aachaar sanhitaa 4 ----

From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  


            -:   આચાર  સંહિતા  -  4

      જુના  જમાનાના  બાલમંદીરો    સામે  આજના  પ્લે ગ્રુપ, કે.જી , વિ.  જેવી  શાળા  કહેવી કે  સંસ્થાઓ  કેટલી મોઘી  મોઘીછે  તે  તેતો જોયુ  - હજુ પ્રાથમિક  અને માધ્યમિક કક્ષા  તેમજ  વધારાયેલ  ઉચ્ચ  માધ્યમિક   કક્ષાઓ  તો  બાકી  જ રહી ગયી છે એક  બાજુ  સૈધ્ધાંતિક  રીતે  શિક્ષણ  મફત   હોવુ જોઇયે તેવી વાતોથાય   છે  ,,શિક્ષણ ને  પ્રોત્સાહનો આપવા માટે  શળા  માટે  પ્રવેશોત્સવો  ઉજવાય છે મફત  શિક્ષણના સિધ્ધાંતને  સરકાર  સ્વિકારે છે  -પ્રવેશોત્સવ્ના   કાર્યક્રમો  માટે  અઢળક  ખરચો પણ  કરે  છે   અને  તેની  સામે સરકારને  તે પણ  ખબર છે જ કે  પ્લે ગ્રુપ અને  કે.જી   માટે  -પાયાનાસંસ્કાર  અને પાયાની કેળવણી  માટેની  સેલ્ફ ફાયનંન્સ  સંસ્થાઓ  કેટલીમોટી તગડી  રકમ  ફી  પેટે  અને અન્ય ચાર્જિસ  તરીકે ઉઘરાવે છે  -આ   અસમાનતા માટે કેમ  કોઇ વિચારતુ નથી. ?ગરીબ  નાગરીક્ના   સંતાનોને  પાયાનીકેળવણીઅને  સંસ્કાર  માત્ર શેરીમાથીજ મેળવવાના ?ધનિકોઅને તવંગરોના  સંતાનો જ  પ્લેગ્રુપ મા  જોડાઇ  શકે ?  બહુ  બુમો પાડવાથી કોઇના બહેરા  કાને આવાત પહોચશે કે  કેમ તે તો  ખબર  નથી  પણ  શેરીનાં    બાળકો  પણ   રખડ  દખળ   થોડુ  ભણતર  , થોડુજ્ઞાન ,  અને વધારે  પ્રમાણમા  કોઠાસુજ મેળવી લે  છે. સરકાર  અને  સરકાર્મા  બેઠેલ તમામ  વર્ગ આ  તમામ  હકીકતથી   વાકેફ છે   જ  શાસક પક્ષ  -  સતાધારી પક્ષ  -અને  વિરોધ  પક્ષ  પણ  આ  તમામ બાબતથી વાકેફ છે અને  તે  દરેકને  આની  સંપુર્ણ    જાણકારી છે  જ  -  પણ  સૌ  ચુપ  છે કેમ  ? સર્વેક્ષણ  એમ જણાવેછેકે  તેમના   સંતાનોને શેરી શિક્ષાણની  જરુરત   પડતી નથી -  તેમના  પ્રવેશ નામાકિત  શાળાઓમા  નક્કી જહોય  છે  -ફી  ભરે  ,ના ભરે  , કે  કોઇ તેમના વતી  ફી  ભરે પણ  તેમના સતાનો તો  એરિસ્ટોક્રેટ  સંસ્થાઓમા  પ્રવેશ  મેળવી જ  લે  છે  ., ખમતીધરો  પૈસાના જોરે પ્રવેશ મેળવી  લે  છે  -  બાકી   રહ્યો આર્થિક રીતે  પછાતવર્ગ- તે  બોલી શકતોનથી- સહન  કરી  લે  છે  એવુ   નથી  કે  તેમના   સંતાનોમા  ક્ષમતા  નથી- અને એવુ પણ  નથી  કે  ખાનગીશાળાઓમો   પ્રવેશ  મેળવનારા  ખમતીધરોના સંતાનો  ક્ષમતા ધરાવે  છે  -એટલુ  તો  ચોક્કસ છે  જ  કે  આ  અસમાનતા  પાયાના સ્તરે  તો હોવી  ના  જજોઇયે-નાનુ   બાળૅક  જે   હજુ   કાચી  સમજ  - કાચી ઉંમર ધરાવેછે તેનુ  માનસિક  સ્તર આ  અસમનતા   જીરવી  શકવા  જેટલુ મજબુત  નથી  હોતુ  પણ  અવાજ  કરવાનો તો તેને હક્કજ નથી  - તેના  માબાપ   લાચાર  છે  -પણ  સરકારનુ   શુ  ?