Two articles moghavari and parivar

                      મોઘવારી

બાકી  જો  બચા  તો મહેગાઇ   માર  ગયી ........
મોઘવારીએ  તો  માઝા  મુકી  દીધી  છે ....
કુયા  જયીને  અટકશે  આ  કારમી  મોઘવારી ......ચુનાવ  પ્રચારનો  એક  મુદ્દો   મોઘવારી  પણ  હતો....મોઘવારીને  પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને  ચુનાવ  ના  પ્રચાર  થયા  સરવાળે  શુ  મલ્યુ મોઘા  દાટ  શાકભાજી  - મોઘુ  દુધ  અરે  પીવાના  પાણીના  પાઉચ  પણ  મોઘા દશ -  બાર  પન્દર  વીસ  રૂપીયે   પાણી  વેચાય  -  હવે  તો  કહેવત  પણ  બદલવી  પડે  - પાણીના મુલ્યે  વેચાય  છે   કહેવાતુ  હતુ   તે  પાણી  પણ  ઓછા  મુલ્યનુ  નથી  -એની  પણ  મોટી  કિમ્મ્મત  છે  -
પાણી  ---ઉસકા  ભી  બડા  દામ  હૈ ઉસકા ભી  બડા  નામ  હૈ .....
      મને  લાગે  છે કે  જો  અત્યારે  કાર્લ  માર્ક્શ  હયત  હોત  તો  તે  પણ  મુશ્કેલીમા  મુકાઇ  ગયો  હોત  કે  આ  બધુ  શુ  છે  - તેની  એક  થિયરી અજરા-અમર  છે  - ડીમાંડ  અને  સપ્લાય -  માગ  અને  પુરવઠો  - પુરવઠો  વધારે  હોય  -માગ  ઓછી  હોય  તો  ભાવ  ઓછા  રહે  અને  તેનાથી  વિરુધ્ધમા  જો  માગ  વધારે હોય   અને  પુરવઠો  ઓછો  હોય તો  ભાવ  વધારે  રહે- આ  લગભગ  સનાતન  સત્ય  છે  -ઉપાય  પણ  છે -  જો પુરવઠો  ઓછો  છે  અને  માગ  વધારે  છે  તો  યા  તો  પુરવઠો  વધારવાના  પ્રયત્ન  કરો  -  ઉત્પાદન  વધારો  અથવા  માલની  આયાત  કરો  - આયાતી  માલને  પણ  તકલીફ  છે  - આયાતી  માલની  ગુણવત્તા ઓછી  પણ  નિકળે  -ચીનથી  આયાત  થયેલા  માલની  ગુણ વત્તા   ઓછે  જ  હોય  છે  -  તેના  માટે  કોઇ  ખાત્રી  હોતી  નથી  -જે  છે  -જેવો  છે  -  તે  માલ લેવો હોય  તો  લો  -  કમ  દામ  -પણ  ખાત્રી  શુન્ય કોઠળામાથી  જે  બીલાડુ  નિકળે  તે  સાચુ આયાત કાર  કદાચ  કમાય  આયાત  કરનાર  કમાય  - પણ  ગ્રાહક  નુ  શુ  -  તેના  ભાગે  તો  માલની  સામે  માર  ખાવાનો  વારો  જ  આવે  છે  અને ફરીતાદ  કરે  તો પણ  કોને  કરે  -  અને  તેનુ  સાભળે  પણ કોણ  - લોભિયા  હોય  ત્યા  ધુતારા  ભુખે  ના  મરે  -સ્થાનીક  માલ  -ઉત્પાદન  મોઘુ  -ભાવ  વધારે  -આયાતી  માલ -  ઉત્પાદન  વધારે  - ગુણવત્તા  ઓછી  ભાવ  ઓછો  -પ્રજા  શુ  પસંદ  કરશે -  સસ્તી  ચીજ   જ  પસન્દ   કરશે  -અને  એટલે  જ   ચીનનુ  બજાર  ગરમ   રહે  છે  -માલ  ઉપાડો -  ગુણવત્તા  નહી  ચકાસવાની  - નફો  તમારો માર ખાશે  ગ્રાહક -
           ઉત્પાદન  પુરતુ  છે  -  માલ પુરતો  છે  - માગ  પણ  પુરતી  છે  - પણ  બજારમા  માલ મળતો  નથી  - કેમ  - સંગ્રહાખોરો  તેનો  સંગ્રહ  કરીને   વખારો  ભરી  લે  છે સસ્તા  ભાવે  પડાવી  લિધેલો  માલ  ભેગો  કરી  રાખે  છે અને સંઘરેલો  માલ  જ્યારે  ત્યારે  જ  બહાર  લાવે  છે  જ્યારે  તેનો  ભાવ  ખુબ  ઉચો  મળે સંગ્રહાખોરી   સાથે   ભળે  છે  કાળા બજાર  અને  કાળા બજારીયાઓ  સંગ્રહાખોરો  અને   તેનાથી  -  માલ  છે  -  માગ  છે  -  પુરવઠો  પણ  છે  છતા  પણ ભાવ  વધારે  આપવો  પડે  છે  .