Aachaar sanhitaa 15 --- 16 --------

From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  



     - :  આચાર  -  સંહીતા  : -     15   --  


              શામ  , દામ , દંડ   અને  ભેદ   :  એ  ચાર   ચાણક્ય નિતિના  વહીવટના  અગત્યના  અંગો  છે  અને  આજે  પણ તે  અલિખિત   બંધારણ   તરિકે   અજમાવાય  છે  જ  :  લેખિત  સ્વરુપે  તેનો  ક્યા ય  સમાવેશ  થતો  નથી. પણ  વ્યવહારમા  અને વ્યવહાર  માટે   તે આવશ્યક   પરીબળ  છે . સામાન્ય  રીતે  અદાલતો     શામ    ની  નીતિ   અપનાવે છે  -  જે  ક્યી  લખાણુ તે  વંચાણુ  - ફક્ત  તે  જ સ્વિકાર્ય છે  જે   નિયમાવલી  મા  સમાવિષ્ઠ   હોય  - કાનુનના  પુસ્તકમા  કે  કાનુનમા    જેનો સ્પષ્ટ   ઉલ્લેખ હોય    અને તેનુ અર્થઘટન  પણ  માત્ર   શબ્દિક  જ  હોય  -
   Whatever  is available    ONLY  BETWEEN  THE  LINES   of  provisions  “  

પુરાવા  અને  સાબીતીઓનુ  સત્ય  :   અલિખિત    કે  અદ્રષ્ટ  સત્ય   ના  ચાલે  -  ન્યાય  તંત્ર   તે ચલાવી લેશે નહીં  -  તે તો  માત્ર  અને  માત્ર   પુરાવા  અને  સાબીતીઓ  જ  માગશે  અને તેટલુ જ  સ્વિકારશે  -પછી ભલે  તે  ખરેખર  સત્ય  ના  પણ  હોય અને  તેટલા  માટે જ  ચાણક્યની   રાજનીતીમા  માત્ર    શામ    ને   જ  મહત્વ  નથી  અપાયુ  -    જરુર પડે તો    બીજી  રીત  પણ અપનાવો -  કાયદામા   રીમાંન્ડ  ની  જોગવાઇ  છે  -  પણ  માત્ર   માહિતી  એકત્ર   કરવા  પુરતી  - તેમા  ક્યાય   પોલિસની  થર્ડ   ડીગ્રી    ટ્રીટમેંન્ટ નો    સમાવેશ થતો  નથી  - થર્ડ   ડીગ્રી  એ કાનુની  પ્રક્રિયા  નથી   પણ  જો એ  પ્રક્રિયા  ના  હોય તો  રીઢા   ગુનેગારોને  તો    મઝા  પડી જાય  -  માટે   જ  ચાણક્યની  જોગવાઇમા  આડકતરી રીતે   આ  પ્રકારના   દંડની  પણ   જોગવાઇરાખેલીછે જ -  ભલે  તે  આજનુ    ન્યાય  તંત્ર   લેખિતમા   માન્ય  ના  રાખે -  નજર અંદાજ  કરીને પણ   તે  આ  વાત સ્વિકારે તો  છે જ અને  જરુરી પણ  છે    ગુજરાતી  સાહિત્યના   કેટલાક  સુક્તકો  પણ  તેની    સાબીતી આપે  છે  :
જે   ગમે કે  ના  ગમે  -  જુનવાણી લાગે  કે  રુઢીચુસ્તતા  દર્શાવે :
બુધે  જાર  બાજરી  , બુધે  નાર  પાધરી  ,
બુધે   ડોબુ  દોહવા  દે  , ..........

