madhyasthi hastkshep nirakaran

    મધ્યસ્થી 
હસ્તક્ષેપ,દરમિયાનગીરી કે  નિરાકરણ 
૩૦-૪-૧૨  ના  લખાણ પછી  બાકી  રાખેલી  વાત  આગળ  ચલા ઉ  . , તે  પહેલા  કેટલાક  મધ્યસ્થી  તરીકે  આવી  ગયેલા  પત્રો  પર  એક  નજર  કરી  લયીએ.  સામાન્ય રીતે  અં કક્ષા માં  મિત્રો, સહાધ્યાયીઓ, સહ કર્મચારીઓ કુટુંબીજનો, સ્નેહી જનો , તજજ્ઞો, અનુભવી અને  લાગણી   ધરાવતા   સભ્યો    વિગેરે  વિગેરે  આવી  શકે.  કોણ કેવું  અને કઈ  કક્ષા માં  આવે  છે  તે  આપણે  નક્કી  કરવાનું  છે  કે  તે  કઈ  કક્ષામાં છે 
   મિત્રોની   કક્ષામાં   જગદીશ,આશિક, દયાળ,સોહિની,રીતા, માલા , અંજુ, મયંક, હંસા ,શ્વેતા,પપ્પુ,  બિટ્ટુ, કુમુદ, ભરતી  તકલી, ........  અં  લીસ્ટ  બહુ  લાંબુ છે  જેની  જરૂર  બધાનો  સમાવેશ  થાય  તે  જરૂરી  નથી  .જીગર ના  મિત્રોની સંખ્યા  બહુ  મોટી  છે  પણ  તેમાંથી  સાચા  મિત્રો  કેટલા  અને  ક્યાં   તે  તો  તે  દંપતી એ જ  નક્કી  કરવાનું  છે  હું  તો માત્ર  પ્રેક્ષક  છું .  અં ઉપરાંત  કેટલાક  અનુભવી  અને  તજજ્ઞ  ની  કક્ષા ના  કહી  શકાય  તેવા   બુદ્ધિજીવી અને  કાબેલ  માણસો પણ  તેના  ગ્રુપ માં  છે જેમની  ઉપર  ભરોસો  હું  પણ  વિના  સંકોચ  મૂકી શકું  જેમ કે ડૉ . ગૂંથે , ડૉ. સમીર  પટેલ, ડૉ.  પંચાલ , ડૉ.  દેશમુખ , ડૉ. ભાલચંદ્ર ,   જેમની  સાથે  જીગર ને  સારો  પરિચય  પણ છે  અને  હું  પણ  તેમણે  સારીરીતે  જાણું  છું.  અં  ઉપરાંત  એવી  પણ  કેટલીક  પ્રતિભા ઓ  છે  કે  જે  જીગર ને  સારીરીતે  જાણે છે  જેમ  કે  ડૉ.  દાઉદ ભાઈ  , પી.પી.મહેતા. જશુભાઈ  જે  શિક્ષણ  જગત  સાથે  જોડાયેલ  છે અને સૌ  સૌને  સારીરીતે  જાણે  પણ છે.  . મિત્રો ની  બાબત માં  એટલું  જણાવવું  જોઈએ કે   તેમની  સાથે આજનો  વર્ગ  વધારે  જોડાયેલો  હોય  છે  અને વધરે  વાત  મિત્રની  જ  માનતો  હોય   છે  આથી  મિત્ર  એક  અસર કરતા  પરિબળ  છે  પછી  તે  મિત્ર  કેવો  છે  તે  પ્રશ્ન  પછી  આવશે કે  તે  તાલી  મિત્ર  છે  કે  સાચો  મિત્ર  છે કે  માત્ર  સગવડીયો  મિત્ર  છે . મિત્ર  સામાન્ય  રીતે  મિત્ર ને  જલદી    સમજી  શકે  કે  નહિ  તે  સવાલ  છે  પણ  તેમણે  જોનારા  તો  સમજી  જ  જય  કે  તે  કેવું  જૂથ  છે..કોણ  કેવું  અને  કેટલું  ઉપયોગી  છે.   મધ્યસ્થી  ને  લાયક  છે  કે  નહિ.  
