ભક્તિ સંદેશ
27
અન્ય
અવતરણો
હે
મહાદેવી :મેં પુર્વભુમિકા
નક્કી કરી લીધેલ
છે - મારે નારદના શાપને અનુમોદન આપવાનુ છે :મારે વિરહ વેદના ભોગવવાની છે :
મારી મદદે વાનરો
જ આવશે ;
વિ.વિ. અને તે
સાથે જ મારે મારા પાર્ષદોને પણ મુક્ત કરવાના
છે : મારે મારા ભક્ત્જનોનુ રક્ષણ પણ
કરવાનુ છે : મારા
તપમાં લીન એવા ઋષીમુનીઓને
સહારો પણ આપવાનો છે .:
એક પંથમાં કેટલાં કામ
કરવાનાં છે . આપની ભુમિકા તો
આપને ભુમિજા તરીકે
સોપાઇ ગઈ : મારા પાર્ષદોની ભુમિકા તરીકે તેઓ
દાનવકુળનાં સંતાનોછે : તો મારા
મદદનીશ તરીકે શિવજીએ પણ
તૈયારી દર્શાવી છે અને તેઓ વાનર
સ્વરૂપે મારા સહયોગી બનવાના છે :
તેમની સાથે એક
સમગ્ર વાનર ઝુંડ પણ
પૃથ્વી પર અવતરવાનુ
છે : જેમ કે
વાલી ,સુગ્રિવ ,નલ નીલ
અને એક વિશેષ
સહયોગી તે જામવાન છે : આ સૌ
સજ્જ છે .આપની માફક જ આપણા
છત્રધારી શેષનાગજીએ પણ મને
પ્રાર્થના કરી છે કે પ્રભુ હુ પણ
આવુ આપની સાથે જ- મને પણ આપના
વગર ચેન
નહી જ પડે અને અમારો
સતત સંપર્ક જળવાઇ રહે તે માટે
તેમને પણ મારા અનુજ
તરીકે સાથે રાખવાના છે ..મારૂ
આ અવતરણ
નાનુસૂનુ નથી : હુ માત્ર
એક માનવ તરીકે
અવતાર ધારણ કરવાનો છુ અને મારે માનવ સહજ
વૃત્તિથી પ્રવૃત્તિ કરવાની છે :
ના કોઇ
લીલા ના કોઇ હમત્કાર - બસ કામ , નિષ્ઠા , નિયમોનુ પાલન , આદર્શોનુ પાલન
વિ.વિ. જેવા માનવોના
દૈવી ગુણો જ રજુ કરવાના છે અને
આ સૌની મદદથી તેમા
સફળતા પ્રાપ્ત કરવાની છે .મારા અત્યાર
સુધી થઈ ગયેલા છ
અવતારોમાં આ અવતાર અનેરૂ
સ્થાન ધરાવતો હશે : સમગ્ર સૃષ્ટી પર
માનવજાત દ્વારા મારે
સમાજના સફળ સંચાલન માટે જે
આદર્શો ઘડાયા છે તે
પ્રદર્શિત કરવાના છે : આપની
પતિવ્રતાપાલનની કામના , અનુજ લક્ષ્મણનો ભ્રાતૃપ્રેમ , ભરતનો ત્યાગ , હનુમાનની સેવક તરીકેની ફરજો : એક
આદર્શ સેવક : પિતાના આદેશ જ
નહી પિતાની ઇચ્છા નુ પણ કોઇ
દલીલ વગર પાલન , : આદર્શ પુત્ર : સાવકી
માતાપ્રત્યે કોઇ જ પુર્વગ્રહ નહી
:કૈકઈ :,
એક આદર્શ રાજા તરીકે
કર્તવ્યનુ પાલન : પોતાની જ પત્ની
જે પવિત્ર છે તેની ખાત્રી હોવા છતાંય અને પવિત્રતાનુ પ્રમાણ આપી
ચુકેલ હોવા છતાંય તેનો
ત્યાગ કરવો : માત્ર અને માત્ર : લોકાપવાદને કારણે
: સમગ્ય વિષ્વમા સમગ્ર પૃથ્વી
પર એક મિશાલ ઉભી
