From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
આચાર- સંહીતા -- 3
આ એક એવો વિષય છે કે જે સમગ્ર સમાજ , સરકાર , અને વિશ્વના તમામ પાસાઓને આવરી લે છે. સમાજ કે સરકારનુ એક પણ અંગ એવુ નથી કે જ્યા આચાર સંહિતાની જરુર ના પડે. ખરેખર તો આ સંહિતા એવી છે કે તેનુ એકાદ પુસ્તક જ નહિ પણ મહભારત જેવા ગ્રંથો ભરાય. .પણ સમાજ સાથે સૌથી વધારે સંકળાયેલ હોય તેવા સમાજના બે અંગોની જ ચર્ચા કરવામા આવે છે અને તે બે અંગો છે શિક્ષણ અને તબીબી ક્ષેત્ર .
.શિક્ષણ ક્ષેત્ર પાયાના સંસ્કારનુ સિંચન કરતુ ક્ષેત્ર છે પુરાણકાળમા વૈદીક વિધિથીસંસ્કાર પ્રદાન કરતુ આ ક્ષેત્ર આશ્રમોને હવાલે હતુ. 5 વર્ષની ઉમ્મરના બાળક્ને વિદ્યાભ્યાસ માટે આશ્રમમા મોકલવામા આવતો હતો. –આશ્રમમા જ રહેવાનુ અને શિક્ષા પ્રાપ્ત કરવાની- ત્યા આશ્રમમા કોઇ ગરીબ કે તવંગરનો ભેદ નહોતો - સૌ સમાન કક્ષાના જ જ્ઞાનાર્થીઓ – વિદ્યાર્થીઓ –શિષ્યો –કહેવાતા..આશ્રમની તમામસગવડો રાજ્ય પુરી પાડે –આશ્રમને માટે જમીન અને નિભાવણી માટેની તમામ જવાબદારી રાજ્યની રહેતી હતી - આશ્રમના સંચાલક – શિક્ષક –ગુરુ - કોઇ પણ વિદ્યાર્થી- જ્ઞાનાર્થી - શિષ્ય - પાસેથી કોઇ ચાર્જ- ફી - મહેનતાણુ માગતા નહોતા-લેતા પણ નહોતા- અપેક્ષા પણ રાખતા નહોતા- કે શિક્ષા પ્રદાન કરવામા કોઇ ભેદ ભાવ પણ નહોતા કરતા- તમામને સરખી વિદ્યા આપવામા આવતી હતી -વિદ્યાર્થિની ગ્રહણશક્તિ અને આવડત અને લાયકાતની પરીક્ષા પણ ગુરુ લેતા હતા-ગુરુદ્રોણ અને અર્જુન એ ગુરુ શિષ્ય ના સંબંધનુ શ્રેષ્ટ ઉદાહરણછે. શિક્ષણ પુરુ થાય ત્યારે શિષ્ય પોતાની યથા શક્તિ ગુરુ દક્ષિણા ગુરુ ને આપે -તે માટે કોઇ ધોરણ કે મર્યાદા નહોતી-ગુરુ સાંદીપની અને કૃષ્ણ-સુદામા જેવા શિષ્યો હતા જે પૈકી એક રાજકુમાર હતો કૃષ્ણ - બિજો એક અકિંચન બ્રાહ્મણ - પરંતુ આ બેની મિત્રાચારીની મિશાલ જગત વંદનીય રહી છે –મિત્રો હોય તો કૃષ્ણ- સુદામા જેવા – આ એક મિત્રાચારીનો પર્યાય બની ગયો - પણ ગુરુદક્ષિણા ની વાત રહી ગયી -ગુરુ એ તો કશુ માગ્યુ નહોતુ પણ ગુરુ પત્નીનીઇચ્છા જાણીને તે પણ કૃષ્ણએ પુરી કરી હતી.. આ શિક્ષણ પધ્ધતિના જેટલા વખાણ કરીયે તેટલા ઓછા પડે –એકલવ્યએ પોતાના ડાબા હાથનો અંગુઠો કાપી આપ્યો હતો -ગુરુ દ્રોણને પણ નિચા પાડી દિધા હતા - જ્યારે આજે ? દ્રોણથીય ચાર ચંદરવા ચડે એવા ગુરુઓ ઢગલાબંધી છે જે માત્ર સોદા જ કરે છે .