 પણ  કહેવાય  છે  કે  ડૂબતો  તારના  ને  પણ  સહારો  સમજી  ને  પકડી  લે છે  અને  તે  ન્યાયે  તે  કદાચ  સફળ  થાય  પણ  ખરો  પણ  મોટે  ભાગે તો  દુબે જ  છે. .  તજજ્ઞો  મોટે  ભાગે  વિશ્વાસ પાત્ર  ગણાય  અને  તે  માટે  કોઈ  વિપરીત  પરિબળ  ના  હોય  તો  તે  યોગ્ય   મધ્યસ્થી   છે  જે  પ્રશ્નનું  નિરાકરણ  લાવી  શકે  અને  તે  કક્ષા માં  સમીર  ભાઈ  અને   ગુંઠે  આવી શકે. મને  પણ  અં બંને  પ્રત્યે  પુરતું  મન  હતું  અને  છે  પણ  તે  બંને ની  બાબત માં   એક  ગંભીર  પ્રશ્ન  તે  આવ્યો  કે  હું  તેમના  અંગત  સંબંધો  ની  વચ્ચે  આવું  છું  કે  તેમના  રીલેશન   બગાડવા પ્રયત્ન કરું  છું  જો  કે  તે  વાત  સાવ  ખોટી  છે  પણ તેનાથી  ગંભીર  બાબત  મારી સામે  મુકવામાં  આવી  તે  એ  છે  કે  પ્રજ્ઞા ના  કહેવામુજબ   અં બંને  મહાનુભાવો નું   મોટા ભાગ નું  કામ  જીગરે  કર્યું છે સમીર ભાઈ  માટે  દવાઓ   અને  તેમની  બીજી  અનેક  સેવાઓ  પણ  કરી છે  અને  ગુંઠે  માટે  પણ  તેમની  દરેક  જરૂરિયાતો   અહિયાં જીગરે  પૂરી  કરી  છે . અં વાત  તો  સાચી  છે જ તેમાં  નારાથી  બોલાય  નહિ  પણ  તેના  અનુસંધાને  તેની  ટીકા  હતી  કે અં જ  કારણે  તે  બંને  જીગર ને  કશું  કહી  શકાશે  જ  નહિ  અને  કદાચ  કહેશે  અને  જીગર  ના  પડી  દેશે  અથવા  નહિ  મને  તો  પણ  તે  બંને  તેને  કશું  કહી  શકવાના  નથી   . સામાન્ય  વ્યવહાર  મુજબ  પ્રજ્ઞા ની  વાત  સાચી  છે.  અન્ન નો  માર્યો  નીચું  જુવે ........ગુરુ  દ્રોણ  પણ  દુર્યોધન ના  પક્ષે  એટલા માટે  જ  રહેલા   અને  ધર્મર ની  સામે  સાચાની  સામે  પણ   લડેલા  અં  કિસ્સામાં  તેઓ  આંખ  આડા  કાન  કરે  તો   તેમાં   ખપતું  નથી  કદાચ  વ્યવહારુ  પણ  કહી  શકાય  અને તે  માટે જ  મારે  તે  બંને  મહાનુભાવોને   કોઈ  ક્ષોભજનક  પરીશ્થીતી માં  મુકવા  જોઈએ  નહિ.  પણ  તે  પણ  એટલું  જ  સાચું  છે  કે  ગરજ વન ને અક્કલ  ઓછી  હોય  મારો  સમાવેશ   અં બંને  મહાનુભાવો  તે  કક્ષા માં  કરે  તો  તે  તેમનો   હક્ક   છે હું  તેમની  પાસેથી  કોઈ  આશા  ના  રાખી  શકું.  હવે  સ્થિતિ  એવી  છે  કે  હું  છોડી  નથી  શકતો, કહી  નથી  શકતો  અને  સહન  પણ  કરી  શકતો  નથી.
