ashirvaad ek aalochanaa



From:-
Gunvant   R. Parikh
                  B.E.Civil.  , LL.B.
Executive  Engineer  ( R & B ) (Retd )  &
Hon. Adm .  Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal  cell
4 /  Mangal  park  society ,
Geeta mandir  road , B/H Post  office
Ahmedabad  -22  (  380022 )
T.No.  07925324676  ,  9408294609       1-1015




          - :   આશીર્વાદ   -  એક   આલોચના  :- 

        હુ   કોઇ   સિધ્ધહસ્ત   લેખક   નથી  ,  કથાકાર  નથી , વાર્તાકાર   નથી , નવલકથાકાર  કે   નવલિકાકાર  પણ   નથી  ,  ના   તો   હુ  કોઇ વિવેચક છુ કે  ના  તો    કોઇ   ટીકાકાર   કે   આલોચક ,  ના  તો  કોઇ  સ્ક્રિપ્ટ   રાઇટર  કે   કોઇ  સીરીયલ  કે  ચલચિત્રનો   સંવાદ   લેખક  છુ -  પણ   એક   બાબત  સર્વમાન્ય   છે :  કોઇ  પણ   લેખક  , કથાકાર ,  વાર્તાકાર  ,  નવલીકાકાર  કે  નવલક્થાકાર   કે   કોઇ   સીરીયલ  કે    ચલચિત્રનો   રાઇટર   હોય  :  તે  જે   પણ   કથા  વસ્તુ રજુ કરે  છે  તેમા   વ્યક્તિનુ  ,   કુટુબનુ  , સમાજનુ , રાજ્ય   કે   રાષ્ટ્રનુ  એક  ચિત્ર   હોય   છે -  અને   તે ચિત્રને   એક    રંગરોગાન  કરીને   સમાજ સમક્ષ   મુકવામા   આવે  છે  -

    જેમ   કે  સત્યજીત રે  ના  ચલચિત્રો :   ભારતની  ગરીબાઇ  રજુ   કરતા  હોય છે  -  તે  નરી  વાસ્તવિકતા છે આલોચકો  તેમને   યોગ્ય   લાગે  તે   આલોચના કરી   શકે  છે અમીયા   ચક્રવર્તીએ   દાગ  નુ  નિર્માણ  કર્યુ ,મહેબુબખાને   મધર  ઇંડીયાનુ   નિર્માણ  કર્યુ ,  : એકલા   દારુડીયાને   બતાવવાથી જકે   એકલા સુખી લાલાને  બતાવવાથી જ   નિર્માણ   લોકભોગ્ય  નથી  બનતુ-  તેને   મઠારવુ  પડે  છે ,  બાળ   વિવાહ  માટે   બાલીકા  વધુનુ   સર્જન   માત્ર   બે  ચાર  બાળ  લગ્નોથી જ   પુરુ   ના  થયી  શકે  -   લોકભોગ્યતા પણ   જોવી પડે  અને   આપણે તે  જોઇયે  પણ  છિયે  જગીયા  અને  આનદી   સાથે   કેટલા  બધા   પાત્રો  આવી   ગયા  ?  વાસ્તવિકતાની  સાથે સાથે  કોઇ   વાર  કલ્પનાના   રંગ   પણ  પુરવા  પડે  -  આલોચના  કરનારે  તે  તથ્ય   ભુલવુ   જોઇયે  નહીં -  કે   લેખ   લખાણ  કે  કથા   કે   વાર્તાનુ  હાર્દ   શુ   છે  - લેખંકનો  સ્વાનુભવ  ,  સમાજનુ   ચિત્ર ,  વાસ્તવિકતા  ,વિ.વિ.  જેવા  અનેકાનેક  પાસાઓને    નજરમા  રાખીને પછિ જ  આલોચના   કરી   શકાય-  માત્ર બેસતી  પાઘડી    પહેરી  લયીને  નિર્ણય લેવાય  નહીં  અને જો  એ  રીતે    બેસતી પાઘડી    પહેરીને જ  અનુમાન   લગાવો તો   માની લેવુ  પડે   કે  આ  તો   ચોરની દાઢીમા   તિનકુ    પકડાઇ  ગયુ   છે  -લેખકનો   ઇરાદો  ગમે   તે  હોય  - તેણે  તો   પાના   ફેક્યા -   બાજી   લેવી   અને રમવી  તે  તમારા  હાથમા   છે  -

