગ નીચે ફૂલ બનતા પહેલા કચદાયી પણ શકે છે પણ ધણી નો કોઈ ધણી છે ? માલિક અને માલકીન નો માલિક કોણ?કળી મળી ના હાથ માં જ યોગ્ય હતી માળી જ તેને સારી રીતે જાળવી શકે યોગ્ય ઉછેર પણ તેજ આપી શકે . કળી ને શોભા ની મૂર્તિ માત્ર માળી જ બનાવી શાકેકલી નું મૂલ્ય માળી પાસે જ હોય માલિક પાસે નહિ પણ આ વાત સમજાવવી બહુ મુશ્કેલ છે. કોયલ તેના ઈંડાને કાગળના માળામાં મૂકી ને નિરાતે મઝા કરે છે, બાળક ને કાગદી ઉછેરે છે મોટું કરે છે અને બચ્ચું મોટું થતો જ કોયલ તેને ઉપાડી જાય છે . કાયદેશારનો કોયલ નો તે અધિકાર છે કાગડી ક ક કરી મુકે પણ તેનાથી તે બચ્ચું તેને માળી શકાતું નથી. કોયલ વાતથી બચ્ચું ઉપાડી પણ જશે અને તેને તેના માળામાં રાખશે અને કાગડી દેખાતી રહી જશે અને માત્ર આંસુ સારશે કે અરેરે આ ચચા ને તો મેં મોટું કર્યું, ખવડાવ્યું પીવડાવ્યું મોટું કારવ્યું અને આ આજે આબચ્ચું જતું રહ્યું-=કોઈ ઉપાડી ગયું અને મારા ભાગે મત્ર આંસુ જ ? કાગ ભુશંડી તો ઋષિ હતા અને તે સમજતા હતા કે બચ્ચું કોયલ નું જ છે અને કોયલ તેની સાચી માતા છે તેને તેના બાળક થી છૂટી ના પડાય પણ ઉછેરનાર માનું શું ? યશોદા અને દેવકી બંને માતા સાચી માતા ભલે દેવકી પણ યશોદા નું મૂલ્ય સહેજ પણ ઓછું નથી . તે જ રીતે કળી માટે માતા પિતા કે માળી દરેક ના મૂલ્ય સમજે તેટલી શક્તિ ભલે નથી પણ માળી નું અવમુલ્યન તો ના જ થવું જોઈએ. . કળી અકાળે ક્યોક કોઈનો ભોગ ના બની જાય તેમતે માળી સદા જાગૃત અને ચિંતાતુર છે પણ માલિક અને માલકીન ના માથા ઉપર ધાનીપદ નું ભૂત સવાર છે .માળી ઈચ્છે છે કે મારી કળી ભગવાનના માથા નું આભુષણ બને જ્યરે કોઈક તેને બજાર માં ઊંચું મૂલ્ય અપાવવા દોડે છે. યાદ કરો તે કમળ ના ફૂલ ને જે લેવા માટે એક ભક્ત અને એક શેઠ વચ્ચે હરીફાઈ થઇ ચાર આના ના ફૂલ ની હરાજી બોલી અને એક હાજર રૂપિયા માં ભક્તે તે ભગવાન માટે ખરીદી લીધું ત્યારે ભગવાન ને પણ કહેવું પડ્યું કે ભક્ત રાજ તમારા ફૂલ નો ભાર મારાથી સહન થતો નથી શેઠ તો ગણતરી મૂકી ને ભાગી ગયા પણ ભક્ત નું નામ આજે પણ બોલાય છે યાદ રખાય છે. આ છે દાસ્તાન એક પગ નીચે કચડતા ફૂલ ની જે એક દિવસ કળી પણ હતી ફૂલ પણ હતું કોઈનો શણગાર પણ હતો અને આજે પગ નીચે કચડાય છે;;;
આવી જ દાસ્તાન એક ખંડેર ની પણ છે. આ ખંડેર એક દિવસ આલીશાન મહેલ હતો.
