- : સંબંધના સમીકરણો : -

From :-
Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  ,9924433362

                          


  - :   સંબંધના  સમીકરણો  : -


          કૌટુંબિક  સંબંધો  અને  વ્યવહારો  તે  બજારુ  ખરીદી  નથી  કે   કોઈ  શરતો ને   આધીન  હોય। શરતો  લાગુ  પડતી  હોય  તો  તે  સંબંધ  નહિ સોદો  કહેવાય અને  કૌટુંબિક   સંબંધ   સોદોનાથી। આ સંબંધો  વ્યવહાર  ઉપર  ચોક્કસ પાને  આધાર  રાખે  છે  પણ  સૌથી  વિશેષ  તો  કૌટુંબિક  સંબંધો  સ્નેહ , સંવેદના ,પ્રેમ  અને  ત્યાગ  ઉપર આધારિત  છે। 21 મી  સદી  ત્યાગ માં  બહુ  માનતી  નથી :  મોટે ભાગે  તો  આ  સદી ઝડપી  યુગ ની  સદી  છે  અને  તરત  દાન  અને   મહાપુન્યમાં મને  છે।  21 મી સદીની   આજની  યુવા  પેઢી   મોટે ભાગે તો  એમ જ વિચારે  છે  કે  હું  જે  કરું  છું  તેના  બદલામાં  મને  શું  મળશે  ? એક વખત  સિદ્ધિ ની  પ્રાપ્તિ  થાય   અથવા થયી  ગયી  પછી  સિદ્ધિ  પ્રાપ્ત  કરાવનાર  પરિબળોને  યાદ  કરવાનું  તે  ભૂલી  પણ  જાય  છે  જે  તેના  20 મી    સદી ના  વડીલ ને  ખટકે  પણ  છે।  પણ   તેનો ઉપાય  શોધવો  મુશ્કેલ છે।

        એક સાદો  સીધો  પણ  સર્વમાન્ય વ્યવહાર  છે  કે  માં-બાપ   તેના  સંતાનો ની  તમામ  જરૂરિયાતો   પરસ્પરની સગવડ  મુજબ અને   અગત્યતા મુજબ  વિચારીને  પૂરી  કરે  જ  છે અને  તે  માટે  કોઈ   સોદો  તે  સમયે  થતો નથી  અને  તે જ  રીતે  સંતાનો   મોટા થાય  પછી  સંતાનો   તેમના  માતા પિતાની  તમામ  જરુરીઅતો  પૂરી  કરે  તેમાં  પણ  કઈ  સોદો   નથી  :  કુદરતી  વ્યવહાર  છે :  કોઈ  કોઈન  ઉપર  ઉપકાર  કરતું  નથી  કે  સોદા ની  પણ   કોઈ  વાત   નથી : પરસ્પર  પ્રેમ અને  સ્નેહ  તેમજ  સંવેદનાના સંબંધો નું  તે પરિણામ છે। શક્ય છે  કે માતા  પિતા  ગરીબ  હોય  અને  તેમના  સંતાન ને  તે  પુરતી  સગવડ  ના  પણ  આપી  શક્ય  હોય  તેનો  અર્થ એવો નથી  કે  સંતને  પણ  તેના માતા  પિતા ને  જેટલું  આપ્યું  તેત્લુજ  પરત  કરવું :  સંતાન  પૈસે  તકે સધ્ધર  હોય ,સાધન   સંપન્ન હોય  અને  છૂટ થી  રહી  શકે  તેમ  પણ  હોય  તો  તે  તેના  માતા  પિતા ને પણ  તેટલી  જ  સગવડ  આપે  તો  તે  ઉપકાર  નથી  કે  સોદા ની   પરિપૂર્ણતા પણ  નથી  કરતો .એવું  પણ  બને  કે માતા  પિતા  એ   સંતાન   ની  તમામ  જરુરીઅતો છૂટ થી  પૂરી  કરી હોય,અને  કમનસીબે  સંતાન  પૈસેટકે    સુખી ના  પણ   હોય ,  તો  માતા  પિતા પણ  એવી   અપેક્ષા ના   રાખી શકે  કે  મેં   મારા સંતાન ને  ઘી  દુદુધ ની  છોળોમાં  રાખેલ  છે  અને  મારું  સંતાન મને  પાણી  માટે  પણ   વલખા મરાવે  છે। સંબંધો  સમજદારી ના  છે  સોદા ના    નથી  જેવી   જેની  સગવડ , અને  સાથે  સમજ :શાસ્ત્રો  સમાજ,સંવેદના  અને   ફરજ  ને   મહત્વ આપે  છે  જયારે  21 મી સદી  :  કલિયુગ  કહીએ  તો  ચાલે  :  તે   માત્ર સોદા  અને   સગવડ  ને  જ  મહત્વ  આપે  છે। 