    ગત   દશકની  વાત   છે  -  સહકારી   બેંકો    તુટી  ગયેલીત્યારે    ઘણા   વયસ્કોની   હાલત  એકદમ   કફોડી   બની  ગયેલી  -   કોઇ  સંતાનના  સંયુક્ત   નામે  રાખેલી   ડિપોઝીટો    ડુબવાના   આરે   હતી  - સંયુક્ત   નામ  વાળા  સંતાને    બાપને   જણાવી  દીધુ  :  હવે   રસીદના   નાણા   તો  મને   મળશે  નહીં   - હવે   તમે    બિજા ભાઇ   સાથે  જાવ   -  બીજા ભાઇ  એ   કહ્યુ  -નામ  તો    નાનાનુ  હતુ    -તે  જ તમોને  પાલવશે  -  ત્રીજા  કીસ્સામા   માબાપને    બન્ને  ભાઇઓએ    વહેચી  લીધા   -  એક   માને  રાખે  તો    બીજો   બાપને   રાખે   -  ચોથા કીસ્સામા     મા-બાપના   વારા    નીકળ્યા   -  આ   વાસ્તવિકતા  અમે  લખાણ  દ્વારા  દરેક  જગાએ    કરેલી    અને   અમારી  સાથે  કામ  કરનાર   એક   વકીલ   સહકાર્યકરે   આ લખાણ   વાચીને  મને   જણાવેલ  કે    બાગબાન   ની   સ્ક્રિપ્ટ    તમે   મોકલેલી  ?  મને    પિક્ચર    જોવા   તો   ખુબ  ગમે   -  પણ   એક  બંધન  હતુ   -અને  હુ  કોઇ   પિક્ચર  થીયેટરમા   જોઇ   શકુ   નહીં   તેવી બાધા  હતી  - એટલે  બાગબાન  મે  જોયેલુ  નહીં   -   પણ   ટી. વી   ઉપર   જોયા પછી   મને   પણ   લાગ્યુ કે  ભણેલા   ગણેલા , સધ્ધર ,સુખી  સંપન્ન    કુટુબોની પણ   આજ   હાલત  છે  -મે   આર્થીક   પછાત  કુટુબોનુ   ચિત્ર  રજુ   કરેલુ  અને   એવુ  જ   - એ  જ    મતલબનુ   ચિત્ર   સધ્ધર  ,  સુખી  સંપન્ન   કુટુબનુ   પણ   હશે   તેવી   મારી  કલ્પના  પણ   નહોતી-  પણ   આજે   એ  વાસ્તવિકતા   સહજ   ભાવે  સ્વીકારવી  પડે  - કદાચ   એમ   કહુ  કે   આર્થીક  પછત   વર્ગ   એટલી હદે    નીચો નથી  ગયો  જેટલી  હદે   સાધન  -  સંપન્ન  વર્ગ  નીચો   ગયો  છે -  કોઇ   ગરીબ  - આર્થીક  પછાત વર્ગ ના    સતાને   માત્ર   વારસા   ખાતર  કે    ઘર  - જમીન  કે  પૈસા  ખાતર  માબાપની  હત્યાની કલ્પ્ના  કરી હોય  તેવુ   જોયુ  જાણ્યુ  નથી  -  પણ   સધ્ધર   અને  સમ્રુધ્ધ કુટુબોમા    આવુ   સહજ ભાવે  બને   છે  ચેતન  આનદ   અને   પ્રિયા  તેનુ   ઉદાહરણ   છે   અને   આવા  ઉદાહરણો  શોધવા  જવા  પડે  તેમ  નથી -    વારવાર  ચમકતા   રહે  છેકોઇ   એક  વ્રુધ્ધ   એકાકિ   મહીલાની  મિલકતના   વીલ   બાબત     એક   આવો    કાનુની જગ   દુખદ   ગણી  શકાય  તેવો   અનુભવ્યો  -પણ   શુ   થાય ?  અને   ભણેલ   ગણેલ  સાધન   સપન્ન   લોકો   તો   છડેચોક   એમ  કહે  છે   કે   જગ મા   તો   બધૂ  જાયસ   કહેવાય-  ગમે  તે  ક્રો  -  ફાવે   તેવા  આક્ષેપો   કરો  ,   જુઠ્ઠાણા ચલાવો,   આખરી  ધ્યેય  જંગ   જીતો 