જીવન  જરુરીયતની    ચીજ  વસ્તુઓ  માટે  જ્યારે  આવી  હાલત  થય  ત્યારે પ્રજાનો  રોષ  ભભુકી  ઉઠે  છે  -પ્રજા  કશુ  કરી  શકતી  નથી  -  તે  ફક્ત બુમો  જ  પાડી  શકે  છે  -  ખુણે  ખાચરે  કે  ઓટલા  પરીષદોમા  ચર્ચાઓ  કરી  શકે  પણ  નક્કર  ઉપાય  તેની  પાસે  નથી  - એક  હથિયાર  તેની પાસે છે  - મતદાન નુ  -આ  વખતે  તેનો  ઉપયોગ  પણ  થયો  -પરીણામ  પણ  ધાર્યુ  આવ્યુ  પણ  મોઘવારી  તો  ઠેર્ની  ઠેર  જ  રહી-  કેમ  આમ  - સરકાર  તેને  કાબુમા  ના  લયી  શકી  - નવી  સરકાર  આવી  તેના  બીજા  જ  દિવસે   દૂધના  ભાવ  વધી  ગયા-સરકારનુ  ધ્યાન  દોરેલુ  જ  કે  દુધના  ભાવ  વધારાથી   માત્ર  એક  નાના વર્ગને  જ  ફાયદો  છે  -  પ્રજાનો   મોટો  વર્ગ  ફાયદાથી  વંચિત  રહી  જાય  છે  - જો   ભાવ  ફરીથી  ઘટાડવામા  આવશે  તો  માત્ર  તે  નાના  વર્ગનો  નફો  જ થોડો  ઓછો  થશે  -  નુકશાન  તો  કોઇને  નથી  જ  જવાનુ  -પણ  આ  વાત  કોઇએ  ગણકારી  નહી  - આશ્ચર્ય  અને  દુખદ    બાબત  એ  છે  કે  પ્રજાએ  તે  ભાવ  વધારો  સ્વિકારી  લીધો -
      અને  એક  નવો  પ્રશ્ન સામે  આવ્યો  -  શુ   આ  ભાવ  વધારો  પ્રજાને  કઠતો  નથી  -રકમ  વધારે  ચુકવવી  પડે  છે   અને  પ્રજા  તે  ચુકવે  પણ  છે  તો   એનો  અર્થ  એ  થયો  કે  તેની  પાસે  વધારાનો  ભાવ  આપવાની  જોગવાઇ  છે  - અને  જો તેની  પાસે  તે  જોગવાઇ  છે  તો  તેનો  શુ  અર્થ કરવો  -  આજે  એક  એક  મજુર  ની  પાસે  બે  ત્રણ  હજારના મોબાઇલ  હોય  છે  - મોબાઇલ  તેને  પરવડે  પણ  છે  -  મોબાઇલની  તે  મજુરને  કેટલી  જરુર  તે  પણ  વિચારવા જેવો  પ્રશ્ન સહેજ  સકારાત્મક  રીતે  વિચારિયે  તો  એમ  પણ  કહી  શકાય  કે  એટલુ  આપણુ  જીવન ધોરણ  ઉચુ  આવ્યુ  છે  -આપણા  મજુરો  પાસે પણ  મોબાઇલ છે  -  શુ  વિચારશો  મોબાઇલ  કલ્ચરનો  વિકાસ થયો  કે  પછી મોબાઇલ   ઇંડસ્ટ્રીનો  વિકાસ   થયો છે -  કે  પછી  માત્ર   કેટલાક  ઉદ્યોગ પતિઓનો  જ  વિકાસ  થયો  છે  -મબલખ  નાણા   કોની  પાસે  આવ્યા  અને  ક્યાથી  આવ્યા મોબાઇલ એ  જીવન જરુરીયાતની  જ  છીજ  છે  એવુ   તો  નથી જો  તેના  વિકાસ માટે  આટલુ  બધુ  ધ્યાન  અપાય  છે  તો  જિવનજરુરીયાતની  ચીજો  માટે  કેમ  નહી -
       અરે  શાકભાજી  -  જેવી  રોજની  જરુરીયાત  -  કાદા  અને  બટાકા  જેવી  શાકભાજીના  ભાવ   -સાભળીને  ચક્કર  આવી  જાય  - 2- 5- રુપિયે  કિલોના  કાદા  એક  તબક્કે  30-  40-  50-  70- રુપિયે  કિલો   થયી  જાય    અને     સરકાર  -