સોટી  વાગે   ચમ  ચમ  ,વિદ્યા   આવે  ઘમ  ઘમ 

આ  બધા  લેખીત   બંધારણ   નથી  -  આજે  તો  વિદ્યાર્થીને   હાથ  પણ   નથી  અડાડી   શકાતો  , તે ગમે તેવા  તોફાન  કરે ,  તેની  સામે  શિક્ષાત્મક  પગલા  ભરતા   શિક્ષકે  સો   વાર  વિચારવુ  પડે  છે   અને  પરીણામ  તે  આવ્યુ  છે  કે  શિક્ષકને   બદલે  તેમના  શિષ્યો   હાથ  ઉપાડતા  થયિ   ગયા  છે    અને  એટલી   હદ  સુધી કે  ચાણક્ય ની  સમકક્ષ   ગણાતા   આજના    આચાર્ય   મહોદયો   એકદમ   લાચારી અનુભવે છે  -  શિક્ષક  , હેડ માસ્ટર , પ્રિંસીપાલ  ,  આચાર્ય  કે  પ્રધાન   આચાર્ય   કક્ષાના    વિદ્યાપીઠના  કે  યુનીવર્સીટીના    કુલપતિઓ    પણ  એક  અગમ્ય  અને   અણગમતિ  લાચારી અનુભવે છે અને   તેમના  શિષ્યો  -  વિદ્યાર્થીઓ  - તેમની સામે  બાયો     ચઢાવીને   આવે   છતા   તે  લાચાર  બની  જાય   છે  -    કારણ ?  રેખાકિત કાનુન   જુદો  છે    - રેખાકિત  કાનુને   વિદ્યાર્થીઓને  અમયાદ   સતાઓ  જાણે કે  આપી  દિધી છે -  તેનાથી  તે  એકદમ ઉધ્ધત  ,અવિવેકી  , અને  ગેરશિસ્ત   આચરતા  બની    ગયા  છે  -  આજ્ઞાપાલન  કે  આજ્ઞાકિતતા   જેવુ  કોઇ તત્ત્વ જ નથી  રહ્યુ  -  આ પ્રકારે  ઘડાયેલ આ  વિદ્યાર્થીઓ  તેમના   મા-બાપને  પણ  ગણકારતા  નથી  - ગાઠતા   નથી  -     મા  હોય કે  માસ્ટર   હોય  - શુ  કરી  લેવાના છે  ?  કહેવાય   છે  કે  કેટલાક    પશ્ચીમના    પ્રદેશોમા  તો  કાનુની  જોગવાઇ છે કે    બાળક  ઉપર તેના માતા  પિતા પણ  હાથ  નથી  ઉગામી શકતા -   જો  આવુ કરવા  જાય  અને   રાજ્ય  તંત્ર ને  ખબર પડે   અથવા  બાળક   જો   રાજતંત્રને જાણ  કરે   તો   માબાપ  ફીટ  થયી   જાય  અને  તે  કારણે જ કદાચ    ત્યાના બાળકો  વધુ  પડતા  જક્કી  કે  ઉધ્ધત  હોઇ  શકે  પણ  તે પ્રકારના સંસ્કાર  અને  સહયોગો  આપણા  સંસ્કાર  અને  સંસ્ક્રૃતિ  માટે યોગ્ય નથી  -  વિદ્યાર્થીને   શિક્ષા  કરતા આજે   શિક્ષક ડરે  છે   -  શિક્ષા  સાચી  છે કે  ખોટી તે  પ્રશ્ન  પછી ઉદભવે પણ મર્યાદામા  રહીને જો  શિક્ષા  કરવામા  આવે  તો તે ખોટુ  નથી  -હા  -એક  વાત સ્વિકારવી  જ જોઇયે
અતિશયમ   સર્વત્ર  વર્જયેત  ---      કોઇ  પણ  બાબતનો  અતીરેક   મુસ્કેલી સર્જી  શકે છે ધોલ   ધપાટ કે   એકાદ થપ્પડ  મારવી તે  ગુનો નથી    આવશ્યકતા પણ  હોઇ  શકે  --દૂર  ના  કરી શકાય તેવી  કે  અતિ ગંભીર  કક્ષાની  શારીરીક  ઇજા   પહોચાડવી તે  ગુનો   બની શકે  પણ   માત્ર  ડરથી જ  જો  શિક્ષક  વિદ્યાર્થીથી  ડરતો  રહે  તો  તેમા લાબાગાળે  અહિત તો  વિદ્યાર્થીનુ જ છે   જે  શિક્ષકે ,  વિદ્યાર્થિએ  અને  તેના વાલી  એ  સમજવુ  જોઇયે માત્ર  પશ્ચિમનુ  આધળુ  અનુકરણ  યોગ્ય નથી  -શિક્ષક શિષ્યને  -  વિદ્યાર્થીને  શિક્ષા કરે   તેમા કોઇ આચાર  ભંગ    નથી અને   જો   પ્રાથમિક કક્ષાએથી જ આ વલણ   અખત્યાર  થયિ શક્યુ હોત  તો  આજે   ઉચ્ચ કક્ષાના  વિદ્યાર્થીઓમા   આટલી હદે   ગેરશિસ્ત   વકરી   ના  હોત  -અને   શિક્ષકો ,  આચાર્યો અને  કુલપતિઓ  આટલી  હદે  ગભરાતા નાહોત  .આજે  મોડુ  તો  થયી  ગયુ   છે પણ  હવે  ભુલ્યા  ત્યાથીફરી   ગણો- જાગ્યા  ત્યારથી સવાર ----
     ----ચાણક્યની    નીતીમા દામ  નો   પણ  ઉલ્લેખ  છે  જ  -  જરુર  પડે  તો   કિંમત  ચુકવી ને  કે  અન્ય  રીતે  નાણા  વેડફી  ને  કે  નાણા  વાપરીને પણ  જરુરી  ચીજ  હાસલ  કરી લેવી જ્યા સુધી  ખરીદીનો  સવાલ છે  ત્યા સુધી   તો  ખરીદી એ   ગુનો નથી  જરુરિયત  છે  -પણ  જે  ચીજ મળતી  ના  હોય   અથવા  મળી  શકે   તેમ  ના  હોય અથવા  મળવી મુશ્કેલ  હોય  અને   તે ચીજ ની  જરુરત છે  જ   તો  શુ  કરવુ ? તે  માટે વધારાના દામ  આપવા  પડે  ,  નાછૂટકે આપવા  પડે  - આપો  - અને  તેનુ પણ  એક   બજાર   ઉભુ  થાય  છે  અને  તે  બજાર તે    કાળાબજાર  -અને   કાળાબજારે  ઉભી  કરી   એક  નવી  વ્રુત્તી-  સંગ્રહાખોરી  -  એકસામટી   જરુરી    આવશ્યક  ચીજો    ભેગી કરી  લેવી  -પછી   તેની  તાણ    ઉભી  કરવી અને  બહુ   બુમો  પડે   પછી    ભેગી કરી  રાખી હોય  તે સંગ્રહાખોરી   કરેલી  ચીજ   બજારમા  જાહેરમા નહીં  પણ   છને  ખુણે  ઉચા  દામે  વેચવી -  આ  રમત  રમવી   સહેલીનથી એવુ  પણ  નથી  -  ના  દેખાય તેવી રમત   પણ  આ નથી  -   પ્રશાસનના   દેખતા  ડોળે   આ  ધિકતો   ધંધો  ચાલે  છે  અને  છતા  ય  પ્રજા લાચારી અનુભવે છે  - ડુગળી  અને  બટાકા   જેવા શાકભાજી  માટે પણ   જો  આ  રીત રસમ    ધીકતી   ચાલતી  હોય  -  5  - 10    જેટલા  નીચા   ભાવે વેચાતી  ડુગળી  અચાનક  જ ભાદરવાના    ભીંડાની  જેમ  કુદકે અને  ભુસકે  વધીને  તેનો  ભાવ  વધતા  વધતા   1520--  30--  40---50   --70 --=80     90    રુપિયે    કીલો  થાય  પ્રશાસન દેખતુ રહે    અને  પછિ  અચાનક  જ  ભાવ  ગગડવા   માડે અને   એક  તબક્કી   ફરીથી   10  ની   પણ નિચે   જતો  રહે  - આને શુ  કહેવુ ?      હમલોગ  ની   આ  જ કટારના  પાછલા   પાના ઉપર  આ  જ હકીકત કહેવાઇ  ગયેલી   છે  -  સારા  દિવસો   આવવાનુ  સ્વપ્ન   તાજુ હતુ  ત્યારે જ  આ રજુઆત થયેલી  -પણ  આપણે તો   હતા  ત્યાના ત્યા  જ રહ્યા  - ઠેરના  ઠેર  -  દામનો  આ છે  પ્રભાવ  જે  ચાણક્ય  પારખી  શક્યા  તે  આપણે  નથી  પારખી  શકતા? બધાજ પારખી શકે  છે  -  પણ   અહીયા  પણ   આપનાર અને લેનાર -  ખરિદનાર   અને વેચનાર  -  આપનાર અને   લેનાર -  બન્ને  -એકનાએક -  તેરી બી  ચુપ ઔર   મેરી  બી  ચુપ   કોણ  કોનેકહે?બધા  એકબીજા   સાથે  સંડૉવાયેલા -  માર   ખાય   પ્રજા- અને   માલ ખાય  તડ્જોડીયાઓ  -પ્રશાસન મુક પ્રેક્ષક  -