       સગા  સમાંબંધી ઓ નું  જૂથ  કેટલું  ભરોસા  મંદ  ગણાય   તે  ખબર  નથી  પણ  અહિયાં  પણ   ડૂબતો  તારાનું  પકડે  જેવી  વાત  છે. સૌ  સગા   સામાન્ય  રીતે  પોતાનો  જ સ્વાર્થ  જોઇને  જ  આગળ  વધે.સાચા  સગા ને  ઓળખવામાં  મુશ્કેલી  છે. મોટે ભાગે  સગા  તેજોદ્વેશી  ઈર્ષાળુ  અને  ખાનગી  માં  તમારી  ફૂટ  જોઇને  ખુસ  થનારા  હોય  છે. અં તેજોદ્વીશીતા  માત્ર  સગા  સંબંધી  માં  જ  હોય  તેવું  નથી  મિત્ર  મંડળ, અંત રંગ મંડળ,સહાધ્યાયી મંડળ, સહ  કર્મચારી મંડળ  વિગેરે  દરેક માં  હોય છે .  ભાગ્યેજ  કોઈ   સાચો  માર્ગ દર્શક  મળે સાચી  સલાહ  આપે   કેટલાક  તો  જાની ને  અવળે  માર્ગે  દોરનારા  પણ  છે  જે  કાચા  કાન  વળી  વ્યક્તિ ને  સહેલાયીથી  ગેરમાર્ગે  દોપ્રે  છે  અને  કાચા  કાન  વળી  વ્યક્તિ  ગેરમાર્ગે  દોરવાયીને  ના  કરવાનું  કરી  પણ  બેસે  છે.  કેટલાક  પોતાના  હેતુ  અને  પ્રયોજનો  સિદ્ધ  કરવા   પણ  અં પ્રકાર ની   ગેર સમાજ  ફેલાવી ને  અં તુત  અને  ફૂટ  ને  વધારે મજબુત બનાવે  છે  એવું  પણ  કહેવાય  છે  કે  દંગ ના  માર્યા  પાણી  છુટા  ના  પડે   પણ  આજ ના  જમાનામાં    અં  માત્ર  કહેવત  જ  રહી છે. આજે   તો  અંગ  ઉપાંગો  બધું  છુટું  પડી ને  વેચી  દેવાનો  જમાનો  આવ્યો છે.  જો  કે  અં કક્ષા  માં  તજજ્ઞો નો સમાવેશ  થાય  નહિ.  તે  આખરે  બુદ્ધિજીવી  વર્ગ  છે  થોડાક  સ્વાર્થ  કે  સગવડ  સચવાય  તે  માટે  તે કડી  નીચી  કક્ષા એ  તો  જય  જ  નહિ અને  તેથી  જ  સમીર ભાઈ જેવી  વ્યક્તિ  માટે  ભલે  પ્રજ્ઞા એ  ગમે તે  વાક્ય  ગમે  તે  સંજીગો માં  કર્યું  હોય   મને  તે  વર્ગ  માટે  મન  છે ભલે  મારું  કામ  ના  થાય  હું  તેમના  અંગત  રીલેશન માં અંતરાય રૂપ  બનું  તે  મને  શોભે  નહિ સમીર ભાઈ ની  પત્ની  ગૌરીબેન  પણ અમારા  કૌટુંબિક  વિખવાદ  આંતરિક વિસંવાદિતા અને   બીજી  ઘણી  બાબતો થી  જાણ કર  હોવા  છતાં   અન્યના  મામલામાં  કોઈ  હસ્ત ક્ષેપ  કરે  જ  નહિ.  વધુ  માં  વધુ  સહાનુભુતિ  જ  દર્શાવે.મારી  બંને  પરણિત  પુત્રીઓ  પણ  અં બાબત  માં  લાચારી  અનુભવે છે તે  અં બંને માં થી  કોઈને  પણ  ગુમાવવા  રાજી  ના  હોય  તે  સમજી  શકાય. છેવટે  મારે  જ  સમજી ને  કહેવું  પડે  કે  મારી  સમય મર્યાદા  પૂરી  થયી ગયી  છે  હું  આજ  છું  અને  કાલ  નથી   જીગરના  કહેવા  મુજબ  મારો  એક  પગ  કબર માં  લટકે  છે  ત્યારે  મારે  રસ્તા માં થી  ખસી  જયીને   સહોદરોના  માર્ગ માં થી  હાથી  જવું  જોઈએ. તેમણે  લાંબી  યાત્રા  કરવાની છે  અને  આમેય  હવે   આ શુષ્ક વૃક્ષ કોઈને  ઉપયોગી  બને  તેમ  પણ  જણાતું  નથી  શા  માટે  તેને  વળગી  રહેવું  જોઈએ ?  શુષ્ક  વૃક્ષ ને  તેના  હાલ  પર  છોડે  દેવું  જોઈએ.હું  ઈચ્છું  છું  કે  બંને  પરિણીત   પુત્રીઓ   બહેનો  તરીકે  તેમના  ભાઈ  સાથે  સારા  સંબંધો  રાખે  અને  જલાવે. ફક્ત  મારા  કારણેજ   તે  આ  સંબંધો સારીરીતે  જળવાતો  નથી . પુત્રીઓ  માં  બાપ  ને  તરછોડી  શકે  નહિ  અને  ભાઈ ને  છોડવા  રાજી  નથી   અને  ભાઈ ની  શરત  કડક  છે   આ લોકો ને છોડી  દો  તમે  અમારા જ  છો.  
