હીરક મહોત્સવ : સંસદ : { ગુણવંત પરીખ }
સર્વોપરિતા કોની ?
દેખ તેરી સંસદ્કી હાલત ક્યાં હો ગયી ભારત માં
કિતના બદલ ગયા નેતા ગણ .......
સંસદ નો હીરક મહોત્સવ વાજતે ગાજતે ઉજવયી રહ્યો છે . આમ જોવા જાવ તો સંસદ : લોકસભા,રાજસભા , વિધાન સભા, વિધાન પરિષદ , વિ. જેવા ધારા ગૃહો , સુપ્રીમ કોર્ટ અને હા ઈ કોર્ટ જેવી અદાલતો, વહીવટી કચેરી ઓ જેવી કારોબારી સંસ્થા ઓ એ બધા જ બંધારણ ના સંતાનો છે અને તેમનું અસ્તિત્વ એ બંધારણીય પ્રજનન છે. એક કુટુંબ ના કૌતીમ્બીક અને પારિવારિક ઝગડા ઓ અને કદાચ પારિવારિક વૈમ નશ્ય માફક જ અં સંસ્થાઓના અંદરોઅંદર ના ઝગડા, મત ભેદ, મન ભેદ ઉકળાટ અને અવિશ્વસનીયતા જ્યરે ઉભી થાય છે ત્યરે તેના નિવારણ અને નિરાકરણ માટે તેમના જ પૈકી એક ને તે સત્તા સોપવામાં આવી છે અને મોટે ભાગે અદાલતો તે કામ સારીરીતે કરતી પણ હતી અને કરે છે આમ ન્યાય તંત્ર દેખરેખ અને ઝગડા નિવારણ તંત્ર અને તે અંગેના ફેસલા પણ કરનારું તંત્ર છે .અં તંત્ર પાસે વિપુલ સત્તાઓ પણ ચ્ઘે અને વધારા માં તે સ્વાયત્તા છે. તેના ઉપર દેખરેખ તો આમ કોઈની નથી પણ અજુગતા સમય માટે તેની ઉપર કાર્યવાહી કરવામાંતેની ઉપર સંસદ અભિયોગ કરી શકે છે અને તે જોતા એમ પણ કહી શકાય કે સંસદ સર્વોપરી છે જે સર્વોપરિતાની ચકાસણી કરનાર ની પણ ચકાસણી કરી શકે છે . પહિલી નજરે અં બધું એક ચક્ર જેવું લાગે છે એક ભાગ ઉપર તો બીજો નીછે અને બીજો ઉપર તો ત્રીજો નીચે પણ છેવટે તો આબધા અંગો તે બંધારણ ની દેન છે અને તે જોતા સર્વોપરિતા માત્ર અને માત્ર બંધારણ ની જ રહે છે .
એક જમાનો હતો જયારે અં બધા સંતાનો પાપા પગલી ભરતા હતા તે સમયે દરેક ને ઉમંગ અને ઉત્સાહ હતા બાળક ને પણ અને તેને ઉ૮છેર નાર ને પણ એટલો ઉમંગ હતો કે અમે કૈક કરી બતાવીએ ,અમે દેશ માટે કુરબાની આપી છે તો હવે દેશ ને ઉંચો લાવવામાં પણ અમે ભાગીદાર બનીએ અને દેશ માટે કૈક કરી બતાવીએ.. તે સમયે અં બાળકો ની કાળજી લેવા માટે અં નવી નવી સંસદ પાસે ૨૦-૨૫ ની સંખ્યામાં પ્રધાન મંડળ હતું અને એક એક થી ચઢીયાતા તેવા દિગ્ગજો મહાનુભાવો તજજ્ઞો તેની પાસે હતા કોઈ કોઈ ની બાદ બોઇ તો કરતુ નહોતું જ. મતભેદ તો હોય પણ સપાટી ઉપર આવે તે પહેલા તેનું નિરાકરણ થતું હતું .તેમની પાસે દેશ સેવા એ જ એક માત્ર ધ્યેય હતું અને કશું કરી છૂટવું તે મંત્ર . હતો.
