પરીક્ષા પધ્ધતિ ગુણ મૂલ્યાંકન - પુન: ચકાસણી = પુન; મૂલ્યાંકન
આજની પરીક્ષા પધ્ધતિ વિષે ની ચર્ચા પહેલા સહેજ ગુરુ કુલ ની ગુણ ચકાસણી પદ્ધતિ ની રીત જણાવી જરૂરી છે . યાદ કરો તે જમાનો જયારે ગુરુ દ્રોણે અર્જુન અને તેના અન્ય ભાઈ ઓ અને રાજ કુટુંબ ના સભ્યો તેવા રક કુમારો ની એક વાર પરીક્ષા લીધી હતી . રાજ કુટુંબ ના એક ને બાદ કરતા તમામ શિષ્યોને તેમણે નાપાસ જાહેર કાર્ય હતા અને તે પણ પ્રાથમિક તબક્કે જ અને અર્જુન એકલાની આગળ પરીક્ષા લીધી હતી અને અર્જુન ને જ ઉત્તીર્ણ જાહેર કરી દીધો હતો અને તમામ રાજકુમારો નાપાસ થયા હોવા છતાં રાજ કુટુંબ માં થી કોઈ એ અરે પિતામહ ભીષ્મ કે કુલ ગુરુ કૃપાચાર્ય એ પણ ફરિયાદ નહોતી કરી અને ગુરુ દ્રોણ નો નિર્ણય માન્ય રાખ્યો હતો. .શિક્ષણ પ્રથા તેમની પરીક્ષા પદ્ધતિ કે મૂલ્યાંકન વિષે કે વિરુદ્ધ માં કોઈ હરફ શુદ્ધ ઉચ્ચાર્યીઓ નહોતો.
તેની સરખામણી માં આજની પરીક્ષા પદ્ધતિ ની વાત કેવી રીતે કરાવી તે સવાલ છે. આજની પરીક્ષા પધ્ધતિ માટે કોઈ સારા અભિપ્રાય નથી. જ્યો જુઓ ત્યો તેના નામની બુમો જ છે. હોશિયાર શિષ્ય હંમેશા પાછળ રહે છે અને વગ અને વશીલો ધરાવનાર ઠોથ નીશાલીઓ આગળ નંબર લયી જય છે અને સૌ દેખાતા રહી જય છે અને કોઈ કશું કરી પણ શકતા નથી જો બોલવા જય તો બદનામ બોલનાર જ થાય છે. . પરીક્ષા શાળા કક્ષા એ હોય બોર્ડની પરીક્સ્ધા હોય કે પછી યુનીવર્સીટી ની પરીક્ષા હોય અથવા સરકાર દ્વારા લેવાતી ખાતાકીય પરીક્ષા હોય કે પછી ભલે ને તે જાહેર આયોગ ની પણ પરીક્ષા હોય ક્યોય પારદર્શિતા નથી./જાહેર ના થયા હોય તેવા ગોટાળાઓ ની પરંપરાઓ જ છે પણ કોઈ જોનાર રોકનાર કે ટોકનાર નથી.બોલે તે બે વધારે ખાયઅં સંજોગો માં કોઈ બોલવાની હિંમ્મત કરે જ નહિ. માર ખાવાની તૈયારી હોવી જોઈએ.
બોર્ડ અને યુનીવર્સીટી ની પરીક્ષા માટે મૂલ્યાંકન માટે માર્ગ દર્શિકા તો ઘડી છે પણ અનેક છટક બારીઓ સાથે ની છે. પણ તેથી વધારે તો પરીક્ષક ની નીષ્ટા અગત્યનો ભાગ ભજવે છે. તેની પાસે ઢગલો પેપર તપાસવાના આવતા હોય છે સમય ની મર્યાદા આવક મેળવવાનું એક સાધન અને બીજા કેટલાક પરિબળો પણ છે જેની ચર્ચા કદાચ ઔચિત્ય ભંગ પણ ગણાય જે થી કરતો નથી જો કે ઘણી બાબતો એવી હોય છે કે જેના માટે સાબિતી ના મળે અને સાબિતી ના મળે તેના માટે ટીકા ના કરાય જો કે નિર્દેશ તો કરી શકાય .
