માર્ગ દર્શક પત્ર ......અંતિમ અધ્યાય
બ્લોગ ઉપરના લખાણો જોયા , વાંચ્યા ,વેદના પણ અનુભવી દુ:ખ પણ થયું, પણ મને લાગે છે કે મારે તમોને બે શબ્દો કહેવા જોઈએ.
એક વાત સમજી લો કે જયારે પૈસો બોલતો હોય,સત્તા બોલાતી હોય, અભિમાન બોલતું હોય ત્યરે શાણપણ કામ ના લાગે એ shan પણ ની કોઈ અસર થાય જ નહિ. ઉપદેશ મદદ નહિ પણ નુકશાન જ કરશે સુગરી ની જેમ માળો ખોવા વારો આવે તે આપ સમજી લો. તમે ૭૦ + માં છો હવે આઘાત સહન કરવાની તમારી શક્તિ પણ ના હોય અને ક્ષમતા પણ ના હોય બીજી બાજુ તમારી આજુ બાજુ નું વર્તુળ ટૂંકું થાય તો સામે છેડે તે વર્તુળ એટલું જ મોટું હશે, સૌ ઉગતા સુરજને પૂજાશે આથમતા સુરજ સામે કોઈ નજર પણ નહિ માંડે જ્યરે તમારું ખુદ નું લોહી તમારી સામે પડ્યું છે,તલવાર તાણીને ઉભું છે ,પાળે પાળે તમારું અપમાન થાય છે ત્યારે નસીબ પણ વધારા માં તેમની સાથે છે તેમ પણ તમે જ જણાવો છો અને તમે નસીબ માં માનો પણ છો .તમારો પડછાયો પણ કદાચ તમારો સાથ ના આપે તેવું તમારું નસીબ અવળું પણ હોઈ શકે પણ તેનાથી તમે જે કઈ પણ બનવા કાલ છે તે ફેરવી નહિ શકો.માત્ર નિરાશા નો બોજ લયીને ફરવાથી ઉકેલ પણ નહિ મળે.
એક વાત મને સ્પષ્ટ જણાય છે કે તમારા લખાણ જોતા એમ લાગે છે કે તમે કોઈ મોટી ભૂલ કરી છે અને તે ને તમે ગુના નું સ્વરૂપ આપી દીધું છે અને તેની સજા ભોગવવાની પણ તૈયારી પણ દર્શાવી છે. પણ હવે મારી વાત ધ્યાન થી વિચારો. તમે કોઈ ભૂલ નથી કરી તમે કોઈ ગુનો નથી કર્યો તમે જે પણ કર્યું છે તે સમય સંજોગ અને લાગણી ને અનુરૂપ જ કરેલું છે. પ્રેમ ભંગ થવાની તમારા પુત્ર ની વાતો માં કોઈ તથ્ય નથી. આખી કહાની મેં જોઈ જાની લીધી છે અને તે માત્ર તમને બ્લેકમેલ કરવાના ઈરાદા થી જ ઘદાયી લાગે છે. હેમા સાથે નો પ્રણય ભંગ તે સાચા પ્રેમ ની નિશાની નથી જો સાચો પ્રેમ હોત તો તેનો રસ્તો જરૂર તે જ વખતે મળી ગયો હોત પણ ટુ નહિ ઔર સહી ના પત્રો જોતા અને હાલ ની સ્થિતિ જોતા તેમ લાગે છે કે તમે તે ગુના નો બોજ માથા પર રાખો તે ખોટો છે. તમે કોઈ ગુનો નથી કર્યો કે ભૂલ પણ નથી કરી અને તમે જે પણ કર્યું છે તે તેના સર્વ હિતાર્થે જ કરેલું છે. તેનો તેને ભરપુર લાભ પણ લીધો છે. તમારી સાથે ૧૬ -- ૧૬ વર્ષ સુધી રહીને તમારી લાગણી નું તેને જ શોષણ કર્યું છે અને તમારી લાગણી અને લગાવ નો તેને ભર પેટ દુરુપયોગ કર્યો છે અને આજે તે બંને ની કર કીરડી ના ટોચ ઉપર તે બંને પહોચી ગયા છે ત્યરે તમોને તે ઠકર મારીને તેમના રસ્તા માંથી દુર કરવા માંગે છે આટલી નાની વાત કેમ તમે સમજતા નથી ?. હવે તે તમોને