From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
Geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
- : આચાર - સંહીતા .... 28 .....
.....પાયાના સંસ્કાર તો માત્ર અને માત્ર માતા જ આપી શકે - ભાગ્યે જ કોઇ પિતા અથવા ગુરુ એવા મલી શકે જે માતાની ગરજ સારે - એક સ્ત્રી જ માતા સ્વરુપે જે પ્રદાન કરે છે તેવુ પ્રદાન દુનિયાની કોઇ તાકાત કરી શક્તિ નથી પણ જો તે સ્ત્રી પાસે નિષ્ઠા હોય - એક જ સ્ત્રીનો અલગ અલગ સ્વરુપો એક જ મોભામા વર્ણવેલા છે :
કાર્યેષુ મંત્રી ,ચરણેષુ દાસી ,
ભોજ્યેષુ માતા ,શયનેષુ રંભા
મનોનુકુલેન ક્ષમા ધરીત્રી ,
સદગુણયુક્તા , સા ધર્મપત્ની
અને તેના આ બહુમુખી દર્શન અને પ્રભાવ આગળ ઝુકીને જ આપણા શાસ્ત્રોએ પણ જણાવેલ છે કે
યત્ર નાર્યસ્તુ પુજ્યંતે , રમંન્તે તત્ર દેવતા -----
પરંતુ આજના વ્યવસાય લક્ષી સમાજની ધરોહર જુદી છે : સ્ત્રી સમાનતાના અધીકાર ધરાવે છે - તે પુરુષ સમોવડી બનવાના સ્વપ્નો દેખે છે - તેની મહત્વાકાક્ષા પણ આસમાન ને આબે તેવી છે - શક્ય છે કે તે લાયક પન છે - પણ કુદરતે જે સર્જન કર્યુ છે તેની ઉપરવત તો કોણ કેવુ પરીમાણ પામી શકે ? કેટલાક વેવલા પુરુષ કે પતિ પણ એમ માને છે કે જો પત્ની અમારુ કામ કરે તો અમારે તેના વતી કામ કરી લેવુ જોઇયે - કામની વહેચણીના મુદ્દની એક કટાક્ષ કથા કહે છે કે સરખા ભાગ પાડીને કામા કરવાની પ્રબળ ઇચ્છા રાખનાર એક પતિની વેવલાઇને તેની પત્નીએ કહ્યુ - પહેલા સંતાનનૂ જન્મ મે આપ્યો હતો હવે બીજા સંતાનનો જન્મ તમારે આપવાનો –
ગૃહમંત્રીની સમગ્ર વ્યાખ્યા જ બદલાઇ ગયી છે - ધર્મ પત્નીનુ સ્થાન ગૃહરાજ્ઞીએ લીધુ છે :
કળીયુગની ધર્મપત્નીની કટાક્ષ કણીકાઓ જુદી છે “:
કાર્યેષુ વિઘ્નમ ,ચરણેષુ કંટક ,
ભોજ્યેષુ અગ્નિ , શયનેષુ નાગીન
મનોવિપરીત , ઇર્ષા ધરીત્રી
અસુયા સહિતેન ,સા ગૃહરાજ્ઞી
આ એક નિર્વિવાદ હકિકત છે કે બાળપણમા મળેલા સંસ્કાર મોટે ભાગે જીવનભર ટકી રહે છે - જો અમુક અપરિપકવ ઉમ્મરે જો તેનામા વિપરીત વિષ આરોપણ કરવામા ના આવે તો આ સંસ્કારની અસર સમગ્ર જીવન પર્યંત રહે છે – અને આ પ્રકારના વિપરિત વિષ આરોપણ માત્ર બે જ જગાએથી થયી શકે છે : એક તો તેનાપોતાના ઘેરથી જ - તેના માતા પિતા અને કુટુમ્બ તરફથી - અને બીજી જગા છે- સ્કુલ - અને સ્કુલના તેના મિત્રો - સહાધ્યાયીઓ- સાથીઓ અને કદાચ શિક્ષક – બાળકની પાસે આ બે જ જગા છે બાળપન વિતાવવાનિ - અને સાધન સંપન્ન કુટુબો માટે એક ત્રિજી સંસ્કાર્પ્રદાન કરતી પેઢી છે : અને તે છે - ટી વી અને કોમ્પ્યુટર - સીરીયલો અને ગેમ્સ - સંસ્કારના અભાવ માટે ભલે માતાની જવબદારી વધારે છે - પણ તેની સામે માતાની લાચારી પણ નજર અંદાજ કરી શકાય નહીં ..