કરવાનીછે . ઋષી મુનીઓનુ સન્માન અને
સહારો બનવાનુ કાર્ય પણ કરવાનુ છે - મારા ભાગે પણ
એક અને માત્ર એક
એવુ કાર્યકરવાનુ આવે છે
જે પ્રથમ નજરે અધર્મયુક્ત કાર્ય
છે : મારા ઉપર આક્ષેપ
છે કે મેં વાલીને છુપાઇને માર્યો : વાત
તો સાચી છે : હુ
તેનો અસ્વીકાર કરી શકુ
તેમ નથી કે
માત્ર વાલીના અધર્મનો
દાખલો આપીને મારા
કાર્યને ધર્મયુક્ત પણ ઠરાવી
શકુ જ
નહી - પણ મેં તે
અધર્મનો સ્વીકાર કરીને વાલીને મારા
કર્મનો બદલો વાળી આપવાનુ નક્કી કર્ર્લ
છે .અને આ જ અવતારમાં જ આના
પછીના અવતારની ભુમિકા
પણ બાંધી દીધી છે – તે
અવતારમાં મારૂ મૃત્યુ વાલીના પુનર્જન્મના
દેહ સ્વરૂપ જરા પારધી મારફતે થશે –
બરાબર તે જ રીતે- એક બાણથી મારે ઘાયલ થવાનુ છ અને તે સમયે
પણ અમે બન્ને
સાથે મોક્ષ ગતિ પામીશુ .મહર્ષી
વિશ્રવાના સંતાનો : પ્રથમ
પત્નીનો પુત્ર કુબેર : જો કે તે તો
ધર્મપરાયણ હતો પણ તેમની
અસુરકન્યા સાથેના લગ્ન સંબંધી
કૈકસીના સંતાનો વિદ્રોહીઓ હતા
: જો કે
તેમના ત્રણ સંતાનો
રાવણ :કુંભકર્ણ અને વિભીષણ :પૈકી
વિભીષણ ધર્મપરાયણ હતો
જ્યારે બીજા બે
માતાના ગુણોથી પ્રભાવિત હતા ;માતા કૈકસીએ ત્રણેયને
બ્રહ્માજીનુ તપ કરીને તેમને રીઝવીને
અણમોલ વરદાનો પ્રાપ્ત કરવા જણાવેલુ
:મેં આપને જણાવેલ છે જ
કે દેવી અમારા બ્રહ્માજી અને શિવજી ખુબ
ઉદાર પ્રકૃતિવાળા દેવો છે
- તેઓ આશિર્વાદ આપવામાં અને વરદાન
આપવામાં પણ ભોળા અને
ઉદાર: બ્રહ્માજીએ આ ત્રણેયના તપથી ખુશ
થ્હઈને તેમને વરદાન માગવાકહ્યુ
અને વિભીષણે માત્ર ભક્તિ
માગી : વચેટ કુમારે ઇંદ્રાસન
માગવાનુ હતુ અને મારી વિનતિ
માન્ય રાખીને દેવી સરસ્વતીએ તેમની જીભને એક ઝટકો
આપી દીધો અને ઇંદ્રાસન
ને બદલે નિદ્રાસન માગી લીધુ પણ
મોટો ચબરાક હતો : તેણે
અમરત્વ માગ્યુ: જે
ના મળી શકે
પણ તેના બદલે
અન્ય કોઇ માગણી કરવા જણાવતાં તેણે કહ્યુ કે હુ માનવ અને વાનર
સિવાય હુ કોઇથી પણ
મરૂ નહી : માનવ અને
વાનર તો તુચ્છ જીવો છે
હુ તેમને ચપટીમાં
ચોળી નાખીશ - અહો
અહંકારમ :બસ : તેનો જ ઉપયોગ
કરવાનો છે અને આ જન્મ માનવ સ્વરૂપે તેના માટે જ લેવાનોછે
માનવ સહજ
સ્વભાવનુ એક વિલક્ષણ વ્યથાપુર્ણ
દર્શન પણ આપને કરાવુ :
ગુણવંત પરીખ
11-7-20
ક્રમશ
:
વિરહ વેદના
No comments:
Post a Comment