aachaar sanhitaa 46 anaamatno aachko 5 aandolan 3


From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609        6-9-15


  - ;આચાર  -    સંહીતા :-          46  ----

  - : અનામતનો   આચકો   :-        5  -----   આંદોલન  3

   પિતામહ  સમાન   બંધારણના   બાળકો  વચ્ચે નો   આ  એક  ગંભીર પ્રકારનો  આંતરવિગ્રહ  છે  -  વ્યક્તિ  સ્વાતંત્ર્ય , વાણિ  સ્વાતંત્ર્ય ,  અને   અભિ-વ્યક્તિના  સ્વાતંત્ર્ય  :  અને  તેમની જ નીપજ  સમાન : હડતાલ ,બંધ , આંદોલન , રેલી  ,  ઉપવાસ , સરઘસો , પિકેટીગ  વિ.વિ.    વચ્ચે   યોગ્ય  સમન્વ્ ય   નથી  રહ્યો   અને તેનો ઉપયોગ  અને ઉપભોગ   બન્ને  તરફે  હાની કારક   રીતે  થયી   રહેલ છે    સૌથી  મોટુ   કમનસીબ  તો એ  છે કે   લોકશાહીના  પાયા સમાન:  વિધાન  ગ્રુહો   જ  તેમનુ  ગૌરવ જાળવી  શકતા   નથી  -   શાળા ના   નાના બાળકોની  માફક  મારુ- તારુ     કરે  છે  , તોફાનો તો એવા  કરે   છે   કે  બાળકો  પણ  શરમાઇ  જાય  : ડઘાઇ   જાય  :  અને   તેથી પણ  વધારે   દુખદ ,આશ્ચર્યજનક  અને શરમજનક બાબત એછે  કે  આ   તોફાની  બાળકોને   તેમના  શિક્ષક  કશુ  કરી  શકતા નથી ; તેમની  સામે  ઝુકી   જાય  છે ;   જાવ    બાળકો  :  આજે   રજા :  મઝા  કરો   લહેર   કરો  : રજા   મળે  અને   ઉપરથી   પગાર  મળે  :  શિક્ષક અને   શિષ્યો   બન્નેને  આમદાની  મળે   તે  નફાની-  આ  બધુ  કોના ખર્ચે   અને  જોખમે  ?     લોકશાહીના પાયાના  સિધ્ધાંતોનુ  હનન  કરીને આ  આ  માનનીય   સભ્યશ્રીઓ  અને   તેમના   શિક્ષકો શુ  સાબિત કરવા માગે છે ?  હુ   નાનો   હતો  ત્યારે  મારી  બા  એકબીજાનુ  જોઇને  તોફાન  અને    કજિયો  કરતા  છોકરાઓને  કહેતી   બાવો નાચ્યો : ભેગી   બાવી  નાચી
ભાગીજાવ  :કોઇને  કશુ નહીં   મળે   :  અને   બધા   પાછા  એક   થયી  જતા  હતા :  અહિ  કજિયા  થાય છે  ,ઝગડા   પણ થાય  છે ,તોફાનો   પણ   થાય   છે   પણ   જલદી  એક   થતા  નથી  જ્યા  સુધી તેમનો કક્કો   ખરો  ના   થાય  - પણ  -પ્રજાને  પણ   મુર્ખ   બનાવે   છે   આ   મહાન   માનનીય  સભ્યો  -પગાર   વધારાની  બાબત હોય , ભથ્થા  વધારવાની  બાબત હોય  ,  પેંશનની   બાબત   હોય   : જ્યા   તેમનો   નીજી  સ્વાર્થહોય :ત્યા   એક  બની    જાય   છે -  કેમ  કોઇ એ પગાર  વધારાનો  વિરોધ ના  કર્યો ?   આ   કેવી  લોકશાહિ   કે  જ્યા   વિરોધ પક્ષનૂ  કામ   માત્ર  વિરોધ  જ  કરવાનુ  છે ? કોઇ   રચનાત્મક   કાર્યવાહી  જ નહીં  ?  માત્ર  પગાર  અને ભથ્થા   એ જ તેમનિ   રચનાત્મક  કાર્યવાહી   ?  ગુજરાતમા  એક    ધારાસભ્ય તો   હતા  જ  : ઔચિત્યભંગ   ના  ગણાય  માટે   નામ   નથી   આપતો   -ધન્યવાદ  આપવામા   તો  ઔચિત્યભંગ   ના    ગણાય  :-  જેમને  પગાર  ને    ભથાનો વિરોધ તો   ઠીક  - કદાચ   તે  પ્રકારની   આમદાની  તે   સ્વિકારતા  પણ નહોતા  -
સો   વાતની એક  વાત  :  શિક્ષકે  શાળાના   બાળકોને  કાબુમા  રાખવા જોઇયે   કોઇ  પણ  ભોગે : શાળા બંધ   કરી    દેવી  -છુટ્ટી   આપી   દેવી રજા  આપી દેવી  : તે  કોઇ   ઉપાય  નથી  - અધ્યક્ષશ્રી  પાસે   અમર્યાદિત   સતાઓ  છે ,વિધાનગ્રુહના  તે    વડા  છે  ,   મુખ્ય પ્રધાન   અને   વડાપ્રધાન   કારોબારીના    વડા   છે  અને  તેમની  પાસે પણ  અપ્રતિમ  સત્તાઓ   છે  કેમ   યોગ્ય   સત્તાનો  યોગ્ય ઉપયોગ  થતો નથી  ? અને    ત્રીજા  અંગ  : ન્યાયતંત્ર  પાસે   પણ   સૌને  આબી   જાય  તેવી  સત્તાઓ છે  -પણ  આ  સત્તાઓ ક્યા  અને  કેવી   રીતે વપરાય  છે  ?
        આજનો   સળગતો   પ્રશ્ન  છે  આદોલનો :  હડતાલ,    બંધ  ,  ઉપવાસ  ની  ધમકી, રેલીઓ  કાઢવાની  ધમકી પ્રદર્શનો    કરવા  ,  બંધના   એલાનો   આપવા :   જો   તેના  આયોજકો  એમ  સમજે  છે કે  આ  બધુ  તેઓ   કરે   છે તે   બંધારણની  મર્યાદામા રહીને  કરે  છે  -  અમે   તો   ગાધી   ચિધ્યા  માર્ગે   સરકારનુ  ધ્યાન  દોરિયે  છિયે  ;   માનો  કે  હડતાલ કે  બંધ   એ  કદાચ  ગાધી  ચિધ્યો  માર્ગ  છે  -  પણ   તે   દરમીયાન થતા   તોફાનો  -તોડફોડ જાહેર  મિલ્કતોને  કરવામા  આવતુ  નુકશાન   : આ બધુ કોણ કરે  છે  ?   આ બધુ  ગાધી ચિધ્યો  માર્ગ છે? તેમને કોણ  સમજાવે કે  તેમના  એ   ગાધી ચિધ્યા  માર્ગના   અધિપતિ   મહાત્મા   ગાધીજીએ  પણ એક  વખત   આવુ    સત્યાગ્રહનુ  એલાન આપેલુ  અને  તે  દરમીયાન થયેલ તોફાનોના  પગલે  તેમનેજાતે  જ  આ  એલાન   પાછુ ખેચી  લીધુ  હતુ આ   સિધ્ધાંતનિષ્ઠ   મહાનાયકે    તો  એક  વખત  થાકીને  ત્રાસીને -  કહી   દિધેલુ   કે  હવે  આ કોંગ્રેસને   વિખેરી   નાખો  -એના  જ  ભારથી  તે  તુટતી જાય  છે  અને  પોતાના  જ  ભારથી  તુટતા  જતા   એકમો માટે  આ   લાલ બત્તી છે  . શા   માટે  ગાધી  ચિધ્યા   માર્ગ  અને  સરદાર ના   નામ   વચ્ચે  લાવવામા  આવે  છે  ?   બાબા  સાહેબ    આબેડકરે   અનામતાની જોગવાઇ  કેમ  અને  કોના  માટે  અને  કેટલા  સમય  માટે રાખેલી  તે  જોવા  જાણવા   અને  સમજવાની  કોઇ  ને    દરકાર  છે  ખરી  ?  દલિતોના  તે  બેલી  હતા ,  ભણેલા   ગણેલા , અભ્યાસુ હતા  ,  આજે   તેમના અનામત  માટે   આ જે  આદોલનો   થાય  છે તે શુ તેમની નીપજ  છે  ? ગાધીજીની    નીપજ  છે    ?  સરદારશ્રીની  નિપજ  છે ?

