સિં હા સ ન ના સો દા ગ ર :- 2
આંદોલન
,From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
- :સિં હા સ ન ના સો દા ગ ર :- 2
ગુણવંત પરીખ
આંદોલન , ચળવળ , ક્રાંતિ , બળવો , હડતાલ , બંધ , સત્યાગ્રહ , વિ.વિ. આ બધા લગભગ એક માના દિકરા જેવા પર્યાયો છે : દરેક પાછળ કોઇ ને કોઇ વિરોધ કે અસંતોષ જ છુપાયેલ છે : પણ રજુઆત રજુઆતમા ફરક છે . સામાન્ય રીતે આંદોલન કોઇ એક વ્યક્તિ કુટુબ કે વર્ગ માટેનો વિરોધ નથી પણ જ્યારે સમગ્ર સમાજ , રાજ્ય , કે રાષ્ટ્રની પ્રજા વિરોધમા હોય , તેમને કોઇ ના નિવારી શકાય તેવો અન્યાય થયોછે તેવી લાગણી પ્રવર્તતી હોય , માગણીઓ ઠુકરાવવામા આવતિ હોય અને તે સમયે જ્યારે સમગ્ર સમાજ એક્જુટ બનીને જે માર્ગ અપનાવે તેવી કાર્યવાહી કરે તેને આંદોલન કહેવાય - ચળવળ પણ કહી શકાય પણ ચળવળ છાને ખુણે બંધ બારણે થાય જ્યારે આંદોલન જાહેરમા થાય. આંદોલનનો એક મહાન ગુણ છે – તે સ્વયંભુ હોય છે - તેના માટે એકત્રીકરણ માટે ભાડુતી ટોળા ઉભા કરવાના નથી હોતા – અસંતોષી વર્ગ આપમેળે જ આવી જાય છે અને સાથ અને સહકાર આપે છે. કારણ આની પાછળકોઇ એકાદ માત્ર વ્યક્તિનો કે જુથનો જ સ્વાર્થ હોતો નથી. મહાત્મા ગાંધીજીના દરેક આંદોલનો , ચળવળો , સત્યાગ્રહો , વિરોધો , હડતાલો અંરે બંધ પણ આ પ્રકારના સ્વયંભુ હતા જે સમગ્ર દેશની જનતા માટે હતા. ગુજરાતે છેલ્લા 50-60 વર્ષ દરમિયાન આવા આંદોલનો જોયા છે :
આપણે ગુજરાત રાજ્ય અલગ થયુ ત્યારથી જોઇયે : તો ગુજરાતને અલગ કરવાના મહાગુજરાતનો આંદોલન : જે રાજ્યકર્તા સરકાર સામે હતુ : જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા , ગુજરાતના વરિષ્ઠ નેતા મોરારજિભાઇ હતા : વિરોધમા ઇંદુલાલ યાજ્ઞિક હતા તેમની પડખે મોટો વર્ગ હતો : પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ્નો ફાળો મોટો હતો. વિદ્યાર્થીઓની પ્રવ્રુત્તિને હુ અવશ્ય બિરદાવુ પણ તેમના અપરિપકવ અનુભવ અને સમજનો અયોગ્ય ઉપયોગ થાય તે યોગ્ય નથી. આ આંદોલનમા કોઇ નેતા શહિદ થયા હોય તેવુ જાણવા મળ્યુ નથી -જ્યારે યુવાનો અને ખાસ તો વિદ્યાર્થીઓ જ શહિદ થયા છે - અને આંદોલન સમપ્ત થયા પ્પછિ તેના ફળ સ્વરુપે કોને લાભ થયો ?વિદ્યાર્થીઓના માબાપે આશાસ્પદ યુવાન સંતાનો ખોયા અને નેતાઓને ખુરશી મળી. આને કહેવાય શહાદત :
