:  :  અતીતની  યાદો   :  : ૨૫-૭-૧૨ 
અતીતની  કેટલીક  યાદો  અને  પળો  દુર્ભાગ્યપૂર્ણ  પણ  હોય  છે  પણ  હર હંમેશ  એવું  નથી  હોતું  કે   જે  અતીતે  જોયું  હોય  અને  જાણ્યું  હોય  તે   હરહંમેશ  માટે  સાચું  જ હોય  કે  તે  જ  સનાતન  સત્ય  છે.  કાદવ માં   પણ  કમળ  ખીલી  શકે  છે  .પાણીમાં  રહેવા  છતાં  પણ  કમાલને  પાણી નો  સ્પર્શ  પલાળી   શકતો  નથી.કમળ  જળ કમળ વંત ગણાય  છે. ૪૦૦૦  નો  જમણવાર  કરાવીને ૪ રૂપિયા  પધરાવી ને  મફત  નથી  ખાધું  દેવો  દંભ    કરનારની  દુનિયામાં  પણ  અપવાદ  રૂપ  વિરલ  અધિકારીઓ  પણ  હોય  છે. ૪૦૦૦   ખર્ચવી ને  ૪  આપનાર નો  નામ  જોગ  ઉલ્લેખ   જરૂરી  નથી   જણાતો  કોઈને  ક્ષોભ  જનક  પરિસ્થિતિમાં   મુકવાની  મારી  ઈચ્છા નથી.  વિશાલ  દ્રષ્ટિ કોણ થી જોઈએ  તો  મહેમાનગતિ  કરાવી  તે   અતિથી  ધર્મ  છે. મ્માંહેમાન ને માટે  ભોજન ની  વ્યવસ્થા  કરવી તે  યજમાન ની   ફરજ  પણ છે. સામાન્ય રીતે  કોઈ  વરિષ્ઠ  અધીકારિ જયારે  તબનીન  કચેરીની  મુલાકાતે  જય  ત્યારે    તાબાના  કર્મચારીઓ  અને  અધિકારીઓ  તેમની  ખડે  પગે  સેવા  કરવા  તત્પર  હોય  છે. ભોજન  અને  તેને  અનુશાન્ગિક  તેવી  તમામ   જરૂરિયાતો   તાબાના  અધિકારીઓ  પૂરી  પડતા  હોય  છે. આને  એક  વ્યવહાર, સામાન્ય   શિષ્ટાચાર  અને  વિવેક  પૂર્ણ  આતિથ્ય કહેવાય. ઉપરી  અધિકારી  ભોજન  ના  પૈસા  આપે  તે  શોભે  નહિ, તાબાના  અધિકારી  તેવી  અપેક્ષા  રાખે તે  પણ શોભે  નહિ
મહેમાન  જો  હમારા  હોતા  હૈ  વો  જનસે પ્યારા  હોતા હૈ .....
યજમાન  અને  મહેમાન  બંને  ખુશ   હોય  તો  કોઈ  પ્રશ્ન  ઉદ્ભવી  શકે  જ  નહિ. છતાં  કાયદા  નો  વ્યવહાર  એક  અલગ  ચીજ  છે. મુલાકાતી  અધિકારી  મુલાકાતે  આવે  છે  ત્યારે  તેમણે  સરકાર  તરફથી   ભાડા   ભથ્થા  મળે છે  અને  તેમાંથી  જ  તેમનો  અનુશાન્ગિક  ખર્ચ  પણ   નીકળતો  હોય. પણ  વ્યવહાર માં  આવી  ગણતરી  મુકવામાં  આવતી  નથી. કિરણ  બેડી  એક  ઉચ્ચ  સરકારી  પોલીસ  અફસર  તરહી  ચૂકેલ  છે  અને  તેમની નિષ્ઠા  માટે  કોઈ  બે મત  નથી  છતાં  પણ  તેમણે  લીધેલા   ભાડા  માટે   કાગારોળ  થયેલી, ભલે  તે  બહુ  સાચી  સાબિત   નહોતી  થયી, પૈસા  પાછા  ભરવાની  વંત  કરીને તેમણે   પણ  એક  કબુલાત નામું  આપ્યું  હોવા  છતાં   તેમની  નિષ્ઠા  પડકાર રૂપ  નથી.એક  સામાન્ય  શુશ્તાચાર ની  મર્યાદા માં  તે  આવી  જય .સીતાની  પવિત્રતાની  ખાતરી  રમે  કરી  હોવા  છતાં પણ  સીતાનો  ત્યાગ  કરાયેલો  તેમ  શાસ્ત્ર  કહે  છે . પણ  આપને  એટલી  હદ  સુધુની  પવિત્રતાની  જરૂર  નથી
      પણ  આટલી  લાંબી પ્રસ્તાવના  પછી  હું  જે  અધિકારીની  પવિત્રતાને   દર્શાવવા માગું છું  તે નામ  જોગ   પણ  તેમની  ઈચ્છા  જ  નહોતી  કે મારે  તે  વંત  નામ  જોગ  કહેવી    પણ  સાપેક્ષ  દ્રષ્ટિ એ  આં પ્રસંગ નો  ઉલ્લેખ  કરવો  જ  જોઈએ.