Aachhar sanhita -----37 ------

From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609.




         આચાર   સંહિતા  :-         37    -----

       મૃત્યુ  એ  તો  જીવનની  સાથે  જોદાયેલ  છે  જ  -  જેનો  જન્મ    થયો તેનુ મૃત્યુ   એ નિશ્ચીત  છે  તેમા  મીનમેખ   ફરક ના  પડે -  મોડા  વહેલુ   પણ  નિર્ધારિત    અંત   એ મૃત્યુ    જ છે -  પછી તે  ભલે કુદરતી  મૃત્યુ  હોય  ,  વય અને અવસ્થાને   કારણે  હોય  , અપમૃત્યુ હોય  , અકાળ  મૃત્યુ  હોય   આત્મહત્યા   ફોય  -  ગમે   તે  કારણ  હોય - 

     એક  જમાનો  હતો  - ધર્મ પ્રેરીત  -   ધર્મ રક્ષિત  રાજ્યનો -  તે  જમાનામા   અકાળમૃત્યુ  થાય  જ નહીં  -કુદરતે નક્કી કરેલા   તમામ આશ્રમો   -   બાલપણ ગૃહસ્થાશ્રમ  વાનપ્રસ્થાશ્રમ - અને    છેલ્લે  સન્યસ્તાશ્રમ  જે  જીવનનો વિરામાશ્રમ  મનાતો  હતો  અને  કદી   કોઇનુ અકળ મૃત્યુથતુ  નહોતુ . કથાનક   કહે છે  કે  મહારાજ  યુધિષ્ઠીર   ધર્મરાજા   હતા   તેમનુ રાજ્ય  ધર્મ રક્ષિત્   રાજ્ય  હતુ  રાજ્યમા ક્યાય   અધર્મનુ   સામ્રાજ્ય    નહોતુ  અને  તેવા   સંજોગોમા  એક  બ્રાહ્મણે   દરબારમા   આવીને  રાવ  નાખી-   મહરાજ  મારા  પુત્રનુઅકાળ અવસાન કેમ    થયુ  -  અમે   આપના  ધર્મ   રક્ષિત  રાજ્યમા  રહિયે  ચિયે  - ધર્મનુ પાલન કરીયે છિયે   તેમ   છતા  ય  મારા પુત્રનુ અકાળ મૃત્યુ   કેમ  થયુ  ?  મહારાજે  તપાસના  આદેશ   આપ્યા  અને  તપાસનો  અહેવાલમળ્યો તે    મુજબ  યુવન પુત્રનુ મૃત્યુ  સર્પદંશ થી  થયુ   હતુ અને   બ્રાહ્મણે   જણાવ્યુ   કે   મને   મોતના   કારણ  સાથે કોઇ  લેવાદેવા નથી  -   અકાળ મરણ   માટેનો    પ્રશ્ન છે  -   ધર્મરાજાએ  ફરી   તપાસ   કરાવી-   બ્રાહ્મણ  પુત્રએ  અગાઉના   જન્મમા   તે   સર્પને  વિના  કારણ  મારી   નાખેલો  આથી   વેર   વાલવા  માટે   તે સર્પે  આ  બ્રાઃમણ પુત્રને  દંશ   મારી   મોતને  ઘાટ ઉતારેલ બ્રાઃમણે   ફરી  ફરીયાદ   કરી   કે   મારા જ્ઞાન મુજબ   તેના  તે  કર્મની  સજા    તેને  ગત જન્મમા   મળી ચુકી   છે  -  આ જન્મમા  ફરી  વાર  કેમ  સજા   થાય  ?  તે વખતે પણ   એવો  નિયમ  -  કાયદો  હશે  જ  કે એક  જ ગુના  માટે એક કરતા  વધારેવખત  સજા   ના  થાય  - ધર્મરાજાએ  ફરી   ચકાસણી   કરી  - ભુદેવની  વા  સાચી નીકળી   - હવે  શુ કરવુ  ?  પણ   ધર્મરાજા    ખરેખર   ધર્મરાજા   હતા  - તેમણે  સર્પને  હાજર કરાવ્યો- અને  સર્પને   સજા   કરી  - એક  ગારુડીને   બોલાવીનેસર્પ    ગારુડીને  હવાલે  કર્યો  અની   સુચના   આપી  કે   તારે  આ  સર્પને  મારી  નથી  નાખવાનો  તેના    વિષ યુક્ત દાત   દૂર  કરીને-તેને  એક  કરડિયામા  પુરીને  નગરજનો   વચ્ચે    તેના ખેલ  કરાવજે  -તેને  ખોરાકપણ આપજે   -  દૂધ પણ  આપજે  - મારી  નથી  નાખવાનો-  જીવીત  રહીને  તે  તેના  કર્મનુ  ફળ ભલે  ભોગવે -  આમ   એ  જમનો   જમાનો  નહોતો   પણ   ન્યાયનો  જમાનો  હતો   -  અકાળ  મૃત્યુ ને   સ્થાન નહોતુ  -

