Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
19
-: અ દ્ર
ષ્ટ – પ રી બ ળ :
કોઇ પણ મહાન સિધ્ધિ પાછળ
કે મહા વિનાશ પાછળ
પણ કોઇ ને કોઇ
અદ્રષ્ટ પરિબળ કામ
કરતુ જ હોય છે
- આધ્યાત્મીક દ્રષ્ટીએ
જોઇયે તો પોતાનુ પુણ્યબળ હોય , કોઇનુ
પુણ્યબળ હોય ,
પોતાના કોઇ કર્મ
હોય , કોઇનુ
પાપબળ પણ
હોઇ શકે , વ્યક્તિની પોતાની ભુલ પણ
હોઇ શકે , ગેરસમજ હોય ,
ખોટી આસક્તિ હોય ,મ્રુગજળ પાછ્ળની
દોડ પણ હોઇ શકે : એક
યા બીજુ નિમિત્ત અવશ્ય
કામ કરે જ છે.
મહર્ષી
વેદવ્યાસ : કુરૂકુળનો નાશ :
કુરૂક્ષેત્રનુ મહાયુધ્ધ : એક પૌરાણીક ઐતિહાસીક ધાર્મીક પ્રસંગ: મહર્ષિ વેદ વ્યાસ
: જીવંત સાક્ષી : અને આ મહાયુધ્ધના
પરીબળે તેમને એક મહાન ગ્રંથ
રચવાની પ્રેરણા આપી અને તે
છે મહાભારત :
વાલિયો : એક ખુંખાર
લુટારો : નારદજીનુ દિશા સુચન :
તારા આ
પાપ કર્મમાં તારો કોઇ ભાગીદાર નથી
: જા ઘેર
જયીને પુછી આવ તારા
કુટુંબીજનોને : મને બાંધીને જા : હુ
ભાગી જયીશ નહી : ઘેર ગયો
: સૌએ એક અવાજે કહ્યુ કે તુ
તારી ફરજ બજાવે છે :અમારુ ગુજરાન ચલાવે છે પણ તે
માટેના પાપ પુણ્યનો તુ
પોતે જ જવાબદાર છે અમે
તેમાં ભાગીદાર નથી :
વાલિયાની આંખ ખુલી ગયી : અરે રે રે હુ
આ બધુ જેના
માટે કરુ છુ તે
તો મારી સાથે છે જ નહી :
તો પછી આ પાપ કર્મ
શા માટે ?
તેણે રામ
નામ નો જપ કર્યો , તપ
કર્યુ,
એક મહાન ઋષી બની
ગયો અને આપણને
મળ્યો એક મહાગ્રંથ -
રામાયણ ;
સત
તુલસીદાસ: એક પાગલ પ્રેમી હતો : પત્ની પાછળ દિવાનો : એક પળ
પત્ની વગર ચાલે નહી : એક વાર પત્ની
કોઇ પ્રસંગે પિયેર
ગયી - પ્રેમી પાગલ
બની ગયો - વિહ્વળ
બનીને સાસરે પત્નીને
મળવા નિકળ્યો - :
ધોધમાર વરસાદ :નદી નાળાં ભરચક : એક તણાતા
મડદા ઉપર બેસીને નદી
પાર કરી - શ્વસુર ગ્રુહે પહોચી ગયો :
દ્વાર બંધ : ઉપર કેવીરીતે જવુ
? એક
સાપ લટકતો હતો :તેને લાગ્યુ કે
દોરડુ છે અને તેને
સહારે ઉપર ચઢી
ગયો અને ત્ની પત્નીને બુમ
પાડી : તેની પત્ની ચોકી
ગયી : મધરાતે વસતા વરસાદમાં તમે ?
અહી કેવીરીતે આવ્યા?