તેઓ શ્રી  પણ  એક   વખત  તાબાની  કચેરીની મુલાકાતે   ગયેલા. તે  કડી  પણ  કઈ જ  ખોટું  કામ  ચ્જલાવી  લેતા નહોતા  તેવી  કડક  છાપ  હતી. જે મકાન ની  ચકાસણી  કરીને  તેના  માટે  પ્રમાણપત્ર  આપવાનું  હતું  તે  મકાન ની  કામગીરીમાં  ઘણી  ભૂલો  હતી અને  આં સાહેબ  તેને  મંજુર  કરે  તેવી  કોઈ  શક્યતાઓ  જ  નહોતી. બીજી  બાજુ  જો  મકાન ને પ્રમાણપત્ર  ના  મળે  તો  જે તે  વિભાગ ને  તેનો  કબજો   મળે  નહિ  અને  જો  કબજો  મળે  નહિ  તો  આં મકાન નો  ઉપયોગ  થયી  શકે  નહિ.આં મકાન   આઈ.આઈ.ટી. નું  હતું  અને  જો  કબજો  ના  મળે  તો  નાવાસત્રથી   વિદ્યાર્થીઓને  પ્રવેશ  ના  આપીન શકાય.આં બાબતની  રજૂઆત  સ્થાનિક  અધિકારું એ   વિવેકની  પૂરી  મર્યાદામાં   રહીને  અને  પછ્હત  વિસ્તારના  વિદ્યાર્થીઓની  મુશ્કેલીઓ  સાથે  કરી અને   સુખદ  આશ્ચર્ય  વચ્ચે   સ્થાનિક  અધિકારીના  જોખમે  તે  દુરસ્તી  કરવી  આપશે  તે  શરતે   તેમણે   કબજો  સોપવાની  મંજુરી  આપી દીધી.  જીલ્લાના  અધિકારીઓને  કલ્પના  પણ  નહોતી  કે   આવા  કડક  અધિકારી  આટલી  છૂટ  આપશે. તેમની  વ્યવહારિકતા  કાબિલે  દાદ  શ્રેષ્ટ  હતી. 
    તે પછી  સૌ  રેસ્ટ  હાઉસ  પર  આવ્યા. જમવાનો  સમય  હોવાથી  તેમના  માટેની  ભોજન ની  વ્યવસ્થા   કરવામાં  આવેલી. પરંતુ  તેમણે  નમ્રતા  પૂર્વક  જણાવ્યું  કે  આજે  તેમણે  અગિયારસ  નો  ઉપવાસ  હોવાથી તે  ભોજન  કરશે  નહિ. સ્થાનિક  અધિકારી   વિમાંષણ માં  પડી  ગયા  પણ  તેમણે  યોગ્ય  વિવેક  સાથે   જણાવ્યું  કે  અગિયારસની  ઉપવાસની  યોગ્ય  વ્યવસ્થા  તે  કરશે  પણ  તેમણે  ભર  પૂર્વક  ના  પાડી  દીધી કે  તે  ભોજન   નહિ  કરે. પણ  ભોજન  સમયે  કોઈ  ભોજન  ના  કરે તેના  જેવો  અવિવેક  પણ  બીજો  કોઈ  નહિ.  સ્થાનિક  અધિકારીના  પત્ની  અગિયારસ  કરતા  હોવાથી  તેમના  ઘેરથી  અગિયારસ ની  ફરાળી થાળીની  વ્યવસ્થા  કરવાનું   નક્કી  કરીને  મહામહેનતે    મુલાકાતી  અધિકારીને  માનવી  લેવામાં  આવ્યા .સ્થાનિક  અધિકારીના  ઘેરથી  તેમની નાની  પુત્રી  અગિયારસ નું  ફરાળ  રેસ્ટ  હાઉસ પર  પહોચાડી  ગયી  અને  મુલાકાતી  અધિકારીએ  ભોજન ના  સમયે  ફરાળ  કર્યું.  તેપછી  વિદાય  થવાનો  વારો  આવ્યો  ત્યારે  તેમણે  પણ  રેસ્ટ હાઉસ નું  રજીસ્ટર   મંગાવ્યું  તેમાં  જરૂરી  સહીઓ  કરીને   ચૂકવવાપાત્ર  નાના  જાતે  ચૂકવી  આપ્યા   ત્યાં  સુધી  તો  બધું  બરાબર  હતું  પણ  પછી  તેમણે  રેસ્ટ હાઉસ ના  મેનેજર ને  બોલાવીને  ૫૦  રૂપિયા   ભોજન  પેટે  આપ્યા   જે પેટે  કોઈ  બીલ  પણ ના  માગ્યું  .સ્થાનિક  અધિકારી  અને  રેસ્ટ  હાઉસ ના  મેનેજરે  પણ   તે  સ્વીકારવાની  ના પાડી તેમ  છતાં   તેમણે   ધરાર  ૫૦  રૂપિયા   મેનેજરને  આપ્યા.
કેવો  વિરોધાભાસ?
એક વખતની  અગિયારસે  લાંબુ મેનુ  આવ્યું દોડાદોડી  થયી  ગયી,  અને  બીજી  અગિયારસે   એક  પવિત્ર   અધિકારીના  દર્શન  કરાવ્યા. એકે  ૪૦૦૦ નો  ખર્ચો  કરાવ્યો  તો  બીજાએ  ૧૦ ની  ડીશ ના  ૫૦  ચૂકવ્યા  અને  તે  પણ  ફરજીયાત  પ્રેમથી .....તેમના પ્રમોશન  ની  વંત  પણ  રોચક  છે  પણ   તેમણે  કોઈ  પ્રસિદ્ધિ    નથી  જોઈતી   તેમ  ભર  પૂર્વક  મને  જણાવ્યું   હોવાથી  લાચારી  સાથે   તેમની  સેવાઓને  અને અણીશુધ્ધ   પ્રમાણિકતા  અને  પવિત્રતાને  માત્ર  ભાવ ભરી  અંજલી  પાઠવું  છું.  કાદવ  વચ્ચે  પણ  કમળ ઉગી  શકે  છે

ગુણવંત પરીખ

No comments:

Post a Comment