પેટનો ખાડો પુરવા પણ જે માતાને મજુરી કરવી પડતી હોય , તેના બાળકને બે બુંદ દુધના ટિપા માટે પણ જે માતાને તલાશ મા રહેવુ પડતુ હોય તે માતા બાળકને શુ સંસ્કાર આપી શકે ? આ બાબત એક ગરીબ લાચાર ઓરતની છે - બીજી સ્ત્રી છે - મધ્યમ વર્ગના પરીવારની - -આવક જાવકના છેડા મળતા નથી અને લાચારીથી નોકરીની તલાશમા નિકળવુ પડે છે -નોકરીનો શ્રમ - થાક - ઉપરી અને અધીકારીઓની ટક ટક ,- ટીકા ટીપ્પણો- લોભામણી નજરો - દોડાદોડી -ઘેર આવે ત્યારે ઘરનુ કામ - પતિ અને ઘરનુ કામ - બાળક માટે તે શુ કરી શકે ? પ્રમાણમા આ વર્ગ મોટો છે – આજકાલ મધ્યમવર્ગનીઅનેક મહીલાઓ નોકરી કરે છે - વ્ય્વસાય કરે છે - ધંધો કરે છે - અને ઘર પણ સંભાળે છે –પતિની પણ સેવા કરે છે અને બાળકોની પણ જવાબદારી ઉપાડે છે - પણ આટલી મોટીજવાબદારી સંભાળનાર તે સ્ત્રી બાળકને યોગ્ય અને પુરતા સંસ્કાર પ્રદાન તો નથી જ કરી શકતી- - મહીલાઓનો ત્રીજો વર્ગ છે સુપરક્લાસ મહીલાઓ – સુપર્ક્લાસ મોમ -અત્યંત સુખી સાધન સંપન્ન - કુટુબંનીમહીલાઓ જેમને નોકરી કે વ્યવસાયની ચિતા નથી -આવકનીકકોઇ ચિતા નથી – પણ સમય પસાર કરવા માટે તે મહીલાઓ ફિગર જાળવવા , ફોટો સેશનો કરવામા અને કીટી પાર્ટીઓમાથી જ ઉચી આવતી નથી - સોસાયટી અને ફિગરનીલાયમા ને લાયમા તે ભુલી જાય છે કે તેના ઘેર પણ તેની એક પુત્રી છે - પુત્ર છે - જે તેની દરેક હીલચાલ ઉપર છુપી નજર રાખેછે- એ બાળકો-સંતાનોની પણ એક લાચારી છે - મર્યાદા છે -તે મોમને કશુ કહી તો શકતા નથી -મને કમને ચલાવી લે છે - માતા પાસેથી પોકેટ મની -માગ્યા કરતા પણ વધારે મળે છે - પિતા ક્યા ફરે છે તેનુ પત્ની કે પુત્ર અને પુત્રીને ભાન પણ નથી હોતુ – પતિ પત્ની , માતા-પિતા , માતા-પુત્રી ,પિતા પુત્ર, દરેકની વચ્ચે એક લક્ષ્મણ રેખા છે જે મોટે ભાગે કોઇ ઓળગતા નથી - તેરી બી ચુપ - મેરી બી ચુપ – સબકી ચુપ -
ઉપરવાલા જાનકર અનજાન હૈ ,
એક અપરિપકવ કીશોર , બાપની ગાડી લયીને ફરવા નીકળ્યો - અકસ્માત કર્યો - કોણ જવાબદાર ? કિશોર કે તેનો બાપ ? પોલિસે શુ કર્યુ ? કોઇક નબીરાએ બેફામ ગાડી ચલાવીને કોઇના લાડકવાયાઓને ખતમ કરી દીધા - નબીરાને બચાવવા માટે કેટલો ખર્ચ થયો હશે અંદાજ છે ? લગાવવા જેવો પણ નથી - નબીરાને જેલમા સગવડ આપવામા જેટલો ખર્ચ કર્યો તેટલા ખર્ચમાતો આખી વસ્તીના તમામ બાળકોના અભ્યાસનો ખર્ચ નીકળી જાય - વસ્તીનુ કોઇ બાળક ભુખ્યુ ના સુવે – પણ તેવુ કોઇ કરતુ નથી - વસ્તીવાળાને ભણવુ હોય તો ભણે અને ખાવૂ હોય તે ખાય -અમારા કેટલા ટકા ? મારા દિકરાને સગવડ મલવી જોઇયે - એક કથાનક છે - એક નબીરાએ અકસ્માત કર્યો અને એક