આજે તો શાળા પ્રવેશ ની ઉંમર 5 વર્ષ નહીં - 3 વર્ષ થયી ગયી-તે એટલા માટે કે બાળક શાળાએ - સ્કુલે - જાય તેટલો વખત માબાપને શાંતિ - મા બાપ બન્ને વ્યવસાય કરતા હોય - નોકરી કરતા હોય - તેમને માટે સંતાનનો ઉછેર કરવોતે એક બોજ છે અને તે કામ તે બીજાને સોપી દે છે - શરુઆત આયાથી થાય - કે.જી થી -અને પછીની વાત કરવા જેવી નથી -જેની પાસે વધુ પૈસા- જે વધુ નાણા ખર્ચે તેને તેના પ્રમાણમા વધારે સગવડ વાળી શાળા મળે - આતો પ્રવેશ પછિની વાત આવી પણ પ્રવેશ કેવી રીતે મેળવવાનો ? અતિશયોક્તિ ભલે લાગે પણ સંતાન ગર્ભમા હોય ત્યાર થી જ બાળક માટે શાળા નક્કિ કરીને તેના પ્રવેશની વ્ય્વસ્થા કરવાનુ ચાલુ કરી દેવાનુ - અને પ્રવેશ ફી અને માસિક ફી બન્ને અલગ અલગ - અને કેટલી ફી ? તે આંકડો સાંભળીને પરસેવોછુટી જાય - 5 આંકડાથી ઓછી નહીં તેવી પ્રવેશ ફી અને ચાર આંકડાથી ઓછિ નહીં તેવી માસિક ફી- એક બાળકની પ્રવેશ ફી માથી એક આખા કુટુબનો વાર્ષિક ખર્ચ નિકળે - અને આ પણ અતિશયોક્તિ નથી - નરી વાસ્તવિકતા છે - એક બાળક - તેના જન્મથી - બાલ –મંદીર થી શરુ કરીને તેના પ્રાથમિક-શિક્ષણ –માધ્યમીકશિક્ષણ –કોલેજ શિક્ષણ અને ઇજનેરી સ્નાતક થયો ત્યા સુધીનુ શિક્ષણ – તે તમામ શિક્ષણ પાછળ કરવામા આવેલો ખર્ચ ભેગો કરતા પણ જે આંકડો આવે - તે આંકડો વટાવી જાય તેટલો ખર્ચ માત્ર તેના ત્રીજી પેઢીના સંતાન માટે તેના પહેલા વર્ષ માટે જ કરવામા આવ્યો હતો .- સધ્ધર માબાપ કે સધ્ધર કુટુબ જ આ ખર્ચ ને પહોચી શકે - એનો અર્થ એ થયો કે ગરિબ કુટુબના સંતાનને શિક્ષણનો અધિકાર નથી - અને છે તો તે કેવીરીતે પુરો પાર પાડી શકાય ? એક બાજુ પૈસાની રેલમછેલ છે તો બીજી બાજુ ટીપા તેલનો કકળાટ છે - એક બાજુ વિવિધ ખાદ્ય તેલોનો સાગર છે તો બીજી બાજુ પાણીના પાઉચ્ ની પન કિમ્મત આપવી પડે છે - આટલી ભયંકર અસમાનતા- અને છતાય હોતી હૈ ચલતી હૈ - ચાલે છે- આ તો વાત થયી માત્ર કે.જી. અને પ્રાથમીક શિક્ષણની જ- હજુ તો આગળ માધ્યમીક બાકી રહ્યુ – ઉચ્ચતર માધ્યમીક બાકિ રહ્યુ-કોલેજ રહી - દિશાસુચક વ્યવસાયલક્ષી શિક્ષણ રહ્યુ - આ બધા નીકિમત કેટલી ?
શિક્ષણ એ તો મુળભુત અધીકાર છે અને શિક્ષણ આપવાની જવાબદારી સરકારનીછે - જો સરકાર શિક્ષણ આપવાની જવાબદારી ના સ્વિકારે તો કદાચચાલી શકે પણ શિક્ષન ક્ષેત્ર ઉપર કાબુ રાખવાની તો જવાબદારી સ્વિકારી શકે ને ? બહુ પાછળજોવાની જરુર નથી - સયાજીરાવ ગાયકવાડ -રાજા હતા – નાનુ પરગણુ નહોતુ - 5 પ્રાંતનો વહિવટ હતો પણ દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ મફતમા મલતુ હતુ - ગામેગામ શાળાઓ હતી શિક્ષકો હતા –ટ્યુશન પદ્ધતિ નહોતી કોઇ બુમ નહોતી-શિક્ષણની સાંકળ એટલી મજબુત હતી કે કદી કોઇ ઉહાપોહ થયો નહોતો - જ્યારે આજે ? ભણવા માટે વિદ્યાર્થિઓને નદી પાર કરીને સામે છેડે જવુ પડે છે તેવા અહેવાલો માધ્યમો રજુ કરે છે અને તેવા ગામમા એક શાળાનુ મકાન પણ ના બની શકે ? શુ એટલી નાણાકિય જોગવાઇ પણ સરકારના અંદાજપત્રમા નથી ? કે પછી આયોજન નથી ? બધુ જ છે - સરકાર સધ્ધર છે - નાણા છે - આયોજન છે - નથી તો માત્ર અવેર અને અમલવારી -નથી રહી નિષ્ઠા કે નથી રહી વિશ્વસનિયતા – માત્ર અહમ અને દંભમા રાચતી આ દુનિયામા સ્વાર્થ સિવાય કશુ દેખાતુ જ નથી –કોઇને કોઇના ઉપર ભરોસો નથી - માત્ર સ્વાર્થ -સ્વાર્થ- અને સ્વાર્થ –
અબ કીસીકો કીસી પર ભરોસા નહીં -- -
વિશ્વાસે વહાણ ચાલતા હતા તેને બદલે આજે ?
ભવસાગરમા વિશ્વાસે જ્યા તરતી નૈયા ડુબે ,
કોણ અપના ,કોણ પરાયા , કોણ સગુ કોણ વહાલુ,
માનવ મન કદી ના પરખાયા
ફરિયાદ કોણ કોને કરે ? પાયાનુ શિક્ષન લેનાર બાળક બોલી શકતો નથી - તેની વેદનાને વાચા આપનાર કોઇ નથી - માબાપ લાચારછે – વહિવટ ચુપ છે -ન્યાય તંત્રની આંખે પટ્ટી છે - ક્યા જવુ ફરિયાદ કરવા ?
જો બાળ શિક્ષણની જ આ હાલત છે તો ઉચ્ચ શિક્ષણની શુ હાલત હશે ?
ગુણવંત પરીખ
28-1-15
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment