bhakti sandesh 27 any avatarano




ભક્તિ  સંદેશ
27
અન્ય અવતરણો
      હે  મહાદેવી :મેં પુર્વભુમિકા  નક્કી   કરી  લીધેલ  છે  -  મારે  નારદના શાપને અનુમોદન   આપવાનુ છે :મારે   વિરહ વેદના ભોગવવાની   છે  : મારી  મદદે  વાનરો  જ આવશે ;  વિ.વિ.  અને  તે   સાથે જ મારે મારા પાર્ષદોને  પણ  મુક્ત કરવાના  છે : મારે મારા ભક્ત્જનોનુ રક્ષણ પણ  કરવાનુ  છે  : મારા  તપમાં લીન  એવા   ઋષીમુનીઓને  સહારો પણ   આપવાનો   છે .:  એક   પંથમાં કેટલાં  કામ  કરવાનાં  છે . આપની ભુમિકા  તો  આપને  ભુમિજા  તરીકે  સોપાઇ ગઈ   : મારા  પાર્ષદોની ભુમિકા   તરીકે તેઓ  દાનવકુળનાં    સંતાનોછે : તો   મારા  મદદનીશ   તરીકે  શિવજીએ પણ  તૈયારી દર્શાવી છે અને  તેઓ  વાનર  સ્વરૂપે   મારા સહયોગી બનવાના  છે  : તેમની  સાથે  એક  સમગ્ર વાનર  ઝુંડ  પણ   પૃથ્વી  પર   અવતરવાનુ  છે  :  જેમ કે  વાલી ,સુગ્રિવ ,નલ  નીલ  અને   એક   વિશેષ    સહયોગી તે  જામવાન  છે  : આ  સૌ   સજ્જ છે .આપની માફક જ આપણા  છત્રધારી  શેષનાગજીએ પણ  મને  પ્રાર્થના કરી  છે કે પ્રભુ હુ   પણ  આવુ   આપની સાથે  જ-   મને  પણ  આપના વગર  ચેન   નહી  જ પડે  અને અમારો  સતત  સંપર્ક જળવાઇ રહે તે  માટે  તેમને  પણ   મારા અનુજ  તરીકે  સાથે રાખવાના છે ..મારૂ આ  અવતરણ   નાનુસૂનુ નથી :  હુ  માત્ર  એક   માનવ  તરીકે  અવતાર ધારણ કરવાનો છુ    અને  મારે  માનવ  સહજ  વૃત્તિથી પ્રવૃત્તિ  કરવાની છે : ના  કોઇ  લીલા ના  કોઇ  હમત્કાર - બસ  કામ   , નિષ્ઠા , નિયમોનુ પાલન , આદર્શોનુ  પાલન વિ.વિ.  જેવા  માનવોના  દૈવી ગુણો જ  રજુ કરવાના છે  અને    સૌની  મદદથી તેમા  સફળતા પ્રાપ્ત  કરવાની છે  .મારા  અત્યાર સુધી  થઈ ગયેલા     અવતારોમાં આ  અવતાર  અનેરૂ  સ્થાન ધરાવતો  હશે : સમગ્ર  સૃષ્ટી પર   માનવજાત  દ્વારા  મારે  સમાજના સફળ  સંચાલન    માટે જે  આદર્શો  ઘડાયા છે  તે    પ્રદર્શિત કરવાના  છે  :  આપની પતિવ્રતાપાલનની  કામના ,  અનુજ  લક્ષ્મણનો ભ્રાતૃપ્રેમ , ભરતનો  ત્યાગ  , હનુમાનની સેવક તરીકેની ફરજો :  એક   આદર્શ   સેવક : પિતાના આદેશ જ નહી  પિતાની ઇચ્છા નુ  પણ  કોઇ દલીલ વગર   પાલન , : આદર્શ   પુત્ર  : સાવકી  માતાપ્રત્યે  કોઇ જ પુર્વગ્રહ નહી :કૈકઈ :,   એક  આદર્શ  રાજા તરીકે  કર્તવ્યનુ પાલન :  પોતાની જ પત્ની જે  પવિત્ર  છે  તેની  ખાત્રી હોવા છતાંય અને પવિત્રતાનુ  પ્રમાણ આપી  ચુકેલ હોવા  છતાંય  તેનો  ત્યાગ કરવો :   માત્ર અને    માત્ર :   લોકાપવાદને  કારણે  : સમગ્ય વિષ્વમા સમગ્ર પૃથ્વી  પર   એક  