પરંતુ હવા ની રુખ ધીમે ધીમે બદલતી ચાલી બદલાવ ની રૂખે પણ ધીમે ધીમે જોર પકડવા મોડ્યુ. .કલી એ પ્રવ્વ્શ મેળવી લીધો હતો. અને એક જમાનો એવો પણ આવી ગયો કે કલી ના માટે નું શ્રેષ્ટ નિવાસ સ્થાન તે અં મહાલય સંસદ ભુવન બની ગયું. .માત્ર દેશ જ નહિ પણ દુનિયા ભરમાં જેનો ડંકો વાગતો હતો તે ભરત ની સંસદ નો આજે પણ સૌથી મોટી લોકશાહી તરીકે નામ બોલાય છે તે જ સંસદ માં આજે નાના નિશાળિયા બાળકો જે રીતે ઝગડતા હોય તે રીતે ઝગડે, એ તો ઠીક પણ ખુરશીઓ ઉછાળે, તોડ ફોડ કરે, મીકો ઉછાળે મારામારી કરે અરે આટલું અધૂરું હોય તેમ સંસદ માં નોટો ઉછાળે પછી પ્રદીપ જી ને ગીત ના શબ્દો બદલવા જ પડે ને
દેખ તેરી સંસદ કી હાલત ક્યાં હો ગયી ભારત માત
કિતના બદલ ગયા એ જમાના ?
અં જોઇને દેશ ના એ ક્રાંતિ વીરો, શહીદો, લોક નાયકો આજે સ્વર૪ગ માં બેત૬હ બેઠા પણ આંસુ સરે છે પણ તે જોવા કોણ જયી શકે તેમ છે ?તે દિવસે સંસદ નો પ્રવેશ માર્ગ સરળ હતો .તમારી પાસે માત્ર સેવા નું ભાથું હોવું જરૂરી હતું તમે જે સેવા કરી હશે તેના બદલામાં તમને પ્રવેશ મળવાનો હતો અને પ્રવેશ લયીને પણ તમારે સેવા કરવાની હતી.. પરંતુ આજે લાયકાત નું ધોરણ બદલાયી ગયું છે. આજે સંસદ માં પ્રવેશવા માટે સૌથી પહેલી લય કટ તે પૈસો છે, દાદાગીરી કરવાની તમારી શક્તિ, લોકો ઉપર ભયનું સામ્રાજ્ય લડવાની શક્તિ, તમારા એક અવાજે સૌને ચુપ કરવાની શક્તિ જો અં બધું હોય તો તમે લાયકાત નું એક ધોરણ પાસ અને તમોને ટીકીટ મળી જશે.આજે ભલે ને કાયદો હોય કે ગુન્હાહિત તત્વોને બાકાત રાખશે પણ આકડા તો એવું કહે છે કે સંસદ અને વિધાન સભા માં ગુન્હાહિત રેકોર્ડ ધરાવનારા ઓ ની સંખ્યા પણ નાની નથી પણ વજન વળી છે અરે ગુન્હાહિત રેકોર્ડ ધરાવનારા મંત્રી પણ બની ગયા છે. . મને એક લોકસભા ની યાદ આવે છે કદાચ ૬૨ ની આજુ બાજુ કે જયારે એક સ્વભ્યને ટીકીટ આપવામાટે એમ કહેવા માં આવ્યું હતું કે તેમણે આખા જીલ્લાની તમામ વિધાન સભા નો ખર્ચ પણ તેમણે જ ઉપાડી લેવો અને તેમણે તે ઉપાડી પણ લીધો હતો તેમણે ટીકીટ મળી અને તે જીતી પણ ગયા . સંસદ માં તે શું બોલ્યા તે ખબર નથી પણ એન સધ્ધર ધન કુબેર તરીકે તેમણે સારી સેવા અવશ્ય કરેલી. .સામાન્ય રીતે પક્ષ પોતાની પસંદગી ઉમેદવારની લય કટ જોઇને, તેની સેવા જોઇને, પ્રજા માં તેની ઈમેજ માપીને કરે પણ હવે તે ધોરણ કામના નથી હવે તો પહેલું ધોરણ પૈસો, પૈસો ભેગો કરી લાવવાની શક્તિ પણ ગણતરી માં લેવાય,જૂથ બળ, અસામાજિક તત્વો સાથે ની દોસ્તી, તેમના ઉપર તેમનું વર્ચાસ્વા વિગેરે બાબત નજર અંદાજ થતી નથી.. એક વખત જીતી જાવ પછી તે ખર્ચેલા બધા નાણા એક ના અનેક ગણ કરીને મેળવી લેવા ના દ્વાર ખુલી જ જવાના છે. અને આં વાત ઉમેદવાર જાણે છે પક્ષ પણ જાણે છે અને હવે તો પ્રજા પણ જાણે છે પણ આતો મિલી ભગત જેવું છે કોણ કોને કહે ?