ઉંચી હવેલી ઔર ઉંચે મહાલ ,
પલ ભાર મેં જાયેંગે ડગલે પગલ
એક દિન ઐસા આયેગા
જબ માટી મેં સબ મિલ જાયેગા ....
જયારે તે મહેલ હતો ત્યારની તેની રોનક જુદી હતી તેની આજુ બાજુ પહેરો રહેતો હતો રાજા મહારાજાઓ અને ધનપતિ અને કુબેરો ની આવન જવાન રહેતી હતી અનેક પ્રકાર ના કક્ષો હતા દીવાને આમ દીવાને ખાસ ભોજન કક્ષ શયન કક્ષ મહેમાન કક્ષ મુલાકાતી ખંડ વિરામ સ્થળ આજુ બાજુ બાગ બગીચા નોકર ચાકર માળી અને વાહનો અને વાહન ચાલકો ની પણ ફોજ રહેતી હતી સમય નું વહેં જાય છે અને એક પછી એક કક્ષ પડતા જાય છે અને છેવટે રહી જાય છે એક માત્ર ખંડેર. જે માત્ર એક પુરાની યાદ આપે છે. આજે તે ખંડેર માં કુતરા અને પશુઓ નો જ અડ્ડો હોય છે અને મોદી રાતે આજ એક દિવસ ના ભવ્ય મહેલ ના ખંડેર માં અસામાજિક તત્વોનોના અડ્ડા હોય છે અને તેમના માટે છુપયી જવાનું આશ્રય સ્થાન આ ખંડેર છે. ઈમારત બંધો તો એવી બંધો કે જે કાયમ કોઈની યાદ આપે જેમ કે તાજ મહેલ :: આજે પણ તે ઈમારત પર ભલે કુદરતના ફટકા પડતા હોય પણ તેની બુલંદી અકબંધ છે આજે પણ તે પ્રેમ ની નિશાની ને લોકો પ્રેમ અને અહોભાવથી દેખે છે અને મન કરીને જોવા અને માણવા પણ જાય છે અને બાદશાહ શાહ જહાન અને બેગમ મુમતાઝ ને પણ તેને જોઇને યાદ કરે છે. શા માટે એક નાનાશા ઘર માટે કે ઘરના એક બે ઓરડા માટે લડી મારવાનું ?એક દિવસ હતો કે જયારે એક બે કે ત્રણ ઓરડા ના મકાન માં સહે જે ૫ ૭ માણસો સહેલાયીથી સુખેથી અને શાંતિ થી અને સંતોષથી પણ રહી શકતા હતા અને જો કોઈ મહેમાન આવે તો તેનો પણ ઉમળકાભેર સત્કાર પણ થતો હતો અને આજે? આજે ૮-૧૦ ઓરડાના આલીશાન બંગલા માં બે ત્રણ વ્યક્તિ ના ફેમીલી માં તેમના માં બાપ પણ સામયિ નથી શકતા તો પછી મહેમાન ની તો વાત જ કયો કરાવી ? મહેમાનો માટે અલગ કક્ષ હોવા જોઈએ, બાળકો માટે અલગ રૂમ, અભ્યાસ માટે અલગ રૂમ અલગ અલગ અલગ કેટલું અલગ હોય પણ સંતોષ જ નહિ ? જેમ જેમ અલગ અલગ દરેક ને મળતું જાય તેમ તેમ તેમની ભૂખ અને લાલસા વધતી જાય અને છેવટે માલિકી હક્ક માટે ઝગડા અને કાળો કકળાટ અને કંકાશ
આ મારું આ તારું કહી ને એક બીજા ને ભાંડે ........
હું કરું હું કરું એજ માત્ર જ્ઞાન છે... આ બધું મારું જ છે હું કોઈને કશું આપું નહિ ... ક્યોં જયીને અટકશે આ લાલસા ?
ગુણવંત પરીખ
No comments:
Post a Comment