સરકારને  શુ   લાચારી   છે? .પૈસા નથી  ? બજેટમા  જોગવાઇ નથી  ?  પ્રવેષોત્સવના  ખર્ચામાથી  કેટલુ     સરભર  થયી   શકે કે નહીં  ?  ખાનગી સંસ્થાઓને   મળતા  લાભોની વાત  અત્રે   ઉચિત  નહીં  લાગે  તેના  માટે   આસ્તરે  - ટીકા કે  આલોચના  નથી  કરવી  પણ  ઉચ્ચ  શિક્ષણ  માટે   ના   કેટલાક  ઉદાહરણો તો  કાળજુ  કંપાવી  નાખે  તેવા છે  .પ્રાચીન યુગમા  આશ્રમ  શાળાઓ હતી  જે  આપણે તો જોઇ  નથી  - પણ  તે  જમાનામા પણ  વિવિધ   વિષયો પ્રત્યેનુ    જ્ઞાન ઉપલબ્ધ  હતુ  જ માત્ર  બે  જ શાખાઓ જોઇયે- ઇજનેરી  અને  તબીબી  શાખા .
.અસમાનતા  દર્શાવતી  કેટલીક રસપ્રદ માહિતી  છે  .
ગુજરાતમા   તબીબી વિદ્યાશાખા  -  મેડિકલ  - માટે  2780  બેઠકો છે  તે  પૈકી  સરકારી  કોલેજો  માટેની   બેઠકો 1070  છે  અને   સ્વ-નિર્ભર -  સેલ્ફ  ફાઇનંન્સ  કોલેજો  માટે  1700 બેઠકો  છે.  સ્વ-નિર્ભર  કોલેજો  માટેની  ફીનુ  ધોરણ   3  થી  4  લાખ  રુપિયા  છે..છે..આ  ધોરણ  જ  સ્પષ્ટ  દર્શાવે છે  કે  જેની  પાસે  નાણાકિય  સગવડ છે તે જ  માત્ર  આ  શાખાક્મા  પ્રવેશ  મેળવી  શકે  -   3 થી  4 લાખ  તો  માત્ર  ફી  જ  - બાકી પુસ્તકો ,  સાધન સામગ્રી-  રહેવા  -  જમવાના-  હોસ્ટેલના ખર્ચ  -  તે  ક્યાંથી  લાવવાના  ?  આ  ખર્ચ  કોને  પરવડે  ?  જેને  પરવડે  છે  તેના  સંતાનોમા   ક્ષમતા છે  જ  તેવુ  પણ  નથી  -અને  જેને  નથી  પરવડતુ  તેના  સંતાનોમા  ક્ષમતા  નથી   તેવુ પણ  નથી આ  વિદ્યાશાખા માટે   એક મોટો આક્ષેપ ચાલે  છે કે   મોટેભાગે  આ શાખામા  તબીબી ક્ષેત્રમા  વ્યવસાય  કરતા  મોટા ખમતીધર તબીબોના   સંતાનો  કોઇ  પણ  કિમતે   પ્રવેશ  મેળવી  લે  છે  .  ફીનુ જે  ધોરણ  દર્શાવેલ છે  તે  માત્ર  અધિક્રુત  ફી  ની  જ  રકમ  છે -  ડોનેશનના  નામે  લેવાતી રકમનો તેમા  સમાવેશ  નથી  થતો  - આ  બે  નંબરની  રકમ  જેને  પરવડે તે જ  આ  શાખામા  પ્રવેશ  મેળવી શકે  છે  -જેના   માબાપ   સધ્ધર  છે  તેના  સંતાનો   ક્ષમતા  ધરાવે જ  છે  તેવુ માની લેવાની જરુર નથી  તે  પુનરોક્તિ  અનુચિતપણ નથી .-અને   ક્ષમતા  વિહિન  પ્રવેશિત વિદ્યાર્થી  કેવુ  જ્ઞાન  મેળવશે  ?  આ  એવી  શાખા  છે  જે માનવીના   જીવન સાથે  - સ્વાસ્થ્ય  - સાથે  સંકળાયેલ   છે.   આ  રીતે  ખરીદેલ  પ્રવેશ  તેને જ્ઞાન તો  નથી  આપતો  પણ  ખરીદી    માટે  ખર્ચેલ  નાણા વસુલ કરી   લેવાની  વ્રુત્તિ   જ  તેની નજરમા  રહે  છે  -  દર્દીનુ   જે  થવાનુહોય તે  થાય  -મારી ફી  ચુકવો  - મે  પૈસા  ખર્ચ્યા  છે  -મોટી મસ   રકમ   ચુકવી  છે તે કેવી  રીતે  વસુલ  કરવી  ?