તેમની સાથે રાખવા કે તમારી ટક ટક માટે રાજી ના પણ હોય . જે છોકરા એ તમારી ગાડી ૧૫ ૧૫ વર્ષ સુધી આડે ધડ ફેરવી તે જ છોકરા એ તમારી પત્ની અને પુત્રી ને તેની ગાડી માંથી ઉતારી મુક્યા ત્યારે જ તમારે સમજી લેવાની જરૂર હતી કે પૈસો અને અભિમાન સાતમાં આસનને તેને લયી ગયું છે અને જો તમે સમજી શક્ય હોત તો તમારે પણ અડધા કિલોમીટર જવા માટે તેનું અપમાન સહન કરવું પડ્યું ના હોત. કહેવાય છે કે પુત્ર પ્રેમ આંધળો હોય છે અને વીતી ગયેલો સમય હવે પરત ફરવાનો નથી જે ગયું તે ભૂલી જાવ .તે તમને ગાડી માં બેસાડવા માંગતો નથી,તેની સાથે રાખવા પણ માંગતો નથી તમે તેના માટે મારી ગયા છો તેટલી હદે તે તમારી સાથે વાત કરે છે તે શાના માટે ? એનું વિવરણ અહિયાં નથી કરતો તે શાના માટે અં બધું કરે છે અને વાછરડું ક્યાં ખીલાના જોર પર કુદે છે તે તમે ના સમજો તો કઈ નહિ હું સમજુ છું પુત્ર પ્રેમ ની માયામાં માં બાપ તે કડી નહિ સમજે પણ હું સમજી ગયો છું એક વાત સો વાતે નક્કી છે , ભૂલી જાવ તમે તેને માટે કૈક કર્યું છે , માણી લો એ તમોને જીવાડે છે પણ ઘણી નજરો તેના પર પણ છે ન્યાય ના આસન ઉપર બેસવાને બદલે પ્રેક્ષક બની નેજુવો જનો અને ચુપરહો. જીવ ના બળો કે બબડત પણ ના કરો. તમારો કોઈ ગુનો હતો જ નહિ અને છે પણ નહિ અને તેની બાબત માં તેની માયાવી પ્રેમ કહાની માં તે તમને વિલન ચીતરવા જતા તે પોતે જ વિલન સાબિત થયી ગયો છે અને તે તેની પત્ની જરૂર સમજી ગયેલી છે આજે ભલે સ્વાર્થની નજરમાં તે તેના પતિની આજ્ઞાંકિત બની રહેતી હોય પણ તે માત્ર સગવડીયો ધરમ નિભાવે છે. . તેના બાળકો પ્રત્યેનો તમારો લાગ્ફાવ પણ હું સમજી શકું છું પણ તમે જ લખેલી કોયલ ના બચ્ચા ની વાત કેમ ભૂલી જાવ છો. ? તે તેનો બાળકો છે અને તે તમોને કહે જ છે કે તેની પત્ની અને તેના બાળકો એ તેની આગવી મિલકત છે ભલે તે તેની મિલકત વાપરે. હું માનું છું કે જે બાળક ને જન્મથી તમે ઉછેર્યું હોય તે સહેજ સમજદાર થતા માં તમારાથી દુર થયી જય તો તેમાં એ બાળક નો દોષ નથી તે બાળક તો બિચારું એના માં બાપ ના હુકમ અને ઈચ્છા મુજબ ચાલે છે અને તેમની ઈચ્છા મુજબ કદાચ કોઈના કહેવાથી જ તમારું અપમાન કરે છે, તેના મનમાં એવું હોય નહિ અને કદાચ હોય તો પણ તે ક્ષમ્ય છે બાળક છે માફ કરી દો એ બાળકો ને. તમે જ તમારા પુસ્તક ના બેક પેજ પર લખ્યું છે ને કે
એક જમાના થા વો પલભર હમસે રહે નાદુર
એક જમાના એ ભી હુવા કી મિલનેસે મજબુર
આતો કિસ્મત નો એક ખેલ છે તેમ માનીને સ્વસ્થ રહો..
સુર બદલે કૈસે કૈસે દેખો, કિસ્મતકી શહ નાયી...........