ગાય મરી ગયી - તે દોડતો બાપ પાસે ગયો - બાપે તેને ઠપકો આપવાને બદલે એમ કહ્યુ - એમા રડે છે શુ ? જા – જયીને જીવતા માણસને મારી આવ - તારો બાપ બેઠો છે - પળમા તને છોડાવી લાવશે ? શો સમજીશુ આ કથાનકમાથી ? જે બાપે જેને પોતાના ખોળામા બેસાડીને ગાડી ચલાવતા શિખવી હોય તે બાપ તેના પુત્રને તરફડતો તો જોઇ શકે જ નહીં - પણ ઉચ્ચ સંસ્કાર ધરાવતો – ઉચ્ચ શિક્ષણ ધરાવતો -ઉચ્ચ લાયકાતો ધરાવતો- ધરખમ આવક ધરાવતો તે પુત્ર તેના તે જ બાપને તેની લાચારી કે મજબુરી વખતે પોતાની ગાડીમાથી જ ઉતારિ મુકે તો ? આ તો અવિવેકની અને ઉદ્દંડ અને ઉધ્ધતાઇની – પણ કથાનક તો હજુ પણ કશુ કહે છે - વ્યવસાઇ માબાપ - સ્વાભાવિક છે કે બાળકો માટે સમય ના ફાળવી શકે - તેમના સારા કે પછી ખરાબ –નસીબે – તેમના માબાપની સાથે જ આ વ્યવસાઇ દંપતી રહેતુ હતુ - અને તેમના બાળકોની જવાબદારી તેમના દાદા- દાદી , નાના – નાની , ઉઠાવતા હતા- સર્વશ્રેષ્ઠ રીતે તે જવાબદારી વરિષ્ઠોએ ઉઠાવી - એક નાની બાલીકા – જે જન્મથી જ આ વરિષ્ઠના ખોળામા ઉછરી – તેના 1000 મા દિવસની ઉજવણી -પ્રસંગે તે બાલીકાને સંસ્કૃતના સો - 100- અવતરણો અને આશરે 50 - પચાસ – જેટલા શ્ર્લોકો અને કેટલીક યાદગાર કવીતાઓ પણ કંઠસ્થ હતી - તેના વડીલ ભાડુઓનેપણ નાની ઉમરે- 5-7 વર્ષાની ઉમરે - આ બધુ આવડતુ તો હતુ જ પણ સ્ટેજ પરફોર્મંન્સ પણ શીખવેલુ -સમયના વહેણ વિતતા ગયા અને પ્રવાહ ક્યારે અને કેવા વળાકે ગયો - માબાપે તેના સંતાનોને એવા મર્ગે વાળ્યા કે તે સૌ બાળકો તેમના આ બાળપનના શિક્ષકને - તેમના સગા દાદા દાદીને હડધુત કરવા લાગ્યા અને તેમના માબાપ તેમને પ્રોત્સાહન આપતા હતા – 3 વર્ષની ઉમરે જે જ્ઞાન અને જાનકારી હતી તેમાથી આજે કેટલી છે તે બાળીકા પાસે? જે છે તે એક તેમના માબાપે વિષ આરોપણ કરેલ તિરસ્કાર અને અપમાન અને અવહેલના -
નાના બાળકની ગ્રહન શક્તિ બહુ તેજ હોય છે – તે ઝડપથી સમજી જાય છે , શીખી જાય છે ,કોંવેંન્ટ્મા જતુ બાળક, એક સાથે ત્રણ ભાષા શીખી લે છે –અંગ્રેજી , માધમ છે માટેઅંગ્રેજી , હિંદી સૌ બાલકો હિંદી બોલે છે માટે હિંદી અને ગુજરાતી , તેમની ઘરની ભાષા -માતૃભાષા, પણ ભાષાના જ્ઞાનમા ગુજરાતીનુ જ્ઞાન “ ઢ “ તેમના માબાપને તે ખબર નથી પડતી કે તેમના બાળકને કમળનૂ :” ક “ કે અજગરનો “ અૅ “ નથી આવડ્તો , એકડ એક થી દશ સુધી પણ લખતા વાચતા નથી આવડતુ- પણ છતા ય ગૌરવ લે છે કે મારુ સતાન કોનવેંન્ટ મા છે -
આ છે પાયાના સંસ્કાર --------
ગુણવંત પરીખ
25-3-15 ( આચાર સંહિતા - 28 )
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
Geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment