: : વાણી વિલાસ : ;:POLITICAL WORD DUETS :



               :      :       વાણી    વિલાસ    :   ;:POLITICAL WORD DUETS   :  :

એક બાજુ  ચું ટ ણી ના   પડઘમ  વાગી  રહ્યા  છે  ત્યારે  રાજકીય નેતાઓ આડેધડ  નીવેદન  બાજી ઓ  કરી રહ્યા   છે।આક્ષેપ  અને પ્રતિઆક્ષેપ  ના   વાણી  વિલાસ માં   નીતિ  મત્તા  અને મર્યાદા  ભૂલી  જાય  છે સમા ને નીચો  કે  હલકો  ચિતરવામાં   જાણે  કે ગૌરવ સમજે  છે  અને  આ પ્રકારની નિવેદન બાજી  ,આક્ષેપો  અને  પ્રતિ આક્ષેપો  પ્રજા  અને  ખાસ  કરીને મીડિયા  બંને  પ્રિન્ટ મીડિયા  અને ઈલેક્ટ્રોનિક  મીડિયા  માટે  મોટા  મસાલા  પુરા પડે  છે।  સમજુ નાગરીકો  તો તેને  હાસ્યાસ્પદ ગણે  છે  અને બીજા મોટા વર્ગના  નાગરીકો  માટે  આ માત્ર  મજાક નું  સાધન  બની રહે   છે। .ખાસ  કરીને  હજુ સુધી  તો  બી।જે।પી।  ના  જ  ગણાય તેવા નેતા   અને ભૂતપૂર્વ  મુખ્ય મંત્રી  કેશુભાઈ પટેલ, ઉચ્ચ મહત્વાકાંક્ષા  ધરાવનાર   બી।જે।પી છોડીને  નવો  પક્ષ  રચનાર  ગોરધનભાઈ અને બહુ  બોલકા   કોંગ્રેસી  નેતા   અર્જુનભાઈ  આડે  ધડ  નિવેદનો  અને આક્ષેપો નો  મારો  ચલાવે  છે।  શંકર સિંહે  જોકે  અણગમો  હોવા  છતાં   કૈક  અંશે  વાણી  પર  કાબુ  રાખેલો  છે  પણ  એક   ધ્યાન  ખેચવા  જેવી વાત  એ  છે  કે  જેના  ઉપર આક્ષેપો  થાય  છે  તે  હાલ ના  મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી  એ વાણી  પર  હાલ તો કાબુ  રાખેલો  છે,  હોઈ  શકે  તે  પણ   સમા   પડકાર માટેનો  એક  વ્યૂહ  હોય, ગમે તે હોય,  પણ  તેમનું  મૌન  અકળ  છે।  તેમને વિરોધ  કરીને  કે  વિવાદાસ્પદ  ણીવે દાનો  નથી  કાર્ય।તે  પોતાના    " વિકાસ  " ના  કામો  માં જ મસ્ત   રહે  છે અને  તમામ  આક્ષેપો ને  દેખ્યા  અણદેખ્યા અત્યારે  તો  કરી  રહ્યા છે।
    તટસ્થ રીતે  જોઈએ  તો  આક્ષેપો  કરનારો  અને  નિવેદનો  બહાર પડનારો  વર્ગ એક  અસંતુષ્ઠ્ વર્ગ  છે .કેશુભાઈને મુખ્યમંત્રી  બનવાના  કોડ  છે  અને  પક્ષ તેમનું  નામ  જાહેર  કરે  તે  પહેલા  તે પોતે  મુખ્યમંત્રી  તરીકે  પ્રોજેક્ટ  થાય  છે જે એક બાજુ જોવા જાવ  તો  પક્ષની  શિસ્ત ની  વિરુદ્ધ છે પણ  પક્ષ તેમની  સામે  પગલા  લેતા  ગભરાય  છે કારણકે તેમની  પાસે  પાટીદાર  સમાજનું  એક મીતુ બળ  હોવાની  ગણતરી છે .અર્જુનભાઈ  તો  વિરોધ પક્ષ ના  જ  સભ્ય  છે  અને  વિરોધ  પક્ષનું  કામ  તો હંમેશા  સરકાર  કરે તેનો  વિરોધ  જ  કરવાનું  તેવો  જે  એક  મત  પ્રવર્તે  છે  તેના   પ્રવક્તા સ્વરૂપે  સરકાર   સામે આડેધડ  નિવેદનોઅને  હવે  તો  આક્ષેપો  અને  પણ  પાછા  પુઈરવા  સાથેના આક્ષેપો  છે  તેમ  તેમનું  કહેવું છે  .લોકશાહીમાં  વિરોધ પક્ષ  મજબુત  હોવો જ જોઈએ તેમાં બે મત નથી   પણ  વિરોધ  માત્ર  ખુરશી  લક્ષી  બની જાય  ત્યારે  તે  ફરસ રૂપ  પણ બની   જાય  છે।