આડે ધડ મૂલ્યાંકન થી ઘણા ડફોળ ની કક્ષા ના શિષ્યો આગળ આવી જય છે અને ઘણા હોશિયાર ના ભાગે કુંડાળા પણ આવી જય છે. અં મૂલ્યાંકન સાચું છે કે ખોટું તેની ચકાસણી કરવાની પણ એક પદ્ધતિ નક્કી કરવામાં આવી છે પણ તે એક ફરસ સમાન છે.મોટે ભાગે તો ફેર ચકાસણી માં માત્ર ગુણ નો સરલો જ ચેક કરવામાં આવે છે સરવાળા માં ભૂલ હોય તો તે સુધારે નહીતર પછી બધું પાણીમાં. ફેર મૂલ્યાંકન માટે ની પદ્ધતિ થોડીક જટિલ છે. પહેલા તો અં પદ્ધતિ દરેક ને માટે નથી માત્ર છેલ્લા વર્ષ માટે જ છે. તેમો જો ફેરત ચકાસણી માં ૧૫ ગુણ નો તફાવત પડે તો જ તે ત્રીજા પરીક્ષક ને સોપી ને ફેર ચકાસણી થાય છે અને જો ૧૫ ની અંદર હોય તો જે છે તે બરાબર છે કહીને પ્રશ્ન ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવે છે.સૌથી પહેલા પરીક્ષકે જે ગુણ આપ્યા તે મોટે ભાગે આખરી જ ગણાય છે.
. ખરેખર તો પરીક્ષકો માટે જ આચર સંહિતા ની તાતી જરૂર છે જે આડેધડ ચકાસણી કરે છે . તે જાણે છે કે કદાચ કૈક ખોટું પકડશે તો વધુ માં વધુ બે ત્રણ વર્શ્જ માટે પેપર તપાસવાના નહિ આવે જે તો તે આશા રાખતો જ હોય છે કે ચાલો બે વર્ષ બલા ગયી. અં સંજોગો માં એકેડેમિક કાઉન્સિલ સેનેટ ઉપરી અધિકારીઓ આચાર્યો શિક્ષણ વિદો કુલપતિઓ ઉપકુલપતિઓ સરકાર અને તમામ લગતા વળગતા દરેક વર્ગ ના મહાનુ ભાવો ના અભિપ્રાય લયીને સજા ના ધોરણ માં સુધારા કરવા જરૂરી છે. . એક વખત એક આવી શંકાના દાયરા માં આવેલ પરીક્ષક ના તમામ પેપર એક બીજા નિષ્ઠા વન પાસે ચકાસવી ને જો તેમાં ફેર જણાય તો તે પરુક્ષક ને માત્ર પેપર તાપસવામાંથી જ મુક્તિ નહિ પણ તેને સીધીરીતે ફરજ મોકુફી ઉપર ઉતારી ને તેને અને તેની સેવાને બરખાસ્ત કરી દેવી જોઈએ. અત્યારે ઢગલા બાંધી શિક્ષકો મળી રહે તેમ છે અને આવા બે ચાર કિસ્સા જાહેર માં આવશે તો સ્વાભાવિક જ તેના પ્રત્યાઘાત પડ્યા વગર રહેશે નહિ. આજે તો ચકાસણી ફેર ચકાસણી ફેર મૂલ્યાંકન અને ૧૫ ગુણ પછી નું ફેર મૂલ્યાંકન તેનો તો ભાવ બોલાય છે . અદાલત પાસે પણ જયારે અં વાતને પ્રશ્ન જય છે ત્યરે અદાલત માત્ર પુરાવા અને સાબિતી માંગે છે . કમનસીબી એ છે કે જ્યાં પુરાવા છે તે સાચું નથી અને જ્યાં સાચું છે ત્યાં પુરાવા નથી. ન્યાય ના આસન પર બેસનાર માટે એક સ્વવિવેક જેવી પણ અમોઘ શક્તિ છે જ જે ભાગ્યેજ કોઈ જજ ઉપયોગ માં લે છે ધીરુભાઈ દેસાઈ જેવા એક ગુજરાત ની વાડી અદાલત ના જજ અં પ્રકારની શક્તિ અને ક્ષમતા ધરાવતા હતા અને ઉપયોગ પણ કરી શકતા હતા .પરીક્ષા પદ્ધતિ ની ચકાસણી ગુણ મૂલ્યાંકન ફેર ચકાસણી ફેર મૂલ્યાંકન અને તેના ઉપર દેખરેખ માટે ધીરુભાઈ જેવા સ્વ વિવેક નો સાચો ઉપયોગ કરનાર ની જરૂર છે . શિક્ષણ ક્ષેત્ર માં પી.સી. વૈદ્ય જેવા પણ હતા પણ તાકીનહોતા શકયા અને કમનસીબે યુનીવર્સીટી એ એક સારો શિક્ષણ શાસ્ત્રી અને વહીવટ દાર ગુમાવ્યો હતો. આજે પણ આપૃતવી વાંઝણી નથી બહુ રત્ના વસુંધરા પણ ચીથરે વીત્યા રત્ના ને કોણ શોધે ?
ગુણવંત પરીખ
No comments:
Post a Comment