        આ   પ્રકારના   આદોલનોથી   તો  એક  જુથવાદ   ઉભો  થાય  ચે , એક  વર્ગવિગ્રહ  ઉભો થાય   છે  ,  એક  સાથે  રહેલી  વ્યક્તિઓ  એક  બિજાના   દુશ્મન  બની  જાય   છે  -એકબીજાની સામસામે  આવી   જાય   છે   અને   સમાજ  અને   જાહેર   મિલ્કતોને   જે   નુકશાન   થાય  છે  તે  અકલ્પિત   બાબત   છે  :   શુ  આ બધુ   આયોજકો નથી  જાણતા  ?  પ્રશાસન    નથી   જાણતુ  ?  પ્રજા   નથી  જાણતી  ?  વિવેચકો  નથી   જાણતા  ?  માધ્યમો નથી   જાણતા  ? બધા  બધુ  જાણે છે  :; પણ ;  મડદા    ઉપર   બેસીને   ચિતાની  આગમા  ખીચડી   રાધનાર  અને  રોટલા   શેકનાર  ને  આ  બધુ કોણ  સમજાવે  ?   આજના   આદોલનો   પાછળના   આયોજકો   અને   સરકાર    બન્ને  પાસે   સમજ   છે  -  સત્તા  પણ   -   શક્તિ  પણ   છે  - મજબુત   ટેકા   છે -   દરેક    એમ     પાવર    દરેકની   પાસે   છે   તેનો   ઉપયોગ   માત્ર   પોતાનો  સ્વાર્થ   સાધવા   માટેજકે  પોતાનો  કક્કો  ખરો   કરવા   માટે   પ્રજાના   જાન  માલ  સાથે  ચેડા  કરવા  માટે કરવો  ?  પ્રજાની  શાતિ  અને  સુલેહ   એકબીજા   વચ્ચેના   સંબંધો  વચ્ચે   વિષ   ઘોળવુ  ?  કેમ   કોઇ  સમજ્તુ   નથી  ?  ભગતસિહની  શહાદત યાદ  કરો   છો   પણ  તે  કોની સામે   શહીદ  થયેલા  ?

