41 ;  ભાગવત :


 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                                    7


 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                                    6
                                            શુકદેવનો જન્મ
 મહર્ષી  વેદ  વ્યાસ  અને અરણીજી  એકદમ   ખુશ  હતાં : ખુદ  દેવાધિદેવ  મહાદેવનુ વરદાન  અને  તે  પણ  તે  પોતે     અરણીજીના  ગર્ભમા    આવશે અને  અમોને  પુત્ર  મળશે – તેમના   આનંદ ની  કોઇ  સીમા   નહોતી. દિવસો ઉપર   દિવસો   ગયા -  અને  તેમ કરતા દશ  માસ   વીતી   ગયા  પણ અરણીજીને પ્રસવપિડા નથી  થતી   -  સૌને  આશ્ચર્ય  થાય   છે  કેમ  આમ  ?  એમ  કરતા  કરતા  એક  વર્ષ  વિત્યુ -    બે  વર્ષ વિત્યા – સમય    આગળ   જતો ગયો  - કોઇની  સમજમા  આવતુ નથી કે  શુ  બાબત  છે  -  દેવાધિદેવ   મહાદેવને  થયુ  કે   વ્યાસ  દંપતિ  અતિ  વિહ્વળ  છે –તેમને માર્ગદર્શન  આપવુ જોઇયે-  અને  અરણીજીને   સ્વપ્ન દ્વારા   સુચના  આપિ  :    હે   માતા  :હુ  પ્રુથ્વી  પર  આવીને  સિધો જ  ગંગા   ઘાટ   ચાલ્યો જાઇશ  -  કથા   કરવી અને  કથા  સાભળવી  તે    મારુ અવતાર કાર્ય  છે  -  જ્યારે    આપ  મને  આજ્ઞા    આપશો ત્યારે જ હુ  પ્રુથ્વી પર  અવતરણ  કરીશ. કોણ   એવી   માતા  હશે  કે  જે  પોતાના  પ્રથમ સંતાનને આમ  જન્મથી જ પોતાનાથી દુર  જવાની રજા   આપે  ? અરણીજી રજા   આપતા  નથી  અને શુકદેવજી   જન્મ  લેતા  નથી-  હારીને થાકીને  વ્યાસજીએ   અરણિજીને  મનાવી લીધાં   - કે  આપણો પુત્ર  જગતના  કલ્યાણ માટે     માગણી કરે   છે  - તેને   રજા   આપો  - તે  સિવાય  છુટકો નથી  - એક  વાર  તેને   પ્રુથ્વી પર  આવી  જવા  દો  પછી  આપણે તેને સમજાવી લયીશુ  . અને   માતા  અરણીજીએ   રજા   આપી  - અને બીજે જ  દિવસે  તેમના   ત્યા પુત્ર જન્મ થયો –પણ   આશ્ચર્ય  -આ   બાળક  તો    જન્મતાનીસાથે    દોડવા  માડ્યો – કોઇ  કશુ   સમજે   તે  પહેલા   તો   તેણે દોટ   મુકી –માતાએ  આક્રંદ   શરુ   કર્યુ અને  પિતાવ્યાસ   તેની  પાછળ  દોડવા  લાગ્યા-આગળ     શુકદેવજી અને   પાછળ  વ્યાસજી મહારાજ  -  બુમો પાડે  છે  - હે  પુત્ર – તુ  ઉભો   રહીજા – તારી  માગણી  અમે    જરૂર  પુરી કરીશુ   -પણ  એક  વાર  અમારી  વાત  સાભળ  -પણ   શુકદેવજી  કોઇ    વાત    સાભળવા  રાજી નથી  -તેમણે   તો  કહ્યુ   કે   માતાએ મને   રજા  આપી  છે   માટે  જ હુ  પ્રુથ્વી પર   આવ્યો  છુ  - હવે આપ  તેનો અસ્વીકાર  ના  કરી  શકો – મને  જવા   દો .- પણ  વ્યાસજીનુ મન  માનતુ  નથી –તે  પણ  શુકદેવજીની  પાછળ   દોડે  છે  -આ સમયે  એક   તળાવના   કાઠે  ઘાટ  પર  કેટલીક  મહીલાઓ  સ્નાન  કરતી હતી  -તેમણે  જોયુ  કે  એક   યુવક  દોડતો   આવી  રહ્યો  છે  પણ   નિર્વિકાર  લાગે છે – તેની  નજર  માત્ર   સામે    રસ્તા પર    છે -   આથી  તેઓ  વિના  સંકોચ  સ્નાન કરતી રહી  -  બાળ  યુવક પસાર થયી   ગયો  -  અને   તેમણે  જોયુ કે   બાળ યુવકની  પાછળ     એક વડીલ મુની  દોડી રહ્યાછે – તેમને  જોતા જ   મહિલાઓએ  તેમના    વસ્ત્રો  પહેરી લીધા-  વ્યાસજીએ પણ    આ જોયુ  --તેમને   આશ્ચર્ય થયુ  -તેમણે  બે  ઘડી   ઉભા   રહી અને   મહિલાઓને  પ્રશ્ન  કર્યો  -  પેલા  યુવકને  જોઇને તમને  શરમ  ના   લાગી  અને   હુ  તો  તમારા  પિતા  સમાન  છુ  -તો  મારી આવી  શરમ  કેમ  ?  