ગુજરાતે જોયેલુ આવુ જ બીજુ આંદોલન તે નવનિર્માણનુ આંદોલન હતુ : અહિયા પણ એજ પ્રકારની નિતિ રહી હતી : આદોલનના પ્રેરક પરિબળો કોણ હતા , કેમ પ્રેરણાઓ અને છુપો ટેકો આપતા હતા તેનાથી ગુજરાત અજાણ નથી તેનો હેતુ પણ હવે તો અજાણ નથી અને આ આંદોલનમા પણ લાઇમ લાઇટમા તો પહેલી હરોળમા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ અને બની બેઠેલા નેતાઓ જ હતા - આંદોલન સમાપ્ત થતા વિદ્યાર્થીઓને શુ મળ્યુ ? માસ પર્મોશન - મફતમા પાસ થવાનુ – તેમની અપરિપકવ શક્તિનો આ કેવો દુરુપયોગ થયો હતો ? આ બન્ને પ્રકારના આંદોલનમા વિદ્યાર્થીઓનો ફાળો મોટો નહોતો પણ તેમના મૂટા જુથનો ઉપયોગ કરવામા આવ્યો હતો. મને બાળપણના એ દિવસો યાદ છે જ્યારે કોઇ નેતા કે મોટા માણસનુ અવસાન થાય ત્યારે બાલકો ખુસ થાય : માત્ર એટલા માટે કે આજે રજા પડવાની- અને આ જ માનસ કોલેજ અને ઉચ્ચ શીક્ષણમા પણ રહેલુ જ હતુ – વિદ્યાર્થીઓ આંદોલન , બંધ કે હડતાલમા એટલા માટે જોડાતા હતા કે રજા પડી જશે - મફતની રજા-હોસ્ટેલમા પણ લહેર - મફતના ભાવે વધારે રજા મળે અને ઘેર ભાગી જવા મળે-આંદોલનના હેતુ સાથે તેમને કોઇ સંબંધ નહોતો - પરીણામે તેમને શુ મળુ ? મફતના ભાવે હાજરી મળી ગયી - કોઇ પગલા લેવાયા નહી -અને મફતના ભાવે પાસ થવાનુ મળી ગયુ. આ જ વર્ષથી યુનીવર્સિટીની પરીક્ષાઓમા ઓપન ઓપ્શન થિયરી આવી - શુ પામ્યા વિદ્યાર્થીઓ ? ઓપ્શન થિયરી ? જેનાથી તેમના જ્ઞાનનો ભુક્કો બોલી ગયો ? આ થિયરી મુજબ સીલેબશના નિર્ધારિત અભ્યાસક્રમ મુજબ તેમાથી જરુર પુરતા જ અભ્યાસક્રમનો અભ્યાસ કરવો અને બાકીનો ભાગ ઓપ્શનમા કાઢી નાખવો - પરીણામ એ આવ્યુ કે યુનીવર્સિટીમા પ્રથમ ક્રમાંકે આવેલ ઉમેદવારનુ જ્ઞાન અધુરુ સાબિત થયુ અને એક તબક્કે આવા જ એક એંજીનીયર માટે ક્ષોભજનક સ્થિતિ પેદા થયી અને છેવટે ઓપ્શન થિયરી રદ કરવી પડી.અને નવનિર્માનના આંદોલનનો લાભ કોણે લીધો તે પણ ગુજરાત સારીરીતે સમજે છે. આનો અર્થ એવો નથી જ કે વિદ્યાર્થીઓએ આ પ્રકારના આંદોલનમા કે રાજકારણમા ભાગ લેવો જોઇયે નહી - ભાગ અવશ્યલેવાનો -પણ કોઇના હાથા નહી બનવાનુ—તેમના અપરિપકવ મનનો કોઇ દુરુપયોગ ના કરી આય તે જોવાનુ છે -આ બાબત એકલા વિદ્યાર્થીઓને જ લાગુ પડે છ્હે તેવુ નથી - તમામે તમામ યુવા વર્ગ માટે આ સુચન આવશ્યક છે. જગદીશ ભાવસાર , હિમાંશુ {પાંચી} જેવા કેટલાક વિદ્યાર્થી નેતાઓ આજે કાઠુ કાઢી શક્યા જ છે : આજનો બાળક : કાલનો વિદ્યાર્થી : અને ભવિષ્યનો નેતા છે જ : તેને યોગ્ય માર્ગદર્શનની જરુર છે –તેના સલાહકારો કેવા છે તે અગત્યનુ છે અને તેની પોતાની સમજ્શક્તિ અને ગ્રાસ્પિંગ- ગ્રહણશક્તિ કેવી અને કેટલી છે તે પણ જોવાનુ રહે છે. એક વાત ચોક્કસ :વિદ્યાર્થિ પોતે બળવાખોર નથી હોતો : તેને રવાડે ચડાવવામા આવે છે અથવા શક્ય છે કે તે પોતે રવાડે ચડી ગયેલ હોય.
ગુજરાતનુ ત્રીજુ આંદોલન 1985નુ : તે આદોલમન પણ અનામત આદોલનના નામે જ જાણીતુ છે જેમા ખુબ ખાના ખરાબી થયેલી : જે હવે આગળ જોઇશુ :
ગુણવંત પરીખ
20-11-17
ક્રમશ:
અનામત એટલે શુ ?
2 Attachments
No comments:
Post a Comment