- :સિં હા સ ન ના સો દા ગ ર :- 3
અનામત એટલે શુ ?
ગુણવંત પરીખ
સિં હા સ ન ના સો દા ગ ર :- 3
ગુજરાતના ત્રીજા આદોલન વિષે આગળ અવધિયે તે પહેલા અનામત માટે પ્રવર્તતા અભિપ્રાય જાણવા જરુરી છે. બંધારણે અનામત માટે જોગવાઇ કરેલી છે જ - પણ તે કોના માટે ? સમાજના એક એવા વર્ગ માટે જે દલિત છે , જે કચડાયેલ વર્ગ છે ,જે પછાત છે , જે આર્થિક રીતે કમજોર અને પછાત છે - આપણે તો બિનસામ્પ્રદાઇત્વ સ્વીકારેલ છે : કદાચ લઘુમતિ વર્ગ પણ લાભ માગે : અને આ જોગવાઇઓનુ મુલ્યાકન પણ માન્ય રાખેલ : પરંતુ કમનસિબે તેનુ અર્થઘટન કચડાયેલ વર્ગ ,દલિત કે આર્થિક કમજોર અને પછાત વર્ગ ને બદલે આ જોગવાઇ જાતિવાદ અને હવે તો જ્ઞાતિવાદ તરફ આગળ વધી ગયી -અને તેનાથી એક એવી વિટમ્બણા ઉભી થયી કે ગેનુ નીરાકરણ કરવુ મુશ્કેલ બની ગયુ. પછાત વર્ગ માટે દરેકને સહાનુભુતિ હોય જ – હોવી જ જોઇયે =અનામતના તે હક્ક્દાર છે -સાચા હક્કદાર છે – પણ અનામતના નામે જ્યારે સમાજના કેટલાક વર્ગ જ -આખે આખા વર્ગ - સમાજ એમ કહે કે અમે પણ પછાત અમોને પણ અનામતનો લાભ મળવો જ જોઇયે ત્યારે એક ગંભીર સંકટ ઉભુ થાય છે અને જ્યારે તે વર્ગનુ સંખ્યાબળ મોટુ હોય અને સમાજનો આવો જ એક મોટો વર્ગ માગણીના સમર્થનમા જુથમા આવીને વિરોધ કરવા માડે ત્યારે પ્રશાશનની હાલત દયનીય બની જાય છે :લોકસાહીમા મતલક્ષી રાજકારણ પણ અગત્યનો ભાગ ભજવે છે - કોઇ પણ સરકાર કે કોઇ પણ પક્ષ મોટા જુથબળ વાળા સમાજની માગણીનો અસ્વીકાર કરવાની હિમ્મત દાખવી શકે જ નહી - અને જરુર ટાણે દરેક પક્ષ એમ કહેતા થયી જાય કે અમે તમારી માગણીને માન્ય રાખિયે છિયે ત્યારે સરકાર અને જેને “ પ્રજા “ કહેવાય તેને માટે વિષમ હાલાત ઉભા થાય - કપરા દિવસો જોવાનો વારો આવે : ખાસ કરીને એ વર્ગ : જે જન્મે સવર્ણ કહેવાય : બ્રાહ્મણ અને વૈશ્ય : કર્મે પણ સવર્ણ : જેનાથી અમુક કામ થાય જ નહી : કરે પણ નહી : જુથબળ મળે નહી : મિથ્યાભિમાન અને આબરુના નામે ના બોલી શકે ના સહી શકે : તેવો વર્ગ : વાણિયા બ્રહ્મણોનો વર્ગ : જેમની સવર્ણતામા બુધ્ધિ છે ,સાક્ષરતા છે , હિમ્મત છે , વ્યવસાયિક કુશળતા પણ છે પણ એકતા નથી -અભિમાન છે પણ સ્વાભિમાન કે સ્વાર્પણ નથી : જો કે ગુજરાતના બે વિરલાઓ અપવાદરુપ એવા પાક્યા જેમણે દિશા બદલી નાખેલી :સરદાર અને મહાત્મા ગાંધી : પણ આ સમજ પચાવી અને સમજી શક્યો એક ગુજરાતિ જ :ખુબ અભ્યાસુ : કુશળ : મુત્સદ્દી: કાબેલ એડવોકેટ અને વહીવટદાર : અને સૌથી વિશેષ અભ્યાસુ રાજકારણી અને શિક્ષક : અધ્યાપક : તેઓએ સમાજની રગ પારખી લીધી : પક્ષની મરુરીઆત અને સમાજની જરુરીઆતને સારીરીતે સમજી વિચારીને તેમણે જે તે સમયે ખામ થિયરી મુકી : ક્ષત્રિય : હરીજન : આદીવાસી અને મુસ્લિમ : આ ચાર વર્ગને અકલ્પિત રીતે સાથે લીધા અને સફળ થયા - અકલ્પિત સફળતા મેળવી : તે સમયની વિધાનસભામા 182 માથી 145 + સીટો મેળવીને એક અનોખો રેકર્ડ સ્થાપિત કર્યો : પણ કમંસીબ જુવો : આવી ધરખમ અકલ્પીત જીત મેળવનારનો હોદ્દો એવીરીતે ગયો?