    કોઇની  પણ  તાકાત  કે   ક્ષમતા  નથી   કે   ગાધીજી ,  સરદાર  કે  ભગતસિહના  પેગડામા  પગ   નાખવાની  -તેમના  નામે  અપપ્રચાર  યોગ્ય નથી  -  પ્રશાસને  રાજરમત  થી   નહીં શાસક   તરીકે   પગલા  લેવાના  છે રાજકિય  કુનેહ  અવશ્ય   દાખવી   શકે  છે  - કોઇ  પણ   પક્ષ  કુશળ  મુત્સદ્દી  અવશ્ય   બની  શકે  છે  -પણ  કુટીલ  રાજનિતિજ્ઞ    નહીં  -બન્ને  પક્ષે :   સરકાર   અને   આયોજકો : બન્ને   એ પ્રજાનુ   હિત  : તેના જાન  માલ ની  રક્ષા અને સુલેહ અને શાતિ    જળવાઇ રહે  તે    જોવાની  પ્રાથમિકતા   આપવાની  છે :  જાહેર  મિલકતોને નુકશાન ના  થાય પ્રજાની સગવડ  ના  છિનવાય  : તે   રીતે  કરો  જે  કરવુ હોય  તે :   સરકાર ને  પણ ખબર  ચે જ કે  આ પ્રકારના  આદોલનમા  આયોજકો સિવાય   ત્રિજુ  તત્ત્વ  ઘુસી   જવાનુ  છે  : તો   આયોજકોને  પણ    ખાતરી   નથી   જ કે  તેમના  આયોજનમા  બહારનુ   કોઇ   ત્રિજુ તત્ત્વ   ઘુસી નહીં  જાય  - ત્રિજુ  તત્ત્વ  જ નુકશાન કરે  છે  અને  નામ  આયોજકોનુ વગોવાય  છે તેટલી   સમજ   આયોજકો   કેળવે અને  તેનો   ઉપાય   વિચારે  - ત્રી જા  તત્વને  શોધવાની   અને   ડામવાની   જવાબદારી   આયોજકો   અને સરકાર  બન્નેની   છે .-   હુ   આજે   પણ   તે   હકીકત   દોહરાવુ   છુ  :અસલ  પાટીદાર  દાદાગીરી   કરે ,  દાડાઇ   પણ   કદાચ  કરે  ,  દમ  મારે, કોઇથી  ગાજ્યા  જાય નહીં  -  બધુ   જ  સાચુ  :પણ  અસલ  પાટિદાર   કદી  પ્રજાના   જાન માલને  અયોગ્ય  નુકશાન કરવાની  વ્રુત્તિ   તો  ના  જ   રાખેઅનેના   જ  કરે  અને  જો  તે   કરે તો તે અસલ   પાટીદાર  નહીં -  તેનામા  અને  અસામાજીક  તત્વમા  કોઇ  ફેર    નહીં  બન્ને  પક્ષ   પાસે   બધા  જ    એમ   ની  તાકત   છે   સમજો  અને  સદઉપયોગ  કરો  -  પ્રજાની   સુખાકારીમાટે    તો   વિચારો  ------
બાળયુવાન  આયોજકોને   ફરી   એકવાર   યાદ અપાવુ  છુ :

ન  સા  સભા   યત્ર   ના  સન્તી    વ્રુધ્ધઃ ,
ન  સા  વ્રુધ્ધ   યે ના  વદંતિ    ધર્મમ
ન  સા   ધર્મ    યે  ના  વદંતિ   સત્યમ    


પણ   છેલ્લુ  ચરણ   અગત્યનુ  છે 
 ન  સા    સત્ય  યે   છલેન  અનુભુષિત 
છળ  કપટથી   આવરણ  પામેલ  સત્ય   તે   સત્ય   નથી  -  તે  નિર્ભેળ   હોવુ જોઇયે


ગુણવંત  પરીખ
6-9-15

From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609



No comments:

Post a Comment