મિશાલ ઉભી  કરવાનીછે  . ઋષી   મુનીઓનુ સન્માન  અને  સહારો બનવાનુ કાર્ય પણ  કરવાનુ  છે  -  મારા ભાગે  પણ  એક  અને  માત્ર એક  એવુ  કાર્યકરવાનુ આવે   છે  જે    પ્રથમ  નજરે અધર્મયુક્ત   કાર્ય  છે : મારા   ઉપર  આક્ષેપ  છે  કે મેં  વાલીને છુપાઇને માર્યો  : વાત  તો   સાચી  છે : હુ  તેનો અસ્વીકાર  કરી  શકુ  તેમ  નથી  કે  માત્ર  વાલીના  અધર્મનો  દાખલો  આપીને  મારા  કાર્યને  ધર્મયુક્ત   પણ  ઠરાવી શકુ    નહી  - પણ  મેં  તે અધર્મનો   સ્વીકાર કરીને   વાલીને મારા  કર્મનો બદલો  વાળી   આપવાનુ નક્કી    કર્ર્લ  છે .અને  આ જ અવતારમાં  જ આના  પછીના  અવતારની  ભુમિકા  પણ   બાંધી દીધી  છે – તે  અવતારમાં   મારૂ મૃત્યુ વાલીના  પુનર્જન્મના  દેહ  સ્વરૂપ જરા પારધી મારફતે થશે – બરાબર તે  જ રીતે- એક બાણથી મારે  ઘાયલ થવાનુ છ અને  તે સમયે  પણ  અમે   બન્ને  સાથે મોક્ષ ગતિ   પામીશુ  .મહર્ષી   વિશ્રવાના  સંતાનો  : પ્રથમ  પત્નીનો પુત્ર  કુબેર : જો કે  તે તો  ધર્મપરાયણ હતો   પણ   તેમની  અસુરકન્યા સાથેના  લગ્ન  સંબંધી   કૈકસીના સંતાનો  વિદ્રોહીઓ  હતા  :  જો  કે   તેમના  ત્રણ   સંતાનો  રાવણ :કુંભકર્ણ અને  વિભીષણ :પૈકી વિભીષણ  ધર્મપરાયણ  હતો   જ્યારે  બીજા  બે   માતાના  ગુણોથી પ્રભાવિત  હતા ;માતા કૈકસીએ  ત્રણેયને  બ્રહ્માજીનુ  તપ કરીને  તેમને   રીઝવીને  અણમોલ  વરદાનો પ્રાપ્ત  કરવા જણાવેલુ  :મેં  આપને જણાવેલ  છે જ  કે  દેવી અમારા બ્રહ્માજી અને  શિવજી ખુબ  ઉદાર  પ્રકૃતિવાળા  દેવો છે  - તેઓ આશિર્વાદ  આપવામાં અને  વરદાન   આપવામાં  પણ  ભોળા અને   ઉદાર: બ્રહ્માજીએ આ  ત્રણેયના તપથી  ખુશ  થ્હઈને તેમને  વરદાન   માગવાકહ્યુ  અને  વિભીષણે માત્ર  ભક્તિ   માગી :  વચેટ કુમારે  ઇંદ્રાસન  માગવાનુ હતુ  અને મારી  વિનતિ  માન્ય   રાખીને    દેવી સરસ્વતીએ તેમની જીભને એક    ઝટકો   આપી  દીધો  અને ઇંદ્રાસન  ને બદલે  નિદ્રાસન માગી   લીધુ પણ   મોટો   ચબરાક  હતો ‌: તેણે   અમરત્વ   માગ્યુ:  જે  ના  મળી  શકે   પણ   તેના  બદલે  અન્ય કોઇ  માગણી  કરવા જણાવતાં તેણે કહ્યુ કે હુ માનવ અને   વાનર  સિવાય હુ   કોઇથી  પણ  મરૂ  નહી  : માનવ અને   વાનર તો  તુચ્છ  જીવો છે  હુ  તેમને  ચપટીમાં   ચોળી   નાખીશ  - અહો  અહંકારમ   :બસ : તેનો  જ ઉપયોગ  કરવાનો છે અને  આ જન્મ  માનવ સ્વરૂપે તેના માટે  જ લેવાનોછે
     માનવ સહજ  સ્વભાવનુ  એક વિલક્ષણ  વ્યથાપુર્ણ  દર્શન પણ  આપને કરાવુ  :

ગુણવંત  પરીખ
11-7-20
ક્રમશ :
વિરહ  વેદના 

No comments:

Post a Comment