મહિલાઓએ જવાબ આપ્યો  : મુનીરાજ : એ યુવક અમોને   નિર્વિકાર  લાગ્યો – તેની  પાસે કોઇ   કામના નહોતી – વિકાર નહોતો- દેવ  સ્વરુપ  બાળકની  સામે   સંકોચ   કેવો ? જ્યારે  આપા  તો ગ્રુહસ્થ પણ   છો  - આશ્રમમા   આપની પત્ની  પણ   છે  - આપ   આપના  પુત્ર  જેવા  અને  જેટાલા  નિર્વિકાર કે   વિતરાગ પણ  નથી  -આપ  અત્રેથી    પાચા વળી  જાવ  - આપના પુત્રને  તેની  ઇચ્છા મુજબ  જ્યા  જવુ  હોય  ત્યા  જવા  દો -  તેના માર્ગમા વિઘ્ન ના   નાખશો –યોગ્ય સમયે તે  આપમેળે જ આપની પાસે આવશે -  આ મહિલાઓ  તે  બીજા કોઇ  નહી   પણ  વ્રજની   ગોપીઓ  હતી   અને  તેમની  ભુમિકા વ્યાસજીને  માટે   માર્ગદર્શિકા બનવાની હતી – અક્રુરજીને  પણ   ગોપીઓ  સામે  નતમસ્તાક થવુ  પડ્યુહતુ   અને  વ્યાસજીએ પણ  આ સાંભળીને       શુકદેવજી  પાછળ  દોડવાનુ  બંધ   કર્યુ  - અને પાછા  પોતાને  આશ્રમ  ફર્યા. દેવી  અરણીજી  હજુ  પણ  કલ્પાંત કરતા  હતા  અને   વ્યાસજીને એકલા પાછા   ફરેલા  જોઇને તેમનુ કલ્પાત   વધી  ગયુ  - પણ  વ્યાસજીએ   રસ્તામા    બનેલી  તમામ હકીકત  અરણીજીને  જણાવી- અને   કહ્યુ  કે   આપણો પુત્ર તો   જગતને  જ્ઞાન આપવા આવ્યો  છે  -તેનો  માર્ગ  આપણે ના  રોકી શકીએ -  અને   આપે   જ તેનેરજા  આપી  છે   હવે કલ્પાંત કરવુ   છોડો  -   પણ   મને  વિશ્વાસ   છે  : એકવાર તે  જરૂર  અહીયા  આવશે.
      બાળ શંકરાચાર્ય- શંકર પણ  વિરક્ત હતો  -  નાની વયે  જ સન્યાસી બનવાની તેની  ઇચ્છા હતી   પણ  માતા પરવાનગી નહોતા  આપતા – તે  સમયે   શિવજીએ  એક  મગરના   સ્વરુપે  ગોપીઓની ભુમિકા  ભજવી હતી  -તે  અવશ્ય  માતા  પ્રત્યે આદર  ધરાવતો હતો  અને  માતા  પરવાનગી ના  આપે  ત્યા સુધી સન્યાસ ગ્રહણ નહી   જ કરે  તેવુ  તેણે જણાવેલુ – એક  સમયે  તે અને   તેની માતા નદીએ  ગયા  હતા  અને  શંકર  નદીમા  સ્નાન કરતો  હતો ત્યા  જ તેણે બુમ  પાડી- મા મને  બચાવો  મગરે મારોપગ પકડ્યો  છે –માતા ગભરાઇ ગયી – બેટા  -  હુ  શુ  કરુ  ? તને  કેવીરીતેબચાવુ ?  શંકરે    તક  ઝડપી -  કહ્યુ  -મા  - જો  આપ  મને  સન્યાસીતવાની રજા   આપો  તો  મગર મને   છોડી દેશે –માતા  શંકરને  છોડવા તો   રાજી   નહોતી  પણ  મગરનો કોળિઓ  બને  તેના   કરતા  સન્યાસી  બને  તે   સારુ – માનીને માતાએ  ઝટ   પરવાનગી આપી   દિધી- શંકર    માનો  વલોપાત  જાણી  ગયા અને  તેમણે  માને આશ્વાસન  આપ્યુ – મા  - ભલે   હુ  આજે   જયી  રહ્યો  છુ  પણ  આપ  મને   જ્યારે  પણ  યાદ  કરશો ત્યારે  હુ   આપની સમક્ષ  આવી  જયીશ :  માતાએ  પણ  સ્વસ્થતા  જાળવી  લીધી  હતી –તેણે   પોતાના જીવનની અંતિમ  પળ   સુધી  શંકરને વિચલિત  કર્યો નહોતો-  જારે   જીવનની અંતિમ પળ   આવી   ત્યારે જ શંકરને  યાદ   કર્યો –અને  શંકર  આવ્યો  પણ  ખરો.
શુકદેવજી  પણ   વેદવ્યાસના    આશ્રમે આવશે  - જરૂર આવશે .
ક્રમશ:
ગુણવંત   પરીખ