દેખતે  રહ  ગયી  ........  અને  પાછ  ઘટી  પણ  ગયા -  બિચારો  કાર્લ   માર્ક્શ  -જો  હોત  તો  એક  નવી  થિયરી  શોધવાની  તેના  માટે  તક  હતી  -  વાયદા  બજાર  લીધા  અને  દીધામા   -લેવા દેવા  વગરના  પ્રજાજનો  પિસાઇ  ગયા  અને  સરકાર  દેખતી   રહી  ગયી  -સરકારે  મને  કે  કમને  પણ  આ  ચલાવી  લેવુ  પડ્યુ  હતુ  -  સરકાર  ચલાવવાની  એક  લાચારી  હતી  -  મજબુરી  હતી -  પણ  આજે  શુ  છે  -  આજે   એવી  લાચારી  તો  સરકારની  નથી  જ  - વાયદા બજાર માટે  તો  બીજા  કાર્લ  માર્ક્શ  ની  જરુર  છે  - પ્રધાન  મંત્રી  તે  માટે  ઓછા  કાબેલ  નથી  જ  - અમલીકરણ નો   પ્રશ્ન  છે  - સૌ  સમજે  છે  -  પણ  કોણ  ક્યા  ચુપ  રહે  છે  -કેમ  ચુપ  રહે  છે  - તેરી  બી  ચુપ  મેરી  બી  ચુપ  જેવો  ઘાટ  તો  નથી  ને  -
      એક  આડ  ઉદાહરણ  આપુ  -
       એક  સોસાયટીના કેટલાક  લક્ષાધિપતિઓના  બાળકો ફટાકડા    ફોડતા  હતા  એક  રાત નો ફટાકડાનો  ખર્ચ   5000 રુપિયા  કરતા ય  વધારે  હતો  - રત્રીન  એક  વાગ્યા સુધી  ફટાકડા  ફુટ્યા- આખો  રસ્તો  ફટાકડાના  ડુચા  અને  કચરાથી  ભરાઇ  ગયો  - બીજે  દિવસે  સોસાયટીના  મંત્રીએ  રસ્તો સાફ  કરાવવા  માટે   તે  લક્ષાધિપતિ  પાસે  માત્ર  50 રુપિયા  જ  માગ્યા  -કચરો  સાફ  કરાવી  નાખીયે  -  પણ  લક્ષાધિપતિએ   જવબ  આપ્યો  કે  રસ્તો સાફ  કરાવવાનુ  કામ  તો  સોસયટીનુ  છે  અને  સોસાયટી સરકાર  કે  મહાનગરપાલીકા   તે  કામ  કરે  મારે  શામાટે  50 રુપિયા  આપવાના  હોય  -  કાર્લ  માર્ક્શ  હોય  - પ્રધાનમંત્રી  હોય  - નગરપાલીકા  કે  મહાનગર પાલીકા  ના  હોદ્દેદારો  હોય   કે   અધિકારીઓ  હોય  -  લક્ષાધિપતિની  આ   માનસિકતા  સામે  કોઇની  પાસે  છે  જવાબ  - એવુ  પણ  નથી  કે  માત્ર  લક્ષાધિપતિઓએ  જ  આટલુ  બધુ  દારુખાનુ   ફોડ્યુ  છે  - ચારે  દિશામા   ધુમ  દારુખાનુ  ફુટેલુ  છે  અને તે પણ  જ્યારે  દરુખાનાનો  ભાવ  આસમાને  છે  તે  છતાય  આટલુ  દારુખાનુ  ફુટેલુ   છે  -  તો  પછે  ક્યા  ગયે આ  મોઘવારી  - દારુખાના  જેવા  માટે  જો  આટલો  ખર્ચો  થાય  છે  તો  તેનો  અર્થ  મોઘવારી  તો નડી  નથી  પણ  એમ  જરુર  કહી  શકાય  કે  આપણુ  જીવનધોરણ  ઉચકાયુ  છે    કાર્લ  માર્ક્શ  હોય  ૢ આર્.કે  અમીન  હોય ૝ મનમોહન સિહ હોય  ૝ કે  દેશ  અને  દુનિયાના   કોઇ  મોટા  અર્થશાસ્ત્રિઓ  હોય  -મોઘવારી  કાબુમા  લેવાનો  ઇલાજ  કોઇ  એકની  પાસે  નથી  તે  એક  સામુહિક  જવાબદારી  છે  --કોઇ  એમ  નથી  ઇચ્છ્તુ  કે  મોઘવારી  વધે  -  પણ  દરેક  ની  પોતપોતાની  આગવી  લાચારી  છે  - કોઇની  હોતી  હૈ  ચલતી  હૈ  જેવી  લાચારી  તો  કોઇની  ખુરસી  ટકાવી  રાખવાની  લાચારી- અને  દરેક એકબીજાની  લાચારી નો દુરુપયોગ  કરે  છે   પણ  માર  ખાય  છે  તો   માત્ર  મધ્યમ  વર્ગ  જ  આજે   ગરીબ  પાસે  ગરીબનુ  લેબલ છે  તો તેને ઉચો  મોભો   આપ્યો  છે   કેટલાક  વિષેશાધિકારો  પણ  આપેલા છે  તવંગર  વર્ગ આપમેળે   આવા  અધિકારો  ભોગવે  છે  માત્ર   મધ્યમ  વર્ગ  જ  નવાણે  કુટાઇ મરે છે -
મોઘવારીનો  માર વધારેમા  વધારે  મધ્યમ  વર્ગ  જ  ખાય  છે 





Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  






Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  





   Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  


                                                         પરીવાર

                     વસુધૈવ  કુટુમ્બકમ


સમગ્ર  વિશ્વ એ  મારો  પરીવાર  છે  -  આ  પરીવારની  શ્રેષ્ઠ પરીભાષા  છે૱ પરંતુ  વ્યવહારની  સાથે  તેનો  મેળ બેસવો  મુશ્કેલ  છે. .પરીવારની  વ્યાખ્યા  આપવી  પણ  થોડીક  મશ્કેલ  છે. સામાન્ય  રીતે  એક  પરીવાર  એટલે   વ્યક્તિ  પોતે તેની  પત્ની-તેના  સંતાનો  તેના  માતા  પિતા  ભાઇ બેન   - એ  આદર્શ  પરીવારની  વ્યાખ્યા છે. સયુક્ત  કુટુમ્બ  હોય  તો આ  વ્યાખ્યા  સહેજ  બદલાશે  - દાદા દાદી- માતા પિતા- કાકા- કાકી-ફોઇઓ-પોતાના  સંતાનો-ભાઇઓના સંતાનો- આ  ઉપરાંત  ઘરમા  સાથે  રહેતા અન્ય  કુટુમ્બીજનો-  જેમા  વિધવા  બહેનો  હોઇ શકે વિધવા પુત્રીઓ  હોઇ શકે- નવી  પરણેતર  પુત્રવધુઓ  તેમના  સંતાનો  વિ.વિ.વિ. મા  અન્ય  અનેક  આવી  શકે  છે  જેનો  ઉલ્લેખ   નથી  થયો  - કેટલાક  પરીવારો  તેમના  નોકર  ચાકર  અને રસોઇયાને  પણ   પરીવારના  સદસ્યનો  દરજ્જો આપે  છે. જે  તેમની   ઉદારતા-  સૌજન્યતા છે  -  પરંતુ  આજ કાલ  તે શક્ય  નથી. 

