From:-
Gunvant R. Parikh
Executive Engineer ( R & B ) (Retd ) &
B.E.Civil. , LL.B.
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cellવિ.
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad 22 ( 380022 )
T.No. 079 25324676 , 9408294609
વિશ્વ – યુદ્ધ : - 5 ----
ભવસાગરમા વિશ્વાસે જ્યા તરતી નૈયા ડુબે
કોણ સગુ કોણ વહાલુ , કોણ પારકુ કોણ પોતિકુ
માનવ ના પરખાયા માનવીને
ગ્રુહ યુદ્ધ હોય , કૌટુમ્બીક કલહ –યુદ્ધ હોય , સીમાના ઝગડા અને સીમા પરના છમકલા હોય , વિસ્તારવાદની ભુખ સતોષવા માટેના લોહિયાળ યુદ્ધ હોય , વિશ્વ –યુદ્ધ હોય - કે પછી લોકશાહીના ચુટણીજગ હોય - પણ એક સર્વસામાન્ય નિયમ અફર છે
જોડાણ - તડજોડ – સોદાબાજી –સલાહ - સુલેહ -મંત્રણા - અને તેનો પહેલો નિયમ તે દુશ્મનનો દુશ્મન તે મિત્ર : સરવૈયામા આર્થીક ખાનાખરાબી અને નુકશાન :
“ જ “ નુ જૂથ - જર્મની અને જાપાન - જોરમા હતા –
લડાયક અને આક્રમક હીટલર જગ જીતવાના મુડમા હતો - તે એમ જ માનતો હતો હવે સમગ્ર યુરોપ મારા કબજામા છે - અને સમગ્ર વિશ્વમા જર્મનીનો ડકો વાગશે અને હુ વિશ્વ વિજેતા છુ - તેની આક્રમકતા અને કીન્નાખોરી જાણીતી હતી - બ્રિટન , ફ્રાંસ , રશિયા સૌ તેનાથી ડરતા હતા કૈક અશે દબાઇ પણ ગયા હતા - પણ બ્રિટનનો ચર્ચિલ પણ એક કુનેહબાજ ,કુટીલ મુત્સદ્દી હતો –તેણે શરણાગતી ના સ્વીકારી - અમેરીકાની મદદ માગી - - આ જોડાણ સફળ રહ્યુ -બ્રિટન ,ફ્રાંસ , રશિયા અમેરીકા , વિ.વિ. વર્ગ ભેગા થયી ગયા અને સમય એવો આવ્યો – આક્રમક હીટલરને આત્મહત્યા કરવી પડી , તો જાપાનને શરણાગતી સ્વીકારવી પડી - જોડાણ જિત્યુ તો ખરુ પણ કિસ્મતની કહાની કેવો પલ્ટો લે છે -સમગ્ર વિશ્વમા ડકો વગાડનાર ચર્ચીલ ઘર આગણે - લોકશાહી ચુટણી જગમા હારી ગયો –લોકશાહીના જગ ભલે લોહીયાળ નથી જણાતા પણ કમરતોડ માર મારી શકે છે - મોરારજીભાઇ પણ અમુલ દેસાઇ સમે હારી ગયા હતા તો ઉત્સવ પરીખ પણ કસ્તુરભાઇ સામે હારી ગયેલા - આ બન્ને પ્રભાવશાળી અને સિધ્ધાંતવાદી નેતાઓ હતા -હાર જીતના લેખા કોરી પાટી ઉપર ના મુકાય . કોઇ સિધ્ધાંત વાદી હારે તો તે તેના સિધ્ધાંતની હાર નથી પણ વ્યવહારીકતાની કમી છે –મોરારજીભાઇ આખાબોલા હતા પણ ઉત્સવભાઇ સૌમ્ય હતા છતા હારી ગયા -જો એ વાણી વર્તન અને સ્વભાવ - વ્યવહાર બહુ અગત્યનો ભાગ ભજવે છે –તેની અસર દુરગામી હોય છે - પછી તે હીટલર હોય , ચર્ચીલ હોય -જે ગાંધીજીને “ અર્ધનગ્ન ફકીર “માનતો હતો -કે પછી નાના મોટા સીમા યુધ્ધો હોય કે નાનામોટા ચુટણી જગો હોય - વાણીની તોછડાઇ વર્તનની ઉધ્ધતાઇ , વિ.વિ. જેવા પરીબળો પણ કામ કરે છે - જૂથ અને નાણા પણ અસરકર્તા પરીબળ છે - પણ સૌથી મોટુ ભાથુ તે સેવાવ્રુત્તિ છે