 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                                    5

                 એક   નાની  સરખી ભુલ :  કેટલી  ખતરનાક  સાબિત  થાય   છે : જેના પ્રત્યે દયા   અને   સહાનુભુતિ દર્શાવી તે    માથા   ઉપર   ચઢી  બેઠો અને  ખબર  પણ  ના   પડી  કે શુ  બની  ગયુ :
       એક  વાર   મહારાજ    પરિક્ષીત  શિકાર  કરવા   માટે   નીકળવા  તૈયાર થયી રહ્યા  હતા. સેવક  પાસે માથે મુકવાનો મુગટ  મંગાવ્યો.  સેવક  મહારાજ  માટે  નવો જ  લાવેલ સુવર્ણ મુગટ  લાવ્યો  અને  મહારાજના   માથે  પહેરાવ્યો. જેવો  મુગટ માથા  ઉપર  આવ્યો   કે  તરત જ   રાજાના   તેવર   આજે બદલાઇ ગયા.: મહારાજ   કદી   ગુસ્સે  થતા  નહોતા   પણ  આજે  ચિડાઇને  તેમણે  સેવકને કહ્યુ :ઉભો  છે   શુ  ? જા જલદી  સારથીને  બોલાવ અને   રથ  તૈયાર કરાવ.  સેવક  સહેમી  ગયો  :મહારાજ  કદી   ગુસ્સે  ના થાય કે ચિડાઇ પણ  નહી  : આજે  અચાનક એવુ શુ  બની ગયુ  કે  મહારાજ  ચિડાઇ ગયા  ? પણ  છેવટે  તો તે  સેવક : ચિઠ્ઠીનો ચાકર : તે    ત્યાથી  નીકળી ગયો  અને  અન્ય  સેવકોને   પણ   પુછવા લાગ્યો કે   આજે  મહારાજ  કેમ   ગુસ્સામા છે  ?  પણ  કોઇ  શુ  જવાબ  આપે  ?
       આજે મહારાજનુ નસીબ બે  ડગલા   આગળ    ચાલતુ હતુ   - તેમની  સાથે નહોતુ  - લાબી રઝળપાટ  પછી  પણ   કોઇ   શિકાર  ના  મળ્યો. થાક  પણ  ખુબ   લાગેલો : તરસે   જીવ   તાળવે  ચોટી જતો  હતો.  એટલામા  એક   આશ્રમ નજરે  પડ્યો  અને   તે  ત્યા   ગયા.  એક   ઋષી    ત્યા  આંખો બંધ   રાખીને  ધ્યાનમગ્ન  બેઠા  હતા.  રાજાએ ત્યા  પહોચીને  ઋષીને  આજ્ઞાના  સ્વરમા    કહ્યુ :  મહારાજમને ખુબ  તરસ   લાગી છે  મારા  માટે પિવાના    જળની  વ્યવસ્થા કરો. પણ   ઋષી   તો   ધ્યાનમગ્ન હતા  -   તેમણે રાજાનુ કથન    સાંભળ્યુ નહી – આથી   રાજા  ખુબ  ચિડાયો – આ ઋષીઓ  આપણા જ રાજ્યમા   રહીને આપણી જ જમીન પર   આશ્રમ બાધીને  રહે  છે  અને   વરસને   વચલે  દહાડે   કોઇવાર  અચાનક   જયી ચઢીએ તો  પાણીનો  ભાવ  પણ  નથી  પુછતા :   આંખો  બંધ  કરીને  બેસી રહે   છે  અને  રાજાનુ પણ  અપમાન કરે   છે . ગુસ્સામા   પરત    ફરી  રહેલા   રાજાએ ત્યા  એક  મરેલો સાપ  જોયો – અને  રાજાએ તરતજ   તે   મ્રુત  સાપ   ઉપાડીને ઋષીના   ગળામાં  પહેરાવી  દીધો અને પછી  રવાના  થયી   ગયા.     આશ્રમ  સુપ્રસિધ્ધ   મહાન ઋષીરાજ  શમીક  હતા. તેમનો પુત્ર  શ્રુંગી તે  સમયે  નદીએ સ્નાન કરવા  ગયેલો  અને  પાછા ફરતો હતો  ત્યારે  રસ્તામા  અન્ય    ઋશીબાળોએ તેને જણાવ્યુ કે શ્રુંગી :  મહારાજ શમીકના   ગળામાં  કોઇએ  મરેલો   સાપ  પહેરાવ્યો  છે , ભલે    શ્રુંગી  નાનો  હતો   પણ  તપોબળથી  સિધ્ધ હતો :  તે   ખુબ   ગુસ્સે થયો   અને   આશ્રમ  પર   આવીને  જોયુ  તો  પિતા  મહારાજના    ગળામા   મ્રુત સાપ : તેણે  હાથમા   જળ  લીધુ  અને  મંત્ર  ભણીને શાપ   આપ્યો   કે   જેણે મારા પિતાના ગળામા  મ્રુત   સાપ    નાખો  છે તેનુ આજથી  સાતમે  દિવસે  તક્ષક નાગના કરડવાથી મ્રુત્યુ  થશે . જેવુ  જળ  પ્રુત્વી   પર  પડ્યુ  કે  પ્રુત્વી ધ્રુજી ઉઠી –મહારાજ  શમીકની  આખ  ખુલી ગયી – અને  તેમણે  જોયુ કે   તેમના ગળામા  એક  મ્રુત  સાપ    છે  અને  બાજુમા   ક્રોધાગ્નીથી   થરથર  કાપતો પુત્ર શ્રુંગી  ઉભો  છે : તેમણે  શ્રુગીને જણાવ્યુકે પુત્ર  તે   આ શુ  કર્યુ ?  જોયા  જાણ્યા  વગર   આવો  ભયાનક  શાપ   આપી  દીધો ?તેમણે તપોબળથી જાણી  લીધુ કે   આ તો  અન્ય કોઇ  નહી  પણ    રાજા  પરિક્ષીત  હતા  - શમીક  અને   શ્રુંગી :  બન્નેને ખુબ  દુ:ખ  થયુ :પણ   શુ   થાય  ? ધનુષ્યમાંથી  છુટેલુ તીર  ,મુખમાથી  સરી   પડેલા  શબ્દો  , વિ. વિ.  એકવાર નીકળી   જાય  પછી  પરત  ખેચી શકાતા નથી.  જ્યારે  આ તો  એક  સિધ્ધ ઋષીના શબ્દો હતા :   પિતા  પુત્ર  બન્ને ખીન્ન તો થયા   જ પણ   નિવારણનો કોઇ  ઉપાય નહોતો : સામે  છેડે એક   રાજા હતો  : રાજ્યનો પાલનહાર: જેના માટે કોઇ  ફરીયાદ નહોતી – બન્નેને થયુ  કે આવી  ભુલ   રાજાએ કેમ   કરી ?  બન્નેની    સમજ  તો   સાચી જ હતી  -રાજા   આવી   ભુલ   કરે  જ નહી  :  તો  શુ  થયુ  ? ઋષીરાજ શમીકે  ફરી   ધ્યાન  ધરીને જોયુ તો   માલુમ પડ્યુ કે  આતો   કલીનો પ્રભાવ  છે  - રાજાએ  તેને દેશનિકાલ  કરેલો  પણ   રાજાની  જ દયાથી   તે  પાછો  રહી  ગયેલો –અને  તેને મળેલ  સ્થાન પૈકી  અણહક્કના   સુવર્ણમા  તે   બેસી ગયેલો – આ  અણહક્કના સુવર્ણમાથી  રાજાનો  મુગટ બનેલો : રાજાને તેનુ  જ્ઞાન નહોતુ.  પણ   રાજા જેવો મહેલમા પ્રવેશે   છે  અને  મુગટ   ઉતારે  છે  કે   તરતજ તેનુ   મન  શુધ્ધ  થયી  જાય  છે  અને  વિચારે  છે  કે  અરર્ ર  આમે  શુ  કર્યુ ? એક  ઋષીનુ  આવુ  ઘોર  અપમાન  ?અને  તે  પણ  મારા જ હાથે ? તેના પસ્તાવાનો કોઇ  પાર  રહ્યો નહી.  પણ   બનવાકાળ બની ગયુ  -હવે  પસ્તાયે શુ  વળે  ? પરિક્ષીતને    પણ  ખબર ના પડી  કે  આ પ્રભાવ તો  કલીનો   છે
ક્રમશ:
ગુણવંત  પરીખ

