laghu bhagavat 13- shajarino thal




  -:   ઘુ    ભા     :-

                    સં ક લ 

                                -:ગુવં   રીખ:- 

                                                   13

                                -: દ્રષ્ટાંત    કથા :  શકરીનો  થાળ   :- 

     એક  વૈષ્ણવ   પરીવાર હતો . આ  પરીવારનો  એક  અતુટ નિયમ  હતો  કે  ઠાકોરજીને થાળ  ધરાવાય - ઠાકોરજી  આરોગે  તે પછી  જ  અન્ય  પરીવાર જનો ભોજન  લયી  શકે.   ઠાકોરજીને તાળ  ધરાવવાનુ કામ  ઘરના   વરિષ્ઠ: વડીલ:  - મોટા - પાપાજી કરતા   હતા.
          એક   વાર મોટા પાપાજીને બહાર ગામ   જવાનુ   થયુ  આથી   થાળ  કોણ   ધરાવશે તે  પ્રશ્ન   આવ્યો. તેમણે જ્યેષ્ઠ  પુત્રને  કહ્યુ  આજે  મારે  બહાર ગામ   જવાનુ  છે  - થાળ  તુ  ધરાવજે – મોટો પુત્ર  આમ  તો  આજ્ઞાંકિત હતો  પણ  તેને કહ્યુ  : કાકા મારે ક્વીનમા  નીકળી જવાનુ મને  કેવીરીતે  ફાવે?   આડકતરી ના  સાંભળીને  વડીલ સ્તબ્ધ  બની   ગયા .   અને  તેનો જવાબ   સાંભળીને બીજા  બે  પુત્ર   : જે   શરુઆતથી જ મનસ્વી હતા   તેમને  કહેવાની  તેમની  હિમત  ચાલી નહી   : અચાનક  તેમને  યાદ  આવ્યુ મારો જગદીશ તો થાળ  ધરાવશે જ  તે   ના  નહી  પાડે –જગાને તો  તેઓ  રોજ  ઉચકી ઉચકીને ફરતા  હતા – હથેળીમા   રાખતા  હતા – આ  છોકરો ના  પાડે જ  નહી  -  પણ  આશ્ચર્ય –જગાએ પણ  ના  ભણી   દીધી -  મોટા  પાપાજી  એ કામ  મને  નહી  ફાવે   મારે તો  દશ  વાગ્યામા   તો  કોલેજ જવાનુ  છે  - હુ  કેવીરીતે  થાળ   ધરાવુ?  અને કોઇ   કશુ કહે  તે  પહેલા  તો  તે ભાગી ગયો.  મોટા પાપાજી  ગુચવાયા  -  અરે રે  કોઇ   થાળ   ધરાવા પણ    તૈયાર નહી  ? તેમના  હૈયામાથી એક  નિસાસો નિકળી  ગયો .  આ બધી વાત   શાણી શકરી   સાંભળતી હતી.  જ્યારેબધાએ  ના  પાડી ત્યારે તેણે કહ્યુ – મોટા   પાપાજી : હુ થાળ   ધરાવુ ? હુ  રોજ   તમોને થાળ  ધરાવતા તો   દેખુ  છુ  જ :આજે   જે  જે  બાવાને હુ  ખવડાવીશ – તે  મારે  હાથે ખાશે ? મોટા   આપાજી  તો  એકદમ ખુશ થયી  ગયા  અરે   શકરી -  જો તુ   સામેથી કહે  છે   તો  ઠાકોરજી ના  કેમ  પાડે?   તે   તો  ભાવનાના  ભુખ્યા   છે  - તે  જરૂર   તારા હાથે  આરોગશે.શકરીએ પુછ્યુ મને  થાળ   ધરાવવાની રીત કહો  ‌- મોટા પાપાજી કહે   જો   સાંભળ : પહેલા   જલનો કળશ  મુકવાનો – પછી દાદી  આપે તે થાળ  તેમની  સામે મુકવાનો- તે  પછી   તારે આંખો બંધ  કરીને તેમની સામેબેસવાનુ - :  પાંચ  મીનીટ  પછિ ઠાકોરજી જમી  લે    પછી  તારે  આંખ  ખોલવાની  અને તે  પછી   જ તારે ખાવાનુ -  પણ  શકરીએ  પ્રશ્ન  કર્યો  : પણ  જે જે  બાવા ખાવા ના   આવે   તો  શુ  કરવુ ?  પાપાજીએ  મજાકમા    કહી   દીધુ  : અરે  ના કેમ  આવે  અને  ના  કેમ  ખાય  ? એક  લાકડી સાથે રાખજે  અને  જો   નખરા  કરે  તો  એક  ફટકારી   દેજે  -આમ   શકરીને  રીત  શીખવીને  મોટા  પાપાજી નિશ્ચિંત બનીને  બહાર નીકળ્યા.
