: : આત્મ- નિરીક્ષણ મનોમંથન ; ;

      :   :   આત્મ- નિરીક્ષણ     મનોમંથન   ;  ;

     એક   14  વર્ષ ના  કિશોર ની   અપૂર્વ  સિદ્ધિ  કહી  શકાય  તેવી  ઉપલબ્ધી ની  આ  વાત  છે। સ્ટીયરીંગ  સુધી  તેના  પગ  પણ  પહોચતા  નહોતા   પણ  તેની  પાસે  બીજી  બધી  બાબતો   બાજુ  પર  રાખીએ  ગાડી ચલાવવાની  ધગશ  અપૂર્વ  હતી  તેની  ના  કહી  શકાય  નહિ। તેને  મેં  મારા  ખોળામાં  બેસાડીને  સ્ટીયરીંગ  પકડાવેલું  અને  તેનો  કાબુ  અનોખો  હતો।  સમય  ના  વહેં  ની  સાથે  તેની  ક્ષમતા  વધતી  જ  ગયી  .અફલાતુન  ગાડી  ચલાવતા  આવડી  ગયું  તેમ  કહું  તો  ખોટું  નથી  અને  સહેજ પણ  અતિશયોક્તિ  પણ  નથી .અમદાવાદ ના  રીલીફ રોડ  , ગાંધી  રોડ  , સ્ટેશન  રોડ  અને  આવા  બીજા ગીચ  વિસ્તારમાં  પણ  તે  ગાડી  ક્યોય  તાકારાવ્યા  વગર  કાઢી  શકતો  હતો હતો। મને  ખબર  છે  કે  કલોલ  પાસે રેલ્વે  ક્રોસિંગ  પાસે 1- 2 કિલોમીટર ની  લાંબી   લાઈન   હોય  તો  તે  બધાને  ઓવરટેક  કરીને   આગળ  નીકળી  જતો હતો . આજ  સુધી  એને  કોઈ  અકસ્માત  નથી  કર્યો તે  તેની  બીજી  અપૂર્વ સિદ્ધિ  છે। . પણ  સિદ્ધિ ની   સાથે  તેને  જુદી  જુદી  ગાડીઓ ની  પણ  ધુ ન   હતી।  જો તેની  ઉંમર  પહોચતી હોત  તો  તે  હિમાલય  કર રેલીનો  હરીફ  પણ બન્યો  હોત।  પણ  તે  વખતે  તે  માત્ર  17  વર્ષ નો  જ  હતો  અને  તેથી  તે  એક  સ્વપ્ન  જ  બની  રહ્યું। 
 ના  જાણ્યું  જાનકી નાથે  સવારે  શું  થવાનું  છે .............
સમયના    વહે ણ   વહેતા  ગયા , બાળક  મોટો થયો, તેની  સમાજ  મોટી  થયી, તેની  આકાંક્ષાઓ  વધતી  ગયી,  ગાડી  તે  તેનો  એક  ક્રેઝ  હતો। તેના  માટે  તેની  કોઈ  પરિપૂર્ણ  કરવાની  કામગીરી  નહોતી  પણ  તેની  તો  વાત  બાજુ  પર  રાખીએ, કુદરત  તેની  તરફ્દારીમાં  હતી  . નાની  ઉંમરે  લગ્ન  પણ  થયા નાની  ઉંમરે  સારી  નોકરી  પણ  મળી। તે વખતે  તો  તે  લગભગ  2-3  લાખ  કીલોમીતારા  ગાડી  ચલાવી   ચુક્યો  હશે।  પછી  એક    ઘરની  ગાડી  લીધી  મારુતિ  તેનું  એક  સ્વપ્ન . -  શોખ  પૂરો  કર્તવ  માટે  તેને  ડીઝલમાં  ફેરવી, .અમદાવાદ થી  કલોલ  ની  નોકરી  35 40    કિમી  ની  મુસાફરી  બસમાં  થયી  શકે  પણ  તે  કોલેજમાં  મોભો  દર્શાવવા અતે  અને  વાત  પાડવા  માટે  ગાડી  લયીને જ  જતો  હતો।  અને  અમે  તેનો  શોખ  પોષ્યો   પણ  ખરો। તેના  એક  સાથી  પ્રોફેસર   તેના  માટે  કોલેજમાં  અને  તેના  આચાર્યને  ફરિયાદ  પણ  કરતા  હતા    કે  આ તો  સાહેબ  નબીરાની  જેમ  કોલેજ  આવે  છે। પણ  આચાર્ય  મારા  મિત્ર  હતા  તેની  વાત  કને  ધરતા નહોતા . 