     -અહિયાથી   જન્મ   થાય છે   આચાર  સંહીતાના  એક વરવા  રુપનો  -

ભ્રષ્ટ્રાચાર  - 

વેપારના   વિચારમાથી  જન્મે  છે   એક   આચાર  - પ્રયાસ  -  આ  આચારમાથી   જન્મે છે  એક  શિષ્ટાચાર   -  આદર પાત્ર   ગણાતો   આ  શિષ્ટાચાર    ક્યારે     શિષ્ટાચારમાથી    ભ્રષ્ટાચારમા   પરિવર્તીત   બની  જાય  છે  તેની કોઇને ખબર  જ  નથી  પડતી  મહેમાનગતીનો  શિષ્ટાચાર   ક્યારે  કેવુ પરિવર્તન   લાવે  છે  તે  શોધવુ  મુશ્કેલ  છે

કહેવાય  છે  કે   અન્નનો   માર્યો   નીચુ જુવે  , ડાંગનો  માર્યો  સામુ  જુવે ;;;;;;

;;;;;;આ  નીતિ    આજકાલની  નથી   અનાદિ  કાળથી   ચાલી  આવતી  પરંપરા   છે 

ગુણવંત  પરીખ 
7-3-15            (   આચાર  સહિતા    15   )



From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  






Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  



    ‌ - :  આચાર  -  સંહિતા  :-     16    ---- 

       યાદ  કરો  -  મહાભારતના  એ ધર્મ  યુધ્ધને કૌરવ અને    પાડવ   બન્ને   સજ્જ  બની  રહ્યા  હતા  - બન્ને  પક્ષો   પોતાની   તાકાત    વધારવા   માટે અન્ય  રાજ  રાજવીઓનો સહારો લેવા   માટે    વાટાઘાટો  ચલાવતા  હતા  અને  સૌ  પોતપોતાની    રીતે    અન્યને  પોતાની   તરફેણમા  આવવાનુ  ઇજન   આપતા  હતા. બન્ને  પક્ષોની   નજર   દ્વારકા  ઉપર  હતી  .દ્વારકાધીશ   બન્નેના  સગા  થતા  હતા બલરામજી  દુર્યોધન   અને   ભીમ  -બન્નેના  ગુરુ  હતા  -   આ  બન્નેને   પોતાની  તરફ લેવા  માટે  બન્ને   પ્રયાસ  કરતા  હતા  અને   મસલતો કરતા  હતા.  બલરામજીએ તો   સ્પસ્ટ   કહી  દીધુ  કે  હુ તો  યાત્રા પર   જવાનો  છુ  અને  હુ  કોઇના  પણ  પક્ષે   રહી શકીશ નહીં ;પણ  વિચક્ષણ   કૃષ્ણે  ઉત્કૃષ્ટ  રાજનીતી  ખેલી -  ચાણક્યની   ચારેય   નીતીઓ   આવી  જાય  તેવી નીતિ   યોગેશ્વરે   અપનાવી  - યોગાનુયોગ  અર્જુન  અને   દુર્યોધન   બન્ને   એકસાથે   કૃષ્ણની  મદદ   માગવા પહોચી   ગયા  - મામા શકુનીના  આગ્રહથી  દુર્યોધન    યાદવ  સેનાની  મદદ માગવા   તૈયાર  થયી   ગયો  અને સવારના  પહોરમા જ  કૃષ્ણના   શયન ખંડ મા   પહોચી  ગયો  - કૃષ્ણ   જાગ્યા  નહોતા  આથી   તેમના પલંગના  કૃષ્ણના   માથા  પાસે  રહેલ  આસન  પર બેસી   ગયો  -  થોડીક   જ   વાર  પછી   અર્જુન  પણ   આ જ ઇરાદે    કૃષ્ણ ની   મદદ  માગવા આવી પહોચ્યો  - તેણે જોયુ  કે દુર્યોધન  તેની અગાઉ  આવી  ગયેલ છે    અને હજુ   કૃષ્ણ નિદ્રાવશ   છે  આથિ  તે પલંગની    બીજી બાજુ એ કૃષ્ણના   પગ  પાસેના  આસને  બેઠો .