      આવા    જમાનામા  પેલા   સવેદનશીલ   કાબુલીવાલા   જેવો   માણસ   ક્યા   ટકે  ?એ   તો     આજે   મીનીને  તે  ઓળખતો હતો  તે  મીની   તો   બદલાઇ    ચુકી   હતી  લગ્નના  માડવે હતી  - લગ્ન   શીવજીનુ   હોય , શકરીનુ   હોય   કે   મીનિનુ   હોય  -ત્રણ્રેય   કીસ્સાઓ    વાર્તા   જછે  -  એક    પૌરાણીક  ,  એક   આધુનીક  ,  અને   એક   ચીત્રીકરણની  -  પણ   છે તો  માત્ર   વાર્તા-  પણ  શુ  વાસ્તવીકતા    ચુપાવી   શકાશે ?    કાબુલીવાલા   માટે  તો  મીનીનો   બાપ   અત્યત   સવેદન શીલ     દર્શાવ્યો  -  પણ   આજે   કોઇ    બાપ  એવો   નીકળે   ?   રાત   ગયી   -   વાત  ગયી  = એ   તો અમારી   મીની   હતી જ   એવી  રુપાળી    કે દરેકને  ગમી  જાય દરેક  એને  રમાડે-એથી    દરેકને   મીનીનો   બાપ  ઓછા   યાદ  રાખે?   આજે   જેનીજરુર  છે  તે  જ  માથા  ઉપર  -  બાકી  બધા  કથીત એમ   કહેવાય   છે   કે   બાળપણના   સસ્કાર   લાબા   સમય  સુધી   જીવંત રહે  છે આ    ખોટુ  તો   નથી જ  -  પણ  જો  કોઇ    શિક્ષક   ડસ્ટર   લયીને    ઘસી   ઘસીને   ભુસીને   નવુ   ચિત્ર  મુકવા  ઉત્સુક હોય   તો  કોઇ   શુ  કરી   શકે  ?   યાદ   કરો   એ  મોડેલ  શોધતા   ચિત્રકારને  જેને   રામ  ના   ચિત્ર   માટે   મોડેલની  જરુર   હતી  -  અને   એક   દિવસ  એક  અતિ   સૌમ્ય ,  નિખાલષ  ,બાળક  એની  નજરે  ચઢ્યો   -  અને  ખરેખર   તે   રામ  માટે   યોગ્ય   હતો  અને   ચિત્ર  પણ   સારુ  બન્યુ  -   સમય ગયો અને એ જ   ચિત્રકારને   હવે  રાવણનુ   ચિત્ર  બનાવવુ હતુ   અને  તે  માટે તે  મોડેલ    શોધતો  હતો  અને નસીબે કે કમનસીબે   પણ   એ જ ગામમા     આવી   ચઢ્યો  જ્યાથી  તેને  રામનુ   મોડેલ  મળેલુ    અને   તેના સદભાગ્યે   તેને  રાવણનુ  મોડેલ  પણ   અહીયા  જ    મળી   ગયુ    ચીત્રકાર   માટે  એક   દુ:ખદ   આશ્ચર્ય    સર્જાયુ  -  જ્યારે   મોડેલે    ચિત્રકારને  કહ્યુ  કે    એક  દિવસ આ અગાઉ પણ  તમે   મારુ જ  ચિત્ર  બનાવેલ .

અહો   વૈચીત્ર્યમ ------

સુર   બદલે   કૈસે  કૈસે   દેખો  ,  કિસ્મતકી   શહનાઇ  ----

      કથા  , વાર્તા  , પૌરાણીક  વાતો , પંચતત્ર  , સીરીયલો, ચલચીત્રો   વિ.વિ.  જેવા   અન્યથા    માધ્યમો  : જે   પણ  કૈ   રજુ   કરે   છે   તેનીપાછળ    કોઇ  ને  કોઇ   વાસ્તવિકતા  છુપાયેલી  હોય જ   છે  કમસે કમ કોઇ  માર્ગદર્શન   પણ   હોય   છે  પણ   તે   ગ્રહણ  કરનારની  ક્ષમતા   ઉપર  આધારિત  છે  - બેસતી   પાઘડી   પહેરી   લેવી  - પહેરો  -  પણ   સારા  વસ્ત્રાભુષણ થી   શોભતી   પહેરો -   શામાટે   દાઢી   ઉપર  તિનકા    શોધો  છો  ? 

એક   જમાના   થા   વો   પલભર , હમસે   રહે   ના   દૂર  ,
એક   જમાના  યે    ભી   હુએ   હૈ   મિલનેસે    મજબુર  ,……

ગહના   કર્મણો   ગતિ   ----  

દાઉદભાઇ  ,  જીતુભાઇ ,  મહેંદ્રભાઇ   વિ.વિ.   જેવા  કેટલાક  સમર્થ  પ્રેરણાસ્ત્રોત્રો   જરુરી    આલોચના  , સમાલોચના  અને  જરુર   લાગે   તો  ટીકા   પણ   કરીને    વાસ્તવિકતાને    પ્રમાણિત     કરે   છે  રામનુ   મોડેલ જ   રાવણમા   પરિવર્તિત    જો    થયી  જતુ   હોય   તો  તે  વાસ્તવિકતા પણ   સ્વિકારવી  જ  પડે 

રહતે  થે  કભી  જીનકે   દીલમે  ,હમ   જાનસે  ભી  પ્યારોકી   તરહ  ,
બૈઠે હૈ  ઉંન્હીકે   કુચેમે  હમ , આજ  ગુનેહગારોકી   તરહ


ગુણવંત   પરીખ
25-11-15 
દેવ- દિવાળી 

No comments:

Post a Comment