.  From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                                    6
      પોતે  કરેલી ભયાનક  ભુલ  બદલ પસ્તાવો  કરતા રાજા   પરિક્ષીત   શોકમગ્ન   દશામા  બેઠા   છે  તે    સમયે પોતે  કરેલી  ઉતાવળના   પસ્તાવા   રુપે   મહા મુની   શમીકઋશી    અને   તેમના  પુત્ર શ્રુંગી  રાજ  મહેલમા    આવવાની  પરવાનગી  માગે  છે  તેવા  સમાચાર સેવકે  આપ્યા.  રાજા  પરિક્ષીત એકદમ   ઉભા  થયીને   પગરખા   પણ  પહેર્યા  સિવાય દોડીને  બન્ને  ઋષીઓને  આવકારવા   મહેલના  દરવાજે  ગયા.  બાલમુની શ્રુંગીએ   જોયુ કે  મહારાજ  પરિક્ષીત  પગમા   પગરખા  પણ  પહેર્યા  સિવાય  અમારા  સ્વાગત  માટે  આવેછે તે  કદાપિ આવા બેશરમ  હોઇ જ ના  શકે – પણ  શુ  થયુ  ? આમ  કેમ   બન્યુ  ? શમીક  ઋષીએબધી   જ બાબતનો  તાગ  મેળવી લીધો અને  કહ્યુ  કે   હે  રાજન હવે  ભુતકાળમા  બનેલી બાબતનો શોક  કરવો  છોડી દો.  બનવાકાળ  બની  ગયુ.  મારા  પુત્રએ   ઉતાવળમા  અને  ઉશ્કેરાટમા    આપને   શાપ   આપી   દિધો  છે  અને  તે  મુઅબ આજથી  સાતમા દિવસે  આપનુ મ્રુત્યુ નક્કી   છે.  માટે હવે  ભવિષ્યનો વિચાર કરો.









 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                                    4