થોડીકજ  વારમા  કૃષ્ણની  આખ  ખુલી અને તેમની નજર   સામે બેઠેલા અર્જુન પર પડી  -  આથી  સૌ  પ્રથમ  અભિવાદન  તેમણે અર્જુનનુ કર્યુ   આથી    તરડાયેલ   દુર્યોધન  બોલી ઉઠ્યો  -અરે   દ્વારકાધીશ  હુ અર્જુનથી   પહેલા આવ્યો છુ  - કૃષ્ણ    દુર્યોધનની ચાલ  અને  મિજાજ બન્ને ઓળખી ગયા   અને    કહ્યુ   અહો    યુવરાજ   દુર્યોધન   આપ  પણ  પધાર્યા છો  ?જો  કે મારી નજર  સૌ પ્રથમ  અર્જુન પર ગયી    માટેતેને  મે પહેલા અભિવાદીત   કર્યો   - આપનુપણ  સ્વાગત છે  ..બન્ને એ પોતપોતાનો   ઉદ્દેશ્   જણાવ્યો અને    દ્વારકાની   મદદની  માગણી કરી  -અહીયા  કૃષ્ણે  પોતાની  આદર્શ  નીતિ  અને  કુનેહ   તેમજ  એક  કુશળ  રાજ પુરુષને  શોભે  તેવી  મુત્સદ્દીગીરી  ભરી  રીત  અખત્યાર કરી  .તેમણેપોતાની  મદદના  બે  ભાગ   કર્યા  :  એક  બાજુ  હુ  મારી દ્વારકાની  10  અક્ષૌહીણી  સેના  આપિશ  અને બીજી  બાજુ  હુ  એકલો   રહીશ   અને  તે પણ  નિઃશશ્ત્ર  ;  આપ  બન્ને  આપની  પસંદગી મુજબ  જે   તે  પસંદ  કરી  શકો  છો   -  પહેલી  માગણી કરવાનો  અધિકાર   અર્જુનને  રહેશે: તે નાનોછે   અને મે તેને પહેલા   જોયો  છે    તે  જોતા  અર્જુન  પહેલી માગણી કરી   શકે છે -  દુર્યોધને  વિરોધ  કર્યો કે  હુ  પહેલો  આવ્યો  છુ  માટે    મારોપહક્ક  પહેલો  પણ   કૃષ્ણે  જણાવ્યુ  કે  અર્જુન  આપનો  અનુજ  છે અને  મારી  નજર સૌ પ્રથમૂતેના  ઉપર  જતા    મારી  દ્રષ્ટિએ  તે પહેલો   આવ્યો  છે  તેમ  ગણાય   અને  બન્નેરીતે  અર્જુન   પ્રથમાધિકારી   બને  છે  -  દુર્યોધનને  ડર  લાગ્યો કે    જો  અર્જુન  દ્વારકાનીસેના   આગી  લેશે   તો હુ એકલા   નિઃશસ્ત્ર      ગોવાળિયાને  લયીનેશુ  કરીશ ?   પણ  તેના  આશ્ચર્યની  વચ્ચે   અર્જુને એકલા  નિઃશસ્ત્ર    કૃષ્ણની  જ  માગણી  કરી   અને દુર્યોધન  ખુશ  ખુશાલ  થયી  ગયો   એને  તો અદધો  જંગ   જિત્યા   જેટલો  આનં  આનંદ    થયી  ગયો  અને  કૃષ્ણનો   આભાર  માની  ને  જતો  રહ્યો    કૃષ્ણની   ભેદ  નીતિ   દુર્યોધનના  ધ્યાને   ના  આવી  - અર્જુનના  મનમા  તો  કોઇ કુડ  કપટ  કે   નીતિ  હતા  જ  નહીં  -તેને  તો  કૃષ્ણ   મળ્યા  એટલે   ઘણુ   થયુ   તેમ  હતુ  પણ  કૃષ્ણના મનમા  તો  એક નીતિ  હતી  જ    તેમને  તો ધર્મનો    વિજય    અપાવવો   હતો   મહામુની   વ્યાસજી   જાણતા  હતા  કે  : 
યર્ત્ર યોગેશ્વર   કૃષ્ણ  ,  યત્ર  પાર્થ  ધનુર્ધર  ,
તત્ર શ્રી  વિજયો ભુતિ  ,

