AASHIRVAD --- The Blessings --




From:-
Gunvant   R. Parikh
                  B.E.Civil.  , LL.B.
Executive  Engineer  ( R & B ) (Retd )  &
Hon. Adm .  Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal  cell
4 /  Mangal  park  society ,
Geeta mandir  road , B/H Post  office
Ahmedabad  -22  (  380022 )
T.No.  07925324676  ,  9408294609       11--11-15




                                     -: આશિર્વાદ :-


      આશીર્વાદ  એ  અંતરના   ઉમળકાનો  પ્રતિભાવ   છે  -  એનુ   મુલ્ય   ના  આકી શકાય  -  એ  અમુલ્ય  છે બન્ને   રીતે  -  અણમોલ  -કિમતી   રત્ન   છે  -  તેનુ   નાણાકિય  મુલ્ય   એક   બાજુ  શુન્ય  પણ  હોઇ  શકે   અને    બીજી    બાજુ   ધનના   ભંડાર  પણ   તૂણમુલ્ય  ગણાય  . શાસ્ત્રો   અને   શત્રોના   જમાનામા   પણ  આશિર્વાદનુ   મુલ્ય   સૌથી  શ્રેષ્ઠ    -  સર્વોચ્ચ   મનાતુ   હતુ  - તે  જમાનામા  આશીર્વાદ   પામનાર  અને   મેળવનારની   લાયકાત  પણ  નજરમા   રખાતી   હતી  અને   આશીર્વાદ   આપનાર  પણ  ખમતિધરો  હતા   જે   યોગ્યતાને   કદી    વિસારે  નહોતા   મુકતા  -તે   પોતાના   અશિર્વાદનુ   મુલ્ય   સારીરીતે  સમજતા    હતા.  મહાભારતના    યુદ્ધ    પ્રસંગે    યુવરાજ   દુર્યોધન   માતા  ગાંધારીજીના   આશીર્વાદ   લેવા  ગયો   ત્યારે   માતાએ   તેને  માત્ર   આયુષ્યમાન    ભવ  નો   આશીર્વાદ   આપ્યો -  પુત્રની   માગણી  છતા  પણ     વિજયી    ભવ     નો   આશીર્વાદ   નહોતો   આપ્યો  - તે   એક   મહાન   સન્નારિ  હતી -  માતા  પણ   હતી  - પણ  વિજયનુ મુલ્ય પણ  તે  સમજતી   હતી   પણ  સામે  છેડે   પુત્ર   હતો  અને  પુત્ર  પ્રેમ   જાળવવા   માટે  તેણે   પોતાની   જીદગીનુ   મહામુલુ    તપ  અને  તેનો  પ્રભાવ   દુર્યોધનને    આપવા  એક   પળ માટે  આખા  ઉપરની પટ્ટી   ખોલી નાખી  અને   દુર્યોધનને  અભેદ્ય  બનાવી  દેવો  હતો  -  પણ   રે   કમભાગ્ય  - દુર્યોધનએ   માતાની  સુચના  આદેશ  ના  માન્યો  -અને   એક   મેખ    રહી  ગયી   જે  તેના   માટે    જિવલેણ  સાબિત    થયી -  કહેવાય   છે કે   
ગહના   કર્મણો  ગતિ   .....
વિધાતાના   લેખ  કેમ   મિથ્યા  થાય  ?
માતા   તેના  પુત્રની  ગતિ વિધિથી    સારી  રીતે પરિચિત હતી  - પુત્ર  પ્રેમ   જાળવ્યો  પણ   ખોટા  આશીર્વાદ તો   ના   જ આપ્યા-
તે   જ   ગાળાની  બીજી   એક   ઘટના   પણ   ધ્યાન   દોરવા   જેવી   છે  -   ગુરુ   દ્રોણાચાર્યે  તેમના   શિષ્ય   અર્જુનને    સર્વષ્રેષ્ઠ      ધનુર્ધરનૂ    વરદાન   આપેલુ  - અર્જુન   ખરેખર    શ્રેષ્ઠ   હતો  પણ   તેના   સમોવડીયા   પણ   હતા  અને  તેના   કરતા  અધિક સમર્થ   પણ  કોઇ   હતા  -પણ   પોતાના    વરદાનને  -  આશિર્વાદને  સાચો   સાબિત  કરવા   માટે તેમણે  પોતે  એક  અન્યાય   કર્યો અને  અર્જુન  કરતા  ય   વધારે    ક્ષમતા  ધરાવનાર   બાણાવળી    એકલવ્યનો જમણા  હાથનો  અંગુઠો    દક્ષીણામા    માગી   લીધો  - એક    બાજુ   પોતાનુ વરદાન  -  આશીર્વાદ   સાચા   ઠેરવવા  માટે  ગુરુનો  પ્રયાસ  અને  બીજી   બાજુ   ગુરુની   આજ્ઞાનુ   પાલન  કરનાર   એકલવ્ય  -  અલબત્ત  એકલવ્ય  જ  શ્રેષ્ઠતાનો   પદક   જીતી  જાય  -    દ્રોણના     માથે  એક   કાળી  ટીલી  રહી   સદાને  માટે -  કર્ણને   વિદ્યા   નહીં   આપવાનુ  ક્રુત્ય  પણ   યોગ્ય  નહોતુ  -  જો કે  કર્ણ   કમનસીબ હતો   -અર્જુન   કરતા   સવાયો    સફળ  બાણાવળી  હતો   -પણ  -ગુરુ પરશુરામના   અભિશાપનો તે  ભોગ  બની   ગયો   અને  છેવટે    અર્જુન   જ   સર્વશ્રેષ્ઠ    સાબીત થયો  - ભલે    તે   ત્રીજા   સ્થાંને    હોય  - પહેલુ  સ્થાન તો  એકલવ્યનુ   જ રહેશે  -  બિજા સ્થાને    કર્ણ   આવે   - એ બન્ન્ને   નહીં   રહેતા   પહેલુ  સ્થાન   અર્જુનને મળે  છે -  માત્ર  ગુરુના  અશીર્વાદ થી .  ગુરુની ઇચ્છા  મુજબ- તે  જમાનામા   આવો  પક્ષપાત  ભાગ્યે  જ  થતો  હતો  -  જ્યારે આજે   તો -  દરેક  ક્ષેત્રમા  આવો   પક્ષપાત  છે અધ્યાપન  ક્ષેત્ર પહેલુ  આવે.

