Letter to CM



From:-
Gunvant   R. Parikh
                  B.E.Civil.  , LL.B.
Executive  Engineer  ( R & B ) (Retd )  &
Hon. Adm .  Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal  cell
4 /  Mangal  park  society ,
Geeta mandir  road , B/H Post  office
Ahmedabad  -22  (  380022 )
T.No.  07925324676  ,  9408294609                     અમદાવાદ  તા.  4-6-16



પ્રિય  બહેનશ્રી  , 

આપની   કુશળતા   ઇચ્છુ   છુ  .

મા. વડાપ્રધાનશ્રી   નરેંદ્રભાઇ  મોદી ના    પદારોહણ  સમયે   જ  અમુલે  દુધનો   ભાવ  વધારેલો  - અને   તે  સમયે  રજુઆત   કરેલી   કે   આ   એક   યોગ્ય   સમય  છે  કે  મા.  વડાપ્રધાનશ્રી  આ    ભાવવધારો   પાછો   ખેચાવે  - અને  તેના  સમર્થનમા  જણાવેલ  કે  આ   ભાવવ્ધારો  પાછો  ખેચવાથી   કોઇને  કોઇ  નુકશાન  નથી  - માત્ર  ઉત્પાદકના   નફામા  વધારો   નહીં   મળે  પણ   તેની  સામે   શાસક  પક્ષને  , મા.  વડાપ્રધાનશ્રીને  અને  ખાસ તો      ગુજરાત  મોડેલ ને   એક  પ્રસિધ્ધી  મળશે  - પણ   શક્ય  છે  કે  ઉત્સાહના   અતિરેકમા  - પહેલીવાર  ગુજરાતના  મુખ્યમંત્રી    વડાપ્રધાન  બન્યા હતા   તેના  ઉત્સાહમા  -  કે  પછી   આ    રજુઆત   તેમના  સુધી  પહોચી  પણ   ના   હોય  - પણ   વાત  વિસારે  પડી  ગયી  - 

     આજે   ફરીથી   એ જ પ્રસગ  આવ્યો છે અમુલ  અને સાબર તેમજ   બનાસ  ડેરીએ  પણ   ભાવ વધારો    જાહેર  કર્યો અને   અમલમા     પણ   આવી  ગયો  -આજની સ્થીતી   થોડીક જુદી  છે  પ્રજામા તે   દિવસ જેટલો ઉત્સાહ    નથી  -દરેક  ક્ષેત્રે  મોઘવારી   વધી ગયેલ છે  -તુવેરની   દાળ  જેવી   ચીજ   150  200   પર   પહોચી  ગયેલ  છે-  તે સમયે આ  દુધનો વધારો  - જે  જરુરી  નથી  જ  આજે   પણ   તે  જ હાલત છે  - આ  વધારો  જો   પાછો ખેચાય  તો  નુકશાન   કોઇને નથી  - માત્ર  નફાનુ  ધોરણ  કદાચ  ઘટે  -  આજે  આ  રજુઆત  આપના  જ  સ્તરે કરુ   છુ  - આપ   આપના  કોઇ પણ  તજજ્ઞ   અધીકારી , કે   તજજ્ઞ  અર્થશાસ્ત્રીનો  પણ     અભીપ્રાય   મેળવીશકો  છો  :  શક્ય  છે   કે   આપની   પાસે આવતી   વહીવટી  નોધ    એમ   પણ   દર્શાવે  કે  જે   તે   સ્વાયત્ત   સંસ્થાએ  આ  નિર્ણય  યોગ્ય  લોકશાહી ઢબે  -  યોગ્ય  પ્રક્રિયા   પરીપુર્ણ  કરીને -  લિધો  છે   માટે   સરકાર  તેમા  હસ્તક્ષેપ   કરે   તે   જરુરી  નથી  - પણ   જો   કોઇ   સ્વાયત્ત સંસ્થાનો  નિર્ણય  પ્રજાના   હિતની  વિરુધ્ધ  હોય   તો   સરકાર  તેમા   હસ્ત્ક્ષેપ    કરી  પણ   શકે  છે   અને  તેવો   નિર્ણય  -    પછી  ભલે   તે   યોગ્ય   પ્રક્રિયા   પછી   લેવાયો   હોય    તો પણ     તે  નિર્ણય  બદલી   શકે   છે અને   રદ  પણ   કરી   શકે  છે . .- આપની   પાસે  અલોરીઆ  જેવા  મુખ્ય   સચિવ  છે  , ગિરિશભાઇ  અને  કૈલાશનાથન  જેવા  કાબેલ   વહીવટી  અધીકારીઓ  છે  -યોગ્ય  લાગે  તે  રસ્તો  કાઢો  પણ    ભાવ  વધારો  તો  પાછો ખેચાવો   જ   જોઇયે  -સમયનો  આ  તકાદો   છે -  -તેનાથી  પક્ષ  અને   સરકારની  તુટતી  ઇમેજ  અને  લોકપ્રિયતાનો    આંક   પણ   ઉચો   આવશે  ફરીથી  પણ   ભાર  પુર્વક   જણાવુ  છુ કે  -

આ   ભાવવધારાથી   કોઇને  કોઇ  નુકશાન   નથી જ  થવાનુ  - માત્ર   નફાનુ   ધોરણ   થોડુ   ઘટશે  જે     પ્રજાનિ  માગ  સામે   નગણ્ય    છે  - અને   લોકપ્રિયતાનો   આંક  વધશે   તે   પ્લસ    પોઇંટ  - આપના   જ  એક  રાજ્ય  કક્ષાના  મંત્રી  -   શંકરભાઇ  ચૌધરી -  તેમણે  તેમના  પદારોહણ   સમયે તેમની ડેરીના   એક   ઉત્પાદનનો   ભાવ   ઘટાડેલ હતો  અને   તે   માન્ય  પણ   રહ્યો હતો  -જ્યારે  આપ  તો   રાજ્યના  મુખ્યમંત્રી   છો   અને   આપની   પાસે અનેક  સ્વવિવેક  સાથેના   વિશેષાધિકારપણ   છે   જે  અંવયે  આપ   આ  ભાવવધારાને   પરત   ખેચવા  આદેશ  આપી  શકો  છો   જે   સતા વાપરીને  આપ    આપની પ્રજાને  એક  નજરાણુ   આપશો  તેવી  નમ્ર  પ્રાર્થના  છે 

આદર   અને   સન્માન   સહિત


આપનો  વિશ્વાસુ 

ગુણવંત  પરીખ

4-6-16

પ્રતિ :-
શ્રીમતી   આનંદીબેન  પટેલ
મા.  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત  રાજ્ય
સચિવાલય  ,  ગાધીનગર 
( મારફતે  :- જે.ડી. દેસાઇ  પી.એ..  તેમના
,મેલ,આઇ.ડી  દ્વારા  )
અને

પી.એસ.ટુ  સી.એમ.  તેમના    e.,મેલ  આઇ ડી  દ્વારા
Attachments area
0.96 G

No comments:

Post a Comment