દુનિયા જલતી  હૈ  તો  જલે , હમ તો  ગતે  જાયે  ફિરે , 
આ  ગાળા માં   મારી  બદલી    જામનગર  થયી, ત્યાં  મારી પાસે  મારા  જ  હાથ  નીચે  એક  વર્કશોપ, 8-10 મીકેનીકો, 10-12  ડ્રાય  વરો  , અને  બીજી  અનેક  સગવડો  હતી   અને  જો  ગાડી  મારી  પાસે  રાખી  હોત  તો  મારે  વગર  મહેનતે   વગર  મફતમાં   ગાડીની  સરભરા  મળી શકી  હોત  પણ  મેં  માત્ર  સરકારી  વાહન  જ  રાખ્યું  અને  સગવડ  અને  મોભો  ,  વટ  અને  દેખાવ  બધું  બાળકને  આપ્યું  જેનાથી  તેનો  ક્રેઝ  સંતોષાય।  .હવે  મારુતિ  નાની  અને  જૂની  લાગવા  માંડી  અને   પછી  ઈન્ડીકા   લીધી। .હું  જાણું  છું 
કે  અફલાતુન  ગાડી  ચલાવવામાં  અને  રફ  ચલાવવામાં  ઝાઝો  તફાવત  નથી પણ  બલકે  કોઈ  અકસ્માત  નથી  કર્યો  ત્ર  તેની સિદ્ધિ  હતી  અને    તેનું તેને   ધીમે  ધીમે  અભિમાન  હતું। આ  અભિમાન  ક્યારે  એક તરફી  અહંકારમાં  અને  ઉધ્ધાતીમાં  પરિવર્તન પામ્યું તેનો  મને  પણ  અંદાજ  ના  લાગ્યો।  પણ  હું  ધીમે  ધીમે    હાંશિયામાં   ધકેલાતો  ગયો   પણ  તે  છતાં  મને  તેનું  ભાન  ના  રહ્યું। .શોખ  વધતો  ગયો  અને  હવે  ઈન્ડીકા    પણ  જૂની અને  નાની  લાગવા  માંડી  4-5  વર્ષમાં  તો  તેના  ભુક્કા  બોલી  ગયા  અને  હવે   જૂની  ગમતી  નહોતી। સમયનું વહેં  પલાતાતું  ગયું। હું  નિવૃત્ત  થયી  ગયો, મારું  પેન્સન  પણ  બંધાયું  નહોતું  અને  એને  ત્રીજી  માટે  જક    શરુ  કરી  અને   મારો  પ્રતિભાવ  સારો ના  મળ્યો  ત્યારે  તેને  મારી  સાથેના   છેલ્લા  દશ  વર્ષ  સુધી  મારી  જ  ગાડી  વરારી  હતી  તે  ભૂલીને   ત્રીજી  ગાડી  એસ્ટીમ  લીધી। 
હવે  કમનસીબી  મારી  શરુ  થયી। 65  ઉપર ની   મારી  ઉંમર  થયી, એના  માટે  ગાડી  એ  શોખ  હતો  મારા  માટે  તે  સગવડ  અને  કદાચ   જરૂરિયાત પણ બાળકના  તેવર  બદલાયી  ચુક્યા  હતા . તે  હવે  તજજ્ઞ  વાહન ચાલક  જ  નહિ  એક  મોભાદાર  ગાડીનો  ધણી  હતો ..  હા  માલિક , --અને  એક  કમનસીબ   પળે  એને  મને  પણ  સંભળાવી  દીધું  કે  તમારે  જવું  હોય તો  રીક્ષામાં  જાવ  .કમનસીબી એ  મારો  પીછો  પકડ્યો  હતો  અને  બીજી  એક  ભયાનક  કમનસીબ પળે  એને   આ ગાડીમાં બેઠેલી  મારી  પુત્રી  અને  મારી  પત્નીને   ગાડીમાંથી  ઉતારી  મુક્યા  અને  ક્લાહી  દીધું  કે  તમે  રીક્ષામાં  આવો। બંનેને ,બધાને  એક જ  જાગે  જવાનું   હતું  મારા  જમાઈના  એક  કાર્યક્રમમાં  , હું  બસમાંગયો, પુત્રી  અને  પત્ની  રીક્ષામાં   આવ્યા  અને  બાળ  અને  તેની  પત્ની  ગાડીમાં  એસ્ટીમ માં   ગાડીમાં પુરતી  જગા  હતી , બધા  લગભગ  સાથેજ પહોચ્યા  ,શું  આલોચના  કરું  આ  બનાવની ?  જે બાળકને  મેં  મારતા  ખોળામાં  બેસાડી ને  ગાડી  ચલાવતા   શીખવી  , અનેક  ગાડીઓ  ઉપર  હાથ  ફેરવ્યો,   બબ્બે ગાડીઓ  અપાવી  આજે   તેને  અમને  ગાડીમાં થી  ઉતારી  મુકતા  સહેજ  પણ  ખચકાત    ના  અનુભવ્યો।  આ મારી  લાચારી  હતી , મૂર્ખાઈ હતી , કમનસીબી  હતી  કે  મારા  બાળકની  ઉદ્ધતાઈ  
