અંધ શ્રદ્ધા ,જન્માક્ષર,વહેમ, ....વિ.વિ. વિજ્ઞાન ના સંદર્ભ માં
ભરત એક એવો દેશ છે કે જ્યાં શ્રદ્ધા,અંધ શ્રદ્ધા, વહેમ, વાયકાઓ , ખાસ કરીને જન્માક્ષર, કુંડળી મંગલ દોષ વિ.વિ. જેવા પ્રણાલિકાગત પરંપરાઓઘર કરી ગયી છે અને તેનાથી અનેક ગણું નુકશાન થાય છે જે કેમ કોઈની સમાજમાં નથી ઉતરતું ? આપને અંધ શ્રદ્ધા , અતિ શ્રદ્ધા, અંધાલા વહેમ અને ખોટી માન્યતાઓ પાછળ લગભગ દિવાના બની ગયા છીએ તેની સામે દુનિયા એ વિજ્ઞાન ના સહારે અનેક સિદ્ધિ ઓ મેળવી છે જેની સરખામણી માં આપને ઘણા પાછળ રહી ગયા છીએ.
એક બાજુ યુરોપ ના દેશોએ યંત્રો ની શોધ કરીને વિકાસ કર્યો છે તો આપને તેની સામે તાવીજો અને સિદ્ધિ મંત્રો અને સિદ્ધિ યંત્રો બનાવી ને ભોળી પ્રજાને છેતરવા માં પડ્યા છીએ. બીજા દેશો એ ઉપગ્રહો તૈયાર કરીને અવકાશ માં છોડ્યા છે જયારે આપને ઘર્હો ના નંગ બનાવી ને વીંટી માં જાળવના પૈસા પદાવાનારાઓને ઉત્તેજન આપીએ છીએ અને પૂર્વ ગ્રહ થી પણ છુટકારો મેળવી શકતા નથી અને પૂર્વગ્રહ પણ કોના માટે ? આપના અને આપના જ સગા સંબંધી અને સ્નેહી જનો માટે આપને પૂર્વગ્રહ રાખીએ છીએ અને તે નીચા પડે તેમ આશા સેવીએ છીએ અને તેમાં ને તેમો વિદેશીઓ એ આપના ઉપર રાજ્ય કર્યું અને અત્યરે પણ આપને હેરાન થિયે છીએ. અનેક દેવ દેવી ઓ ના મંદિરો થી આપણે ભર્યા ભર્યા છીએ , મંદિરો માં ઢગલો દોલત પડી છે પણ તે કોણ વાપરે છે અને કોના માટે વપરાય છે તે કોણ જાણે છે તો બીજી બાજુ ઢગલાબંધી માણસો ભૂખ્યા અને વસ્ત્ર વિહીન છે તેની કોઈને દરકાર નથી . જાપાન જેવા દેશે ખાડામાં પાડીને પણ ટૂંકા ગાળા માં એકતા જાળવી, પરિશ્રમ કરીને, ધીરજ ધરીને દુનિયા ભરમાં નામ રોશન કર્યું જયારે આપને ત જાપાન ની શિસ્ત બધ્ધતા ની સામે ભ્રષ્ટાચારથી ખદબદતું તંત્ર રાખ્યું અને તેને ઉત્તેજન પણ આપ્યું અને આજે આપને કેટલા પછાત બની રહ્યા છીએ.?પર્યાવરણ ની વાતો મોટી મોટી કરીએ છીએ પણ વિકાસ ના નામે વૃક્ષોનું નિકંદન કાઢી નાખીએ છીએ તે કોઈ જોતું નથી.. મકાન બનાવવામાં આપને જરૂરિયાત કે સગવડ અને કળા કે આયોજન કરતા વસ્તુ શાસ્ત્ર ને વધારે મહત્ત્વ આપીએ છીએ જે એક ફાલતુ શાસ્ત્ર છે તેમ ઘણા જાણકારો કહે છે અને જાણે છે છતો પરિણામ તો શૂન્ય., ગ્રહ શાંતિ માં ઢગલો નાના વેદાફીયે છીએ પણ કોઈ ભૂખ્યાને રોટલીનો ટુકડો આપનાથી ના અપાય કે કોઈને એક ફાટ્યું તૂટ્યું વસ્ત્ર પણ આપી શકતા નથી બીજે છેડે વસ્ત્રોનો દાન કરીએ છીએ જે દાન માં અપાયેલા વસ્ત્રો બજાર માં વેચવા આવી જય છે.
