aachaar sanhitaa 44 Anaamatno aachko 4 aadolan


From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609


  - ;આચાર  -    સંહીતા :-          44  ----

  - : અનામતનો   આચકો   :-        3  -----   આંદોલન .


     આંદોલન  ,  હડતાલ  , ઉપવાસ , બંધ  ,   વિ.વિ .  જેવા  એલાનો   એટલા   વ્યાપક  બની  ગયા  છે   કે  જાણે  કે    તે  એક સર્વ-માન્ય   બંધારણીય    મુળભુત  અધીકાર   ના   હોય  ?   આઝાદી પહેલાના  આદોલનો , સત્યાગ્રહો  ,  પિકેટીગ  , ઉપવાસ  વિ.વિ   ની  સરખામણી   આજના  આદોલનો  સાથે   થાય જ નહીં  -   એ  જંગ   વિદેશ્હીઓ   સામે   હતો  અને   આ જંગ   ?   આ  જંગ  એક   તીવ્ર    મહત્વાકાક્ષા  પરીપુર્ણ   કરવા  માટે    કેટલાક  અસંતોષી  પરીબળો એ  લીધેલો  માર્ગ  છે   જેમા  તેઓ  તેમના  નીજી સ્વાર્થ   માટે   ગમે   તેટલી  નીચી  કક્ષાએ   પણ   જયી   શકે  છે -  સાચા    જંગના  તો   નિયત થયેલા નિતિ  -  નિયમો હતા -  જે   પિતામહ  ભિષ્મ-પિતામહે  નક્કિ કરેલા  - પણ આજના  જંગમા  તો   યુધ્ધમા     બધુ   જ  જાયસ છે -    જે   કરો  તે  માન્ય -  કોઇ  મર્યાદા નહીં  -અને  સૌથી  વધારે  દુખદ બાબત તો  એ  છે  કે   આ  મહત્વાકાક્ષી   અને  અસંતોષી   જીવોની    જીજીવિષા   પૂર્ણ   કરવામા  તેમને  સાથ   આપનાર જે  પરીબળો  છે  તે  કયી   કક્ષાના   છે  તેની   તેમને જ ખબર  હોતી  નથી  અને પરીણામે   સમગ્ર   જંગનો  દોર   એવા  તત્વોના  હાથ્મા  જતો   રહે   છે   કે  જેની  કલ્પના   આયોજકોને પણ  નહીં  હોય . અને   હાથા  અને   હથીયાર  બની    જાય   છે  બાળકો ,વિદ્યાર્થીઓ    અને  સામાન્ય  પ્રજા-  અને  ભોગ  બને  પણ   તે   બાળકોનો   અને   વિદ્યાર્થિઓનો  અભ્યાસ અસમ્જુ  બાળ-માનસ   તો   માત્ર  રજા   પડશે -  તે પુરતા જ   ખુશ   થાય  છે  - તેમની   માનસીકતા   તેથીવિશેષ   નથી  -  અર્ધ સમજુ-  અર્ધ વિકસિત  માનસીકતા  ધરાવતા   ઉચ્ચ  અભ્યાસ  કરતા  વિદ્યાર્થીઓની    માનસીકતા   પણ  અપરિપકવ   હોય  છે  -   મફતમા  રજાઓ   મળશે  , મફતના ભાવે  પાસ   થયી    જવાશે -    અભ્યાસક્રમનુ  જે   થવાનુ  હોય  તે  થાય  -  શિક્ષકોને   પણ   મઝા  , -છોકરા  હોય  જ  નહીં કોને  ભણાવવાના ?   અભ્યાસક્રમ   પુરો  થાય કે   નહીં  -  અમે   શુ  કરીયે?    ભોગવવાનો  વારો કોનો  ?   તેમની  આ   અપરીપકવતાનો   ઉપયોગ   મહત્વાકાક્ષી તત્વો કરે  છે  -  કુમળી વયના  બાળકો અને  મજબુત યુવા  ધન  તેની   શક્તિ  ક્યા વાપરે   છે  તેની   તેમને   ખબર   જ   હોતી   નથી  - તેમને એ ખબર  હોતી જ  નથી   કે  તેઓ તો  માત્ર  હોળીનુ  નારીયેળ    બને  છે  -   યાદ   કરો   મહાગુજરાતની   ચળવળ ,  બાબુભાઇને   વી.સી.  તરીકે  નહીં    રાખવા  માટેનુ   આદોલન  ,  નવ-નિર્માણનૂ  આદોલન  ,   આમાં   વિદ્યાર્થીઓને  શુ  રસ  હતો  ?   કોને   કેવો  અને  કેટલો  રસ  હતો  તે  તો  આજે  બધા   જાણે   છે  -  કોણ  કેટલા  સમય  માટે નેતા  બની  ગયા   તે પણ   આજે    તે   કિતાબના  પાના  ખુલી ગયેલા  છે  -  ગોળીએ   કોણ  કોણ  વિધાયુ  ?  શુ   પામ્યા  ?  કોઇનો   લાડકવાયો    ગયો  -  શુ  મેળવ્યુ  ?
      લોકશાહીનુ   આ સબળ   પાસુ છે  કે  કમનસીબ   પાસુ   તે  વિચારવા માટે  કોઇને ફુરસદ   જ  નથી  -   આજકાલ    થતા   આદોલનોમા   તો   આવા   આદોલનો ના    આયોજકો  કરતા  પણ   એક વિશેષ     વર્ગ   આ  આદોલનોની   રાહ  જુવે  છે  -  જેમને   આયોજકો   જેવી  કોઇ  મહત્વાકાક્ષા  હોતી   જ   નથી  -  તેમ   માત્ર   અરાજકતા-અંધાધુધીમા  જ રસ  છે -  અને  અરાજકતા    ફેલાવીને -  અંધાધુધી   ફેલાવીને આ  તત્વો   ટોળાના   નામે  તોફાનો   કરીને  પોતાની  મનીષા  પુરી  કરી  લે   છે   અને કોઇની  નજરમા  પણ   જલદી   આવતા  નથી  -  જો   કે પ્રશાષનની    પાસે   આજકાલ  તો  આવા  તત્વોને   પકડવા   માટે   સાધનો છે  જ   -  પણ  તેનો   ઉપયોગ  કેમ  થતો   નથી ?  - પ્રશાસન   માત્ર  લાઠી   અને  ટિયરગેસ  -  અને     વધુમા  વધુ  ગોળીબાર  કરી   જાણે  છે -    દર્દ  ના     મુળ  સુધી  જવાની તકલીફ  લેતુ  નથી -  લાઠીચાર્જ   ,  ટીયર  ગેસ   કે   ગોળીબારનો  ભોગ  કોણ   બને   છે  ?  પ્રજા   એટલી   બધી  મુર્ખ   છે   કે  તેને  સમજ  નથી  પડતી  કે  તોડફોડ   નુકશાન  અને    લુટફાટ    કોણ   કરે  છે  ?    એક  વાત  સાથે    મારી   સાથે   સૌ  સંમત   થશે   જ   કે   આ  તોડફોડ   ,લુટફાટ  અને    જાહેર  મિલકતોને   નુકશાન    કરવામા     આદોલનના   આયોજકોનો     હાથ   હોઇ  શકે   નહીં  - તે   બાજુ  પર  રહી   જાય  છે ,તેમને  મદદ   કરવા  માટે  રસ્તા  ઉપર  ઉતરી  આવેલા  પૈકી જ મફતના   નવાણીયા   કુટાઇ  મરે  છે   અને   લાભ  -  ગેરલાભ તો  પેલુ  ત્રીજુ તત્ત્વ  જ મેળવીને   રફુચક્કર  થયી   જાય  છે  અને પ્રશાસન   ઢુઢતુ    રહી  જાય  છે  -  જો  કે  અહિ  એક  દ્વીધા  છે  - કેટલાક ,અતિ  ઉત્સાહી ,અતિ ચલાક, ઓવર  સ્માર્ટ   -કુટિલ  મુત્સદ્દી -  શાણા વિવેચકો  - જાહેરમા નહીં  આવવાનીશરતે--  એવુ   માને  છે કે    પ્રશાસનનેતેની  જાણ  હોય  જ છે ,તે  આ તત્વોને   પિછાણે   છે  , ઓળખે છે ,  જાણે  છે  અરે  તેનાથી પણ  આગળ  વધીને  તેમને  પ્રોત્સાહન  પણ  છને   ખુણે  આપે  છે  - પણ  આ   પછિ એવી   પળ   આવે  છે  કે   ત્યારે  આ તત્વો  તેમના  જ  કાબુમા રહેતા  નથી  -    ગારુડીનો  સાપ   ગારુડી  સામે  પણ   ફેણ    માડે  છે  - 
સભી  મસ્ત  હૈ   કોન  કિસકો   સંભાલે  --------
દોષારોપણ   પણ  કોના  ઉપર  કરવુ  ?