        કેશુભાઈએ  પોતાની જાતને  પિતામહ  ભીષ્મની સરખામણી માં  તેમના  કરતા  પણ મુઠી  ઊંચેરા  હોવાનો દાવો  કરેલો  અને  જણાવ્યું  હતું  કે  તે  ભીષ્મની  જેમ  ચુપ નહિ  રહે।  પરિવર્તન માટે પ્રયત્નશીલ  છે   પણ  કેવું પરિવર્તન ?  માત્ર  નરેન્દ્રભાઈ  મોદી ને ખસેડવાનું જ એક  માત્ર  ધ્યેય  છે।   વ્યવહાર  માં   મોઘવારી  એ મઝા  મૂકી  છે, તે   અંગે  કોઈ  કશું  કેમ  બોલતા નથી ?  મોઘવારી  દુર  કરીશું  તેમ  કોઈ  કેમ  કહેતા  નથી ? તેલ ના  ડબ્બાના ભાવ  2000   વટાવી  ગયા  તેની  કોઈને   પડી  છે  ખરી ?ના, ના , ને ના .....કોઈને પણ  પડી  નથી  દરેકને   માત્ર  ખુરસી  જ  જોઈએ  છે .કેન્દ્ર  હોય  કે  પ્રાદેશિક  રાજ્ય  દરેકની  નજર  માત્ર  ખુરસી  પર  છે   અને  તે મેળવવા  માટે જ  આ બધી  નિવેદનબાજી  અને આક્ષેપો   અને  પ્રતિ  આક્ષેપો ની  હારમાળા   ચાલી  રહી  છે।  કેશુભાઈ  પોતાની જાતને ભીષ્મ  કરતા  પણ મહાન  ગણાવવામાં    ભૂલી  ગયા   કે  ભીસ્ધમાં  ને કેમ  ચુપ  રહેવું  પડ્યું  હતું ?  ભીષ્મ ને  રાજ્ગદીની  પડી નહોતી, તેમને  હસ્તિનાપુરનું  રાજ્ય  સિંહાસન  નહોતું  જોઈતું  પણ   હસ્તિનાપુરની   શાંતિ  અને  સમૃદ્ધિ ની  ચિંતા  હતી।   કેશુભાઈ, અર્જુનભાઈ,ગોરધનભાઈ આ  કોઈને  ગુજરાતની  ચિંતા છે? ગુજરાતની  પ્રજાની   ચિંતા છે? મોઘવારીની  ચિંતા  છે?  કથળી ગયેલા  વહીવટની  ચિંતા  છે?  વહીવટ ના  ભ્રષ્ટાચારની   મોટી  મોટી  બંગો  પોકારે  છે તેના  માટે તે  દુર  કરવાની  કોઈ  યોજના  છે  તેમની  પાસે ?  દરેક  પ્રશ્ન  ના  જવાબ  છે    ના।..ના।.. અને  ના દરેક  પાસે  ઢગલો  ધન  છે  તે  કઈ  કામની નું  છે તે  કોઈ  કહી  શકાશે ?   જવાહરલાલએમ  કહી  શકે  તેમ  હતા  કે તે  ગર્ભ  શ્રીમંત  હતા  પૈસો  તેમને  જોયો  હતો,શ્રીમંતાઈ  તે,મને  જોઈ  હતી,  એસ આરામ  ઓઅન  તેમને  પરવડતા  હતા ,   પણ   તેમના  પછીની  કોંગ્રેસ નહી  જમાત  નુંશું ? માત્ર  કોંગ્રેસ  જ  નહિ  તમામ રાજકીય  પક્ષોને  આ  વિધાન  લાગુ  પડે  છે। વિનોબા ભાવે, રવિશંકર મહારાજ,જાય પ્રકાશ નારાયણ   આ  બધા  પૂજનીય  નેતાઓ  ની  સરખામણી  માં   હાલ નો  નેતા  ગણ  ક્યાં  ચ્ફ્હ્હે ?   નિવેદનબાજી ,આક્ષેપો  અને  પ્રતિ  આક્ષેપો  કરવામાં  તે  શૂરો  છે।   આતંકવાદી  હુમલા  થાય  છે  ત્યારે  બધા  ક્યાં હોય  છે ? તેમની  સાથે સોદાબાજી  કોણ  કરે છે ? પાવડે  ઉલેચી  શકાય નહિ  તેટલું  સાત  નહિ  પણ  સિત્તેર  પેઢી  ચાલે તેટલું  ધનમ  ભેગું  કરનારને પણ   સંતોષ નથી . ઢગલો  ધન  ભેગું  કરીને  બેઠેલા   પ્રોમોદભાઈ  ની  હાલત, જોઈ ? અપ્રતિમ  સંપત્તિ  ભેગી  કરનાર  રાજેશ  કાકાની 200  કરોડની   મિલકત  માટે જે   દાખ  દેખાય  છે તેની કાકાને  ખબર  હતી  ?   તમારી  કાલ  કેવી  હશે  તેની  તમને  ખબર  છે ?  જ્યોર્જે  ફરનાન્દીઝ  ની  હાલત  તો  જુવો ?  પડદા  પાછળ  આવા ધાગલાબંધી  ઉદાહરણો  છે।  ભગવાન  ખાતર   પણ નિવેદનબાજી  અને  આક્ષેપો  અને  પ્રતિઆક્ષેપો  કાર્ય  વગર   પ્રજાની   થોડીક  તો  કાળજી  રાખો ///એક   રાજા  હતો  તે  પણ  જો કાળજી  નહોતો  રાખતો  તો ફેકી જતો  હતો  અને  જેને  પ્રજાની કાળજી રાખી  હતી  તેવા  રાજવીઓ  સયાજીરાવ   કે  ભાવનગરના  રાજવી ને  આજે પણ  પ્રજા  માનભેર  યાદ  કરે છે।
ગુણવંત પરીખ 

No comments:

Post a Comment