અં મુદ્દો અવગણવા જેવો નથી કે આપને લગ્ન કરતા પહેલા ખાસ કુંડળીઓ મેળવવાનો આગ્રહ રાખીએ છીએ અં એક મોટા પાયે ચાલતો ધંધો છે. કુંડળી ની યથાર્થતા કોઈ જણાતું નથી,સમજાતું નથી છતો આગ્રહ અવશ્ય રાખે છે કે કુંડળી તો મળવી જ જોઈએ. જેમના લગ્ન થવાના છે તેમના મન મળે છે કે નહિ તે બાજુ પ૦અર તેમના માં બાપ પહેલા કુંડળી જ જોવડાવ શે .કુંડળી જ જોવાળવવી હોય તો વહુ અને તેની સાસુની જોવાદાવો કે ખબર પડે કે આટલા ઉત્સાહ થી વહુ શોધવા નીકળેલી એ માં અને થનારી સાસુને તેની વહુ સાથે કેટલો સમય બનશે ?વહુ વહુ કરતી એ સાસુ વહુ ની સેવા કરશે કે પછી સાચેસાચ વહુ સાસુ ની સેવા કરશે? વૈજ્ઞાનિક પધ્ધતિ તો એમ કહે છે કે જો તમારે મેલ જોવો હોય તો તે બંનેના લોહી ના ટેસ્ટ કરવો અને મેલાવાવો પણ તે આધુનિક પધ્ધતિ આવતા હજુ અહિયાં વાર લાગશે પણ કમસે કામ કુંડળી નું ચક્કર છોડો. હ, કદાચ છોકરાઓ કે છોકરીઓ પસંદ ના આવતી હોય અને ના કહે વમ કોઈ અડચણ હોય તો ખુશી થી કહી દો કે જન્માક્ષર નથી મળતા . પણ અં રીત સારી નથી તેમાં ય મંગલ દોષ નું તો એક આગવું રાજ છે. સૌથી પહેલા મંગલ જુવો પછી ગુણાંક જોવાય અં બધું ગણતરી બદ્ધ રીતે ગોઠવવામાં પણ આવે અને ના મળતું હોય તો મળતું પણ કરી શકાય . અં મુદ્દો ખાસ કરીને નીરુ માટે આપ્યોના થશો છે મીનેશ અમેરિકા જયી આવ્યો નીરુ પણ અમેરિકા જયી આવી, ગોપાલ અને સુધીર પણ વિદેશ માં ફરી આવ્યા છતાં પણ કુંડળી તે તેમના માટે અગત્યની છે. .નીરુ સીધી રીતે મારી વાત નહિ મને પણ છતાં કહું છું : છોકરા ને જો છોકરી પસંદ હોય તો તે પહેલો ક્રમ , બીજા ક્રમે કુટુંબ ને કુટુંબ પસંદ આવે તે મળી જય અને હ આવે તો કરો કંકુ ના આડા અવળા ડાફોળિયાં ના મારશો .બધું પસંદ હોય અને માત્ર કુંડળી જ ના મળે તો નિરાશ ના થશો.અં કામ કદાચ મીનેશ કરી શકાશે માનીને અં મેલ ની એક નકલ તેને આપી છે અને સુધીર નેર પણ અમેરિકા મોકલું છું જે તે ગોપાલ અને તેની પત્ની ને સમજાવશે . ગોપાલ ની પત્ની ને બે શબ્દો મારાથી ના કહી શકાય માટે આટલું લાંબુ વિવેચન કર્યું છે.
છેલ્લી એક વાત તે ધર્મ ના નામે આપને ડુંગળી અને લસણ જેવા કંદ ને અવગણ્યા છે જે યોગ્ય નથી. અં બંને કંદ અનેક ગુણ ધર્મો ધરાવે છે છતાં માત્ર ઉગ્ર વાસ ના કારણે જ તેનો નિષેધ કરાયેલ છે બાકી ડુંગળી,બટાકા લસણ વિ. વર્જ્ય ગણવાને લાયક નથી. શાસ્ત્રો એ પણ સ્પષ્ટ કહ્યું છે કે તે અને ક ગુનો ધરાવે છે પણ માત્ર ઉગ્ર વાસ ને લીધે જ વર્જ્ય છે. કંદ ખાવાથી પાપ ના લાગે પણ પૈસા ખાઈ જવાથી, કોઈના પૈસા ઓળવી જવાથી કે દગાબાજી કરવાથી પાપ જરૂર લાગે આટલું સમજો બહુ થયું,
ગુણવંત પરીખ.
No comments:
Post a Comment