હવે બીજો ગુનો જોઈએ . તમે ભૂલ અવશ્ય કરી છે કે સામાજિક બંધન ને ભૂલી ને તમે તમારી બે પુત્રીઓ ને થોડોક અન્યાય કરી દીધો છે. તમે પુત્ર પ્રેમ થી કે બીજા ગમે તે કારણ થી જે હોય તે કદાચ તમારા પુત્રની ચંચલ વૃત્તિથી ચેતી ને પણ કે તેના સાસરિયાના દબાણ ને કારણે પણ તમે જે પગલું લીધું તે સારું અને સાચું સાબિત ના થયું અને દરેકે તેનો દુરુપયોગ કરીને તમને દુનાવામાં કઈ બાકી નથી રાખ્યું. પણ તેનાથી તે સાબિત નથી થતું કે તમે કોઈ ગંભીર ગુનો કરી દીધો છે તમારી ભૂલ એક કસુર તરીકે સ્વીકારી ને તેની સજા પણ તમે ઘણી ભોગવી લીધી છે . તે બંને ની વચ્ચે તમે સેન્ડવીચ બની ગયા છો તમારો છોકરો એમ કહે છે કે તમે છોકરીને બધું આપી દીધું અને એ ભૂલી જય છે કે આજે તે મહીને દોઢ લાખની કાયમી આવક ધરાવે છે તે કોના પ્રતાપે ? આજ તે જે કારકિર્દી ના શિખરે બેઠા છે તે માત્ર અને માત્ર તમારી જ દેન છે તે માં ખુદ ભગવાન પણ ના કહે ને તો પણ હું ના માનું . તેની ફરજ છે કે તેને તમારી જવાબદારી સ્વીકારી લેવી જોઈએ પણ તે તો ઉપરથી તમોને ધમકીઓ આપે છે હડધૂત કરે છે ભલે તમારા સગા કદાચ તમારી દયા ખાય પણ તે કોઈ તેની કામગીરી થી રાજી હોય જ નહિ અને પલ ભર માટે માણી લો કે કોઈ તેને કશું કહેતું નથી તો પણ તમોને શો ફેર પડે ? તે જાણે જ છે કે તમે આઘર તેના જ નામે રાખેલું પરંતુ તમોને અચાનકઆવેલા હાર્ટ એટેક પછી તેને તમારી પત્ની જે તેની માં છે અને આજે પણ તે તેને છોડવા રાજી નથી તેને તેની માં ને ધમકી આપતો હતો, અરે તમોને પણ જયારે ધમકી આપી અને ઘર છોડી ને જ્યાં જવું હોય ત્યાં જાવ કહી દીધું ત્યરે તમારી બુદ્ધિ ક્યાં ગયી હતી ?અં ઘર તેનું હતું જ નહિ પછી તેની પાસેથી કોઈએ લયી લીધું તે દલીલ તેની વૃત્તિ અને બ્લેકમેલ કરવાની એક ચલ છે તે કહે છે વારંવાર કહે છે કે મારી માં એ મારું ઘર પડાવી લીધું . તેની અં વાત કોણ માને ? તેની માં પ્રત્યે નું તેનું વર્તન તદ્દન યોગ્ય નથી પણ હવે તેનો ઉપાય નથી પાકા ઘડે કાંઠાળા ના ચડે પણ તેના જણાવ્યા મુજબ તે તેની અપરણિત બહેન ના નામે આઘાર અને પિતાની તમામ મિલકત આપી દેવા તૈયાર છે .જો તે આટલું કરતો હોય અને કરવાનું કહે છે તો પછી તેના માટે બીજો કોઈ પ્રશ્ન જ નથી. તમે એક જગા એ બ્લોગ પર લખ્યું છે કે એક અકિંચન પિતા ને બોજ તરીકે સ્વીકારવા કોણ રાજી થશે ? માનો કે કોઈ નહિ તો તમે કોઈનો બોજ બન્યા સિવાય કોઈ રસ્તો શોધી લો. .તમે જનો છો કે તમારી અપરણિત પુત્રીને આવકનું કોઈ સાધન નથી અને બીજી ઘણી રીતે તે મુશ્કેલીઓ ભોગવે છે તેના માં પણ કોઈ તૃતી હશે પણ તેને જે સહન કર્યું છે તેની સરખામણી માં બીજું બધું ભૂલી જયી ને તમે તમારી જવાબદારી સમજી ને તમારી અપરણિત પુત્રીના તરફેણ માં ન્યાય આપો અને તેને બધું જ વિધિ વાત સોપીને જવાબદારીથી મુક્ત બની જાવ. તમારો પુત્ર અને પુત્ર વધુ કાયમી દોઢ બે લાખ ની આવક ધરાવે છે , ઢગલો પૈસા તેમની રાહજુવે છે તેમના માટે દુખ નું એક કિરણ પણ ક્ષિતિજ પર નથી એ તમોને યાદ કરે તો સારી વાત અને સાચી પણ ગણાય પણ તમે બોજા માંથી મુક્ત બની જશો . અં માર્ગ દર્શન સ્વીકારો અને મુક્ત બની જાવ ..
No comments:
Post a Comment