vishvyudhdh 6


From:- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609


        - :  વિશ્વ -  - યુદ્ધ  :-        6 

          હાર અને  જીત    એ  યુદ્ધના   બે અનિવાર્ય પાસા   છે  _  એકની જીત   એ  બીજાની હાર   છે  -  અને    યુદ્ધમાં   હાર અને  જીત  માટે  કોઈને કોઈ પ્રકારની   વ્યૂહરચના   જ  ભાગ  ભ જાવતી  હોય  છે  . પાણી પતનું પહેલું  યુદ્ધ  - બાબર    અને  લોદી   વચ્ચે થયેલું  તેમાં  લોદી  પાસે મોટું લશ્કર  હતું - લગભગ      લાખ સૈનિકોના    લશ્કર   સામે  બાબર    પાસે  માત્ર   દશ   હજાર  જ  સૈનિકો  હતા   - અને છતાં   બાબર જીતી  ગયેલો -  કેમ ?  બાબરની વ્યૂહ  રચના  ની     સામે  લોદી ખૂબ   કાચો  પડેલો -  તેના   લશ્કરમાં   શિસ્ત  નહોતી  -  એકતા   નહોતી  - દરેક સૈનિક પોતાની  જાતને સેનાપતિ  સમજતો હતો  -   કોઈ કોઈની  વાત - સૂચન  કે સલાહ  - હુકમ તો  બાજુ  પર  રહ્યો -  માનતા   નહોતા  - પોતાની  જાતને  દરેક  બિસ્માર્ક   સમજતા   હતા   જ્યારે  સામે છેડે   બાબરાનું  સૈન્ય  આજ્ઞાકિંત   હતું ,  શિસ્તબદ્ધ હતું -  બાબર    પાસે  જ નહીં તમામ સૈનિકો  અવેર   અને  આયોજન    સારીરીતે   સમજતા   હતા -અને   કોઈ  ચડસાચડસી    નહોતી - જો કે  હથિયારોનો પણ  ફેર પડે -  પણ તેના   કરતા  વધુ   અસરકારક   મુદ્દાએ   અવેર , આયોજન  અને   શિસ્તના  હતા.  એવું  જ  એક યુદ્ધ   -  સિદ્ધરાજ   જયસિંહ    અને  રા-ખેંગાર    વચ્ચેનું  હતું - રા ખેંગાર  સબળ  હતો , બાહોશ  પણ હતો , અવેર  આયોજન  બધું હતું  - શિસ્તબદ્ધ  સેના   હતી  -  પણ  એ   હાર્યો તેના   બે  ગદ્દાર   ભાણાંઓની   ગદ્દારીથી  - દેશળ  ને  વિશાલે  જો અ ણીવખતે   કોટના    દરવાજા   ખોલી  ના    તો  સિદ્ધરાજની  તાકાત નહોતી  કે  તે  રા-ખેંગારને  હરાવી  શકે -  દગો અને  કપટ  એ પણ  હારજીત  માટેનું એક  પરિબળ   છે  -અમીચંદ   જેવા   ગળળારે  ક્લાઈવને  મદદ  ના   કરી  હોત  તો   કદાચ  ઇતિહાસ  જુદો  હોત -  રણમોરચા   જેવા   જ  મોરચા    આજના   લોકશાહીના   જમાનામાં   પણ  એટલા    જ  મજબૂત  છે  -  કુંડ   -કપટ -  કાવાદાવા-   કાવતરા -ગદ્દારી   - જેને  આજની    ભાષામાં કહે  છે  પક્ષ  પલ્ટા  -   લોકશાહીનું એક  અગત્યનું પરિબળ  છે  પક્ષ પલ્ટા - 
ભવસાગરમાં    વિશ્વાસે   જ્યાં   તરતી  નૈયા   ડૂબતી 
કોણ   પારકું  કોણ   પોતીકું , માનવ ના   પરખાયા  --