એક નાના સરખા ચુટણી જગને જોઇયે : ઉમેદવારની પાસે આકર્ષક કામગીરી હતી –નામ હતુ , કામ બોલતુ હતુ ,નગરમા નામ હતુ - પણ સાથે સાથે એક વર્ગમા તેમની સ્પષ્ટ વક્તા તરીકેની વાણી અને એક વર્ગમા તેમની જોડાનની નીતિ માન્ય નહોતી- એક તબક્કે તેમણે પણ હતાસાના સુરમા ઊભરો ઠાલવ્યો – મારી પાસે મારો ભાઇ નથી , બહેન નથી ,પુત્ર નથી ,પણ આ એક હાતાશાનો ઊભરો હતો – સૌ તેમની સાથે હતા -સૌએ તેમની સફળતા જ ઇચ્છી હતી - સ્વસ્થતા ગુમાવીને મેદાન છોડવાની જરુર નહોતિ - તેમની પાસે જોડાણ નીતિ તો હતી જ – પણ યોગ્ય સમયે યોગ્ય જોડાણ ના પણ થયા હોય તેવુ બને - અને પરીણામે તે સાબીત પણ કરી આપ્યુ કે તેમની હતાશા અસ્થાને હતી - તેમની શકાઓ કુશકાઓ પણ અસ્થાને હતી -તેમના દોષારોઅણ પણ અસ્થાને હતા -ભુતકાળનો કોઇ પ્રસગ કે બનાવ પણ માત્ર વહેમ અને શકાના મુળમા હતા - ભુતકાળમા એવુ બનેલુ જ્યારે એક સામાજીક પ્રસગના બહીષ્કાર માટે કોઇક જોડાણ કરવામા આવેલુ અને કોઇકના પ્રસગને આ જોડાણે વિપરીત અસર કરેલી - એટલી હદે કે તેમની માતાને પણ આ જોડાણમા ભેળવીને આ સામાજિક પ્રસગથી અળગી રાખેલી જેનો રજ માને છેવટની પળ સુધી રહેલો
પુત્ર છતાય પુત્ર વિહોણી , માનુ મન મુરઝાય
હૈયે વેદના હોઠ સીવેલા , આસુડા છલકાય
– પણ તેમના આ જોડાણના પ્રતિભાવ તરીકે જોડાણથી અસરકર્તા વ્યક્તિએ તે તમામ વ્યક્તિઓના તમામ
પ્રસગો સારીરીતે જાળવ્યા હતા - કોઇ ઉણપ વર્તાવા દિધી નહોતી - પણ વહેમ અને શકનો કોઇ ઇલાજ નથી . હિટલરને વહેમ હતો કે યહૂદી વેપારીઓ એ પહેલા વિશ્વયુધ્ધ દરમિયાન જર્મનોને અનાજ અને યુધ્ધનો સામાન આપવામા હેરાનગતિ કરેલી અને જર્મની હારી ગયેલુ – બસ આ ડ્ખ એટલો જોરદાર હતો કે તક મળતા અને સત્તા મળતા જ તેણે યહુદીઓનુ કાસળ કાઢી નાખ્યુ - નિર્દોષ યહૂદી નાગરીકો – સ્ત્રીઓ અને બાળકો ને પણ ના છોડ્યા -આનુ નામ વહેમ અને કિન્નાખોરી ---
કૌટુમ્બીક કલહ અને કજીયામા પણ આવોજ વહેમ , શક અને પુર્વગ્રહ વિપરીત અસર કરે છે . – Sibling Rivalry - લોહીના સંબંધો ધરાવનારા – ભાઇ ભાઇ , ભાઇ બહેન - માત્ર વહેમ , ઇર્ષા અને અદેખાઇમા જ એકબીજાના દુશ્મન બની જાય છે - અરે સતાનો તેમના માતા પિતાના પણ વેરી બની જાય છે -“તમે બીજાને આપ્યુ અને મને નહીં - હુ રહી ગયો - કેમ ? અને તે વહેમમા અને વહેમમા તે અનેક કાવાદા વા અને કાવત્રા પણ કરે છે -લોકો અને કેટકેટલા હિત શત્રુઓ પણ તેનો દુરુપયોગ કરે છે તેનુ તેમંને ભાન પણ પડતુ નથી , ,- આ વહેમ સર્વનાશ વહોરે છે તેનો અદાજ પણ તેમને નથિ આવતો કારણકે તેમને પ્રથમ તબક્કે કોઇ નુકશાન થતુ હોતુ નથી .
