ભક્તિ સંદેશ
28
વિરહ વેદના
સાંભળો મહાદેવી : આપણે માનવલોકમાં
જવાનુ છે – પૃથ્વીલોક :
માનવલોક : તેના આગવા કેટકેટલા
ગુણો અને અવગુણો પણ છે :
પણ સૌથી અગત્યનો ગુણ તેની સંવેદના છે .
માનવી એક સંવેદનશીલ
જીવાત્મા છે .
દેવો માટે કહેવાય છે કે તેઓ સાત્વિક
કક્ષામાં આવે : મુક્ત
સ્વાતંત્ર્યમા જીવનારા - ઉદાર મતવાદી –પરોપજીવી પણ ખરા
- હા થોડે
ઘણે અંશે ઇર્ષાળુ ખરા
-અમારી સત્તા જતી
રહેશે તેવો ભય પણ
ખરો -જ્યારે બીજીબાજુ
દાનવો તદ્દન વિપતિત મનોવૃત્તિ વાળા – સંવેદનાહીન - ક્રૂર , નિર્દય , દયાહીન , ઘાતકી પણ
કહી શકાય – ધર્મની ભાષામાં તામસી
પ્રકૃતિ ધરાવનારા છે -
જ્યારે માનવો વચગાળાના જીવો
છે - ધાર્મિક પણ છે , સંવેદનશીલ પણ
છે – ઇર્ષાળુ પણ ખરા, , લોભ લાલચ જેવા
ષડરીપુ ધરાવના માનવ સંવેદનાની બાબત આગળ
છે – તેની પાસે લાગણીશીલતા
છે દયા
પણ છે દાનેશ્વરી સ્વભાવ પણ ખરો . આપણે તે
દરેકના ગુણધર્મો જાણીને
ત્યાં જવાનુ છે
અને આપણી ભુમિકા
નિભાવવાની છે .શક કે વહેમ એ પણ કેવુ પરીણામ લાવે છે જોવુ છે
?
માતા
પાર્વતીજી એકવાર શિવજી સાથે વિહાર માટે
નીકળેલાં ત્યારે તે સમયે
પૃથ્વી લોક પર મારો
અવતાર થયેલો છે -
હુ આપના વિરહમાં
ઠેર ઠેર ઘુમતો ફરતો
હતો અને પોકાર કરતો
હતો : હે સીતે ,સીતે , તુ ક્યાં છે ? વનમાં આવેલા વૃક્ષોને વેલોને અને પુષ્પોને
દયાર્દ્ર ચહેરે પુછતો
હતો કે મારી સીતાના કોઇ વાવડ આપો - આ જોઇને
શિવજીએ પોતાનુ મસ્તક મારી સામે નમાવ્યુ –પણ પાર્વતિજીને
આ ના ગમ્યુ
- અરે દેવાધિદેવ – આપ કોણ ? દેવાધિદેવ મહાદેવ –અને આપ
પૃથ્વીલોકના એક પામર
જીવ સામે આપનુ મસ્તક નમાવીને તેને
પ્રણામ કરો છો ? આમાં
આપની શોભા કેટલી ? શિવજી કહે છે
કે દેવી એ પામર માનવી
નથી – બ્રહ્મ છે - સાક્ષાત નારાયણ –પણ
મનુષ્યરૂપે છે – શંકાશીલ પાર્વતીજીએ
જણાવ્યુ હુ ના માનુ :
બ્રહ્મ આ રીતે એક પાગલ
આદમીની માફક આવાં રોદણાં રડે
ખરા ? અને તેમને
ખબર ના હોય કે
તેમની સીતા ક્યાં છે તેવુ બને જ
નહી - શિવજીએ સમજાવવા પ્રયાસ
કર્યો કે દેવી આ એક
લીલા છે અને તેમાં ભગવાન વિષ્ણુએ
આ એક ભુમિકા ભજવવાની છે અને
માતા સીતાએ પણ પોતાની ભુમિકા ભજવવાની છે
- પણ પાર્વતીજી
ના માન્યાં -કહે -
હુ પારખુ કરવા ઇચ્છુ છુ – શિવજીએ ટકોર કરી
- દેવી ઝેરના પારખાં કરવા
રહેવા દો
-પણ સ્ત્રી હઠ