      ,ધર્મના  વિજય   તરફનુ  આ  પ્રથમ સોપાન   હતુ   પરંતુ  એક  બીજી   પણ  ઉક્તિ  છે
Every-thing  is fair and  just  in  Love  and  War     ------
યુદ્ધ  જિતવા   માટે  ગમે  તે  કરી શકાય  =જિત   માટે  ગમ્ર  તેવા  કુડ  કપટ ,   કાવાદાવા  ,  કાવત્રા ,જોડાણો  ,   તોડ્ફોડ  ,  સંધીઓ   , હકાલપટ્ટીઓ  ,  દાવપેચ,  લાલચો  ,  વિ.વિ.  જેવા  અનેકવિધ    ઉપાયો અજમાવી શકાય  છે  અને અજમાવાતા  પણ  હતા   અને    આવો જ એક  વ્યુહ   દુર્યોધને  આ   મહાયુધ્ધ   વખતે   અપનાવેલો . મદ્ર રાજ    મહારાજ શલ્ય તેમના  અતુલ્ય   પરાક્રમોથી   જાણીતા  હતા   પણ   તે   પાડવ   પક્ષમા  જ  રહેવાના  હતા  અને   તેમની  છવણીમા   સામેલ  થવા  માટે  નિકળી   ચુક્યા હતા. દુર્યોધનના   ગુપ્તચરોએ    માહિતી  આપી  કે   મદ્ર નરેશ    શલ્ય   અમુક રસ્તેથી  પસાર  થવાના છે  .     ચંડાળ  ચોકડી    તરીકે  જાણીતી   જોડી -  દુર્યોધન  , દુઃશાશન  , શકુનિ   અંને કર્ણ    આ    લોકોએ  ભેગા   મળીને  એક  વ્યુહ  રચના  કરી  -  શલ્યને  ભુલાવામા  નાખી દેવા  માટે   તેમણે   શલ્યના માર્ગમા   ઠેર  ઠેર   આરમ દાયક  સગવડો વાળા    કેમ્પ   ઉભા  કરી  દિધા  જેથી   મર્ગમા   શલ્યના  રસાલાને  કોઇ તકલીફ  તો   ના  પડે પણ  સંપુર્ણ   સગવડ  પણ સચવાઇરહે  ...મહારાજા   મદ્ર નરેશ  શલ્ય  તેમની પરોણાગત  થી  અત્યત  પ્રભાવિત બની   ગયા  -તેમને તો  એમ  જ હતુ  કે   મારો  ભાણેજ   જ   આ  બધી  સગવડ કરે  છે  માટે  આમ્રે તેને ઇનામ આપવુ જોઇયે   અને તેમણે  સભરા  કરનાર  સેવકને   સુચન કર્યુ કે   તમારા   અધિપતિને  મારી પાસે  મોકલોહુ તેમનુ  અભ્વાદન કરવા ઇચ્છુ છુ  અને  ઇનામ આપવા  ઇચ્છુ છુ   અને  કહેજો કે  હુ  તેમની   મહેમાનગિરી અને સરભરાથી અત્યત પ્રભાવિત  છુ   - જે  ઇચ્છામા આવે  તે મારી પાસેથી માગી લે  -દુર્યોધનને આ  સમાચાર   મળતા  જ તે  ખુશીથી  નાચી  ઉઠ્યો -  અને    તાબડ્તોડ  આખી  ચડાળ   ચોકડી   શલ્યને  મળવા  પહોચી   ગયી.મહારાજ  શલ્ય   દુર્યોધનને જોઇને   અચરજ  તો  પામ્યા પણ   શુ  થાય   ?વચન  આપી  ચુક્યા હતા  કે  તે  ઇનામા આપવાના  છે -   યજમાનની  મહેમાનગીરીથી   ખુશ થયેલા    શલ્ય આખરે પોતાના ભાણેજના  પક્ષે  રહીને  તો   યુદ્ધ   ના  કરી  શક્યા તેઓ  પોતે  પણ  નિષ્ઠાવાન  હતા  અને  લાગણીશીલ  પણ  હતા  - વચનબધ્ધ   પણ  હતા  - આ  ત્રણેય્ નો   સંવનવય   તેમણે  જાળવી જાણ્યો-વફાદારી  પુર્વક  તેમણે  દુર્યોધનના પક્ષે  યુદ્ધ  કર્યુ પણ   સાથે સાથે  કૃષ્ણની  સુચના મુજબ   એક તબક્કે   તેમણે    કર્ણનૂ   સારથીપદ પણ  સ્વિકાર્યુ અને    અનેક રીતે  કર્ણને  નાહિમત  કરવા માટે  તેમણે  કર્ણને  તે  તેની   નૈતિક  હિમત ખોઇ   બેસેતેવા ઉચ્ચારણોથી   કર્ણને  નબળો  પાડીદીધો   અને તેમના  જ   સારથીપણા  નીચે   કર્ણની  હત્યા થયી .આ  યુધ્ધે  તે  સાબીત કરી  આપ્યુ  કે  કોઇની સહાય લેવા માટે   તેમની   ખુશામત  કરવી  પડે  ,સેવા કરવી પડે , કૈક   આપવુ  પડે  તો   આપવુ  પણ  પડે  ,  કશુક જતુ  પણ  કરવુ  પડે ,   સોદાબાજીપણ  કરવી  પડે  , યુધ્ધમા  બધુ  જ  સ્વિકાર્ય છે  - યુદ્ધ  માત્ર અને  માત્ર  નીતિ   અને  મર્યાદાઓથી  ના જિતાય આચાર  સંહીતાને   ત્યા જડતાથી   ના   વળગી  રહેવાય ..પિતામહ   ભીષ્મએ  રચેલી  યુધ્ધની આચાર  સંહિતામા   જણાવેલ કે    નિ:શસ્ત્ર   વ્યક્તિ પર   શસ્ત્રથી   હુમલો  ના  કરી  શકાય    ,-એક વ્યક્તિ  ઉપર  અનેક  વ્યક્તિઓ  -  યોધ્ધાઓ   તુટી  પડી  શકે નહીં  - તેમ  છતા   અભિમન્યુ   એકલો  હતો  પણ  અનેક   મહારથીઓએ   ભેગા  મળીને   તેના  પર   અનેક  શસ્ત્ર  પ્રહારો  કર્યા  અને તેને  હણી  નાખ્યો  -   આ  બાબત   નજરમા   રાખીને   કૃષ્ણએ   ધ્રુષ્ટ્દ્યુમ્નને  ગુરુ   દ્રોણનુ   શીશ    કાપવાની    સુચના   આપી  -   જે  આચાર   સંહિતાનો  ભંગ  હતો  -છતા  પણ    તે સુચના    ન્યાયૂતુલ્ય  માની  લેવાઇ  -   કારણ   કે  તેની  પહેલા   તે જ ગુરુ   દ્રોણે  અભિમન્યુ  ઉપર   સામુહિક    શસ્ત્ર  પ્રયોગ  કરેલો  -અને   સમગ્ર   ચંડાળ    ચોકડી નાચતી  હતી  -   આજે   ક્યા  મોઢે  તે   નિતી   અને  આચાર   સહિતાની  વાત  કરી  શકે  ? પિતામહે   આચાર  સહિતા    ઉલ્લેખતી  વખતે     માન્ય  રાખેલુ  કે જો  કોઇ એક  પક્ષ તેનો  ભંગ  કરશે   તો  બીજાપક્ષને  આપોઆપ    તેમો  છુટછાટ    મળી  જ  જશે  અને  કુશલ  અને  કુશાગ્ર  બુધ્ધી   પ્રતિભા  ધરાવતા  અવ્વલ    મુત્સદ્દી   કૃષ્ણએ   તેનો  લાભ ઉઠાવ્યો  -  ધર્મના  વિજય  માટે   આટ્લો   અધર્મ   જરુરી  હતો  ..