મહારાજા   પરિક્ષીત  હસ્તિનાપુરના  સમ્રાટ   હતા. ચક્રવર્તી  સમ્રાટ   યુધિષ્ઠિર   પછી  હસ્તિનાપુરની   ગાદી  પરિક્ષિતને મળી.- તેઓ  એક  માત્ર બચી  ગયેલ વારસદાર  હતા. અભિમન્યુ  યુધ્ધના મેદાનમા  હણાયો   ત્યારે તેની પત્ની  ઉત્તરા   ગર્ભવતી   હતી. યુધ્ધ  સમાપ્ત થયા   પછી ગુરુપુત્ર   અશ્વત્થામા અત્યંત   વિક્ષુબ્ધબની  ગયો   હતો   અને  તેના  અંગે  અંગમા બદલાની   આગ  સળગતી હતી અને    આગ  બુઝાવવા    માટે તેણે  દ્રૌપદ્રીના પાંચ  પુત્રોની  નિર્મમ  હત્યા     કરી  નાખી અને  ભાગી  ગયો  પણ  અર્જુન અને  ભીમેતેનો   પીછો પકડ્યો અને તેમની  વચ્ચે ભયાનક  યુધ્ધ  થયુ    તેમા  તેણે બ્રહ્માશ્ત્રનો ઉપયોગ  કર્યો  - તેને  બ્રહ્માશ્ત્ર   પાછુ  વાળતા  નહોતુ આવડતુ- સામે  છેડે  વાસુદેવ હતા ગુરુપુત્રે  બ્રહ્માશ્ત્ર   ઉત્તરાના   ગર્ભ પર   છોડ્યુ  જેથી તેની  ઇચ્છા પુરિ   થાય   કે   પાડવ  પક્ષે  કોઇ  વારસ   બચે  જ નહી –પણ   વાસુદેવે  પોતાના  સુદર્શનથી  ઉત્તરાના ગર્ભની રક્ષા  કરી.  અને   પાડવોનો વંશ   સલામત  રાખ્યો હતો.  અને    ઉત્તરાનો તે   પુત્ર  તે  પરીક્ષિત  -
         પરિક્ષીતે રાજ્યનો  કારોબાર  હાથમા    લીધા  પછી   દેશને  યોગ્ય સુશસન    આપ્યુ. તેનારાજ્યમા  અબોલ  પ્રાણિ અને   જીવ   પણ  સુરક્ષિત હતા. કોઇને  કોઇ   વાતનુ  દુ:ખ  નહોતુ. એક વાર  મહારાજ  પરીક્ષિત  યાત્રાએ નીકળેલા   ત્યારે  તેમણે  એક   રાજવંશી ઠાઠ ધરાવતા કાળા   વાનના  રુષ્ઠ પુષ્ઠ  માનવીને  જોયો  જે   એક  બળદને   તેમજ   તેની  સાથે  ઉભેલી   ગાયને પણ    બેરહમીથી મારતો હતો –બળદ  ચિત્કારતો  હતો  -   બળદને માત્ર ત્રણ જ પગ  હતા  અને    છતા  પણ  તે  ઉભો હતો  - અહો  આશ્ચર્યમ  -તેની આંખમાથી  આંસુ   વહેતા હતા.     જોઇને મહારાજ  પરિક્ષીતનો   ક્રોધાગ્ની  ભડકી  ઉઠ્યો  - તેમણે તરત જ  પેલા  જાડા  પાડા કાળિયાને પડકાર્યો  -મારા રાજ્યમા અબોલ પ્રાણી ઉપર   આવી બેરહમી દાખવનાર તુ  કોણ   છે  ?  આ પડકાર   સાભળીને પેલો નિર્દય માણસ   ગભરાઇ ગયો અને  ભાગી જવા   લાગ્યો   મહારાજાએ  બળદને   પુછ્યુ  કે   આકોણ  છે   પણ  બળદે મૌન   સેવ્યુ  પણ  મહારાજાના   માણસોએ  તેને પકડી  લીધો અને  મહારાજ સમક્ષ  રજુ   કર્યો.  તે   કપટી  પણ  હતો  અને   જાણતો હતો  કે   મહારાજ પરિક્ષીત  શરણાગતને   રક્ષણ   આપે   છે માટે  તે   રાજા  સમક્ષ  કરગરી  પડે   છે  અને  જીવતદાન  માગે  છે – શરણાગતને રક્ષણ   આપવુ  તે   ધર્મ  છે   માનીને  પરિક્ષીત   તેને  જતો  કરે   છે   પણ   આદેશ  આપે    છે  કે  મારા  રાજ્યની  હદ  છોડીને  જતો  રહે  . પેલો કહે   મહારાજ  મને   રહેવા   માટે કોઇ  સ્થાન  આપો – આપ   દયાળુ   છો   -મારા ઉપર    દયા  કરો  -અને   મહારાજ  પરિક્ષિત  પીગળી  ગયા - કહેવાય  છે   કે   વિનાશકાળે   વિપરીત  બુધ્ધિ  :  દગાખોર  દુશ્મન પ્રત્યે  દયા   ના   રખાય – પણ   અહી   પરિક્ષીત થાપ   ખાઇ  ગયા  -રાજાએ  તેને કહ્યુ કે   તુ માત્ર આ  ચાર   જગાએ  રહી  શકે   છે  :જુગારધામ :મદ્યપાનનુ   સ્થળ : વેશ્યાગ્રુહ  : અને   હિંસા થતી    હોય   ત્યા  રહી  શકે  છે  ;      ચાર  સ્થાન  એટલે   અનુક્રમે   અસત્ય : મદ :આસક્તિ  :  અને  નિર્દયતા :   જ્યાં    ચાર  પૈકી કોઇ   હોય   ત્યા  તુ  રહેજે :. રાજાને  એમ  હતુ  કે  મારા રાજ્યમા   આવુ  એકપઁણ   સ્થળ  તેને  મળશે  જ નહી  -પણ  નિર્દયી  માણસ  વધુ  ચાલાક હતો  -તેણે હાથ   જોડી અત્યંત  નમ્ર બનીને   પ્રાર્થના  કરી : મહારાજ હજુ   એકાદ  સ્થળ આપો  :   પરિક્ષીતને  દયા   આવી  :   ભલે :   જ્યા  અણહક્કનુ સુવર્ણ  હોય  ત્યા સુવર્ણમા   પણ  તુ   રહી  શકે   છે. ના  જાણ્યુ જાનકીનાથે   સવારે  શુ  થવાનુ  છે  - પરિક્ષીતે    જાણે  અજાણે  પણ  પોતાના  જ મ્રુત્યુના આદેશ  પર   પોતેજ મહોર  મારી દિધી  જેનો તેમને ખ્યાલ જ  નથી  .  પછી   તેમણે બળદને પુછ્યુ: તમારા ત્રણ  પગ  નથી  છતા  તમે  કેવીરીતે  ઉભા   છો  >? બળદે   જવાબ  આપ્યો :  હે   રાજા  - મારા  ચાર   પગ તે  સતયુગના  ચાર   ચરણ  હતાં  -  તપ – પવિત્રતા  -  દયા -  અને   સત્ય  :   આજે  માત્ર  એક    ચરણ   બાકી   છે  અને  તે   સત્ય જે  પણ  લુપ્ત થવાની  તૈયારીમા છે. આ  નિર્દયી  માણસ તે    ભવિષ્યનો  રાજ્યકર્તા  છે  -  દ્વાપર  પુર્ણાહુતીના  આરે  છે  અને  નવા  યુગની  શરુઆત નો    સંગમ  કાળ   છે –નવો   યુગ  એટલે    કળીયુગ  - અને  તેનો આદ્યસ્થાપક  તે પેલો  નિર્દયી  રાજવંશનો    ઠાઠ   ધરાવતો   કલી -  પરિક્ષીતની  ઉદારતા    અને  સૌજન્યતાએ  કલીને મોકળુ મેદાન આપ્યુ. અને  ધીમે ધીમે  તેનો  પગ  પેસારો વધતો ગયો – સર્વનાશનુ  બીજ વવાઇ  ગયુ.
ક્રમશ :
ગુણવંત  પરીખ