સ્સામાયના  વહેં  હવે  અવળી  દિશામાં  વહેવા  લાગ્યા   અને  તેની  મને  ખબર  જ પડી  નહિ . હું  એ  ભૂલી  ગયો  કે  મારી ઉંમર   વધવાની સાથે  ક્ષમતા  ઘટતી  જાય  છે  અનેતેની  ઉંમર  વધવાની  સાથે  તેની  શક્તિ, ક્ષમતા  , આવક  , મોભો, પ્રતિભા  અને  પ્રતિષ્ઠા  વધતા  જતા  હતા  અને તે  બધાનો  હવે  તે  ઠંડા  કલ્રેજે  અમારી  વિરુદ્ધમાં  જ  ઉપયોગ  કરતો  હતો ,
     આ  મારો  એ  બાળક  છે  જે  છેલ્લા  20  વર્ષથી  મોભાદાર  નોકરી  કરે છે, જેની  તમામ  જરૂરિયાત મેં  પૂરી  કરી  છે, જેને  મેં તમામ  સગવડ  આપી છે  તે  બલકે    મને  20 વર્ષના   ગાળામાં  20 000   રૂપિયા  પણ  નથી  આપ્યા  અને   જયારે તેનો  પગાર  મારા  15  હાજર ના  પગાર  સામે  દોઢ  લાખથી  પણ વધરે  થયી  ગયો  છે  ત્યારે  તેને અમને  એટલો  માનસિક  ત્રાસ  આપવા  માંડ્યો   છે  કે તેની  કલ્પના  પણ  કોઈ  કરી  શ્હાકે  નહિ। . કેન્દ્રસ્થાને ગાડી  રાખીએ  તો   એક  ઉદાહરણ  : એક  વખત  બપોરે  લગભગએક  વાગ્યે  તેનું   કલોલથી  આવવું અને  મારે  ટેસ્ટ  રીપોર્ટ  બતાવવા  માટે   જવા  નીકળવું , એનું  ગાડીમાંથી  ઉતરવું  અને  એ  કમનસીબ  પળે  મેં  તેને  કહ્યું  મને  ચાવી  આપ  હું  રીપોર્ટ  બતાવી  આવું।  અને  તેને  મારું  માથું  વધી  નાખ્યું  { તમને  ગાડી  ચલાવતા  નહિ  ફાવે  રીક્ષામાં  જાવ। માની  લો  કે  મને  ગાડી  ચલાવતા  નહિ  ફાવે,  તે માણસને  ગાડી  ચલાવતા  નહિ ફાવે જેને  તેને  ખોળામાં  બેસાડીને  ગાડી  શીખવી  છે,  તો  તે  કદાચ  એમ  કહીને  કે  તમને  ગાડી  ચલાવતા  નહિ  ફાવે , તો કઈ  નહિ  ચાલો  હું  તમોને  લાયી  જાઉં .. કેવી લાલસા  ? અને  એક   પરાકાષ્ઠાની   પળે   તો  બલકે  ઢંઢેરો  પીટ્યો  એવો  પીટ્યો  એવો  પીટ્યો  કે  જે  જિંદગીભર  કોઈ  ભૂલી  નહિ શકે એ બલકે   ઢંઢેરા માં  કહ્યું  કે  તમને  એટેક  આવ્યો  ત્યારે  હોસ્પીતાલ્ર  તો  મેં  પહોચાડ્યા  હતા  જો  હું  ના  લાયી  ગયો  હોત  તો  તમે  જીવતા  જ  ના  હોત . એ  કેમ  ભૂલી  જાવ  છો ? મારી  ગાડીમાં  તમને  મેં  ખરે  વખતે   હોસ્પીટલે   પહોચાડ્યા  હતા।  તે  દિવસે  જન્માષ્ટમી  હતી  અને  મારો  પુત્ર   પુત્રવધુ  અને  નાનો  બાળ તહેવાર  પર  મહેસાણાથી ગાડી  લયીને  આવેલા .  હા   રેજ  મારુતિ   જે શરૂઆતમાં  મેં  લીધેલી  અને  પછી  બાળકનો  મોભો  તેની  સંસ્થામાં  જળવાય  તે  માટે  બાળકને  આપી   રાખેલી  જે  લયીને  તે  મહેસાણાથી  કલાઓ  રો  જતો  હતો તે  ગાડીમાં  મને  સવારે    તેને  હોસ્પિટલ પહોચાડીને  મારો જીવ  બચાવેલો  તેમ  તેના  ઢંઢેરા   માં  કહે  છે, . હું  શું   જવાબ  આપું   આ  ઢંઢેરા નો  ? 