      ..આચાર સંહીતાની  ક્યા  જરુર  છે  ,  ક્યા  કેટ્લુ   પાલન    જરુરી   છે ,     ક્યા  પાલન  જરુરી  નથી  અંનેક્યા  કેટલી   છુટ્છાટ  જરુરી  છે તેનો  તર્ક   બધ્ધ  અભ્યાસ        કરીને  અને 
  તે  મુજબ    સ્વવિવેક    વાપરી નેતેનો  ઉપયોગ  અને ઉપભોગ  જરુરી  છે . યોગ્ય   સમયે  યોગ્ય   અને  તર્ક  બધ્ધ   સ્વવિવેકનો  ઉપયોગકરવો  તેનુ  નામ  જ  મુત્સદ્દીગીરી  . પિતામહ  ભિષ્મ ,  યોગેશ્વર   કૃષ્ણ ,  આચાર્ય  ચાણક્ય  , શહેનશાહ   અકબર  ,  ચર્ચીલ  ,  સરદાર વલ્લભભાઇ    પટેલ  ,  ચિમનભાઇ  પટેલ ,  માધવસિહ  સોલંકી  ,  નરેંદ્રભાઇ  મોદી  ,  વિ.વિ. જેવા  મહનુભાવો  આ  પ્રકારના   
કુશલ મુત્સદ્દી મહાનુભાવોમા  આવી શકે  છે .