 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                          3
    આ ગ્રંથ  શ્રધ્ધા  અને   વિશ્વાસનો વિકાસ    માગે   છે    કોઇ  પણ  શંકા કે વહેમનુ  નિરાકરણ  હોય જ   નહી -   શ્રધ્ધા  હશે  તો   સાબીતી નહી  માગો  - એ   ભુલી જજો કે  સાબીતી   હોય   તે     સત્ય –સત્ય  સનાતન  છે -  ભલે    વિજય  પામે કે  પરાજય .
      દેવોના  દેવ મહાદેવ : સર્વશ્રેષ્ઠ   દામ્પત્ય  માટે  ઉદાહરણિય  દંપતિ  તે એક  માત્ર શંકર  અને  પાર્વતિજી -  ઉમા – મહેશ ,  સતિ અને  શિવ
  એકવાર  દેવી  પાર્વતીજીએ  શિવજીને  જણાવ્યુ કે   આપ મને  પણ  કથા દ્વારા   જ્ઞાન  આપો . શિવજી  સંમત થયા  અને  કહ્યુ કે  આપણે કોઇ  એકાંત  જગા  પર  જયીએ – ત્યા  હુ   તમને   કથા  કહીશ  -પણ   મારી શરત   છે  કે  આપે  આપ   સાંભળો  છો તેના પુરાવા    રુપે હુકારો  ભણવો પડશે . માતા   પાર્વતીજી સહમાત  થયા  અને  એકાટ  સ્થળે જ્યા  કોઇ    પણ  જીવ   ના  હોય  ત્યા   શિવજીએ  કથામ્રુત  પિરસવાનુ  શરુ કર્યુ.  પણ   એક   સદ નસીબ કે  કમનસીબ : પળ   એવી   આવી  કે   જ્યારે માતાજીને  ઝોકુ   આવી ગયુ   અને તે હુકારો  આપવાનુ   ચુકી  ગયા –પણ  તે   સમયે  આ કથા    સાભળી રહેલ એક  શુક-બાળ   -  પોપટનુ બચ્ચ્યુ – જે  આ કથા    સાંભળતુ  હતુ   તેને  હુકારો  આપ્યો. શિવજી  તો   ચોકી  ગયા –આ  પોપટનુ   બચ્ચ્યુ  અહી  કેવીરીતે  આવી    ગયુ  ?  અને ગુસ્સાથી  લાલ   પિળા તયેલા  શિવજી     શુક  બાળને મારી નાખવા   તેની  પાછળ   દોડ્યા-  આગળ  શુકબાળ   અને   પાછળ શિવજી – અનાયાસે આ  શુકબાળ વ્યાસમુનીના   આશ્રમ  પર    આવી  ગયુ  અને  તે  સમયે માતા  દેવી અરણીજી  પડાળમા  બેઠા  હતા   તેમના  ખોળામા  આવીને  લપાઇ  ગયુ - -પાછળ  ને   પાછળજ રાતાપીતા  થયેલા  શિવજી પણ   આવી પહોચ્યા –અને  અરણીજીને  આદેશ કર્યો  આપ  મને    શુકબાળ આપી  દો – તેટલામા   વ્યાસજી  પણ   આવી  પહોચ્યા- તેમણે   દેવાધિદેવ મહાદેવને  પોતાના   આશ્રનમા    જોઇનેતેમને   પ્રણામ કર્યા –અરણીજીએ પણ  મહાદેઅવજીને  પ્રણામ કર્યા.અને વ્યાસ  અને    અરણીજીએ  મહાદેવની પુજાઅર્ચના  કરી અને  યથોચિત    સ્વાગત કર્યુ. તેમણે  અરણીજીને  કહ્યુ કે    શુકબાળ  મારુ  ગુનેગાર  છે – ચુપચાપ  મે  કહેલી  કથા   સાંભળી  ગયુ  છે  - હુ  તેને જીવિત નહી   છોડુ-દેવીઅરણીજીએ  વિનમ્ર સ્વરે  મહાદેવજીને  જણાવ્યુ – પ્રભુ -    અમારુ શરણાગત   છે  -બીજુ  મારા ખોળામા   આવીને  બેઠુ  છે   આજસુધી મારો  ખોળો  ખાલી છે  -આપ  દયા કરો- આપણે  સૌ  જાણીયે  છિયે કે શિવજી  જેટલી  ઝડપે  ગુસ્સે  થાય   છે  તેટલી જ  ત્વરાથી  રીઝી  પણ   જાય   છે  - ભલે  દેવી – શુકબાળની  જગાએ  હુ  જ તમારા ખોળામા   આવી  જયીશ –અને તે  શુકબાળ  તે   શુકદેવજી-   મહર્ષી   વેદવ્યાસના  પુત્ર  =  પ્રુથ્વી  ઉપર   જેનુ  નામ  શ્રેષ્ઠ  વક્તા  તરીકે બોલે  છે  તે   શુકદેવજી- જેમણે મહારાજ પરિક્ષીતને  તેમની જીદગીના    છેલા  સાત     દિવસ   દરમિયાન  ભાગવતની કથા સંભળાવી   હતી   અને  તેમનો  ઉધ્ધાર કર્યો હતો.  એક  હતા  શ્રેષ્ઠ    વક્તા -  શુકદેવજી –તો   બીજા હતા પરમ  શ્રધ્ધાળુ  સક્ષમ  શ્રોતા –રાજા પરિક્ષીત  -
ક્રમશ:
ગુણવંત  પરીખ
  