પાગલ પ્રેમીએ વ્રુત્તાંત
કહ્યુ: અને પત્નીએ જબરજસ્ત
ટોણો માર્યો: અરે આટલી નિષ્ઠા જો તમે
ભગવાન રામ માટે રાખી હોત
તો તે જાતે
તમોને મળવા આવ્યા હોત : તમે મારી
પાછળ કેમ પાગલ બન્યા ? આ ટોણો
કારગત નિવડ્યો : એક
દિવસ એવો પણ ઉગ્યો
:
તુલસીદાસ ચંદન
ઘસે , તિલક
કરે રઘુવીર :
અને
આપનને મળ્યો એક મહાગ્રંથ : રામ –ચરિત માનસ
રાજ – પાટ , ધન
દૌલત ,વાડી, વજીફા , વૈભવ, પત્ની બાલકો
બધુ ત્યજીને વનમા
આવેલા ભરત એક મહાન વિરક્ત
તપસ્વીનુ જીવન જીવતા
હતા –પણ એક દિવસ એક
અનાથ મ્રુગબાળ – હરણનુ બચ્ચ્યુ
: મળ્યુ : દયા આવી – આશ્રમમાં લાવ્યા :
ઉછેરવા પણ લાગ્યા :
અને કયી પળે
આસક્તિ જંન્મી ખબર ના
પડી – પણ હરણબાળ વગર
તે રહી જ ના
શકે પુજા ,
પાઠ , સ્નાન , સંધ્યા , બધુ
બાજુ પર મુકાઇ ગયુ , :
ધ્યાન ધર્મ
ભક્તિ બધુ બાજુ
પર હડસેલાયી ગયુ
: રહ્યુ માત્ર હરણ બાળ : અને
તે પણ કાળક્રમે મ્રુત્યુ પામ્યુ
: અને ભરતજી ? ભગવાને પુછ્યુ: આ શુ કર્યુ ભરત ? ભરત કહે મે
તો મારો ધર્મ બજાવ્યો
- એક જીવને જીવતદાન આપેલુ : પણ
પછી કેમ તેની પાછળ
પાગલ બની ગયો ? છે જવાબ ? કોઇ જવાબ
નહી પણ પ્રભુ સમજતા હતા :
ભરતે ખોટી આસક્તિ જરૂર રાખી ; પણ
પેટમા પાપ નહોતુ પુણ્યશાળી જીવ
હતો -ભક્તપણ હતો - અને આપણને
મળ્યા ભરત ઋષી -
જડભરત
આગળ વધિયે
: તાજો ઇતિહાસ : કલિંગનુ યુધ્ધ :
ચક્રવર્તી સમ્રાટ અશોક : યુધ્ધ તો
જીતી ગયો – પણ વિજય ના
મનાવી શક્યો.. યુધ્ધની ખુવારી જોઇને વિષાદમય બની ગયો
અને દેશની પ્રજાને મળ્યો
એક સમર્થ ધર્મ પ્રચારક : બુધ્ધ
ધર્મના પ્રચાર માટે તેણે તેના
પુત્ર અને પુત્રીને પણ વિદેશ મોકલ્યા
માનવ માત્રમાં એક
સંવેદનાનો અંશ જરૂર
છે :તેની આંખ ખોલનાર પરીબળની જ
જરૂર છે . આ તો કલીયુગ
છે. વાલિયાની જેમ કુટુંબ
પ્રત્યેની ફરજમા ધોવાઇ જયીને ખુવાર થનારને
જ્યારે તે ભાન
પડે છે કે અરે
આ હુ કોના
માટે પાગલ બની ગયો
હતો ? જે કદી મારા
ના થયા તેમના માટે મે મારી અણમોલ જીદગી વેડફી નાખી અને મને
જ્યારે જરૂર પડી : માદે સાજે સહારો
માગ્યો ત્યારે તે પણ ના મળ્યો ? સૌ
વિમુખ?
વાલિયા; તારુ કર્યુ
તુ ભોગવ : અરે
જેની આસક્તિ પાછળ ધર્મ ,ધ્યાન , કર્મ કાંડ ,અને સમગ્ર
નિવ્રુત્તિનુ જીવન અર્પણ કરી દીધુ
: જેને જીવના જતનથી હથેળીમાં રાખીને
તમામ સ્તરનુ ભૌતિક , બૌધ્ધિક અને આધ્યાત્મિક
જ્ઞાન આપ્યુ : તે જ
પ્રિય હરણ બાળ : તો ભાગી ગયુ :
પણ શિંગડા પણ ભરાવતુ
થયી ગયુ : અરે રે રે મે આ
શુ કર્યુ? પણ આંખ
ખુલી ત્યારે તો ખુબ મોડુ થયી
ગયુ હતુ :
જબ ચિડિયા ચુગ ગયી
ખેત ----
સબ કુછ લુટાકે હોશમે
આયે તો ક્યા મીલા
?
હરણ બનવુ
પડ્યુ – અહિયા પણ કોઇ આધ્યાત્મિક પરીબળ તો છે જ :
એક વડીલ ભક્તજનને
તેમના નાના પુત્રો
પ્રત્યેખુબ આસક્તિ: તેમના
વિરુધ્ધ કોઈ સાચી ફરીયાદ હોય તો
પણ કાને ના ધરે : એક કમનસીબ
પળે તેમની જ એક વ્યક્તિએ ચેતવણી આપેલ હોવા છતા પણ ફરીયાદ કરી : આ છોકરાઓને તમે કેમ કશુ
કહેતા નથી ? અને
લાચાર પણ વિક્ષુબ્ધ
મનમાથી એક અભિશાપ નીકળી ગયો
: તમારાં જ
છોકરાં આવા પાકશે તો
શુ કરશો ?
મોટે ભાગે શાપ
કદી મિથ્યા થતો
નથી : એ અભિશાપનો
પ્રભાવ આજે પણ ભોગવવો જ પડે
છે -ભોગવે પણ છે
: ભગવાન
યોગેશ્વર શ્રી ક્રુષ્ણને
પણ માતા ગાંધારીનો
શાપ સ્વીકારવો જ પડ્યો હતો.
જો ભગવાન ક્રુષ્ણને શાપ
ભોગવવો પડ્યો તો તમે કે
હુ શુ
વિસાતમા?
અને આ અને
આવા તમામ વિપરીત પરિબળોની અસરમાથી મુક્તિ મેળવવા માટેનો ઉપાય
આપવાની નારદજીએ વેદ વ્યાસને પ્રાર્થના
કરી અને પરીણામ સ્વરુપે મળ્યો
એક ઉચ્ચ કોટીનો મહા વ્રંથ : ભાગવત :
પા પા જી
ક્રમશ:
No comments:
Post a Comment