From:-
Gunvant R.Parikh
B.E.Civil, LL.B.
Hon Adm.Officer. VKK>
Consumer affairs & Executive Engineer R&B (Retd,)
4- Mangal Park, B/H post office
Geetamandir road
Ahmedabad 22 (380022 )
T.Nos. 077925324676 ,9408294609 ,9924433362
प्रति
પોલીસ કમિશ્નર શ્રી
અમદાવાદ શહેર
શાહી બાગ
અમદાવાદ
વિષય :- શહેરની કાયદા અને વ્યસ્થા ની જાળવણી બાબત .........
સ્નેહિશ્રી ,
આપની કુશળતા ઈચ્છું છું.
હું જાણું છું અને માનું પણ છું કે વહીવટ ની ટીકા કે આલોચના કરાવી સહેલી છે પણ તેની જાળવણી નો પ્રશ્ન સહેલો નથી. .દરેક અદ્ઘીકારી પોતાના ક્ષેત્રની મર્યાદા અને અન્ય પરિબળોને નજરમાં રાખીને તે કામ કરે જ છે પણ છતાં પણ કૈક શરતચૂક થયી જય તો તે માટે તેના માથે માછલા ધોવાય છે. પણ તેનાથી વિપરીત બાબત પણ બને છે જેના માટે ઉપરી અધિકારી ને જ જવાબદાર ગણવામાં આવે છે અને તેમણે તે જવાબદારી સ્વીકારવી પણ જોઈએ. એક નાનું ઉદાહન આપું છું.
ગીતામંદિર રોડ ઉપર આવેલી પોસ્ટ ઓફીસ ના જ કામ્પોઉંન્દ માંથી જ તેની માલિકીનું ટપાલ નહાવાનું આખે આખું ડબલું જ ચોરી ગયું છે અને તેની ફરિયાદ સબ પોસ્ટ માસ્તરે આપેલી પણ છે. ચોરી ના માલની મોટી કિંમત નથી પણ ધ્યાન માં લેવાની બાબત એ છે કે સરક્લારી મકાન ના કામ્પોઉંન્દ માંથી સરકારી નિશાની વાળી ચીજ જે પોસ્ટનું ડબલું છે અને તે ખીસામાં મુકીને કરે એક હાથે ઉચકીને ભાગી શકાય તેવું પણ નથી કે એકાદ થેલીમાં સંતાડી ને પણ લયી જયી શકાય તેવું પણ નથી છતાં ચોરી જય છે અને તે વાગે પણ થયી શકે છે. .ચોરીનો મસા લેનાર સહેલાયીથી જોઈ અને જાની શકે છે કે આં સરકારી મળ છે અને છતાં તે જો સ્વીકારતો હોય તો તે અવશ્ય રીઢો માણસ હોવો જોઈએ અને પોલીસ કમસેકમ તેવા માણસની તપાસ કરી જ શકે અને જો ચોર ના મળે તો કદાચ કઈ નહિ પણ આવા મળ ને લેનાર પણ મળી જય તો તે વિસ્તારના અનેક ગુના નો ભેદ મળી શકે. કારણ આવી નાની મોટી ચોરીઓ અનેક થયેલી છે જેની ફરિયાદ લખાયેલ પણ છે અને નહિ લખાયેલ ફરિયાદો પણ અનેક હશે. પણ આપના જેવા કાબેલ અધિકારી, બ્જ્હાલે આં બાબત નાની લાગે પણ જો તેનો ભેદ ઉકેલી શકો તો અનેક નાની મોટી ચોરીના ભેદ ઉકલી શકે છે.