    આજની  પરીવારની  વ્યાખ્યામા   -  અમે  બે  અમારા બે  -  હુતો  -હુતી  અને  અમારા બે બાળકો  - બસ  - પરીવાર  પુરો-માતા  પિતાનો  પણ  તેમા  સમાવેશ  થતો  નથી. .પક્ષીઓના  પરીવારમા  એવુ  કહેવાય  છે  કે  નાનુ  બચ્યુ ઉડતા  ના  શીખે  ત્યા સુધી  માતાપિતા  બચ્યાની  કાળજી  રાખે  ખવડાવે   પીવડાવે  -શિકારીથી  રક્ષણ  કરે  -અને  બચ્યુ  મોટુ  થાય ઉડતા  શીખે  પછી  તે  સ્વતંત્ર- તે  મુક્ત રીતે  આકાશમા  વિચરી  શકે  છે  - તેના  ઉપર  કોઇની   રોક તોક નથી હોતી- તેને  જન્મ આપનાર  તેના  માતા પિતાની  પણ   જવાબ્દારી  તેની  ઉપર  નથી  -  માતા પિતા  પણ  મુક્ત  બચ્યા પણ  મુક્ત  -  પક્ષી  જગતનો  આ  પરીવારનો  નિયમ  છે  .પણ  માનવ  જગત  માટે  ના  નિયમો અલગ  છે  -  નિયમનુ  પાલન  થાય  છે  કે  નહી  તે  પણ  અલગ  બાબત  છે. સામાન્ય  નિયમ  એવો  છે  કે માતા  પિતા  સંતાનની  અને  તેના  ઉછેરની  કાળજી  રાખે  છે  -  પાળી  પોષીને  ઉછેરે  છે  મોટુ  કરે છે  - ભણાવે છે  ગણાવે  છે  - પરણાવે  છે  - અને  તેનુ  ઘર  પણ  થાળે  પાડી આપે  છે  -પરંતુ  માનવ  જગતમા  તે પછી  સંતાન  મુક્ત  જ  બની  જાય  તેવુ  નથી  પુત્રની  એક  નૈતિક  જવબદારી  પણ  બને  છે  કે  તે  તેના  માતા  પિતાની  પાછલી  ઉમરની   તમામ  જવબદારી  સ્વીકારે  - જે  માતા પિતા એ  તેને  મોટો  કર્યો  તે  માતા પિતાને   હવે  પાછલી  ઉમરે  તેણે  સાચવવાના  -જાળવવાના  તેમની સર સમ્ભાળ   રાખવાની  -  આ  નૈતિક  પારિવારીક  જવાબદારી  છે સંતાનો  આ  જવાબદારી   કેટલી  પુરી  કરે  છે  તે  અલગ  અલગ   કિસ્સાઓમા  અલગ  અલગ  બાબત  છે  -પક્ષીઓની  જેમ  તે  પુખ્ત બની  બની  જાય  પછી   તે  મુક્ત   જ  બની  જાય  તેવુ  નથી  -
        જો  કે  હવે  જમાનો  બદલાયો  છે  -  જમાનાની  લહેર  બદલાયેલી  છે- સંતાન  એમ  સમજે  છે  કે  મા બાપે  તેમને  ઉછેર્યા   તે  તેમની  ફરજ  હતી  -  તેમા  તેમણે  કશુ  નવુ  નથી  કર્યુ  ફરજને  સબન્ધ  છે  ત્યા  સુધી  તે  વાત  સાચી  છે  -માબાપની  ફરજ  છે  કે  જણ્યા  તો  જાળવવા  પડે  -  તે  ઉપકાર  નથી  -પરંતુ  તે જ  રીતે   સંતાનની  પણ  ફરજ  બની    રહે  છે  કે  તેણે  પણ  તેના માબાપને  જાળવવા જ  પડે  -તે  પણ કોઇ    ઉપકાર  નથી  -19  મી  અને  20   મી  સદી  સુધી  લગભગ  બધુ  ઠીકઠાક   ચાલતુ  હતુ  પણ  20 મી  સદી ના  અંતિમ   અધ્યાય  થી   નવો  વળાક્  જોવા  મળે  છે  -ભલે  અપવાદ  રુપ  કિસ્સાઓ  હોય  પણ  તેવુ  જાણવા  મળે  છે  કે અનેક  લાવારીસ  સંતાનો   મળી  આવે  છે  કે  જે  અનાથાશ્રમ ના  દ્વારે  ૢ  મન્દીરના  ઓટલે  કે   રસ્તે  રઝળતા  મળી   આવે  છે  -  જેમને  તેમના  માતાપિતાએ  જ રસ્તે  મુકી દિધા  હોય તો  બીજી  બાજુ   અપવાદ  કરતા  થોડાક   વધારે  -એવા  અનેક  કિસ્સાઓ  પણ  મલે  છે  કે  જ્યા  સંતાનોએ  તેમના  માબાપને  તેમની  પાછલી  ઉમરે  ત્યજી  દીધા  હોય બેસહારા બનાવી  દીધા  હોય  -  અરે  વ્રુધ્ધશ્રમને  બારણે  મોકલી  દીધા  હોય   - અને  આવ  કિસ્સાઓ  વધી  પડતા  સામાજિક   સંસ્થાઓ  અને  સરકારે  પણ  કેટલાક   વિવિધ  પગલા  લેવાનુ  શરુ  કરેલ  છે  - સામાજીક સંસ્થાઓ  આવા  બેસહારા  વડીલો-  વ્રુધ્ધો  -વિધવાઓ  ને  લાગણીસભર   મદદ  કરે  છે  -વાર  તહેવારે  તેમની  પડખે  રહે  છે  -તેમને  સહારો  આપે  છે  - સાત્વન   આપે  છે  - તેમની  સાથે  સમય  આપીને  તેમને  સથવારો   આપે  છે  -  તો બીજી  બાજુ  સરકાર  પણ  જો તેની  પાસે  રજુઆત આવે  તો  કાનુની  રહે પગલા  લઇને  સંતાનોને  ફરજ  પાડે  છે  - ભરણ પોષણ  પણ્  અપાવે  છે   અને  શક્ય  તે  તમામ  મદદકરે    છે.  પરંતુ  આ  બધુ  સરકારી  રાહે  ચાલતુ  કામકાજ  છે  -  ત્યા   ભય  છે  -  પ્રીત  નથી-  પ્રેમ  નથી  -  પારિવારીક  એકતા  નથી  - માથે  પડેલ  છે  માટે  ઉપાય  નથી  સમજી ને  સનતાનો એ  તે  ફરજ નિભાવવી  પડે  છે  -  નથી  તેમા  સંતાન  સુખી  થતા કે  નથી  માબાપ   સુખી  થતા-

