From:-
Gunvant R. Parikh
Executive Engineer ( R & B ) (Retd ) &
B.E.Civil. , LL.B.
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cellવિ.
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad 22 ( 380022 )
T.No. 079 25324676 , 9408294609
- : પ રી ક્ષા :-
- : આ ત્મ હ ત્યા : -
મૌત કભી ભી મીલ શકતી હૈ ‘
જીવન કલ ના મીલેગા
મરનેવાલે સોચ સમજ લે
ફીર તુઝકો યે પલ ના મીલેગા -
અમારો કોઇ પણ બાળક , વિદ્યાર્થી કે પરીક્ષાર્થી – અરે અન્ય કોઇ પણ હોય - ગમે તે મોભામા હોય - પણ અમે જો તેને આવા અતિમવાદી પગલાથી જો રોકી ના શકીયે તો તે અમારી ઘોર નિષ્ફળતા છે – આવુ પગલુ ભરનાર ના માતા પિતા , શિક્ષક , સ્નેહી સ્વજન , મીત્ર , ઓળખીતો પારખીતો - જે પણ હોય - તે સૌના માટે આ એક કલક છે -જે આ પગલુ રોકી ના શકે --
એવી તે કેવી હતાશા , નિરાશા વ્યાપી ગયી છે જીવનમા કે આવા આત્મઘાતી વિચાર આવે ?અને તમે માનો છો કે આ પગલાથી તમોને કોઇ લાભ મળશે ? તે પછીના પરીણામો વિચારી જોયા છે ખરા ? સૌથી પહેલા તો જો બચી ગયા - જીવીત રહી ગયા - તો પણ ત્રાસ –પોલીસ પાછળ પડી જશે -આ એક ફોજદારી ગુનો છે છે—સામાજિક ગુનો અંને કલંક પણ છે સગા સબંધીઓ મો મચકોડશે -તમારી તો ઠીક પણ તમારા સમગ્ર કુટુબની શાખ અને આબરુ પણ દાવ પર મુકાઇ જશે ,માટે કદી આવો વિચાર સુધ્ધા ના કરશો.-સુખ અને દુ:ખ, સફળતા અને નિષ્ફળતા- બન્ને એક જ સીક્કાની બે બાજુ છે - નિષ્ફળતાથી નિરાશ થવાય ,હતાશ પણ થવાય પણ તેથી જગ ના હારી જવાય –તમે જેટલા ગભરાશો , ડરશો ,એતલાજ જોરથી એ ગભરાટ અને ડર તમારી પાછળ પડી જશે -સામનો કરો -એ અટકી જશે. - અને મોત પછી તમોનેેશુ મલશે? ખબર છે તમોંને ? ભલા ભલા ઋષીમુનીઓને પણ જેની ખબર નથી તે તમે કેવીરીતે જાણી શકશો ?
એક નાનીસી વાત –એકવાર હુ અને મારો એક મિત્ર ભુપો નદીકિનારે ભાઠામા તરબુચની વાડીએ જવા નિકળ્યા –વાડી વાળાએ એક કુતરુ –નાનુ ગલુડિયુ જ હતુ -પળેલુ હશે – અમોને જોઇને પહેલા ભસવા લાગ્યુ અને પછી અમારી સામે દોડતુ આવવા લાગ્યુ- તે જોઇને હુ ગભરાઇ ગયો અને દોડીને પાછો જવા લાગ્યો -હુ જેમ જેમ દોડતો ગયો તેમ તેમ ગલુડીયુ પણ મારી પાછળ પડી ગયુ - હુ આગળ - ગલુડીયુ પાછળ – પેલા ચોકીદારે બુમ પાડી – એ છોકરા દોડીશ નહીં - દોડીશ નહીં - પણ સાભળે તે બીજા- ભુપો વાડી પાસે જ ઉભો હતો - એને કશુ ના થયુ - અને ગલુડીયુ તો મારી પાછળ દોડે જ આવે – હવે હુ થાકી પણ ગયો અને ખુબ ગભરાઇ પણ ગયો -પણ એટલામા એક આધેડ ભાઇ મળ્યા- તેમણે જોયુ – આ છોકરો ગભરાઇ ગયો છે - તેમણે તરત જ મને રોકી લીધો – અને કહ્યુ –દોડીશ નહીં - તુ દોડીશ તો તે તારી પાછળપડશે – ઉભો રહીશ તો તે ઉભુ રહી જશે અને સહેજ હાથ ઉગામિશ તો તે પાછુ પડશે અને ભાગી પણ જશે – અને ખરેખર ગલુડીયુ ભાગી ગયુ - તરબુચ તો ખાવાના હોશ ના રહ્યા પણ એક જીવનભરની શિખામણ મળી – મુશ્કેલીથી ભાગશો નહીં – તેનો સામનો કરો -
આ પરીક્ષા તો હજુ પાશેરાની પહેલી પુણી છે –આવી તો કેટ કેટલી પરીક્ષાઓ આવશે –નિષ્ફળતાઓ પણ આવશે - મુસીબતોના પહાડ પણ આવે –હિમ્મતથી ઉભા રહો - સામનો કરો –
હિમ્મત ના હાર , પ્રભુકો પુકાર
વો હી તેરી નૈયાકો કરેગા પાર -
જો પેપર ભારે હશે તો પરીક્ષક ઉદાર હશે – તે તમોને ઓળખતો તો નથી - છુટથી માર્ક મુકશે બહાર આવ્યા પછિ કદી માર્ક ગણવા ના બેશશો - બીજા પેપરનુ વિચારો – પેપરમા પણ જો કોઇ ભારે કે અઘરો પ્રશ્ન આવી ગયો તો તેના માટે લાબુ ના વિચારો - તે પ્રશ્ન ને બાજુ પર રાખો – ભારે પ્રશ્ન છેલ્લી વેળાએ લેજો --પ્રશ્ન છોડી નાદેશો -લખજો -જે આવડે જેવુ આવડે તેવુ પણ લખજો - જવાબ લખો - જો જો - પેટ દુખતુ હોય તો માથુ ના કુટશો - માથુ દુખતુ હોય તો અજમો ફાકવા બેસી ના જશો - જે છે તે છે - બસ –ધીરજ અને શાતિ રાખજો .
