- : આંસૂ : - વિરહ , વેદના ,સંવેદના કે માત્ર નૌટંકી નું પ્રતિક ?

         - :  આંસૂ : -

વિરહ , વેદના  ,સંવેદના   કે  માત્ર નૌટંકી નું પ્રતિક ?


          કારણ  ગમે  તે  હોઈ શકે  ,  પરંતુ  એક   વાત  ચોક્કસ  છે કે   આંસુથી મન નો  ભાર  અને  બોજો  કૈક અંશે  ઓછો  જરૂર  થાય છે . મન  થ્યોડી   હળવાશ પણ  અનુભવે છે .આંસૂ  મોટે  ભાગે વેદના નું  પ્રતિક  છે ,વેદના   શારીરિક આપત્તિ   ની પણ હોઈ  શકે  ,  માનસિક  આપત્તિની પણ  હોઈ શકે , કોઈક  વાર  એવું પણ   બને છે  કે   ખુબ  હર્ષ અને  ખુશાલી માં  પણ    આંખ  માંથી  આંસૂ   આવે  છે   જેને ખુશી  ના આંસૂ   કહે  છે . પરંતુ     ભાગે  આંસૂ  તે   દુખ  અને  વેદના નું  જ  પ્રતિક  છે . વિરહ અને  સંવેદના    ન રી  આંખે     માપી ના પણ   શકાય  પણ  તે   લાગણી ના પ્રતિક ની  વેદના છે .
        શારીરિક    વેદનાના  આંસૂ  માત્ર  શારીરિક વેદના    જ પુરતા  જ માર્યાદિત    હોય છે અને     જેમ  શારીરિક  વેદના   ઓછી      તેમ  દુખ પણ ઓછું થાય  અને  આંસૂ નો   પ્રવાહ પણ    ઓછો થાય .બાહ્ય  ઉપચાર   થી પણ  તે  રોકી  શકાય   અથવા ઓછો  કરી શકાય . તેની  ગંભીરતા     નથી  વધારે :અને  આ  આંસૂ   તો  માણસ  ની   સહન શીલતા  ઉપર  આધાર  રાખે  છે . સરદાર સરદાર વલ્લભભાઈ  પટેલ ના  જીવન નો  એક   પ્રસંગ છે  :  તેમની સહન શીલતા   અજોડ હતી .શારીરિક  દુખ અને  વેદના  સહન  કરવાની તેમની   શક્તિ  અદભુત  હતી :  એક  વાર  એક   નાના ઓપરેશન  માટે તેમને   હોસ્પિટલ  જવું પડ્યું  અને    સર્જને  તેમને   ચામડી  બહેરી કરવા  માટે  ઇન્જેક્શન   આપવાની  તૈયારી કરી।  પણ   સરદારે સરદારે  નીડરતાથી નીડરતાથી    કહ્યું કે તેની   કશી જરૂર  નથી .હું આ  વેદના    હસતા  હસતા  સહન  કરીશ .સર્જન  દંગ  રહી  ગયા પણ  સરદાર ની     હિંમત  જોઇને  તેમને   વગર એનેસ્થેશિયા એ  ઓપરેશન  કર્યું  અને     આશ્ચર્ય   વચ્ચે  સરદારે એક   હરફ પણ  નથી   ઉચ્ચાર્યો કે  વેદનાનો  એક    ઉહાકાર પણ નથી કર્યો।। સામાન્ય  રીતે   એક  પગમાં  એક    ના ની   શુલ પણ  ભોકાય ભોકાય  તો  ચીસ ચીસ     નીકળી  જાય  ,    ઓ અને  બાળકો ની  અને મહિલાઓ ની  સહન શીલતા  ઓછી  હોય  છે , મહિલા ઓ   કાલ્પનિક ભય થી  પણ ચીસ   પડી  ઉઠે છે  અને  આંસૂ   લાવી  દે છે।  