      સિઝરનો  અંગત   મિત્ર -  ખાસ  માણસ  - વિશ્વાસુ  -  બ્રુટસ -   જ્યારે   બ્રુટ્સે   જ   સૌથી પહેલું  હથિયાર  સીઝરની  સામે  ઉગામ્યું   ત્યારે  સીઝર  -  બાહોશ - લડાયક - આક્રમકઃ -  કાબેલ  - શક્તિશાળી   -  વ્યૂહબાજ   અને  બીજા   અનેક    વિશેષણો  પણ  ઉમેરી  શકાય   - તે  સીઝર   પળમાં     ભાગી પડ્યો -  વિશ્વયુદ્ધનો  વિજેતા   ચર્ચિલ  -  વિશ્વયુદ્ધની  જીતનો  સાચો  હક્કદાર   - આંગણે    ચૂંટણી   હારી  ગયો  -  કોઈને કલ્પના   પણ  નહોતી  કે    ચર્ચિલ   હારશે  - પારકી  લોકશાહીની ક્યાં   વાત  કરાવી  -  આપણી   જ વાત  કરો  -  ગુજરાત  - માધવસિંહની    સરકાર  - વિધાનસભામાં   ધરખમ  બહુમતી   હતી  -જો  હું   ભુલાતો  ના   હોઉં   તો  182    માંથી   144     તેમના હતા   અને  છતાં   ગાડી  ગુમાવવી  પડી  - કેમ ? વિશ્લેષણ જરૂરી  નાથી   લાગતું    -  અરે  આ   રીતે    બે  ત્રણ દશકા    પા છળ  જવાની  પણ   જરૂર  નથી  - આજની  જ   વાત  કરો  - આજે  શું  ચાલે  છે ?  આ   મહાન   "યોદ્ધાઓ "   ને  ખબર  જ  ના   પડી  કે  બકરી   કાઢતા   ઉંટ   પેસી  ગયું  -  અને તેમાં   તેમના   આ    " રમખાને   "  આખા   રાજ્યની હાલત   કફોડી  કરી  દીધી  -  સમગ્ર  દેશમાં     જે ગુજરાત  મોડેલનું     ઉંચુ  નામ  હતું તે  ધીમે  ધીમે   ધોવાતું  ગયું   -  લાલજી   મહારાજની    કંપનીને  ભાવતું  ભોજન  મળી  ગયું -  ગુજરાતના   નામ  પર  એ    દિલ્હી કબજે કરવા   કટિબદ્ધ  થાય   છે -  તેમાંય      પાછું નાનું    " દિલ્હી "  -  બટકબોલું    " દિલ્હી "  -ઘર  સાંભળવાને  બદલે     બીજાના  ઘર  જોવા   નીકળી   પડે  છે  -  આ    પણ   એક  પ્રકારની  વ્યૂહરચના     છે - હજુ  તો  એમ   જણાય  છે  કે  એકલવીર  થાક્યો  નથી  -  પણ  ભલભલા   વીરો  પણ  થાકી   જાય , ત્રાસી।  જાય  અને  કદાચ     ઘરના  ગદ્દારોથી     હારી  પણ  જાય   -  હાર  હોય  કે  જીત હોય -  બંને  સાથે જ   ચાલે   છે  - એક  નદીના  બે    કિનારા છે - જીતાનું શ્રેય અને  હારના  કારણોનું   પોસ્ટ મોર્ટમ  થાય  જ   - પણ   આ   ફકરો  સ્પષ્ટ    પાને  જણાવે   છે  કે   બહારના  દુશ્મનને   પહોંચવું   સહેલું  છે -  સારું  છે  -  ખુલ્લી  લડાઈ છે  -  પણ  ઘરના    ગદ્દારને પહોંચવું  મુશ્કેલ  છે  - તે  ક્યારે  પીઠમાં   છરો  ભોંકાશે    કહી   શકાય   નહીં   - બ્રુટસની  જેમ   હસતા   હસતા  -  મિત્ર   ભાવે ખંજર    હુલાવી    દેશે - 
 