.પહેલાના જમાનામા તો માત્ર બોર્ડની પરીક્ષાના પરીણામને દિવસે કુવાના થાળે કે કાકરિઆની પાળે પોલિસ પહેરો રાખવામા આવતો હતો - આજે તો બહુ કુવા રહ્યા નથી –કાકરીઆની પાળ પણ રળીયામણી બની ગયી છે - આપઘાત કરવાનુ મન થાય તેવુ નથી - પણ વિષ ઘોળવાના અને મોતને વહાલુ કરવાના અનેક રસ્તા નીકળ્યા છે - ખાસ કરીને ઘર આગણે જ - ઘરના પખા - ગળામા ગાળીઓ નાખો અને લટકી જાવ - આ દિવસે વધારે કાળજી માતા- પિતા અને સગા સબધીઓ એ રાખવાનિ છે - તેઓ કદી બાલકને દુણવાનુ કામ ના કરે - તેના પરીણામથી તેને ઉગ્ર શબ્દો ના કહે –તેનામનને આઘાત પહોચે તેવુ ના કશુ કહેશો કે ના કશુ કરશો – કુમળુ મન કોચવાય તેવુ ના કરશો - તમે વડીલ છો -બાળકને ટપારવાનો હક્ક તમોને પહોચે પણ તેને દબાવાનો પ્રયત્ન આત્મઘાતિ પણ નિવડે .- વાલી છો - વડપણ દાખવજો- પહેલાના જમાનામા તો પરીણામ પેપરમા આવતા હતા- આજે ઓન લાઇન આવે છે – અને શક્ય છે કે વાલીને જોતા ના પણ ફાવતુ હોય - પરીણામ શુ આવે છે તે અગત્યનુ નથી - તમે કેવો અભિગમ રાખો છો -કેટલા સહજ અને ઉદાર બનો છો તે આજે તો અગત્યનુ છે –બહુ જ સાહજીકતાથી કહો -નપાસ થયો ? ઓ. કે .ચાલો બીજો પ્રયત્ન કરીશુ
કરતા જાળ કરોળિયે
ભોય પડી પછડાય
વણ તુટેલે તાતણે
ઉપર ચઢવા જાય -
અને કરોળીયો જાળ બાધે જ છે - તમારો બાળક તેનાથી પણ ઉતરતો છે ? ના - ના.
બોર્ડની પરીક્ષા કરતા પણ અનેક એવા નાના મોટા બનાવો આવવાના છે - તે તમારી પરીક્ષા લેશે - આરો મળે પણ ખરો - ના પણ મળે - ગભરાયે શુ વળે ? કોઇક તો છે તારણહાર - તારણહાર તારશે કે ડુબાડશે ? છોડો ચિતા -
ઘડી દો ઘડીકે હૈ , યે બાદલ યે કાલે
યે દિન તો હમ્મેશા નહીં રહને વાલે -
રાત્રિના અધકાર પછી સુરજ નીકળવાનો જ છે -
રાત જીતની ભી સગીન હોગી
સુબહા ઇતની હી રગીન નોગી
જેટલી મુશ્કેલીઓ નો તમે સામનો કરશો - એટલા જ મજબુત બનીને તમે બહાર અકાળે મોતને આમત્રણ ના આપશો - તેને તો ભગાડવાનો જ પ્રયત્ન કરજો --છેવટે તો વિધિનુ વિધાન જ જીતે છે - વિધાતાના વિધાનમા - લેખમા કોઇ મેખ ના મારી શકે - પણ આપણો દેશ તો સંસ્કાર , સંસ્ક્રુતિ , સાહસ અને શ્રધ્ધાનો દેશ છે - જો વિધાતાની સામે તમારી સાથે વિશ્વ - વિધાતા હશે તો વિધાતા પણ હારશે –
વિશ્વવિધાતાને શરણે રહેજો જીત તમારી જ છે
યત્ર યોગેશ્વર ક્રુષ્ણ
તત્ર શ્રી વિજયો ભુતિ
ALL THE BEST
ખાતરી રાખશો - આપની કોઇ પણ મુશ્કેલીના પ્રસગે અમે તો આપની સાથે જ છિયે પણ
હરઘડી - ચોવીસ કલાક - સદાકાળ - પરમાત્મા તમારી સાથે જ છે તે જ તમારુ પલ્લુ જાળવશે -
યોગ ક્ષેમ વહામિ અહમ -----
-તેમના આ વચન પર વિશ્વાસ રાખજો -જીત તમારી જ છે
છેક કિનારે આવી ગયા છો – મુખ્ય વિષયો તો પુરા થયી ગયા છે - હવે તો છબછબીયા કરતા નીકળી જાવ - વિજયમાળા તમારી રાહ જુવે છે
ગુણવંત પરીખ
12-3-16
ટે. ન. 079 25324676 , 9408294609 , 9426224857
No comments:
Post a Comment