      અને    આજે  ?  1950   - 60   ના   દશક   સુધી  લગભગ  એવુ   માનવામા   આવતુ  હતુ  કે   અકાળ  મૃત્યુ  ,અપમૃત્યુ   કે   આત્મહત્યાને  ખુબ   ગંભીરતાથી  જોવાતા -   ગામમા  કોઇ યુવાનનુ   મોત  અકસ્માતે   થાય   તો  પણ   ગામમા અરેરાટી  ફેલાઇ    જતી   હતી-   ગામમા   પાકી   પડતી- સ્વયંભુ   બંધ   પળાતો   -તેની  સ્મસાન  યાત્રામા  આખુ  ગામ   જોડાતુ-  મોતનો  મલાજો   જળવાતો હતો અકાળ   અવસાન  તો  થતા  હતા  -પણ   તેની  એક   ગંભીર  નોધ   લેવાતી  -  પણ  ધીમે   ધીમે   નદિના  વહેણ   વહેતા   ગયા , વહેણ  સુકાતા  ગયા  ,  લાગણીઓ કરમાઇ  ગયી   ,મોતનો  કોઇ  મલાજો     જ  ના  રહ્યો  -   આવે    ને  જાય  -કુદરતનો  ક્રમ   છે   -  અને  અકાળ     મૃત્યુ  , અપમૃત્યુ   ,  આત્મહત્યાઓ ,અકસ્માતો  ,  ખુના મરકીઓ , આ  બધા   બનાવો  એટલા સામાન્ય   બની ગયા  છે કે  તેની  કોઇ  નોધ  સુધ્ધા  લેતુ  નથી -  હા  -નોધ   લેવાય  છે   તો  એક  મિડિયામા  -  તેને   માટે  આ   તો  તિખા  તમતમતા    આકર્ષક  સમચાર  છે  જેનાથી તેમનેદર્શકો   મળે   છે અને    દર્શકોસમળી   રહે  તે  રીતેમઠારીને    સમચાર અપાય  -અરે    કાર્ટુનિષ્ટો પણ  તેનો  લાભ   લે  છે -    એક   હાફતા   યમદુતને   દર્શાવીને જણાવ્યુ   છે   કે  તે  બિચારાને  શ્વાસ    લેવાનો   પણ    સમય  નથી  મલતો  -   આજે  અહી  અકસ્માત  -   આજે   અહી   આત્મહત્યા -  આજે  ધરતીકંપ  ,   મલબામાથી   માનવ દેહો  મળ્યા  -  અને  રોજીદા    મૃત્યુ  તો  ખરાજ -  યમદુતોનો   કાર્યબોજ  વધી   ગયો  - યમરાજાનુ  કામ   વધી   ગયુ  - દર્શકોને  આ  જોવા   અને   વાચવામા    રસ  છે  પણ  પળ  બે  પળ   માટે   અને    પછિ   બધુ ભુલાઇ   જાય  છે  -   બોલો  માણસની જીદગી   કેટલી  સસ્તી   થયી  ગયી  છે  ?એક  તમાસો    માત્ર  બનીને  રહિ  ગયી  આ જિદગી  - હજુ   તાજા   સમાચાર  છે    -  દિલ્હીની  એક   રેલીમા   એક  ખેડુતે  આત્મહત્યા   કરી  -    મુખ્યજપ્રધાન     જેવી  વ્યક્તિ  રેલીમા   -  ખબર  પડે   છે   કે  એક  ખેડુતે   આત્મહત્યા   કરી  -રેલી  ચાલુ  જ રહી  -    મોતની   કાતિલ  મજાક   તો    ત્યારે   ઉડી     કે જ્યારે   આ બનાવની  આલોચના    લગભગ   દરેક પક્ષે   તેમની  રીતે  કરી   પણ   પેલા  બિચારા  ખેડુતનુ   શુ  ?  તેના   કુટુબનુ  શુ  ?  આ   કોઇ  રાજકીયસ્ટંટ    હતો  ?   કે   પછી  રાજકારણને    જ  પ્લેટફોર્મ  બનાવીને  સૌએ   મનગમતી   ખીચડી   પકાવી  ?  ક્યા  રહ્યો  મોતનો  મલાજો  ? 