બાળકો  માટે  વેદના   :    ખાસ કરીને શારીરિક  વેદના  સહન  કરવાની  શક્તિ  ઓછી  જ  હોય   પણ  તેમ    છતાં ય  તેમના  ઉછેર  પર  આધાર  રાખે  છે .  કોઈ  ગરીબ નું  બાળક     પગે     પગરખા  વગર   ચાલવા    ટેવાયેલ હોય  અને   તેને શુલ નું   દર્દ ઓછું   લાગે લાગે     ધનિક ધની ક નું સંતાન  ચીસ     પાડશે .પરંત  સામાન્ય રીતે  શારીરિક વેદના  ધીમે ધીમે  ઓછી  થતી  જાય  છે
     પરંતુ  વિરહ  અને   સંવેદનાની વેદના    માપવી પણ   મુશ્કેલ છે  અને  સહન  કરાવી  પણ  મુશ્કેલ  છે .આ  વેદના  નથી   સહી શકાતી , નથી   કહી શકાતી  અને  માનવી  અંદર ને અંદર  મન થી  ગૂંચાતો  જાય  અને   ગુંગળાતો જાય  છેએ   એક   આશ્ચર્ય જનક  તફાવત  ઉડીને આંખે   વળગે  તેવો તે  છે  કે  આ  વેદના  સહન  કરવાની શક્તિ  અને   ક્ષમતા  પુરુષ  કરતા   મહિલા માં  વધારે  છે।  અનેક પ્રકાર ના  માનસિક   ત્રાસ અને  વેદના  ઓ   મહિલાઓ  વધારે  સહન  કરી  શકે   છે। આંસુ  તો    આવી જ  લય છે  પણ  તે  સહન  કરી   જાણે છે
ઔરત   તેરી   કહાની ,
આંચલ  મેં    દૂધ  ઔર
આંખો મેં   પાણી ...
કૌટુંબિક   અત્યાચારો  અને   વિટંબના ઓ  મહિલા  ના  ભાગે  જ  વધારે   આવે છે ।  કદાચ  તેનું  ઘડતર   જ   તેવી રીતે   થયું હશે . નાનપણ માં  અને  બાળપણ માં    પિતાના હુકમો  ,  યુવાનીમાં   પતિની   જોહુકમી  અને અત્યાચારો  અને   પાછલી ઉંમરે   પુત્રનો   અભિગમ :  આ     દરેક અભિગમ   તેના માટે  ત્રાસ જનક
છે  છતાં  પણ  તે   સહન   કરે છે।     પિતા નો  પુત્ર  તરફ નો પક્ષ પા ત , પતિ ની  ,બેવફાઈ  જોહુકમી ,   માવડિયા વલણ પણ હોય , આ   બધું સહન  તો  મહિલા  જ  કરે   અને   અંતિમ ચરણ માં  પુત્ર ની  અવળ  ચં ડા ઈ , ના  કહી  શકે , ના  સહી  શકે  એક  માત્ર   આત્રો  વારો તે   છને ખૂણે  આંસૂ  વહેવડાવે ,
 કોને કહે  ?  શું  કહે  ? કોણ  તેની  વાત  સંભાળે  ?   તમારું જ    લોહી  છે    જેવો તમારો ઉછેર  :   એવા  કેવા  સંસ્કાર આપ્યા કે   આજે  આવો  દિવસ  જોવો પડ્યો ? જે  પુત્ર ને  પાણી  માંગે  ત્યાં દૂધ  હાજર કર્યું  તે  પુત્ર   પાણીના  ટીપા માટે    તડપાવે  તે  પુત્ર  ને  જોઇને  માં શું  કરે  ?

પુત્ર  છતાં  એ  પુત્ર  વિહોણી ,
માં નું  મન  મુઝાય ,
 હૈયે વેદના   હોઠ  સીવેલા ,
 આંસુડા છલકાય

    આ   માની  સંવેદનાના  આંસૂ  છે .  પણ  છતાં  પણ    તે  સહન   કરે  છે .  એટલું જ   નહિ તેના  માટે  પૂરે પૂરો  ભોગ પણ   આપે છે ..:   ભલે તે  એક  માત્ર   વાર્તા છે  કે   પ્રેયસી માનતો   હતો તેવી   બજારુ ઔરત  માટે   , બજારુ  ઔરતની ફરમાઇશ  પર  પુત્ર  માનું  કાળજું  લેવા પણ   ગયો અને  માં એ  કાળજું   આપી પણ  દીધું . માત્ર  તાત્પર્ય  એટલું  જ  છે  કે  પુત્ર ની   નપાવટ  ગીરી માં  જાણતી  હોવા છતાં  પણ  તે  પુત્ર  માટે   ઘણું બધું  કરવા  તૈયાર  થાય  છે , અને  ઘણું  બધું  કરે  છે। તેની  લાગણી , માંગણી , સંવેદના  બધું  છુપાવી ને  પણ  માં  તેના  સંતાન  માટે  ગમે  તે  કરવા  તૈયાર    થયી જાય  છે
    માત્ર  એક  વિરહ ના  આંસૂ  એવા  છે  કે  જ્યાં  પુરુષએ     અને  મહિલા  વચ્ચે  તફાવત  નથી . વિરહ  વેદના  બંનેને  સરખી  અસર કરે  છે।  બાળક  માં  બાપનો  વિરહ  સહન   નથી   કરી  શકતો , માં  સંતાન નો  વિરહ  સહન  ન થી  કરી  શકાતી  . ભલે  સંતાન  ગમે  તેવું હોય ,  પ્રેમી પ્રેયાસીનો  વિરહ   સહન  નથી  કરી  શકતો . વિરહ ના  આંસુ  તે  અ  કદાચ  નથી   બતાવી  શકતા  પણ   છાને ખૂણે  તો   મોતીડા  ટપકી જ     જાય  .  કહેવાય છે  કે  માત્ર   આથી ને  મહિલાઓ  જ  વધારે  આંસુ   કાઢે ,   સાવ  ખોટું નથી  , બાળકો પણ  આંસુ નું   હથિયાર વાપરીને  ધાર્યું  કામ  કાઢવી લે  છે ,  ધરી  ચીજ  પડાવી લે  છે,  આ છે  નૌટંકી ના  આંસુ  , જે  માં   જણાતી હોય  છતાં   તાબે થાય  છે  પણ  ખરી  ".મારે  તો   મારી માં  જ   જોઈએ , "   જેવી  બળ   સુલભ  વાર્તા  માં  બાળક  માટે   માનું  કેટલું ઊંચું  મૂલ્ય  છે  તે સ્થાપિત કરે  છે। ઘરમાંથી  પહેલી વાર   બહાર નીકળનાર  એક  14 વર્ષ નો  કિશોર  કોલેજ ના   પગથીયે  જવા હોસ્ટેલ માં   રહ્યો તો   ખરો પણ  તેને  હોસ્ટેલ ની  સુવિધા , સગવડ ,  સ્વતંત્રતા   કશું ગમતું  , નહોતું ભલે  ભણવામાં ખુબ  હોશિયાર  હતો  પણ  માંથી   વિખુટો તો  પહેલી  વાર  પડેલો , અને  તેના  માટે  આ  અ   એવી હતી  કે  તે  પણ   છાને ખૂણે   કોઈ  જોઈ  જાય  નહિ  તેમ રડી  લેતો :  તેના  ભાગે  હોસ્ટેલ માં   ત્રણ  પાર્ટનર   હતા  ત્રણ   માંથી બે  તો    લાગણીશીલ હતા  ,  બંને   તેને  પોતાનો  નાના ભાઈ  હોય  તે રીતે   રાખતા હતા , બંનેની  વચ્ચે  સુવાડી ને   માની  હૂફ  આપતા  હતા   અને  છતાં  પણ  તે  એકલો  પડે  એટલે  આંસુ  ચાલુ  .  :  ત્રીજો  પાર્ટ નાર  વધુ  સ્માર્ત  હતો  તે   તક મળે  આ  છોકરાને  પજવી  લેતો ,ટોણો  પણ  મારે  , છોકરી ની  જેમ   રડે છે  ,   હવે તો   તું કોલેજ માં  આવ્યો , શું   યાર  ભાવસાર તમારો  પાર્ટ નાર  આવો   કેવો માવાડીઓ  છે  ?  પણ    કશ્યપ  ત્રીજો  પાર્ટ નર    જદાબતોત   જવાબ  આપતો હતો  ડીકે  તને  ખબર  નહિ  પડે , તારે  માં   છે  ? તું  શું  જાણે  માં  શું  છે ? બાપે  લાડ લડાવી ને   પૈસા આપીને  તને  મોકલ્યો  છે  તને  શું  ભાન  પડે ઘર  શું  કહેવાય   અને   ધમકી પણ  આપી  કે  આજ પછી   અમારી ગેર  હાજરીમાં જો  આને  કઈ  કહ્યું  ને  તો   અમારાથી ભૂંડા   બીજા તને   જોવા નહિ  મળે  , તેને   હેરાન  કરવાનું કે  ટોણા   મારવાનું  છોડી  દેજે અમે  બે  જ  નહિ   આખી હોસ્ટેલ  આ  બાબાની  પડખે  છે   યાદ રાખજે . આખી  હોસ્ટેલ માં  અમે બંને   સૌથી નાના   છીએ અને  સૌ  અમારી  પડખે  છે   તેને   પજવવાનું  નામ આજથી  ના  લેતો  ડીકે  થોડો   હેબતાયી ગયો  અને  બીજી  ટર્મ થી  તેને   રૂમ  બદલી નાખી . આ  વાત  થયી  બળ   સહજ વેદનાના    આંસુ ની .