પાસે લાચાર બની ગયા અને
અને પાર્વતીજીને મનગમતી રીતે
ચકાસણી કરવા જણાવ્યુ – પાર્વતીજી પૃથ્વી
લોક પહોચી ગયા
અને સીતાનૂ રૂપ
લઈને રામની પાસે આવે છે : પણ
પરબ્રહ્મ ભગવાન તો
તેમને ઓળખે જ ને ? તેમણે સિતા સ્વરૂપ પાર્વતીજીને પ્રણામ કર્યા અને પુછ્યુ
માતા આપ એકલાં કેમ ? પ્રભુ
પિતા મહારાજ ક્યાં છે ? પાર્વતીજી થોથવાઇ ગયા અને
અને ભાગવા લાગ્યાં – પણ
તે જે દિશામાં
જાય ત્યા રામ રામ અને રામ જ સામે
આવે – હવે ? પાર્વતિજી ગભરાયાં – જો શિવજી આ
જાણીજશે તો? આવા
ગભરાટ સાથે તેઓ પરત ફર્યા અને શિવજીએ
ભોળાભાવે પુછ્યુ – દેવી ખાત્રી કરી
આવ્યા ? શુ ચકાસણી કરી ? પણ પાર્વતીજી ફરી એકવાર થોથવાઇ ગયાં – અને જવાબ આપવામાં
ગલ્લાં તલ્લાં કરવા ગયાં પણ શિવજીએ
જાણી લીધુ કે
પાર્વતીજીએ શુ પરાક્રમ કર્યુ હતુ? અને તેઓ
એકદમ ગંભીર બની ગયા. તેમણે
પાર્વતીજીને કહ્યુ કે આપે
આ શુ કર્યુ? પારખુ કરવા માટે આવુ સ્વરૂપ
લીધુ ? માતાનુ સ્વરૂપ
જ આપે લીધુ ? પાર્વતીજી ગભરાઇ ગયાં અને
ક્ષમા માગી અને શિવજીની સાથે
તેમનુ આસન ગ્રહણ
કરવા માટે આગળ વધ્યાં પણ
શિવજીએ તેમને રોકી લીધાં - બસ
દેવી – આજથી આપણો આ સંબંધ પુર્ણ
થાય છે - આપ
મારા માતાતુલ્ય છો આપનુ આસન
મારી સાથે ના હોઇ
શકે – આજથી હુ તપ કરવા માટે
કૈલાશના શિખરે હવે પહોચી જઈશ –આપ હવે
મારી સાથે નહી રહી શકો –પાર્વતીજીને તો
આ પરીક્ષા ભારે પડી –તે
ખુબ કરગર્યાં પણ શિવજી મક્કમ
હતા –અને પાર્વતીજી એકલાં
પડી ગયાં-આથી વ્યથિત બનીને મહાદેવી લક્ષ્મીએ ભગવાન
વિષ્ણુને કહ્યુ કે આપે કેમ
કોઇ રસ્તો ના કાઢ્યો
? દેવી મારે
રસ્તો કાઢવાનો જ નહોતો - આ
પણ વિધિના વિધાન સ્વરૂપ જ
એક પગલુ હતુ .વિરહનો અનુભવ
પાર્વતીજીને પણ થવો જ જોઇએ. સામાન્ય રીતે દેવલોકમાં પ્રેમની પરીભાષા
આવી નથી –તેમને કોઇ
વિરહ વેદના નથી -એક
નહી તો બીજે મન
લગાવી લે છે
જ્યારે આ તો પૃથ્વી લોક
છે તેના તો કેટલાક
પક્ષીઓ પણ એવા છે
કે એ વિરહ વેદનામા પ્રાણ આપી દે
છે - પૃથ્વી પર
સારસ નામે પક્ષી
છે - તેની જોડી અમર
જોડી ગણાય છે - સારસ
બેલડી - બેમાંથી એક જાય
એટલે બીજો જીવ આપમેળે
તરફડીને વિદાય લે છે
–આ છે પૃથ્વી પરની પ્રેમ અને વિરહની
પરીભાષા. અને આપણે પણ
એ જ પરીભાષાની ભુમિકા ભજવવાની છે .
ગુણવંત
પરીખ
11-7-20
ક્રમશ
:
માનવ અવતાર /
No comments:
Post a Comment