       21  મી  સદી  માં  એવો  વર્ગ  પણ  છે  કે  જે  એમ  ખુલ્લેઆમ  કહે  છે  કે   માતા પિતાએ  અમોને  મોટા   કાર્ય તેમાં  કોઈ  ઉપકાર  કર્યો  નથી  :  જાન્ય જલાવે  અને   પરણ્યા પાલવે  તે  સિધ્ધાંત  તેમના  જ  યુગ  નો  છે  માટે અમોને  મોટા કાર્ય  તેની  કિંમત  તે  માગી  શકે  જ  નહિ। વાત  સાવ  કાઢી   નાખવા જેવી  પણ  નથી  પણ  સંવેદના  તે  સ્વીકારશે ? કદાપી  નહિ। અરે   છકી ગયેલ  સંતાન  ને  તો  એવું  પણ   કહેતા  સાંભળેલા છે  કે  માં  એ  દૂધ  પીવડાવ્યું  તો  બે   વર્ષ ન  દૂધ  ની  કિંમત  ગણે , વ્યાજ ઉમેરે  અને  જે   રકમ થાય  તેનાથી  પણ વધારે  રકમ  ઉભી  મીનીટે  હું  આપી  દુ  છું  :   લેતા પરવારો  અને  અમારો  પીછો  છોડો :
સંતાનો  ખુલ્લે આમ  એમ  કહે  છે  કે  તમે  અમોને  ખવડાવતા  હતા   ત્યારે અમારે  તમારું  કહ્યું  કરવું  પડતું   હતું  હવે  તમે  અમારા   રોટલા ખાવ  છો  માટે  તમારે  અમારું  કહ્યું  કરવું  પડશે  કોઈ  જાત ની  ટકટક  નહિ  કરવાની, જે  મળે  તે  ખાઈ  લેવાનું  અને     ઘરના એક  ખૂણાઅમારા  છોકરા  પણ  કઈ  બોલી  જાય  તો  સહન  કરી  લેવાનું  તેમની  સામે  ઊંચા  અવાજે  બોલવાનું  નહિ  ખૂણા માં   પડી  રહેવાનું  વૃદ્ધાશ્રમ માં  રહેતા  એક  વૃદ્ધ એ  કહેલું  કે  મેં  મારા  પુત્રને  કહ્યું  કે  મેં  તને  નવ   મહિના  પેટમાં રાખીને  જલાવ્યો , તે  પછી  ના  નવ  મહિના  રાતો ના   ઉજાગરા કરીને  પળાવ્યો   અને  આજે  મારા  માંડે  સાજે  તું  ખબર    ના  પૂછે  તે  કેવું ?   પુત્ર એ  કહ્યું   દોશી  એ  બધી  વાતો  જવાદે   :  આ  વૃદ્ધાશ્રમ નો  ખર્ચો  હું  આપું  છું  તે  પુરતું  છે  મને  સમય  નથી  અહી  આવવાનો  કે  નથી  સમય તારી  કીહ્યાબર  પૂછવાનો  .જે મળે  તે   લઇ લે  જે  જોઈએ  તે  મેનેજર ને  કહેજે  આપી  દેશે મારી   પાસે  રોડના રડીશ  નહિ।

     સમાનતા  અને  સમોવાદીયાનો  યુગ  છે।  એક  વેવલો  પુરુષ  તેની  પત્ની  માટે  બહુ  સમાંનાતાન્બી  વાતો  કરે ,  આજે  તે  ખાવા  બનાવ્યું     કાલે હું  બનાવીશ , આજે   પોતા તે  કાર્ય  તો  કાલે  મારો  વારો  આમ  દરેક  બબ્નત માં  વહેચીને  કામ    કરે।પત્ની  તેની  વેવ્લાયી થી  કંટાળી  ગયી  પણ  કામ નો  બોજો હલકો  થતો  હતો  માટે  ચલાવી  લેતી  હતી। પણ  તેને  આ  વેવાલાયી  ગમતી  તો નહોતી .બાળક ની  સર   સંભાળ માં  પણ  તે  આટલી જ  સમાનતા  રાખતો  હતો। એક  રાત  પત્ની  જાગે  તો  બીજી  રાત  પતિદેવ જાગે।  સરે  નસીબે  પત્ની  માટે  સારા  દિવસો  ફરી  આવ્યા  અને  પતિદેવ ની  જવાબદારી  વધી  ગયી। પત્ની ને  પણ  વેવલા  પતિની  વેવાલાયી  છોડાવવાનો  એક  અવસર  મળ્યો। પુરા  માસે  જયારે  સમય  આવ્યો  ત્યારે  પત્નીએ  પતિદેવ ને   કહ્યું  પહેલા  સંતાન   વખતે  હું  પ્રસુતિ  ગૃહમાં ગયી  હતી  આ  વખતે  તમારો  વારો . પતિ  દેવ  શું  બોલે  ?  જેનું   કામ  જે  તે  સમ,એ  જેના  ફાળે  આવે  તે  જ   કામ  તે     તેસમયે કરે તે  જ  સાચો  વ્યવહાર  છે:  તેમાં  જ  સાચો  પ્રેમ   ,સ્નેહ  અને  સંવેદના  પણ  સમાવાયેલી  છે।માતા- પિતા  હોય , સંતાનો  હોય  કે  પતિ-પત્ની  સૌ  પોત પોતાની  જવાબદારી   યોગ્ય રીતે  સમજે  અને પૂરી  કરે, સમજદારી  પૂર્વક ,નિષ્ઠાથી,પોતાના  તમામ   શક્ય પ્રયાશોથી , તો  કૌટુંબિક  ભાવના  જલાવયી  રહેશે।  આ  સમીકરણો  સોદા  ના  નથી  પણ   સંબંધોના  અને  સંવેદનાના  અને  સ્નેહ  પ્રેમ  અને  ત્યાગ  ની  સમાજ   આપતા સમીકરણો  છે

      21 મી  સદીનો પુત્ર  તો  મન   દુધની કિંમત  વ્યાજ  સાથે  વસુલી  આપીને  તેનું  નામ  રેકોર્ડ  બુક માં  લખવી  લેશે  અને  તે  પછી  માતા  પિતા  ને  એક  ખૂણામાં  બેસાડી ને  બે  રોટલીના   ટુકડા હીને  બીજો  રેકોર્ડ  પણ  સ્થાપી  દેશે  પણ શક્ય  છે  કે   તેનો  રેકોર્ડ  તેનું  જ  લોહી  તોડી  આપશે  અને  ત્યારે  તેને  સમજાશે  તેને  સિદ્ધ  કરેલ  રેકોર્ડ ની  કિંમત। પોથીમાં  તો  તે  સારું  લાગે  કે  તમે  એવું  વર્તન  કરો  જેવું  વર્તન  તમે   બીજા પાસેથી   અપેવ્ક્ષા રાખો  છો  .તોલ માપ નું  ધોરણ  અલગ  ના  રાખી  શકાય  નહીતર  ફરીથી  પાછા  તમે  એક  નવો   રેકોર્ડ  બનાવશો। 21 મી  સદીમાં  એવો  કોઈ  યુધીષ્ઠીર  પાક્યો  નથી  કે  જે  પોતક્ન  સગા  કુટુંબીઓ ને, ભાઈ, પત્ની  ને  પોતાની  મિલકત   પોતાની  આગવી  અને  અંગત  મિલકત ગણી  ને  દાવ  માં  મૂકી  દે , જરી  સાવધ  થાવ  21  મી  સદી ના   મહાન  મહામાનવો  કે  તમે  તમારી  મિલકત નો  વ્યાપ કેવો  અને  કેટલો  વિસ્તાર્યો  છે ?  એ  તો  દ્રૌપદી  હતી ,  તમોને  ખાતરી  છે  કે  તમારી  દ્રૌપદી  , તમારી  મિલકત , તમારા  અધિકાર નું  કેટલું   સન્માન કરે  છે  ?  કોણ  કોનું  કહ્યું  કેટલું  અને  કેવું  મને  છે  > ? ભૌતિક  સધ્ધરતા ને  સહજતાથી   જીરવો .બીજાને  સુખી  કરવાની  તમારી  ઈચ્છા  ના  હોય  તો  કઈ  નહિ  બીજાને  દુખી  કરવાની  ઈચ્છા   કેમ રાખો છો  ?  તમોને  ખાતરી  છે  કે   આનાથી તમોને  સુખ  શાંતિ  મળી  રહેશે  ?

From :-
Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  ,9924433362

No comments:

Post a Comment