    હવે  વાર્તાનો  મોડ  ધીમે  ધીમે  બદલાય  છે।  બીજા  બધા  મોડ  તો  બાજુમાં  રાખીય્ર, માત્ર ગાડી ને  જ  નજરમાં  રાખીને  વાત  કરીએ . હવે  એસ્ટીમ  પણ જૂની  લાગે  છે। એક  નવી  ગાડી  લેવી  છે।  આજે  તો  તેમની  મસ્દિક  આમદની  દોઢ  બે લાખ ની  છે, ઢગલો  બચત  છે, સરકારની   તિજોરીમાં તેમના  નામના   તફાવત ના  નાણા ની   રકમ 30  લાખ જેટલી  પડી હશે, પ્રોવીદાન્ત્ય્ત  ફંડમાં  ઢગલો  પૈસા   છે  જે  કડી  વપરાયા  નથી, દોઢ  લાખ ના  પગાર    ઉપર  ધારે  તો   બે  કરોડ જેટલી  લોન  પણ  સહેલાયી થી  મળી  શકે તેમ  છે તે જોતા  10  લાખ ની  ગાડી  લેવી  તેના  માટે  મોટી  વાત  નથી। પણ  તેને  મને  નીચો  દેખાડવા  માટે, મને  તેજોદ્વેશીતાથી બળવા  માટે, મારી  પાસે  5  લાખ  માગ્યા ,ફિક્સ રસીદ  તોડીને  આપો,  15000   નું   પેન્સન  મેળવનાર  પાસે  તે  5 લાખ  માંગે  છે   મહીને  1,50,000 /- ની  આવક  ધરાવનાર   મારો  પુત્ર  ,  એ  પુત્ર   ગ લક્ઝરી  ગાડી લાવવા  માટે , જે  ગાડીમાં  તે  ફરે,  તેને જ  અવળી  શિખામણ  આપનાર  તેમાં  અમને  બળવા  માટે  તે  ગાડીમાં  ફરે  , અને  અમે   જોઈ  જોપી ને  આંસુ  સારીયે  ,લક્ઝરી  ગાડી  બીજા  કોઈને  તો  અપાય   નહિ  તેમ  તેની  પત્ની  પણ  હવે  તો  કહેતી થયી  ગયી।  અને  આ  બાળક  ,  કેટલી  વાર  યાદ  કરું  , જેને  ખોળામાં  બેસાડી ને   ગાડી  શીખવી , ગાડીઓ  ક્રેઝ  મુજબ  અપાવી  તેને   જે  રીતે   અપમાનિત  કરતી  વાતો  કરી ,  જુઠાણા  ચલાવ્યા ,  આ  બધા  પાછળ  કોનો   હાથ  છે >?  સાબિતી  નથી  એટલે  કોઈનું  નામ તો  અહી લખાય  નહિ  પણ  એક  કરતા  વધારે   અભિપ્રાય   ની  આંગળીઓ   જ્યાં  જાય  છે  તે   દર્શાવવાની  જરૂર  જણાતી  નથી। 
  કર્મનું  બંધન   બ્રહ્મના  બાપને  પણ  છોડતું  નથી . હિસાબો  વસુલ  થાય  જ  છે। મારા  કોઈ   સંચિત  કર્મના  હિસાબો  પુરા  થયા  નહિ  હોય   અને  તે  મારે  ચૂકવવાના   હશે  તેહું  ચૂકવી  રહ્યો  છું। આ  મારી  માન્યતા  છે, મારો  પુત્ર  તો  એક  તજજ્ઞ   અને  હવે  તો   મોટા  મોભાનો , મોટા  માથાનો  એક  મનોવૈજ્ઞાનિક  છે।, તે  કર્મના  બંધન ને   શા  માટે મને ?  જે  પણ સારું  અને  તેની  તરફેણમાં  બની  રહેલ  છે  તેમાં  માત્ર  અને  માત્ર  તેની  આવડત  હિશીયારી  અને  ક્ષમતા  જ   કામ  કરે  છે .  