પ્રેષક :- 4, મંગલ પાર્ક
ગુણવંત લાલ રમણ લાલ પરીખ ગીતા મંદિર રોડ
અમદાવાદ 22
બી .ઈ . સિવિલ . એલ .એલ .બી। 22-10 -12
માનદ વહીવટી અધિકારી,
વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર [ ગ્રાહક સુરક્ષા
નિવૃત્ત કાર્ય પલક ઇજનેર
4 , મંગલ પાર્ક સોસાયટી
ગીતા મંદિર રોડ
અમદાવાદ 22 380022 )
ફોન। 07925324676 , 9408294609 ,9924433362
પ્રતિ
આદરણીય પૂજ્ય મોરારી બાપુ ,
સાદર પ્રણામ : જાય સિયા રામ
સાદર નિવેદિત કરું છું કે હાલ ઝી તી।વી। ઉપરથી પ્રસારિત થઇ રહેલ શ્રેણી રામાયણ : જે દરેક રવિવારે સવારે 11-00 વાગે પ્રસારિત થાય છે તેમાં દર્શાવ્યા મુજબ રામ ની એક માતા રામને બીજું લગ્ન કરવાની સુચના અને સલાહ આપે છે। આવો કોઈ પ્રસંગ મેં આપની કથામાં ક્યારેય નથી સંભાળ્યો કે બીજા કોઈ કથાકારની કથામાં કે રામાયણ ના ગ્રંથોમાં પણ આવું કોઈ વર્ણન નથી। આપ એક સમર્થ રામકથાના વક્તા છો, વિવીચક પણ છો , આલોચક પણ છો અને ધર્મનિષ્ઠ વડીલ અને રામાયણના સર્વજ્ઞ અને જાણકાર છો .તે સંજોગોમાં આપનું ધ્યાન દોરું છું કે શું આ પ્રકારના બનાવનો કોઈ ઉલ્લેખ ક્યોય છે ખરો ? જો નથી તો પ્રસારકો આ રીતે કથાને વળાંક કેવીરીતે આપી શકે ? આપે એક સમર્થ કથાકાર, જ્ઞાતા ,વિવેચક અને આલોચક તરીકે આ મુદ્દાની ચકાસણી કરીને આવી સંસ્થાઓને પ્રજાને ગેરમાર્ગે દોરતી રજૂઆત થી અટકાવવી જોઈએ। આપે જો મારો કોઈ ખુલાસો જોઈતો હોય તો મને ઉપરોક્ત સરનામે જન કરવા વિનંતી છે અથવા મારે કરવા પત્ર કાર્યવાહીની પણ મને જન કરવા વિનંતી છે। જો સીરીયલ માં દર્શાવવામાં આવતી વાત સાચી હોય તો તે પણ મને જણાવવા વિનંતી છે જેથી હું જો ગેરમાર્ગે દોરાયો હોઉં તો મને જાન થાય .
આપનો પ્રતિભાવ અને પ્રત્યુત્તર પાઠવી ઉપકૃત કરશો જી
આદર અને સન્માન સહીત
આપનો પ્રશંશક શ્રોતા અને વાચક
ગુણવંત પરીખ
ચી।ભાઈ શ્રી નીલેશભાઈ
મોરારીબાપુ સમક્ષ આ પત્ર રજુ કરશો અને તેમના પ્રતિભાવ દર્શાવતો પ્રત્યુત્તર પાઠવશો,
આભાર સહ
આપનો વિશ્વાશું
ગુણવંત પરીખ
No comments:
Post a Comment