            હવે જમવાના સમયે દાદીએ બુમ  પાડી:  શકરી થાળ  લેતી જા: શકરીનો તો  હરખ  આજે  માતો નહોતો :આજે   જે  જે બાવા   મારા હાથે   ખાશે -  હુ  પણ  તેમની સાથે જ ખાઇશ  મઝા  પડી  જશે. થાળ  આવી  ગયો  - મુકાઇ ગયો  -  શકરીએ  આંખો બંધ  કરીને   પ્રાર્થના  શરુ  કરી  -  પાપાજીએ   ના  પાડેલી કે   તારે જોવાનુ  નહી –પણ  શકરીથી રહેવાયુ નહી -તેણે ધીમે રહીને  અડધી આંખ ખોલી : અરે  આ તો  કોઇ  ના  આવ્યુ? શકરી  ગુચવાઇ  :હવે ?  તેણે જે  જે  બાવાને કહ્યુ – જો  મારી ભુલ    થયી  હોય તો   માફ  કરો  પણ  હવે  જલદી  જમી  લો  મને  પણ   ભુખ   લાગી છે  -અને મોટા  પાપાજીએ  કહ્યુ  છે  કે   જ્યા  સુધી  તમે   ના ખાવ  ત્યા  સુધી  મારાથી પણ   ના  ખવાય  મને  તો  કકડીને   ભુખ   લાગી છે – ફરી   આંખો બંધ  કરી   -  ફરી  ધીમે    રહીને  જોયુ ‌ અરે   આ તો   ઉંદર – ઉંદર  ખાય   છે  અને   જે  જે  બાવા તો  બોલતા  પણ  નથી  કે  ઉંદરને પણ    કાઢતા પણ  નથી  -અવે  શકરી  ચિડાઇ- -બાજુમાંથી  લાકડી લાવી  અને  બોલી  હવે  જો  નહી  આવો  તો  ફટકારીશ -   આશ્ચર્ય  -જે જે બાવાતો  ના  જ આવ્યા-હવે શકરી બરાબર ગરમ   થયી  ગયી -  બુમ   પાડી  - ખાવુ  છે  કે  નખરા જ કરવા  છે  ? ફટકારુ  ? કહી  અને    લાકડી  ઉગામી –એટલે  જે જે  બાવાએ   શકરીનો  હાથ પકડી  લીધો – ચાલ  ચાલ  શકરી આપણે  બન્ને  આજે  તો   સાથે  ખાઇ  લયીએ – શકરી  કહે હુ  રોટલો નહી  ખાઉ –આ   કારેલાનુ  શાક  પણ  નહી  ખાઉ  - જે  જે   બાવા કહે    એ હુ  ખાઇશ  -  તને  ભાવે તે  તુ  ખાજે  બસ  ?શકરી તો  ખુશ  થયી  ગયી  - “  રાજ-ભોગ  “ પતી  ગયો  - હવે   જુઠણ કોણ    ઉપાડે ?  શકરી કહે  તમે  ખાધુ-   વાસણ તમે મુકી આવો  - જે જે  બાવા કહે તે  પણ ખાધુ  છે  -તુ  મુકી આવ -  શકરી કહે   એ  મારુ કામ  નહી મને  તો  ફક્ત તમોને  ખવડાવવાનુ જ કામ  સોપાયુ હતુ  - વાસણ મુકી આવવાનુ નહી – અને  એ તો ત્યા ને  ત્યા  જ ઉંઘી ગયી.
       નિયમ  એવો  હતો  કે  જે થાળ  ધરાવે   તે  થાળ  તેને ફાળે આવે-  દાદીને એમ  કે   શકરી  તેનો થાળ   લયી  ગયી  હશે – કોઇએ  તપાસ  ના  કરી –બપોર પછી  મોટા   પાપાજી  આવ્યાત્યારે  તેમણે  જોયુ કે  શકરી હજુ  જે  જે  બાવા     સામે ઉંઘતી હતી  અને  એઠા   વાસણ પણ  તેમના  તેમ  જ  હતા  -  તેમણે  શકરી ને  જગાડી અને  કહ્યુ કે   આ વાસણ તો મુકી  આવ  ? તે  પણ  અહી જ ખાઇ  લીધુ  ?  શકરી કહે   હુ   વાસણ  શાના  મુકી આવુ  ?  જે  જે  બાવાએ પણ  ખાધુ છે-  તે  મુકી આવે  -  પહેલા  તો મોટાપાપાજીને મજાક લાગી પણ  પુરી વાત    સાંભળી ત્યારેબોલી ઉઠ્યા – મારી  જીંદગી ધુળમા ગયી  અને   તારા માટે એક  જ દિવસમા તે   આવ્યા?  અને   ખાધુ પણ  ખરુ  ?
નામદેવનુ   આખ્યાન  પણ   જાણો છો  ને ?   વિઠોબાજી  આવ્યા  હતા –અને   ખાધુ પણ  હતુ
વિશ્વાસ   રાખો  - શ્રધ્ધા  રાખો – સાબિતીઓ  ના  માગો  - આ  શ્રધ્ધાનો  વિષય  છે
ભક્તિ  એ  શ્રધ્ધા અને  સમર્પણનો  વિષય   છે.
ગુણવંત  પરીખ
ક્રમશ :

No comments:

Post a Comment