એક ગામફોઇ એ તેમનુ અગત વેર વાળવા કુટીલતાપુર્વક બે પડોસીઓને લડાવી માર્યા - અને આ “ શેરી યુદ્ધ “ હસતા હસતા તમાશા તરીકે જોયુ - માર ખાનાર પડોસીને વિષ-પાન કરાવ્યુ - “ તારા બાપે જ આ બધુ કરાવ્યુ : કાચા કાનના ભણેલ ગણેલ - એક નહીં - દપતિ અને બાળકો સુધ્ધા એમ માનતા થયી ગયા કે પાપાજીએ પપ્પાને માર ખવડાવ્યો - પરીણામે માતા પિતા અને બાળકો તમામે ભેગા થયીને વ્રુધ્ધ માબાપને ધમકી આપી - હવે તમે બહાર નીકળી જુવો -કોઇ પાણીપાનાર તો ઠીક ઓળખનાર પણ નહીં મળે તેવી જગાએ તમોને પાડી દેવામા આવશે - વાસ્તવીકતામા તો મા કે બાપને કશી ખબર નહોતી: માએ તો આ બે “ યોધ્ધાઓ” ને છુટા પાડવા પ્રયત્ન કર્યો અને પોતે ગડથોલિયુ ખાધુ –અને છતા પુરસ્કારમા ધમકી મળી : આનુ નામ વહેમ ; કાચા કાન : કાનભભેરણી : ભાઇ સર સાહેબ થોડા ઝનુની અને જઃઅગડાખોર ખરા - અને તેથી આ બનાવ્ને સમર્થનોઆપતો પોલિસ અહેવાલ એક્ક્ષીકુટિવ કોર્ટ પાસે પોલિસે મુક્યો તેમા ભાઇને માટે આ જ શબ્દો હતા –તે ઝનુની અને ઝગડાખોર છે અને આ દોષારોપણ પણ ભાઇએ પોતાના પિતા પર કર્યુ અને ગામ આખામા ઢ્ઢેરો પિટ્યો –મારા બાપે મારા સામે એફ.આઇ.આર નોધાવીને મને દિવાળિમા અદર મોકલવાની વ્યવસ્થા કરી છે -અહિયા પણ મા કે બાપંને કશી ખબર નહોતી : આનુ નામ શક - વહેમ પુર્વગ્રહ –પરીણામ સબધોની તિરાડ –ઉચા મન – મનભેદ અને તેથી આગળ વધીયે તો કૌટુમ્બીક દુશ્મનાવટ .
.શુ પામ્યા આ મહારથીઓ ? હીટલરે આત્મહત્યા કરી , જાપાનને શરણાગતી સ્વીકારવી પડી , કાબેલ ચર્ચીલ ઘર આગણે હારી ગયો , મોરારજીભાઇને પણ તડજોડ કરીને જોડાણ કરવા પડ્યા ત્યારે વડાપ્રધાન બન્યા – ઉત્સવભાઇએ ક્ષેત્રસન્યાસ લીધો -આધ્યાત્મિક માર્ગે વળ્યા : દેખાતી જીત એ જીત નથી - દેખાતી હાર એ હાર નથી :
યે બાજી હૈ દુનિયામે સબસે નિરાલી
જો હારે સો જિતે , જો જિતે સો હારે
આ તો “ યુદ્ધ “ છે યુદ્ધ -
પણ જે સમજદારીથી કામ લે તો જીત હમેશા તેની જ છે
ગુણવંત પરીખ
23-6-16
No comments:
Post a Comment