સભી મસ્ત હૈ કોણ કિસકો સંભાળે ........
વિતીમાં જડવા જેવા હીરા શોધી ને મોકલ્યા હતા પણ નીકળ્યા કાચ ના ટુકડા હવે કોણ કોને અને શું કહે ? એ એવી જગા એ બેસી ગયા છે કે જ્યાં તેમણે અનેક વિશેષાધિકાર મળેછે, મળ્યા છે અને મળતા પણ રહેશે અને તેમણે પાછા બોલાવવાનો તો કોઈ અઢી કર કોઈની પણ પાસે નથી હવે શું થાય ?દેશ vasundhar જીવ દોરી તેમના હાથ માં સોપયી ગયી છે .દિવસો વિતતા જય છે તેમ દરેક ની સત્તા ની અને સંપત્તિની ભૂખ ખુલતી જ જય છે અં કાણા માટલા ને ભરવા નો તો કોઈ અવકાશ જ નથી તેમાં જેટલું નાખી જુવો અને નાખી શકો તેટલું નાખો પણ માટલું તો ખાલી ને ખાલી જ રહે છે તે કડી ભરાશે નહિ કારણ કે તેમનું માટલું એ તો આગળ જન્મ ના રાવણ નો ખોપરી છે તે કેવી રીતે ભરાય ?પેઢી ઓ ની પેઢી ઓ પણ ખાલી ના કરી શકે તેટલું ડ્રેજર થી ઉલેચી શકાય તેટલું ધન લીધા છતો પણ જે ખાલી ના ખાલી જ બોલે તો પછી દેશ ની તિજોરી નું શું ?
બહુ રત્ના વસુંધરા , અં પૃથી વાંઝણી નથી તેની પાસે રાતનો તો છે પણ તે શોધવા જવું પડે અને ચિંથરે વીત્યા રત્નો શોધવા પડે. દરેક વ્યક્તિ એવી બાલીશ કે અપ્રમાણિક નથી હોતી. સારા,સાચા અને પ્રમાણિક માણસો હોય છે પણ તેમણે શોધવા પડે અને એથી પણ વધારે કમનસીબી તો એ છે કે આવા સારા સાચા અને પ્રમાણિક લાગે તેવા શોધેલા રત્નો પણ કાચ ના ટુકડા નીકળે છે જે નો ઉપાય છે કોઈ ની પાસે ? હવે ના જંગ બધા તલવારની નોકે બંદુક ની નાલ બતાવીને ખેલાય છે પૈસો જ પહેલું પરિબળ છે. એ ક્યોથી આવે કયો જય કેવીરીતે આવે અને કેવીરીતે જય તે પ્રશ્ન નથી યેન કેન પ્રકારેણ જંગ જીતો અને ખર્ચેલું વસુલ કરો અને વહેછી લો. નો કોમેન્ટ :ગરીબ જનતા નું કોઈ સાંભળનાર કોઈ નથી જે ટુકડો ફેકય તે લયીને ચુપ ચાપ પડી રહો કે બેસી રહો.