 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

   
                             - :  24 અવતાર  :-
                   -:  વા વિષ્ણુના 24   તા  :-

   મહર્ષી   વેદવ્યાસે  તેમની  અગાઉની સુપ્રસિધ્ધ  રચના   મહાભારતમા  વિગતવાર   જણાવ્યુ   છે  અને  તે  પણ  યુગ  પુરુષ  વાસુદેવના   મુખે – સર્વષ્રેષ્ઠ   ઉપદેશાત્મક  વિભાગ  ગીતા દ્વારા   જાણ કરેલ છે  :
યદા  યદા  હિ  ધર્મસ્ય , ગ્લાનિર્ભવતિ  ભારત
અભ્યુત્થાનામધર્મસ્ય  , તદાત્માનમ  સ્રુજામ્યહમ

પરિત્રાણાય   સાધુનામ ,  વિનાશાય  ચ દુશ્ક્રુતામ
ધર્મસંસ્થાપનાર્થાય  ,   સંભવામિ યુગે યુગે
  ગીતામા     પણ  જણાવ્યુ     છે કે હે   અર્જુન ,  મારા  અને  તારા  અનેક  અવતારો  થયા   છે  મને  તે  ખબર   છે  પણ  તને  તેનુ  જ્ઞાન  નથી.  અને   આજ  બાબત  તેમણે  ભાગવતના  સંસ્કરણમા  પણ ઉલ્લેખ  કરેલ  છે. ભગવાન   વિષ્ણુના    24   અવતારોની  માહિતી આપેલ  છે. આ  ગ્રંથના  રચયિતા પણ  એક  અવતાર  પુરુષ   છે  ‌ મહર્ષી વેદ  વ્યાસ :  મહામુની  પરાશરના  અને  સત્યવતીના   પુત્ર  પણ  17 મા  ક્રમે  યુગાવતારમા  આવે   છે . આ    24  અવતાર  નીચે મુજબ દર્શાવેલ    છે :
1   સનકાદિક- સનતકુમારો    સનક  ,    સનંદન , સનાતન  અને  સનત્કુમાર
2    વરાહ
3    નારદજી
4     નર   નારાયણ
5     કપિલ
6      અત્રીપુત્ર   દત્તાત્રય
7      યજ્ઞ
8       ઋષભદેવ
9      પ્રુથુ
10     મત્સ્યાવતાર
11     કચ્છપ  -   કાચબો
12     ધંન્વંતરી
13     મોહિની  સ્વરુપ
14     નર – સિંહ  રુપ  અવતાર
15     વામન
16     પરશુરામ
17      વ્યાસ
18      રામ
19    ક્રુષ્ણ
20    બલરામ
21     બુધ્ધ
22    કલ્કી
23    હંસ
24     હયગ્રીવ
      પૈકી મુખ્યત્વે  દશ   અવતારો  મનાય   છે.  મત્સ્યાવતાર  , વરાહાવતાર  ,કચ્છપાવતાર ,ન્રુસિહ અવતાર,   વામન અવતાર  ,પરશુરામાવતાર  ,  રામાવતાર , ક્રૂષ્ણાવતાર  , બુધ્ધાવતાર   અને  કલ્કી અવતાર
ક્રમશ:
ગુણવંત પરીખ




 From :- 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                           1