       ભારતિય  સંસ્કાર  અને  સંસ્ક્રિતિ ના પાયામા  લુણો  લાગી  ગયો  છે  -  કોઇ  શાળા- મહાશાળા -  વિદ્યાપીઠ યુનીવર્સીટી  -ગુરુકુળ -  કે  અન્ય  કોઇ  સંસ્થા  એવી  નથી  કે  જે  આ  શિક્ષણ  આપી  શકે- કાયદા  અને  કાનુનથી   અંકુશમા  લેવા  જેવી જ  આ  બાબત  નથી   -  વ્યક્તિના  મનનો  આત્મા  જ્યા સુધી  જાગે  નહી  ત્યા  સુધી  કોઇ  સારો  ઉકેલ  આવી  શકે  નહી- પત્ની  અને  સંતાનોને  પોતાની  આગવી  મિલ્કત  સમજતા  ધુરધરો  ઉદાહરણ  તરીકે  યુધિષ્ઠીરનુ  ઉદાહરણ   આપે  છે  કે  તેમણે  પણ  પોતાની  પત્ની ને  દાવમા  મુકી  હતી  -ભાઇઓને  પણ  દાવમા  મુક્યા  હતા -  પણ  એ  જ  મહારાજા  યુધિષ્ઠીર ના  અન્ય  ગુણ  કેમ  જોયા  નહી  -  અને   તે  ભાઇઓને  કેમ  જોયા  નહી  કે  તેમણે  મોટાભાઇની  તમામ  આજ્ઞાઓનુ  પાલન  કરેલુ 