    આ ભલે  કથાનક  રહ્યુ  પણ    વાસ્તવદર્શી    છે  -  આજના મોબાઇલ  કલ્ચરનો  તે   જમાનો  નહોતો  -  ટેલીફોનની   સગવડ પણ  વધારે પ્રચલિત  નહોતી-   તે  સમયે અગત્યના   સમાચાર  તાર થી   મોકલાતા  હતા  -    દરેક  પોસ્ટ  ઓફીસમા   તાર  નુ  મશીન   હોય    અને  તેના ઉપર  સમાચાર   આવે  અને  પોસ્ટ  માસ્તર   તે  સમાચાર    જે  તે  વ્યક્તિને   તાબડતોડ   પહોચાડે  એક    રમૂજી   કહી  શકાય  તેવા  એક  ભાઇ  આ   તાર મશીન   પર  બેસતા  હતા-  મોટે  ભાગે   તો  કોઇના   સગા   વહાલાના    મરણના  જ સમાચાર  આવે   અને   આ  રમુજીલાલ  પહેલો   શબ્દ  પડ્યો   ના   પડ્યો   અને    હસી  મજાકમા   બોલી  ઉઠે   એ  ---- હા   -  કોઇ ક  ગયુ  -  બસ   -  આ   ભાઇની  આ એક   ટેવ  -  બધા   સાથી  કર્મચારી  જાણે   કે   રમુજીલાલમાટે   આ  મજાક છે   પણ    મર્હુમના  સગા  માટે  તો   તે   દુખદ   બીના  છે  -પણ  આપણા  રમૂજી  લાલ  લહેરીલાલા   હતા      કોઇ  ક  ગયુ   પાછુ     એ  તેમના   દરરોજના   શબ્દો -  હવે   એક   વખત   તે મશીન   પર  બેઠા  હતા    અને    એક  સંદેશો    આવ્યો  -  અને  રોજની  ટેવ   મુજબ   રમુજીલાલ   બોલી  ઉઠ્યા  -    એ  હા    કોઇક    -------  પણ    ગયુ  બોલે  તે  પહેલા   તો   તેમની   આખો  ભરાઇ   આવી -  આજુબાજુ  વાળા   સાથી  કર્મચારીઓ  એકદમ   બુમ  પાડી ઉઠ્યા   અરે  રમુજીલાલ   કેમ   આમ   ?શુ  થયુ  ?  આજે  કોણ   ગયુ  ?   તે કમનસીબ   સંદેશો  રમુજીલાલ  માટે   હતો   અને   તેમના પિતા   અવસાન  પામ્યા હતા   -  અને તે પછી    રમુજીલાલ    કદી   બોલ્યા નથી  કે     એ  હા  ,  કોઇ  ક  ગયુ  ..... 