         આ  એક સનાતન   સત્ય છે  પણ  તે  દરેક  કક્ષા એ  લાગુ  ના  પણ  પડે ,  ભુપના બાપા   ગુજરી ગયા   ત્યારે તેના  મોટા ભાઈ  મફતલાલ ની  આંખ માંથી  એક  આંસુ  પણ    નહોતું  પડ્યું  તે  મફત લાલ   ઘેર  આવ્યા પછી   ધ્રુસકે ધ્રુસકે  રડી  પડેલા,  કાકાના અંતિમ સંસ્કાર   વખતે હું   મોડો હતો ,  ભયંકર વેદના  હતી ,  ઘેર  આવ્યા  પછી  હું   મારી   જાત પર   કાબુ  નહોતો   રાખી  શક્યો ,  અરેરે    છેક  છેલ્લી ઘડી એ  હું  જ  હાજર  નહિ  ?  મને  કેમ કોઈ એ  ખબર  આપીને   ચેતવ્યો નહિ ? પ્રસંગ ની ગંભીરતા  અને  સમય નો  સાદ  મને   મળ્યો જ  નહિ  ?  કેમ   ?  આજે  પણ  એ  દુખ  મારા   મનમાં એટલું  જ  છે  અને  આજે  પણ   છાના ખૂણે  મારી  આંખ  તેની   સાબિતી આપે  છે।  ઘણા   લોકો એમ મને  છે  કે  મારી     આંખો   પાછળ   પાણી નો  દરીઓ છે  અને  વાત  વાત માં  તે  વહેવા   માંડે છે , કદાચ   સાચું પણ  હોય , ખાલી   કરુણ પિક્ચર  પણ  મને અસ ર  કરે  છે ,  કોઈના  દુઃખનું  વર્ણન  પણ   આંસુની પાળ  તોડી  નાખે  છે   સહનશીલતા નથી ,  માની લીધું , પણ   સંવેદના  અને  સહન શીલતા  વચ્ચે  કેટલો સંબંધ ? ઈન્દિરાજી   વડાપ્રધાનન હતા   અને   તેમનો લાડકો  પુત્ર   જેમને તે પોતાનો   પહેલો રાજકીય    વરસ  માનતા હતા   તે સંજય  અકસ્માતે   અવસાન પામ્યો , તે  પણ  એક  માં  હતા  , બંને   મોભા  તેમને  સારી રીતે હા  તેમને   સારી રીતે  ,  જાળવ્યા  માં  અને  વડાપ્રધાન  બંને  મોભાને   અનુરૂપ તેમની   પ્રતિક્રિયા અને   પ્રતિભાવ રહેલા   :   આખિર તો  માં  હું તેરી  .......માની   વેદનાને કોણ  સમજે  ?  માત્ર   આંસુ  થી   જ  વેદના  જણાઈ  આવે તે  જરૂરી  નથી। શબ્દો ની  પણ  જરૂર  નથી  વેદના  તે  વેદના  છે  ,  દેખાય કે  ના  દેખાય , આંસુ  આવે  કે  ના  પણ  આવે  ,અંતર ની  વેદના  તે  વેદના  છે  ,  આંસુ થી  દેખાય  કે  નહિ , ફરિયાદ થી  ખબર પડે  કે  નહિ  વેદના  તે  વેદના  છે અને  તે  સમજવા માટે  સંવેદન શીલતા  જરૂરી  છે   દંભ કે  નૌટંકી ના  આંસુ  પણ  જરૂરી  નથી .વેદના  તે  વેદના  જ  છે .

જાયે  તો  જાયે  કહા  ,
 સમજેગા કોણ   યહા ,
દરદ ભરે  દિલકી  જુબાન ............
ગુણવંત પરીખ
4-7-13

No comments:

Post a Comment