   સો   વાતની  એક  વાત -   નુકશાન   પ્રજાને   થાય છે -  સરકારી -  જાહેર  મિલકતોને  નુકશાન   થાય છે -   મુસાફરો   રઝળે   છે  - અધવચ્ચે  -  ટોળાથી  ડરી  જાય   છે  - છેલ્લા   આદોલનના   આયોજકો  જો  આ  સમજે  તો સારી  વાત  છે  -  અસલ   પાટીદાર  આવો   હિચકારો  ધંધો   ના  કરે  - લુટફાટ   ના    કરે -    સરદારને   વચ્ચે  લાવવાની  જરુર  નથી -   તે  સૌ  સવાયા  સરદાર છે -  સવાયા બનીને  નામ   ઉજાળો  - આ  રસ્તો સાચો નથી  આટલી  ધરખમ  બહુમતી છે ,  પૈસે   ટકે  , તમામ  રીતે   સુખી  સંપન્ન    છો  તેનો  ઉપયોગ યોગ્ય  રીતે કરીને   ઉકેલ  લાવવાનો   પ્રયત્ન   કેમ  કરવામા આવતો નથી  ?  પાટીદારો   ખાનગીમા    એકમતે   એમ સ્વિકારે  છે  કે   તેમને      અનામત       જે   સ્વરુપે  પ્રચલિત    છે  તે  સ્વરુપના   અનામતમા  કોઇ   એવો રસ  નથી     અને  જે  સ્વરુપે  તે  અનામત  માગે  છે  તેને  તો   દરેક વર્ગનો  ટેકો  છે  -  આ   એ  સ્વરુપ છે  કે  જ્યા   ક્ષમતા  ધરાવતો   વર્ગ તેના   પ્રાપ્તીસ્થાનને     પામી શકતો નથી -  ઉચ્ચ   ગુણવત્તા  અને  ઉચ્ચ  લાયકત અને   શૈક્ષણીક  ધોરણો    હોવા   છતા   પણ   તેના  કરતા    ઊતરતી  કક્ષાના ધોરણો  વાળા તેમનાથી  આગળ   નીકળી  જાય  છે  અને  આ   પરિસ્થિતિ    જાણે કે  વારસાગત   હોય  - વંશ  પઋ6પરાગત  હોય   તેવી  થયી  ગયી   છે અને  તેનાથી   જે  નુકશાન  થાય  છે  - આપણા સંતાનો નુ   મનોબળ તુટે  છે  તેનો વિરોધ પ્રદર્શિત    કરવાનો   છે  અને  તેનો  ઉકેલ  લાવવાનો છે  -  આપણા યુવકોની  પણ   હાલત  એવી જ કફોડી છે  કે   ક્ષમતા   ધરાવતા   હોવા  છતા   નોકરીઓ અને  બઢતીના  લાભથી    તે   વંચિત   રહે  છે  -  એવુ  નથી  કે   એમની વગ  નથી  - વગ વશીલો   બધુ તેમનીપાસે   છે અને  આજે  તો   આખો  સમાજ તેમનીસાથે જ  છે પણ માર્ગ  ખ્ટા રસ્તે  જતો  રહ્યો  છે કોઇ  દિશાસુચન   સાચુ  નથી  મળતુ  અને  તેનો  ગેરલાભ  બીજા  ઉઠાવી  ના  જાય તેની કાળજી   રાખવાની જરુર છે   - આટલુ   મજબુત   સંગઠન  ભેગુ કરવુ તે  નાની સુની  વાત નથી જ -  ભલે   તેનોયશ   આયોજકો  લે ભલે   મદદગારો  બાજુ પર   હહે પણ    મસાલેદાર  દુધપાકના  પાત્રમા   ક્યાક  લીંબુ   નીચોવાઇ   ગયુ    અને   સમગ્ર   મિષ્ટ   પાક  વગોવાઇ  ના   જાય  તેની  કાળજી  આયોજકો  અને  સાથેસાથે જ પ્રશાસને   પણ  લેવાની જરુર છે  ..ધાર્યા  કરતા  ઝડપથી  પરિસ્થિતિ   કાબુ  મા   આવેલી  જણાય છે તે  હવે  ડહોળાય  નહીં  તે   જોવાની   ,  જાળવવાની   ફરજ   સૌથી  પહેલી   પ્રશાસનની   અને    સૌથી   અગત્યની   ફરજ   માધ્યમો  ની   રહે  છે - -પ્રચાર  અને  પ્રસાર  માધ્યમો   પુનરાવર્તિત    ફોકસ  કરતા   પણ  સાચી  વાસ્તવિકતા  રજુ  કરે  તે   અગત્યનુ  છે  અને   આ   કામ  ત્રણેય   માધ્યમો  -મુદ્રણ  -  પ્રિંટ  મીડીયા  -દ્રષ્ય-  શ્રાવ્ય   મિડીયા  -ઇલેક્ટ્રોનિક  મિડિયા-  અને   સોસિયલ  મિડિયા  જો   એકજુત  થયીને   કરે  તો   મને   લાગે  છે  કે  આપણે   જંગ   જીતી જયીશુ   અંગારા   ઉપરની     રાખને   ફુકવાની   નથી  ઠારવાની  છે  અને  જંગ  વગર   યુધ્ધે   જિતાઇ જશે

ગુણવંત     પરીખ
4-9-15               આચાર  -  સંહીતા      44    ---   આદોલન  ----


From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609.




No comments:

Post a Comment