કોઈએ  તેના  માટે  શું  કર્યું ? કોઈ  શાનો જશ   માંગે? અને  કદાચ  કોઈકે  કઈ  કર્યું  હોય  તો  હિસાબ આપે  અને  કિંમત  વસુલ  કરીને  ચાલતી  પકડે।  આજે  આ  પળે  મને  ભૂતકાળની એક  વાત યાદ  આવે  છે  જયારે એક  બલકે  તેની  મને  કહેલું  કે  મને  દૂધ  પીવડાવીને  મોટો  કર્યો  તો  હવે તે  દીઉધની  કિંમત  મુકીને  અને  તેનું  વ્યાજ  ગણીને  કિંમત  બોલ  અને  મારી  પાસેથી  લઇ લે  તે  હિસાબ/  આપને આપનો  હિસાબ  ચૂકતે  કરી  લાયોએ .  કોણ  છે  આ  બાળક  ખબર  છે ?  આજનું  મોટું  બની  ચૂકેલું  આ  માથું  , જે  એક  દિવસ  કોઈના  ખોળામાં  બેસીને  પગ  ઉછાળીને  લાતો  મારતું હતું, તેની  લાતો  વહાલી  લગતી  હતી  તે  આજે   એવી  લાતો  મારે છે  કે  કે  જે  જીરવાય  નહિ।  સીડી ઉપર  ચડીને  શિખર  પર  પહોચી  ગયા  અને   છ્રેલ્લી  બદન પર  પહોચીને  સીડીને  જ  લાત   મારી  દીધી   તમે  તો  શિખરે  પહોચી  ગયા  પણ  જે  સીડી  મારફતે  ઉપર  ગયા તે જ  સીડીને  લત  મારી  છે  તમે .
કર્મના  બંધન ને  જો  માનો  છો  તો  આલોચના  કરવાની  જરૂર  નથી।  પણ  એન  નાના    વાનર  બળ ના  બળ  મૃત્યુ   નો  પ્રસંગ  યાદ  કરી  લીધો।  મૃત્યુ  માટે  કોઈ  કારણ  નહોતું, કોઈ રોગ  નહોતો, , કોઈ  નાની સરખી  બીમારી  કે ઈજા  પણ  નહોતી  અને  આ  સંજોગો માં  મૃત્યુ  માટે  તબીબ  એક તજજ્ઞ એ   અભી અભિપ્રાય   આપ્યો  કે  માત્ર  કર્મનું  બંધન પૂરું  થયું - તમારો  ઋણાનુબંધ અહી  પૂરો  થયી  ગયો।  .વાનર બળ અને  તેનો  પલક  હોય  કે  માનવ  બળ અને  તેનો  પલક  હોય   ઋણાનું બંધનો  સિધ્ધાંત  તો  સરખી  રીતે  જ  લાગુ પડે  છે। .ભલે  તે  વાનર  બાળ  હોય  કે  માનવ  બળ  હોય। હા  માનસમાં  બુદ્ધિ  વધારે  રહી,  તેમાય  તે  તજગ્નાતા  ધરાવતો  હોય  એટલે   થોડો ગર્વ  પણ  તેને  હોય તેમાં   પાછો  જો તે  પૈસે   તકે    સુખી, સમૃદ્ધ, મન, મોભો, પ્રતિષ્ઠા   વૈભવ નો  માલિક  હોય  ત્યારે   વિચારસરણી  થોડીક  બદલાવી  પડે। 
 એક   સાદો  સિધ્ધાંત   યાદ  રાખવા  જેવો  છે  :  જયારે  પદ,પૈસો અને  પ્રતિષ્ઠા  બોલતા  હોય  ત્યારે  સમજુ  માણસે  ચુપ  રહેવામાં  ડહાપણ છે . પદ  ,પૈસો,હોદ્દો, પ્રતિષ્ઠા  અને  વૈભવ થી  અંધ  બની ગયેલ સામે  કારણ  વગર  બાખડી  બાંધવામાં   જોખમ છે।  આગની  સાથે  રમત  ના  રમાય  તેનાથી  દુર  રહેવું  સારું . 
ક્રમશ :
ગુણવંત પરીખ 
      

No comments:

Post a Comment