     જ્યાં  પણ  " યુદ્ધ  " ના   મંડાણ   મંડાયેલ    હોય    ત્યાં   દરેકને આ     પડે  છે -   રાજકીય  ક્ષેત્રે -   વ્યાપારિક  ક્ષેત્રે  -   ઔદ્યોગિક ક્ષેત્રે -   અરે   કૌટુંબિક ક્ષેત્રે  પણ  -જ્યા  -   હરીફાઈ છે - પડાવી  લેવાની  વૃત્તિ   છે  - અહંકાર   છે -  મિથ્યાઅભિમાન  છે -    લાલચ અને  લોભ  છે - પોતાની  જાતને  જ   સર્વજ્ઞ   સમાજે  છે     તે  તો  એમ   જ  સમાજે   છે  કે  તે  કરે  છે  કહે  છે  તે  બીજા   સમજતા જ  નથી      બીજા બધા   મૂર્ખ  છે  અને  તે  પોતે  જ  હોશિયાર  છે  -  - બીજાને  ગણકારતા   ના   હોય -  હું  જ   "  હિટલર "  છું   હું  જ   મુસોલિની   છું  -  હું  જ  સ્ટેલીન  છું    - નામ   લોકશાહીનું   પણ  સતા  સરમુખત્યારની   - હેવાય  છે  કે        લોકશાહીમાં દરેકને   પોતાના   અભિપ્રાય  દર્શાવવાની     છૂટ   હોય  છે   - એનું નામ  જ  લોકશાહી  -  આવી  જ   એક  લોકશાહી  ના પદાધિકારીઓ  અને   સભ્યોની એક મીટીંગ   હતી   -કોઈ ક મુદ્દાએ    પર  ચર્ચા   ચાલતી હતી  -  અને  તેમાં        સભ્યે   કોઈ   વિરોધી  સૂર  વ્યક્ત  કરતો    અવાજ   કર્યો -  અવાજ  સાંભળીને    માનનીય   અધ્યક્ષ  ચોકી  ગયા  -   તેમને   બૂમ  પાડી  -  "  એ   કોણ    બોલ્યું   ?    અને    સભામાં   સન્નાટો   છવાઈ  ગયો -  બધા   ચૂપ   - એટલે   માનનીય અધ્યક્ષે  જણાવ્યું     ઠરાવ    માન્ય  છે  ને ?  - ફરી  બધા    ચૂપ  -    અધ્યક્ષે  જણાવ્યું   કોઈને    વિરોધ   હોય  તો  જણાવે  -  પણ  બધા   ચૂપ  -  આ  પણ   કહેવાય  તો  લોકશાહી - લોકોને  જેમ  બોલ વું  હોય  તેમ   બોલે - ચાલવાનું  તો આપણી  જ  રીતે  - આજે    કદાચ   બોલાય  છે તો ખરું - પણ  કોઈ  સાંભળનાર નથી -    જેણે    પણ   વર્ચસ્વ   જમાવી   દીધું   છે  તેની  પાસે  એક  સરમુખત્યારી   આવી   જાય  છે  અને       તેના    આતિરેકમાં   તે   વ્યક્તિ   ઘણીવાર   આક્રમકઃ  ,  હિંસક   અને   બીજાના  હક્ક  ઉપર  અતિક્રમણ     કરવા    લડાયક    બની     જાય છે  -અને   તેવા   સમયે   તે સારાસારનું   ભાન  ભૂલી    જાય  છે - કોણ  નાનું  -  કોણ  મોટું  -   નાના  મોટાના   વિવેક  વિસરી   જાય છે  - 
  સહકારી    બેંકોના     કપરા   સમયમાં ધ્યા ન   ઉપર   આવેલું   :   સામાન્ય  રીતે  વયસ્ક  વ્યક્તિ  જ્યારે  બેંકમાં    ડિપોઝીટ   મૂકે  ત્યારે   તેના નામ   સાથે   તેના  કોઈ  પુત્ર  પુત્રી   નું નામ  જોડાણમાં   રાખે  - જેથી  વયસ્કને   ધક્કા ખાવા  ના  પડે  -  પણ  કર્મની   કઠિનાઈ  જુઓ -  આ  પુત્ર   પુત્રી  જ  આ   જોડાણવાળા   નામ ના  જોરે  આખી  ડિપોઝીટ   પચાવી પાડવાનું  કાવતરું   પણ  કરે  છે   -    અને આ બાબત  જ્યારે  અમે  રિઝર્વ   બેંકના  ધ્યાને   લાવ્યા   ત્યારે     પણ   સ્વીકારી  અને   નિયમો સુધાર્યા   અને   જોડાણવાળી   વ્યક્તિ   આવું         માટે   નિયમો   બનાવ્યા -    તે  સમયે  સ્વાર્થી    સંતાનો    તેમના   માતા પિતાને    પણ    વહેંચવામાં પડેલા   -  મા   એક   દીકરા   પાસે રહે  તો બાપ    બીજા  દીકરા   પાસે  રહે  -    વિવેક    પણ   ભૂલી  ગયેલા   ભણેલ     ગણેલ  મોટી   પદવીધારી   સંતાનો  પણ  વાણીનો  વિવેક  ભૂલીને   એમ  કહેતા      સંભળાયા    હતા  :  દીકરો   તેના   બાપાને    તેની  માતા   માટે   "  તમારી  બૈરી   "   અને        પિતાને   માટે    "    તારો વર   "  જેવા   ભલે   સાચા   પણ    હાલાકી   કક્ષાં ના  શબ્દો       છે -   ભણતર  ભૂલીને    લાલચમાં   માણસ       જાય  છે  તેનું આ   એક   માત્ર  કૌટુંબિક  ઉદાહરણ   છે  -અને    આવા  સંસ્કાર     મેળવેલ વ્યક્તિ  પાસે  જો    સતા આવે તો શું થાય  ?   તે "   યુદ્ધ   " તો   જીતે  પણ  તેમની  પ્રજાની   ઘોર  ખોડાઈ  જાય  -   પાછા   આવા   શાસકો  એમ  ઈચ્છે  છે કે       અમે    ગમે  તેમ  કરીયે  -   અમારી   પ્રજા   એવું ના   કરી   શકે   -  આવા    ઘમંડી   -  બાપ  પણ  એમ   જ ઈચ્છે  છે  -    હું મારા   બાપાને  ભલે    ગાળો  ભાડું  -  મારું   સંતાન  મારું  કહ્યું  જ  માને  -  છે  ને બેવડા   ધોરણો   ?  

ક્યાં   સુધી  નભશે  આ   પ્રતિક્રિયા  ? 

Gunvant  Parikh 
16-7-16


 
Regards :-
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609






Attachments area

No comments:

Post a Comment