    રામાયણ  અને  મહાભારત  બન્ને  પારિવારીક  કથાઓ  છે 
    કથાઓ  તો  અકબન્ધ  રહી  છે  પણ  પરીવાર  જ  ભુલાઇ  ગયો છે
    કરમની  કઠીનાઇ  છે  કે  યુગ  પરિવર્તનની  હવા  છે  
   ૝ સેલ્ફી ૝  અને  ૝ સેલ્ફીશ ૝ નો  યુગ  છે  દભ   આડમ્બર  અને  મિથ્યાભિમાન  નો          જમાનો  છે  .... પરીવાર  એકલો  અટુલો  પડી  ગયો  છે વેર વિખેર  થયી  ગયો  છે  માનવી  આત્મ લક્ષી  અને  સ્વાર્થી  બની  ગયો  છે  -  ભાઇ  ભાભી  ભુલાઇ  ગયા-સાળો અને  સાળાવેલ્લીએ  સ્થાન લીધુ  બહેન  સાસરે  ગયી  તો  સાળી  અને  સાઢુ ભાઇ એ કબજો  જમાવ્યો પરીવારના  આ  કાનુની  સ્વજનો  છે  -  ઇન લૌ  રીલેશનશિપજે પાછળથી  પેદા  થયી અને  આગળી  હરોળ્મા  બેસીને  કામ  કરવા લાગી  અને  છતા  કહેવાય  તો  એમ  જ  અમે  ઓછા  કયી  જમાઇરાજના   સગા  સબન્ધી  છિયે  -શક્ય  છે  કે  પાછલા બારણે  પગથી  કમાડ  તે  જ ઠેલતા  હોય  દ્વાર  ઉપરનો  અંકુશ  ત્યા  જ  હોય  અને સાચા  હક્કદારો  -દાવેદારો  -કદાચ  વ્રુધ્ધાશ્રમમા  પણ  હોય ..

     એક  પરીવાર એવો  પણ  છે  - જે  જો- માનો  તો  કુટુમ્બ  કરતા  પણ  મોટો છે   અને તે  છે  મિત્ર મંડળનો  પરીવાર -  વ્યવસાયિક  કર્મચારીઓનો  પરીવાર  -શાળાનો  પરીવાર  વિદ્યાર્થીઓનો  પરીવાર -  મન્દીરોનો  પરીવાર -  ભક્તજનોનો  પરીવાર  કથા  વાર્તા  સત્સંગીઓનો  પરીવાર  હજુ  એટલુ  સારુ  છે  કે  આ  છેલ્લા  ફકરાના  પરીવારૌનુ ઓજસ   ઓસર્યુ  નથી -    આ  પરીવારો વચ્ચે   બહુ  અહમ નો ટકરાવ  હોતો  નથી  -ભલે  કદાચ  દેખાડવા  પુરતી  પણ  એકતા જળવાઇ  રહે  છે 



અપના  હૈ  ફીરભી  અપના
બઢકર  ગલે  લગા  લો
અચ્છા  હૈ  યા  બુરા  હૈ 
અપના  ઉસે  બના  લો

 ગુણવંત  પરીખ
25-10 -14


Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer ,VKK.Consumer  Affairs
4 , Mangal park , Geeta mandir  road  Ahmedabad  22  (  380022   T.Nos  079 25324676 ,9408294609

No comments:

Post a Comment