    ભારતિય   સંસ્ક્રુતીના    ત્રણ  મહા  ગ્રંથો   છે  : 1  રામાયણ  2. મહાભારત  .  3  ભાગવત.
સત યુગ  અને  ત્રેતા યુગના  સમંન્વયની  કથા   તે રામાયણ : અને    તેના    મુળ  રચયિતા  મહર્ષી  વાલ્મીકી  :  જ્યારે   દ્વાપરના    અંત   અને કલીયુગના પ્રારંભની  કથા  તે   મહાભારત  અને   તેના રચયિતા મહર્ષી   વેદ વ્યાસ : બન્ને  કથાઓ લગભગ  સમાંતર  ધોરણે  આગળ  વધે  છે. જો  કે  રામાયણ    લગભગ સંપુર્ણ પણે  નિતીમતા  ઉપર    જાય   છે  જ્યારે  મહાભારત  સમય  અને  પ્રસંગોપાત ચઢાવ  ઉતાર દર્શાવે છે.  રામાયણના   નાયક શ્રી   રામચંદ્રજી   મર્યાદા પુરુષોત્તમ  છે   તે  તેમની મર્યાદાની  રેખા   નથી  ઓળંગતા   જ્યારે મહાભારતના   નાયક  શ્રી વાસુદેવ ક્રૂષ્ણ   ચુસ્તપણે  મર્યાદાની   રેખાને વળગી  નથી  રહેતા   સમયનુસાર  ધોરણો   બદલે  પણ   છે .  રામ   કુશળ  વહીકત કર્તા  છે   જ્યારે  વાસુદેવ એક  શ્રેષ્ઠ  મુત્સદ્દી    છે. એક   કુશળ  રાજનેતાને  શોભે તેવા  તમામ ખેલ તે  ખુબીથી ખેલી  શકે  છે. કુરુક્ષેત્રના યુધ્ધની સમાપ્તી     દ્વાપરનો   અંતિમ   સમય  ગાળો છે. ધર્મરાજ  મહારાજ યુધિષ્ઠીર   ચક્રવર્તી   સમ્રાટ  બને   છે  વાસુદેવ  માત્ર  સલાહકાર  છે. આ   યુધ્ધે   અનેક   કાવાદાવાઓ   જોયા : નિતીમત્તા   જરૂર બાજુપર   ધકેલાઇ  ગયી   હતી  : પણ   તેની  સામે  તેવો   જ વ્યુહ  વાસુદેવે પણ  અપનાવ્યો હતો   અને  અંતે સત્યનો  વિજય થયો  હતો . મહર્ષી   વેદવ્યાસ  તેના જીવંત  સાક્ષી હતા અને  તેમણે   મહાભારતનુ  નિર્માણ પણ  કર્યુ :  તે  પોતે પણ  અવતારી માનવ  હતા . મહાભારતમા સમાજના  દરેક પાસા   તેમણે   બાખુબી  નિભાવ્યા છે પણ હજુ   કશુ ખુટતુ  માલુમ  પડે   છે  . મહાભારતનુ  એક  અંગ  તે  ગીતા –તેમણે  એટલી  ખુબીથી  વાસુદેવના માધ્યમથી   ગીતાનુ સર્જન    કર્યુ  કે  આજે    પણ  જો  કોઇ  પુછે કે    ગીતાના  રચયીતા  કોણ   તો   અંનાયાસે  જવાબ મળે  :  શ્રી ક્રુષ્ણ : શ્રી  ક્રૂષ્ણના    પાત્રની    જ વિષેશતા  છે  આ ગ્રંથમા   જ્ઞાન, ધર્મ  ,વ્ય્વહાર , સામાજિક સમસ્યાઓ, કુટુંબ કલહ  , વેરઝેર  .પ્રેમ , કુટિલતા ,લાગણી સંવેદના :  શુ  લખવુ  અને  શુ   ના  લખવુ  તે   સવાલ  છે   : આ  ગ્રંથમા બધુ    આવી  જાય   છે જે   જીવનમા આવે  છે : પણ   તેમા  શુધ્ધ  નિર્વિકાર  ભક્તિ ના   આવી :આવનાર  યુગમા  ભક્તિની  : શુધ્ધ  નિર્વિકાર   ભક્તિની  આલોચના  જરૂરી  હતી અને   તેથી જ  મહર્ષી  વેદવ્યાસને   જણાવવામા  આવ્યુ કે   આપ  એવો  ગ્રંથ રચો   જે  ભક્તિ પર  પ્રકાશ  પાડે.  પ્રજા   યુધ્ધના પરીણામોથી ત્રસ્ત  હતી  તેને  શાતા  આપવા માટે ઔષધ  માત્ર  ભક્તિ   હતી. પ્રજાને ભક્તિરસમા   એવી   તરબોળ  કરો  કે  તેના  તમામ   ઘાવ   રૂઝાઇ  જાય –વેદના  શમી    જાય -  પુર્વગ્રહ અને   પક્ષપાત  મટી   જાય -   મહર્ષીએ   વિચાર્યુ   હુ  લખુ  તો  ખરો   -તેમની  પાસે લહીઓ તો  હતા  -  ગણેશજી   - પણ  વક્તા    અને   શ્રોતાનુ    શુ  ?  તેનો જવાબ પણ  તેમને  મળી     ગયો  ‌ આપ   શ્રોતા   પણ  બનો  - વક્તા પણ  બનો    અને  પ્રચારક  પણ  બનો .  બન્નેની જરૂર પડે  : શ્રેષ્ઠ  વક્તા  પણ   અને  સક્ષમ  શ્રોતાપણ.
       મહાભારતની  રચના સુધી તો તેઓ નિ:સંતાન  હતા : દિવ્યદ્રષ્ટીના  અનૌરસ ત્રણ  સંતાનો  હતા : ધ્રુતરાષ્ટ્ર ,  પાડુ અને    વિદુર :  પણ   તે   તો  કુરુકુળને સોપાઇ    ગયા  હતા .  માતા અરણીજી  તેમના પત્ની : અનેક વાર  વ્યાસજીને કહી   ચુકેલા  કે મને  એક  પુત્ર તો   આપો : ભાગવતની  રચના કરતી  વેળા તેમને    પણ  થયુ  કે   મારે  પણ  એક  પુત્ર    હોય તો  સારુ   : છેવટે    તો   સારા કામ    માટે    ઇચ્છા અને માગણી હતી.   અને   જુઓ    વિધિનુ   વિધાન અને   નિર્માણ:
ક્રમશ:

No comments:

Post a Comment