આં વિસ્તારમાં જન્માંર્ગનું કામ છેલા છ એક માસ થી ચાલી રહેલ છે અને તે એકદમ મંથર ગતિથી ચાલે છે જેના પરિણામે વાહન વ્યવહારની હાલત એકદમ કફોડી બની ગયેલ્ક
છે. .ટ્રાફિકન માર્ગ ઉપર જ અનેક દબાણો છે, અને આપની મર્યાદામાં આવે તેવી બાબત એ છે કે રસ્તા ઉપર જ લોકો તેમના વાહનો પાર્ક કરી દે છે જેના પરિણામે બસ વ્યવહાર અવરોધાય રહ્યો છે. મુનીસીપલીતીની બસો ના સ્ટેન્ડ ઉપર પાર્ક કરેલા વાહનો હોય છે જેને કોઈ ઉપાડતું નથી .આં પોસ્ટ ઓફિસની બાજુ માં મંગલ પાર્કનું બસ સ્ટેન્ડ છે. તેની એક બાજુના સ્ટેન્ડ ઉપર એક મોટું વેપારી સંકુલ- એપેક્ષ હોન્ડાનો શો રૂમ છે અને તેના મુલાકાતીઓના વાહનો થી રસ્તો ભરાઈ જય છે, રસ્તો ઓળંગનાર માટે વાહન કઈ દિશામાંથી આવશે તે કળવું મુશ્કેલ હોય છે જેનાથી રાહદારીની જીંદગી પણ ભયમાં રહે છે.ટ્રાફિક શાખા વાહનો ને નિયંત્રિત કરતી નથી અને કોર્પોરેશન કામની દેખરેખ રાખતું નથી કે તેમના તાબાના બસ વ્યવહાર્તને પણ નિયંત્રિત કરી શકાતી નથી. બસ ના ચાલકો મનફાવે તે રીતે ટ્રાફિક નો ધ્યાન રાખ્યા સિવાય બસો દોડાવે રાખે છે, કોઈ સા ઈ ડ કે લેન નું ધ્યાન રાખ્યા સિવાય આડે ધડ બસો જય છે, અને તેનું જોઇને બીજો ટ્રાફિક પણ આડેધડ જય છે. આં તબક્કે હું માનું છું કે રાહદારી કે વાહન માલિકો પાસે ટ્રાફિક સેન્સ ઓછી છે પણ તેનો ભોગ તો નાગરિક જ બને જેમના જાણ મળ ની જવાબદારી આપની જ ગણાય. મુનીસીપાલ કમિશ્નર અને પોલીસ કમિશ્નર બંને સાથે બેસીને અથવા બંને તેમના અધિકારીઓને યોગ્ય સૂચનાઓ આપે તો પણ ઘણું છે. .રસ્તાના કામની જવાબદારી મુનીસીપલીતી ની છે કામ નું ધારા ધોરણ, સમય મર્યાદા અને તેને આનુંશાન્ગિક દરેક બાબત પર તે કાળજી લે તે આવશ્યક છે. સ્થળ ઉપરના અધિકારી કે કર્મચારી કોઈનું સંભાળતા નથી તેવું જણાવાય તો તે માં અતિશયોક્તિ નથી. આં પ્રશ્ન માત્ર મંગલ પાર્ક કે ગીતામંદિર ના બસ સ્ટેન્ડ પુરતો માર્યાદિત નથી લગભગ દરેક અગત્યના સ્ટેન્ડ ની આં હાલત છે અને કોઈ પૂછનાર કે કહેનાર નથી તેવી હાલત છે. બંને વિભાગ પોલીસ અને કોર્પોરેશન એકબીજા ઉપર ઢોળે છે પણ સરવાળે સહન તો પ્રજાને જ કરવું પડે છે. સ્ટેન્ડ ઉપર બસ ઉભી ના રહે તેના માટે કદાચ બસ વાળા જવાબદાર ગણાય પણ ખરા પણ તેઓ કહે છે કે સ્ટેન્ડ ઉપર રીક્ષાઓ ઉભી હોય છે અમે શું કરીએ ? રીક્ષા વાળાઓને ખસેડવાનું કામ પોલીસ નું છે. શક્ય છે કે રીક્ષા વાળા કદાચ પોલીસ ને ગણકારતા ના પણ હોય, તેમનું યુનિયન મજબુત છે તો પેલી બાજુ બસના ચલ;અકો અને કન્દાક્તારોનું પણ એટલું જ મજબુત યુનિયન છે. બન્ને વછે પીસાય કોણ ? પ્રજા,પ્રજા અને પ્રજા. બંને એકબીજા ઉપર આક્ષેપો કરે છે પણ કોણ કોને કહે ?
સભી મસ્ત હૈ, કોણ કિસકો સંભાળે, કોણ કિસકો બતાયે આપ કહા હૈ ?
આં ફરિયાદ તરીકે નહિ પણ રજૂઆત તરીકે સ્વીકારશો તો અવશ્ય ઉકેલ મળશે. બંને કમિશ્નર પાસે અખૂટ સત્તા છે, સ્ટાફ પણ છે, સગવડ પણ છે દરેક પ્રકારના પરિબળો આપની સાથે છે , જો આપ પ્રજાના આં પ્રશ્ન ને કાળજી પૂર્વક નહિ ચકાશો તો કોણ સંભાળશે ?
હું આપણે શું મદદરૂપ થયી શકું તે પણ યોગ્ય લાગે તો જણાવશો. હું આપની સાથે અવશ્ય મારી મર્યાદા મ રહીને આપણે મદદ રૂપ અવશ્ય થઈશ.
આપનો વિશ્વાશું
ગુણવંત પરીખ.
નકલ સવિનય રવાના માં. મુનીસીપાલ કમિશ્નર શ્રી, એ.એમ.સી. અમદાવાદ તરફ જાણ માટે, ઈ.મેલ. દ્વારા
Copy with respect to S.S.P. Navarangpura Ahmedabad for information with a request to expedite the issue of theft at Post Office Gitamandir road branch Ahmedabad 22 befor competant authorities of police department as well before your Department also. Through E.Mail .
No comments:
Post a Comment