દર્દીના   દર્દની  પીડા  દર્દીને  જ   દિશે  વધુ    ------

      આજકાલ  તો   સમચારની   ચેનલો એટલી બધી   થયી  ગયી  છે કે  દરેકને   માટે  અસ્તિત્વ   ટકાવી   રાખવુ   તે   ;પ્રતિષ્ઠાનો   પ્રશ્ન   બની  ગયો   છે  -  શુ  સમાચાર  લાવવા ?  સમકચાર  મેળવવા  માટે  તેમના  સંવાદદાતાઓ   રાજકિય    નેતાઓની  આજુબાજુ ફરતા   હોય છે -   રાજકિય   નેતાઓ  પણ   તેમનુનામ  છપાવવા માટે  તેમને   ખાસ  આમત્રણ   આપીને    માનભેર   બોલાવે પણ  છે  -   લાયંન્સ  ક્લબનુ    એક  ફંક્ષન  - સમારોહ     હતો  -  રાજ્યના  મુખ્યમંત્રી   મુખ્યક  મહેમાન   હતા   -    આતર  રાષ્ટ્રીય   મહીલા    દિવસની   ઉજવણી   હતી  -  અને   તે સમારોહમા   એક  10   વર્ષની   બાળીકાને  પણ  આમત્રણ   હતુ  - અને   યોગાનુયોગ   આ  બાલીકાને પણ    ડાયસ   પર  મુખ્યમંત્રીની  સાથે   જ  સ્થાન મળેલુ   -આ  બાલીકા   તેમની   શાળા  પંચાયતની  મુખ્યમંત્રી   હતી  -યોગાનુયોગ  બાળીકાએ   એક  વખત    આ  જ  મુખ્ય  મંત્રીને  એક પત્ર  લખીને   મુખ્યમંત્રી   પાસે   મુલાકાત  માગેલી -   ત્યારે  મા.  મુખ્યમંત્રીશ્રીએ    પત્ર  લખીને જણાવેલ   કે    દરેક   મુખ્યમંત્રી   મા.  મુખ્યમંત્રીશ્રીને    મળી  શકતા નથી  - અને   આજે  અચનક જ  આ બન્ને મુખ્યમંત્રીશ્રીઓ    એક  જ મંચ   ઉપર  ભેગા   થયી  ગયા  -  અને   સાનંદાશ્ચાર્ય  -  બાળીકાએ   તેના વક્તવ્યમા  આવાત મા. મુખ્યમંત્રીશ્રીને   યાદ  પણ   દેવડાવી -   સમગ્ર   સભાગૃહે    આ   બાળીકાની  હિમ્મતને  જોરદાર  તાળીઓના  ગડગડાટ  સાથે  વધાવી   લીધી   હતી  -  મા. મુખ્યમંત્રીશ્રીએ  પણ  બાળીકાની વાત  વિશાળ  મનથી સ્વીકારી   અને   જનાવેલ   કે   તે   જ્યારે પણ  ઇચ્છે   ત્યારે   વગર    એપોઇંટમેંટે  પણ  હવે   મુખ્યમંત્રીશ્રીને  મળી  શકે   છે  - પણ  ખરી  મજાક  તો  ત્યારે  થયી   કે   જ્યારે    મુખ્યમંત્રીશ્રીના   ચમ્પલ    ગુમ  થયા   -  અને  સમાચાર પત્રોએ  તે   સમચાર   પણ    મોટા  મથાળે  છાપ્યા અને   આ  બાળીકાએ  સામી પ્રેસનોટ  મોકલી  કે   મુખ્યમંત્રીના   ચમ્પલ  ગુમ   થાય  તે  સમાચાર કહેવાય  અને  લોકોની  માલ  મતા     ચોરાઇ  જાય   તો   તે  સમાચાર કેમ  નહીં  ?   એક   જાણીતા  પત્રકારે  જનાવેલ   કે    અમારા    વ્યવસાયમા   કુતરુ    માણસને   કરડેૂતે  સમાચાર  નથી   પણ  જો  માનસ   કુતરાને  કરડે  તો  તે  અવશ્ય     સમાચાર છે  
     કદાચ એતલા   માટે  જ   -  એમ  લાગે  છે  કે  કેટલીક  વખત  સમાચાર   અગત્યના   નથી  પણ   તેનાથી  મળતી પ્રસીધ્ધી   અગત્યની છે આ સમાચારથીકોને  લાભ  થય  છે  અને  કોને  કેવા  પરીણામ  ભોગવવા પદશે   તેની  કોઇને  કિંતા  નથી   તાજેતરમા  જ  બનેલો  એક બનાવ  -  એક  રેલીના   પ્રસગે   દિલ્હીમા    એક  ખેડુતે   આત્મહત્યા   કરી  -ોઆ  રેલીવખતે   રાજ્યના    મુખ્યસમંત્રી   પન  હાજર   હતા  -તેમને   આ  બનાવની જાણ  હોવા  છતા ય   રેલિ   ચાલુ  રહી    -આ બબત  મુખ્યમંત્રીશ્રીની    રાજકીય   કુનેહની  ખામી  દર્શાવે   છે  -  અને તેમની  આ  ખામીનો અન્ય   પક્ષોએભરપુર  લાભ  ઉઠાવ્યો  -મોટો  દેકારો  મચાવિ  મુક્યો  - પર્તુ  ના  તો  મુખ્ય  મંત્રીશ્રીએ   ,  ના   તો સરકારે  ,કે   ના  તો  કોઇ પણ  પક્ષે  જેમણે  દેકારા   મચાવ્યા   હતા   -  કોઇ   એ  તે  ખેડુતપ્રત્યે    કે ખેડુતમાટે  કશુ  ના  કર્યુ  -તે તો   ગયો જ  -આ  મોતની  ખબર  તો   દરેક માધ્યમોએ    મરી  મસાલા   સાથે   છાપી  -  દર્શાવી  -પણ   ફલશ્રુતી    શુ  ? જીદગી   કેતલી  સસ્તી  સાબીત  થયી  ?  અને કોઇની   જીદગીનો  લાભ   કોઇ   ઉપાડી  જાય  ?  ષુ   આલોચના  કરુ  ?શુ  વિષ્લેષણ   કરુ  ?

મોત   કભી  ભી   મીલ  શક્તિ  હૈ ,
લેકીન   જીવન  કલ  ના  મીલેગા , 
મરનેવાલે   સોચ  સમજ લે 
ફીર તુઝકો   યે  પલ  ના   મીલેગા 


ગુણવંત   પરીખ 
14-5-15          (   આચાર સંહિતા   ---  37   )


No comments:

Post a Comment