           આ   સમય   તો   વિતી  ગયો  -તેની  તો  માત્ર  યાદો  રહી  - પણ  આજે   શુ   છે  ?  આજે  હજુ   પણ   પ્રણાલીકા   અને  પરંપરા  તો  જળવાય  છે   -  આશીર્વાદ  લેવાની-આપવાની  પણ   તેમા  અંતરનો  ઉમળકો    ભાગ્યેજ   જોવા  મળે   છે  -  માત્ર   દંભ  અને  ઔપચારિકતા જ  દેખાય  છે -  સામાન્ય  રીતે   લગ્ન  સંપન્ન  થાય   પછી  વડીલોના  આશીર્વાદ  લેવાની  પ્રણાલી   છે  -  સારી  પ્રણાલી  છે  -  પણ આજે   તે  પ્રણાલી  એક    વ્યવહાર   લેવડ  દેવડનો   વ્યવહાર  બની   ગયેલ  છે -  વર ની   માતા  અમુક   પસંદ  કરેલ  વ્યક્તિઓપાસે   નવદંપતિને    લયી   જાયા  છે  -  સાથેએક  વ્યક્તિ  નોટબુક   સાથે  આવે   અને કોણ  કેટલા     પગે  પડ્યા ના    આપે   છે   તેના ઉપર જનજર  રહે  છે -  કેટલાક    ચાલાક    સ્વજનો  આ  વિધિ   ચાલુ થાય   એટલે   આઘાપાછા    પણ થયી   જતા   હોય  છે -  ટુકમા  સ્વજન  -  વડીલ  આશીર્વાદ   શુ   આપે   છે  તે  અગત્યનુનથી  કેટલી રકમ  આપે  છે  તે   મુજબ   આશિર્વાદનુ મ્યુલ્ય  અંકાય  છે .