   રાજનીતીનુ  એક  બીજુ  અગત્યનુ  અંગ  છે  ભેદ -   સમગ્ર   વિશ્વમા   ભેદ  નીતિ   સર્વોપરી  છે  -   આદીકાળમા  દરેક   રાજા  મહારાજાઓ  પાસે  તેમનુ  પોતાનુ   એક  જાસુસી   તંત્ર    રહેતુ  હતુ    જેમા   તેમના  ખાસ  વિશ્વાસુ    માણસો  જ    રહેતા  હતા  અને  રાજાને  તમામ માહીતીથી   માહિતગાર  કરવામા  આવતા  હતા. -  વહીવટીતંત્ર    કરતા  પણ  જાસુસી   તંત્રની     ગણના   ઉચી  હતી   અને   આજે  પણ  તે  જ  તંત્ર  જુદા  જુદા  નામે  સમગ્ર   વિશ્વમા  પ્રચલિત છે  ,. અમેરિકાનુ    સી.આઇ.એ .  રશીયાનુ     કે.જી.બી . આપણુ   રૉ ,  ઇંટેલિજંન્સ   બ્યુરો  ,    વિ.વિ.     આ  બધી   દેક   યા  બીજી  રીતે      જાસુસી  સંસ્થાઓ  છે  જેમની   કાર્યવાહીઓ  ભેદ  ભરમથી  ભરપુર  હોય છે  .  રમતો  રમવી  કપટ  કરવા,કાવત્રા   રચવા  ,  કાવાદાવા  કરવા  ,  કુનેહ  પુર્વક    કામ  પાર  પાડવુ  ,    કોઇ  પણ  ભોગે  સફળતા  મેળવવા  માટે   ગમે  તે  કરી છુટવુ :    આચાર  સંહીતાના    જડ  ધોરણો   તેને   લાગુ  ના  પડે   -  તેમના  ફાળે અનેક     છુટ્છાટો  રહેલી છે  -અધીકાર   વાપરતા  આવડવો   જોઇયે . .

.ભાગલા  પાડો ,ભાગલા પડાવો  , અને  રાજ્ય  કરો   -  આ છે  અંગ્રેજોની   દેન  -----
Divide   and   Rule   ………..
નીતીશાસ્ત્ર્ ના જેવુ ,  પણ  ભાગલાની   નીતિ  જેવુ  , પંચતંત્ર ની   વાર્તા  જેવુ એક ઉદાહરણ  જોઇયે

ગુણવંત  પરીખ
7-3-15         (   આચાર  સહીતા    16     )


From:-
Shree Gunvant R . Parikh                                              
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 

T.Nos.  079 25324676  ,9408294609  

No comments:

Post a Comment