૧૯૫૨ થી આજ સુધી સંસદ માં ઘણા રત્નો આવ્યા છે અને તેમની યાદ મકા આજે આંસુ વહેવડાવવા સિવાય આજે કઈ નથી બચ્યું. દરેક સિક્કા ને બે બાજુ હોય છે . આપને માત્ર ઉજળી બાજુ જ વિચારીએ કલી બાજુ જોવાથી જીવ બળશે, ઉપાય જડશે નહિ રીબયી રીબયી ને મારવી પડે એના બદલે તે બાજુ પર બહુ પ્રકાશ ફેકવા જેવો નથી સમગ્ર કાર્યવાહી ને મુલવવામાં અને તેને માટે જોઈએ અનેક મહાકાવ્યો રચાય અને ભરાય તેવા પુસ્તકાલયો .
બંધારણ ના સંતાનો માં સૌથી મોટું સંતાન છે સંસદ અને મોટા પુત્ર ની જવાબ ડરી તેના સિવાય બીજું કોઈ નહિ નિભાવી શકે. સર્વોપરિતા તો બંધારણ ની જ છે પણ તેનું અસલી સ્વરૂપ અને પ્રતિબિંબ તે સંસદ છે. તેને તેની ગરિમા જાળવવી જ જોઈએ. મોટા પુત્ર તરીકે નાણા ઉપર યોગ્ય અંકુશ અને તેમની સ્વાયત્તતા નો પણ ખ્યાલ રાખવો જોઈએ. દુનિયા ભરમાં તેમનું નામ છે. સંસદ જો સર્વોપરી બનવા ઈચ્છતી હોય તો તે ને તે રીતે વર્તન અને વ્યવહાર પણ બતાવવા જ પડે જે તે કરી શકે છે. માત્ર ખુરશી માટે બાંધછોડ કરવાને બદલે પ્રજા ના હિત માટે બંધ છોડ થાય તો પ્રજા તે સમજી જ જશે હવે પ્રજા મુર્ખ કે ગાડરિયા પ્રવાહ જેવી નથી રહી. એવું બને છે કે તેરી બી ચુપ ઔર મેરી બી ચુપ ની જેમ મિલી ભગત થયી પણ જય પણ તેનાથી ઝાઝું નુકશાન થશે નહિ.સંસદ ભલે સર્વોપરી બને પણ તેને યાદ રાખવું પડે કે
power corrupts
Absolute power corrupts absolutely
સત્તાના અતિરેક અને સર્વોપરિતા ના અતિરેક માં થી જ સાર મુખ્ત્યારો પાક્યા છે દુનિયા એ આવા સાર મુખાત્યારો જોયા છે તેમના અંત પણ જોયા છે હજુ શુધી આપને તે તરફ આગળ નથી વધેલા તો જણાતા પણ એકવાર ગણગણાટ તો થયી જ ગયો છે જેનાથી ચેતતા રહે વાણી જરૂર રહેશે.
કુટુંબ નો પિતા અને પિતામહ માત્ર અંતરીક્ષ માં રહીને જ ધારા ધોરણ ઉપર નજર રાખે છે તેની પાસે પ્રત્યક્ષ અવલોકન કરનાર કોઈ નથી તે તો અં ત્રણેય સંતાનો એ જ સાથે મળી ને ભોગવવાની છે દરેક સંતાન ને સર્વોપરી બનવાની ઈચ્છા હશે પણ તેના બદલે સૌ પોત પોતાનું ક્ષેત્ર સાંભળી ને રાખે તે જ સારો અને સાચો ઉપાય છે.
છતાં હીરક મહોત્સવની હાર્દિક સુભેચ્છાઓ તો મોટા પુત્ર માટે છે છે ને છે જ . ભરત ની લોકશાહી અમર રહે અને સંસદ પણ અમર રહે તેવી શુભ કામનાઓ દરેક દેશ વાસીઓ ની હોય જ .
ગુણવંત પરીખ
No comments:
Post a Comment