જે પોષતુ ય્તે મારતુ , તે ક્રમ દિશે છે કુદરતી
કોણ ક્યા કેવી રમત રમ્યુ તે અગત્યનો વિષય આજે નથી : તે દિવસે સમજાયુ નહી : ઘર ફુટે ઘર ગયુ “: પક્ષના મોવડીમંડળે : હાઇ કમાંડ: મદદે ના આવ્યો - : એક ભયાનક આદોલન સામે આવ્યુ : અને તેનુ નામ તે અનામત આદોલન : ગુલાબના કાટા ગુલાબને જ ચુભવા લાગ્યા : નરેંદ્રભાઇ મોદી , સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીને બાદ કરતા koi પક્ષીય નેતા માધવસિહની તોલે ના આવે પણ જવુ પડ્યુ : ગુજરાત દેખતુ રહ્યુ - દેશ દેખતો રહ્યો : અને ખુરશી સરકી ગયી : આનુ નામ રાજકારણ: પણ સિહાસનનો મોહ જ એવો છે : કોઇ સમજવા તૈયાર જ નથી : માધવસિહ જેવા કાબેલ રાજકારણી પણ ના સમજી શક્યા આ શુ થયી ગયુ ? આજે નરેંદ્રભાઇ માટે આ દિવસ આવ્યો છે - જોઇયે કેટલી કાબેલિયતથી તેઓ ઉકેલે છે આ પ્રશ્ન :
મુળભુત “ અનામત “ અલગ વિષય છે , તેનુ અર્થઘટન અલગ વિષય છે , તેનુ અમલીકરણ અલગ વિષય છે ,તેને સમજવા માટે દિર્ઘદ્રષ્ટી : સંજય દ્રષ્ટિ: જરૂરી છે.
આજે જે “ અનામત” નુ આદોલન ચાલે છે તે ખરેખર “ અનામત “ માટે જ છે ? કોણ હિમ્મતથી એમ કહી શકે એમ છે કે આ “ અનામત “ માટે જ આદોલન છે ? જ્રે વર્ગ માટે આ “ અનામત “ માગવામા આવે છે તે વર્ગને આ “ અનામત “ ની જરુર છે ખરિ ? સૌ કોઇ જાણે છે કે આ વર્ગ એવો લાચાર નથી : એવો ગરીબ નથી :એવો બેસહારા નથી : સમાજનો એક સમ્રુધ્ધ વર્ગ છે જિનુ દેશ અને દુનિયામા નામ છે : નામ જ નહી ઉચુ નામ છે : એ વર્ગ પોતાની જાતને દલિત અને કચડાયેલ વર્ગની સાથે મુકવા માગે તે ગળે ઉતરે તેવી વાત જ નથી - : આ અપ્થ્ય અને અપાચ્ય બાબત લાગે છે : અને તેમાય જે દિવંગત નેતાઅનુ નામ જોડવામા આવેલ છે તે નેતાએ તો માત્ર ગુજરાતના રજવાડા જ નહી સમગ્ર દેશને એક્જુટ કરેલો તેમના નામે તેમના જ સમાજમા ભાગલા અને ભંગાણ તોડફોડ, : આ આદોલન ચલાવના આ મહાન “ બાળનેતાઓ “એમ કહી શકે તેમ છે કે તેમની ભૌતિક હાલાત સરદાર જેવી અકિચન છે ? સરદાર , મણીબેન , ઇંદુલાલ બ્રહ્મકુમાર વિ.વિ. ની સરખામણિમા આ લોક ક્યા છે ? શા માટે શાત જલને ડહોળવાનો પ્રયાસ થાય છે “? અને તેને ટેકો આપનાર તો પોતાનો સ્વાર્થ દેખે પણ આ મહાન આદોલનકારો ,“બાલનેતાઓ” મહાગુજરાત અને નવનિર્માણને કેમ ભુલી ગયા ? કોનો ક્યા કેવો ઉપયોગ થયો અને કોણે શુ પ્રાપ્ત કર્યુ ? ચિ. બાલકો , જરા યાદ કરો : જરા સમજો: એવુ તો નથી ને કે તમે માત્ર હથીયાર છો - હાથા છો ?
આ બાબત પ્રશાશને વહેલી સમજવાની જરુર હતી તે 26 મી જુલાઇ : જ્યારે એક બાળનેતાએ અભુતપુર્વ મેદની એકત્રિત કરી ત્યારે કેમ સમજમા ના આવ્યુ કે સરદાર કે ગાંધીજ્જીએ પણ આ ઉમ્મરે આટલી મેદની એકત્ર કરી નહોતી - કરી શક્યા નહોતા –તો આ બાળક કેવિરીતે રાતોરાત આટલી મેદની એકત્ર કરી શક્યો ? પણ હવે ખુબ મોડુ થયી ગયુ છે
.
No comments:
Post a Comment