    આનાથી  પણ  સૌથી  વધારે  જો  કોઈ  અસરગ્રસ્ત  હોય  તો   તે  સંતાનો  છે. તેમના  સંતાનો   એટલી  હદ  સુધી  એક  હતા  કે  તેમની  ગણના થતી  હતી. આ પાંચ  જ્યાં  હોય  ત્યાં  તેમની  ધક  વાગતી  હતી.  તેમની એકતા  મજબુત  હતી .પણ  આજે  આ  પાંચ  ત્રણ  ભાગ માં  વહેચયી  ગયા  છે.  આ પંચે  અમારા માટે  સમકક્ષ  છે.  સંતાન  પુત્રીનું  હોય  કે  પુત્ર નું   અમારા  માટે  તે  ત્રીજી  પેઢી નું   ચક્રવૃદ્ધિ  વ્યાજ  છે   પાંચ  ના  આજે  સાત  થયા  પણ   ભાગલા  પડી  ગયા  તે  સારું  નથી  થયું. તેમની  વચ્ચે  આ  પ્રકાર નું  વર્તન  અને  તેમની  નજરમાં અને  નજર સામે  જ  જયારે  તેમના  વડીલો    આ રીતે  ઝઘડતા   હોય  એક બીજા ને  તિરસ્કાર ની  નજરે  જોતા  હોય   કોઈ તો  કોઈ ને  મારી  નાખી ને  લોહી ની  નદી  વહેવડાવવાની  વાતો  કરતુ  હોય  ત્યરે  આ સંતાનો  જેમાં  બાળકો   પણ  છે  તેમની  સ્થિતિ  કેવી  ? આજે  એક  અણસમજુ   બાળક  જેની  સાથે  તેને  લાંબો  સમય   વિતાવ્યો  હોય   તેને  દબાણ માં  લાવીને  તેમનાથી  દુર  રાખવાનો  પ્રયાસ  થાય  ત્યરે  બાળક  તેના  માતા  પિતા ની  આજ્ઞા  તો  જરૂર  પાલેજ  માત્ર  આજ્ઞા  જ  નહિ  મમ્મી  પપ્પાની  ઈચ્છા નું  પણ   અનુસરણ  કરે  પણ  તેમાં  કેટલું  સાતત્ય  સમજવું ? અને  તે  લાચાર વૃધ્ધો  નો  કોઈએ  વિચાર  સુધ્ધો  નથી  કર્યો  કે  જેમને  આ લડ્ફક્વાયા  બાળકોને  ખોળામાં  બેસાડી ને રમાડ્યા  હોય  અને  આજે  તે  તેમની  સામે  થાય  તેમની  અવગણના  કરે  અરે  અપમાન પણ કરે  અને  તેમના  માં બાપ  આ  બાબતે  આંખ  આડા  કાન  કરે. ભણેલ  ગણેલ, પૈસે  તકે  સુખી  સમૃદ્ધ  મોટી  મશ  લાખોની   માસિક  કાયમી  આવક  ધરાવનારો  વર્ગ  માત્ર  એક  પોતાનો  અહં  સંતોષવા  માટે   તેના  જ  પ્રથમ  ક્રમ ના  સ્વજન ની  છેલ્લી  કક્ષાએ   મુલાવાની  કરે  તો  આનો  કોઈ  ઉપાય  ખરો  ? 

૩૦-૪-૧૨  ના  અનુસંધાનની  બાબત  તો  આજે  પણ  બાકી  રહી  ગયી  જે  હવે  પછી   વાણી  લયીશ. 
ક્રમશ  :૪-૫-૧૨ 

No comments:

Post a Comment