       સામાન્યરીતે   મહીલા   માટેનો   શ્રેષ્ઠ   આશીર્વાદ   તે      અખંડ  સૌભાગ્યવતી    ભવ    અથવા  તો  બીજા  ક્રમે  પુત્રવતી   ભવ    ગણાતો  હતો . પણ    આજે  પરીસ્થિતિ    બદલાઇ  ગયેલ છે  .કેટલીક   શિક્ષિત  -  વ્યવસાયીક  મહીલાને   આ   આશીર્વાદ   ગમતો  નથી  -  આ  કેવો   આશીર્વાદ  જેમા   બે   પૈસા    આપવાના   તો  બાજુ  પર   રહ્યા  - ઉપરથી   પતિ  કરતા    વહેલા    મરવાનુ ?  અમે   એવો   શો  ગુનો  કર્યો  છે  કે  અમારે અમારા  પતિ  કરતા  પહેલા મારી   નાખવાના   આશીર્વાદ  અપાય  છે  ?  શુ  અમે કુટુબનુ  ભરણપોષણ   નથી   કરતા ?   આખો    દિવસ  વૈતરુ  પણ   કરીયે ,  પગાર  પણ   લાવીયે  અને  મરવાનુ  પહેલા  અમારે ?અમારી પણ  કારકિર્દી   છે  -એક   ઉચ્ચ  શિક્ષિત   મહીલાને  તેના   જન્મ  દિવસે  -એક   વડીલે   અખંડ   સૌભાગ્યવતિના   આશીર્વાદ    આપ્યા  -પણ      મેડમ  નુ ટિચકુ ચઢી  ગયુ  - આશીર્વાદ   આપનાર  સ્વજનને   પણ   ખ્યાલ  તો   આવી  ગયો   કે   વહુને   આ  આશીર્વાદ    ગમ્યો  નથી  - એટલે  બીજા પ્રસંગે   ઉદાર  બનીને  વહુને  આશીર્વાદ    પસંદગીના  વિકલ્પ   આપ્યા  પહેલા     વિકલ્પમા     અખંડ   સૌભાગ્યવતિ  ભવ    બીજા   વિકલ્પમા     પુત્રવતી  ભવ     ત્રીજા વિકલ્પમા    સંપત્તિવાન ભવ    ચોથા  વિકલ્પમા     તેમણે      પ્રતિષ્ઠાવાન   ભવ      -    ચાર   વિકલ્પમાથી    ક્રમ  પસંદ  કરો   -    વહુએ    પસંદ   કર્યો    સૌથી  પહેલા   ક્રમે  -    ત્રીજો વિકલ્પ -  સંપત્તિવાન    ભવ   -   માગ્યો    તે   પછીના ક્રમે    પ્રતિષ્ઠાવાન   ભવ   ,  ત્રિજા  ક્રમે   પુત્ર્વતી  ભવ   અને   છેલ્લા  ક્રમે  અખંડ  સૌભાગ્યવતી ભવ  -ની    પસંદગી    આપી   - બહેન  ચાલાક  અને  સ્પષ્ટ   વક્તા   પણ  હતા  -  તેમણે  ચોખવત  પણ  કરી   - સંપત્તી   હશે   તો   પ્રતિષ્ઠા   આપમેળે  આવી   જશે   -    ત્યા  સુધી    નુર   ગુમાવીને  પુત્રવતી  ભવ   થવુ   સારુ   નહીં  - અને   આ    જમાનો  તો   સમાનતાનો છે  નર  અને   નારી  બન્ને સમોવડિયા  છે  - પુત્રની   માફક   જ  અમે  પણ   કામ   કરીયે  છિયે,નોકરી  ધંધો  વ્યવસાય  પણ   અરીયે   છ્યે  માત્ર   ચુલો   કે  બાળ ઉછેર     એ જ અમારો  ધંધો  નથી  - શામાટે  અમારે   માટે  પતિ   કરતા   પહેલા   મરવાનુ   ?   મેડમની   તાર્કીક દલીલ સામે  કોઇ  જવાબ  નથી  . પૈસો  અને  સંપત્તિ  તેની  સરખામણીમા   અન્ય   આવી  શકે   જ  નહીં  -  સંપત્તિ   અને   પ્રટિષ્ઠા  માટે  તે  ગમે   તે   હદે  પણ   કદાચ   જયી શકે   છે  -   એક   વરવુ  પણ   કડવુ  સત્ય  -  જ્યા   એક અતિ  સુશિક્ષિત મોટો  પગાર    મેળવતી   અને    સંપત્તિ  ધરાવતી   મહીલા  એ   એક   સ્થાવર  મિલકત   પોતાના  નામે  કરાવીલેવા  માટે  એના   પિતા  સમકક્ષ   વ્યક્તિ   ઉપર   આરોપ  મુક્યો કે    તે  તેની   પાસે  અઘટિત   માગણી  કરે   છે   - બાપના   જ  ઘરમા  રહીને  -  બાપનુ  જ  ઘર  પડાવી  લેવા  - આ  ત્રાટક  - નાટક  -નૌટંકી  -બ્લેક મેલીગ  -  એકવીસમી    સદીની   આ  દેન  છે  - બોલો   - કોણે  કોનાથી  ડરવાનુ  ?  અખંડ--  સૌભાગ્યવતિનો    આશીર્વાદ  તેમને    મંજુર   નથી  -પસંદ   પણ   નથી  -  સંપત્તિ     આપો  જેનુ   કોઇ  મુલ્ય   હોય  - ઠાલા  શબ્દોના  આશિર્વાદની   અમારે   જરુર   નથી  -  અમારા    જન્મ  દિવસે   પણ  અમારી   પાસે  હજારો   રુપિયાની    ભેટ   સોગાદો    આવે  છે  -    ગણ્યા   ગણાય  નહીં  તેટલા   પેકેટો     આવે   છે   -  ત્યા      ઠાલા   શાબ્દીક     આશિર્વાદનુ    મુલ્ય શુ  ?  એમનુ    ચાલે   તો   -  અને   ના   ચાલે   તો   પણ   મનથી  તો   કહી  જ  દિ   છે   કે  -ના   આવવુ  હોયતો   ના   આવશો  -  ખોટી   ડીશ   બગાડવાની   જરુર  નથી  -  અમારી  એક  ડિશ     150-200  ની  પડે  છે.

         આશીર્વાદ  ની   સાથે  જ   અભીશાપ  પણ   નજર-અંદાજ   કરી  શકાય  નહીં  -   વગર   શબ્દો  એ  પણ   જો   કોઇ  ગરીબની    હાય  ની   બદ-દુઆ   એક    માત્ર   તેના  ઉના   નિશ્વાસથી   પણ   જો  નિકળી  જાય તો   એ  બદ-દુઆમા  એટલી    તાકાત   છે   કે તેની  આગમા  લોખંડ   પણ   વરાળ  બનીને    ઉડી   જાય 

જલાકર   રાખ   કર    દેગી   વો   બદ-દુઆ  ,  અગર   જો   દિલસે   નીકલેગી   ------
કોઇની   દુઆ   મળે   તો   લેજો  ,     હક્ક   જણાય તો   માગજો   પણ   ખરા  - 

પણ  ના  મળે  તો   દુરાગ્રહ    ના   સેવશો  - પણ   કદી  કોઇની    આતરડી   એવી   ના   કકળાવશો   કે   એના   દિલથી   એક   હાય  નીકળી   જાય  ..-  ભલે   ત્યા   શબ્દ   નથી   -   શાપ   નથી   - અભીશાપ પણ  નથી  -   પણ   એ  એક  એવુ  અમોઘ    શસ્ત્ર   છે  કે    જેનો વિકલ્પ   નથી 


Just   remember  :   Even  LORD   KRISHNA  :  couldnot   save  his   community   from   the   curse   of   Devi  Gandhaari   : Be   prepared    for   the  end   of Yaadav  Kul   just   like   my   kaurav  Kul   and   ended    the  ERA   of  KRISHNAVATAR  .


ગુણવંત   પરીખ 
21-11-15

No comments:

Post a Comment