    જે  એક ઉચ્ચ  સેવાકિય  વ્યવસાય  છે  તે  કેવા  માનવતા  વિહોણા  અભિગમનો  વેપાર  બની   જાય  છે  ?    આના  પાયામા   શુ  છે  ?  ષિક્ષણમા  આવો ભેદભાવ  ?તબીબી  વિદ્યાશાખાની  પરિક્ષાઓની  તો હજુ  વાત  જ નથી  કરી  જો  તબીબી  વિદ્યાર્થીઓની  લેખિત  પરીક્ષા પ્રાયોગિક પરીક્ષા  અને  મૌખિક   પરિક્ષાઓની   કહીસુની  જાણિયે  કે  સાંભળિયે  તો  આવારાની  શરીફકા બેટા  શરીફ ,   ઉક્તિ યથાર્થ  લાગે ડોક્ટરોના   સંતાનો  જ ડોક્ટર  બનવાને  લાયક  હોય  બીજા  નહીં  -  સેવાભાવી  ડોક્ટરો  નથી  એવુ  પણ  નથી  - બહુરત્ના  વસુધરા -  મોડાસાના  આંખના  ડોક્ટર  કાંતીભાઇ    જેવા  પણ  અનેક  ડોક્ટરોછે   જે   તેમના  વ્યવસાયને  વફાદાર રહેલા   છે  અને  તેમની સેવાવ્રુત્તિ  અને  પ્રવ્રુત્તિ    પ્રસંશનિય    છે  -સરકારી હોસ્પિટલોમા  લખલુટ  ખર્ચા  થાય  છે  -ધુમ  દવાઓખરિદાય  છે  - ઢગલાબંધી  દર્દીઓ હોય છે  -તો પછિ  તેની  સેવામા  કચાસ   ક્યા  છે  ? નિષ્ઠાની  ખોટ  છે ?  ગેરરીતીઓ  છે ? પ્રમાણિકતા  નથી  ?  કર્મચારીઓ  નથી  ? તબીબોના સંતાનો  તો  પોતપોતાના   બાપિકા  વ્યવસાયમા   લાગી  જાય  છે  -  બાકી  રહેલા  સરકારી હોસ્પિટાલોમા  અનુભવના  નામે  આવે  છે  અને  પેદા કરવા  જેવુ  પેદા  કરીને  જતા  રહે  છે  -  દર્દીઓ  તેમની પ્રયોગશાળા  છે  -  જેમ  ફાવે તેમ  પ્રયોગ કરે  રાખો -  ડાબા  પગના બદલે જમણાપગનુ  ઓપરેશન  પણ  કરી   નાખે  -  શુ   સજા  થવાની હતી ?  ઓર્થોના પ્રકરણને  મે  વૈકલ્પિક  વિષય  તરીકે રાખેલો  ---

સભી  મસ્તહૈ  કૌન  કિસકો  સંભાલે  --------

--------તબીબી   શાખાનો એક  જ  ભાગ  આવ્યો    આયુર્વેદીક  ,  ડેન્ટલ , હોમિયોપેથીક  , નર્સિંગ ,  ફાર્મસી  પેરા  મેડિસિન   જેવી  શાખાઓ  પણ  આ  દુષણથી  બાકાત હોય   તેમ  માનવાને કારણ નથી- કારણ    આ  દરેકશાખાઓમા   પણ  સ્વનિર્ભર   સંસ્થાઓનો  પરવાનો છે જ  અને  તેમનુ જ  વર્ચસ્વ છે   આ શાખાઓ ઉપરાત  ઇજનેરી શાખાઓની   બેઠકો  અને  આલોચના  હવે  પછી  -------


-------ગુણવંત પરીખ

        4-2-15








From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  

No comments:

Post a Comment